Ajinkya Rahane: અજિંક્ય રહાણેનો એ વિશ્વ રેકોર્ડ, જેને તોડવો લગભગ અશક્ય છે
અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 19 વર્ષની કારકિર્દીમાં ભારતીય બેટરે અનેક યાદગાર રેકોર્ડ પોતાના નામે કર્યા છે. પરંતુ તેમનો એક એવો વર્લ્ડ રેકોર્ડ છે, જે તેમને અન્ય દિગ્ગજોથી અલગ બનાવે છે. ખાસ વાત એ છે કે આ કીર્તિમાન તોડવો આગામી સમયમાં પણ સરળ નહીં હોય. જાણો રહાણેના આ અનોખા રેકોર્ડ વિશે.

અજિંક્ય રહાણેએ ગુરુવાર, 30 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ અનુભવી ભારતીય ખેલાડી હવે ક્રિકેટર તરીકે મેદાન પર જોવા મળશે નહીં.

અજિંક્ય રહાણેએ ભારત માટે 85 ટેસ્ટ મેચોમાં 5,077 રન બનાવ્યા છે, જેમાં 12 સદી સામેલ છે. વનડે ક્રિકેટમાં તેણે 35.30 ની સરેરાશથી 2,962 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે. રહાણેએ 20 T20 મેચ પણ રમી છે.

અજિંક્ય રહાણેએ પોતાની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ ફિલ્ડર તરીકે કેચિંગનો એક એવો વિશ્વ રેકોર્ડ તેના નામે છે જેને તોડવા લગભગ અશક્ય છે.

આ રેકોર્ડ છે ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનરોની બોલિંગમાં સૌથી વધુ કેચ પકડવાની સરેરાશનો છે. તેણે ટેસ્ટમાં સ્પિનરોની બોલિંગમાં 68.6 ટકા કેચ લીધા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પકડેલા 102 કેચમાંથી 70 કેચ સ્પિનરોની બોલિંગમાં આવ્યા છે.

રહાણે પછી મહેલા જયવર્ધનેનો નંબર આવે છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 205 કેચ લીધા છે, જેમાંથી 139 કેચ સ્પિનરોનો બોલિંગમાં આવ્યા છે. સ્પિનરોની બોલિંગમાં જયવર્ધનની કેચિંગ સરેરાશ 67.8 ટકા છે. (PC:PTI/GETTY IMAGES)
Ajinkya Rahane Retirement: નિવૃત્તિ બાદ અજિંક્ય રહાણેને BCCI કેટલું પેન્શન આપશે?
