વિરાટ-બુમરાહ નહીં આ બે ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને જીતાડશે વર્લ્ડ કપ, રવિ શાસ્ત્રીએ કરી મોટી ભવિષ્યવાણી
T20 વર્લ્ડ કપ 2 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ-યુએસમાં શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. રોહિત એન્ડ કંપની ફરી એકવાર આ ટૂર્નામેન્ટ જીતવા માટે મોટા દાવેદાર હશે પરંતુ સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન કોણ બનાવશે. રવિ શાસ્ત્રીએ બે યુવા ખેલાડીઓ પર આ દાવ રમ્યો છે.

IPL બાદ T20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થશે અને ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં જીતની મોટી દાવેદાર છે અને જીતવા માટે એક મજબૂત યુનિટ પણ બનાવવામાં આવ્યું છે.

પૂર્વ કેપ્ટન અને પ્રખ્યાત કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ આ સવાલનો જવાબ આપ્યો છે કે T20 વર્લ્ડ કપમાં કયો ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. શાસ્ત્રીએ વિરાટ અને બુમરાહ પર આ દાવ રમ્યો નથી. તેમના મતે યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબે ટીમ ઈન્ડિયાના ટ્રમ્પ કાર્ડ હશે.

રવિ શાસ્ત્રીએ આઈસીસી સાથેની વાતચીતમાં કહ્યું કે જયસ્વાલ અને દુબે બંને ડાબા હાથના બેટ્સમેન છે અને બંને ડર્યા વગર ક્રિકેટ રમે છે. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું છે અને IPL 2024માં પણ સદી ફટકારી છે.

શાસ્ત્રીના મતે, શિવમ દુબે મધ્ય ઓવરોમાં તબાહી મચાવી શકે છે, તેણે આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 170થી વધુના સ્ટ્રાઈક રેટથી 350 રન બનાવ્યા છે. શાસ્ત્રીના મતે દુબેનું સ્પિનરોને લાંબી સિક્સર મારવી એ એક મોટું એક્સ ફેક્ટર છે.

સ્પિનરો સામે શિવમ દુબેની સારી બેટિંગના કારણે તેને રિંકુ સિંહ જેવા ખેલાડીઓ પર મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેની મીડિયમ પેસ બોલિંગનો ઉપયોગ T20 વર્લ્ડ કપમાં પણ થઈ શકે છે.
