વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલી, આ નામ વિશ્વના કોઈ પણ દેશના ક્રિક્રેટ પ્રેમીથી અજાણ્યું નથી. વર્ષ 2008થી આ નામ સૌ ક્રિકેટ પ્રેમીઓના કાને ગુંજતુ રહ્યું હતું અને હોઠેથી બોલાતું રહ્યું છે. સમયાંતરે વિરાટ કોહલીનું નામ ક્રિકેટ જગતમાં ખરેખર વિરાટ થઈ ગયું છે. હવે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો એક ચહેરો બની ગયો છે. વિરાટ કોહલીએ પોતાના બેટ વડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે, મોટી નામના પ્રાપ્ત કરી છે. દરેક મેચમાં તેના બેટ વડે થતા દરેક રન એક નવો વિક્રમ રચવા બરાબર કહેવામાં કોઈ ખોટું નથી.

દિલ્લીના વિરાટ કોહલી 18 વર્ષનો હતો ત્યારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાના અવસાન થયાના બીજા દિવસે, રણજી ટ્રોફીની મેચમાં, દિલ્લીને મેચ બચાવવાની હતી. વિરાટ કોહલીએ એક એવી ઈનિગ્સ રમી કે મેચ બચી અને વિરાટની નવી પ્રતિભા પણ સામે આવી. વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ, ભારતે કુઆલાલંપુરમાં રમાયેલ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો.

અંડર-19 વર્લ્ડ કપ જીતવાની સાથે જ વિરાટ કોહલીનું ક્રિકેટ જગતમાં વિરાટ બનવાનું શરુ થયું. 2008માં જ ODI ક્રિકેટમાં વિરાટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. ક્રિકેટના ODI ફોર્મેટમાં વિરાટની એક પછી એક ઈનિગ્સ થકી, વિરાટ કોહલીને ક્રિકેટ જગતમાં કિંગ બનાવ્યો અને તેના કારણે ‘કિંગ કોહલી’નુ નવુ વિશ્વાસપાત્ર હુલામણુ નામ મળ્યું. આતંરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે, વિરાટ કોહલીની બેંટીગને લઈને 2011માં ભારતને બીજી વખત વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનું યોગદાન હતું, જ્યારે 2013માં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં પણ વિરાટની ભૂમિકા મહત્વની રહી હતી.

વિરાટ કોહલી એક માત્ર એવો બેટ્સમેન છે, જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, જેવા કે ટેસ્ટ ક્રિકેટ, વન ડે ક્રિકેટ અને T20માં પોતાના બેટ વડે વર્ચસ્વ બનાવી રાખ્યું. 2015થી લઈને 2022 સુધી વિરાટ કોહલી ભારતીય ટીમના સુકાની રહ્યો હતો. તો ભારતમાં ખુબ જ લોકપ્રિય બનેલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમીને વિરાટ કોહલીએ અનેક વિક્રમો રચ્યા. જો કે વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઈપીએલની ટ્રોફી અપાવી શક્યો નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ODI ક્ષેત્રે વિરાટ કોહલીએ, ઓકટોબર 2023 સુધીમાં, 48 સદી ફટકારી છે. જે સર સચિન તેડુંલકરે ODIમાં ફટકારેલી 49 સદી કરતા એક જ સદી ઓછી છે.

Read More

વર્લ્ડ કપની ફાઈનલ વિરાટ કોહલીના કારણે હારી ટીમ ઈન્ડિયા? વીરેન્દ્ર સેહવાગનું ચોંકાવનારું નિવેદન

ભારતીય ટીમ ટૂંક સમયમાં T20 વર્લ્ડ કપ માટે અમેરિકા જવા રવાના થશે. પરંતુ આ પહેલા અનુભવી ઓપનર વીરેન્દ્ર સેહવાગે 2023 વર્લ્ડ કપ ફાઈનલને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વીરેન્દ્ર સેહવાગે કોઈનું પણ નામ લીધા વિના વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતની હાર માટે વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

IPL 2024: વિરાટ અને ગાવસ્કર વચ્ચેની લડાઈમાં વસીમ અકરમ કૂદી પડ્યો, કહી મોટી વાત

વિરાટ કોહલીએ હાલમાં જ સુનીલ ગાવસ્કરને તેના સ્ટ્રાઈક રેટના મુદ્દે જવાબ આપ્યો હતો, જેના પછી દિગ્ગજ ખેલાડી ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. કોહલીને મોટી સલાહ આપતા સુનીલ ગાવસ્કર અને વિરાટ કોહલી વચ્ચેના આ વિવાદમાં હવે વસીમ અકરમે પ્રવેશ કર્યો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે ગાવસ્કરને પણ સમર્થન આપતા પ્રતિક્રિયા આપી હતી.

વિરાટ-બુમરાહ નહીં આ બે ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને જીતાડશે વર્લ્ડ કપ, રવિ શાસ્ત્રીએ કરી મોટી ભવિષ્યવાણી

T20 વર્લ્ડ કપ 2 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ-યુએસમાં શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. રોહિત એન્ડ કંપની ફરી એકવાર આ ટૂર્નામેન્ટ જીતવા માટે મોટા દાવેદાર હશે પરંતુ સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન કોણ બનાવશે. રવિ શાસ્ત્રીએ બે યુવા ખેલાડીઓ પર આ દાવ રમ્યો છે.

T20 World Cup 2024 : વિરાટ કોહલીને આઉટ કરવા ખાસ પ્લાન બનાવવામાં આવશે, બાબર આઝમે કહી મોટી વાત

બાબર આઝમે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ પહેલા વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે. બાબરે કહ્યું કે તે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને વહેલા આઉટ કરવાની રણનીતિ બનાવશે. બાબર આઝમના આ નિવેદન બાદ પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરે છે અને વિરાટ કોહલીને કેવી રીતે જલદી આઉટ કરે છે, તેના પર બધાની ખાસ નજર રહેશે.

IPL 2024 પર્પલ કેપના લિસ્ટમાં છે 2 ગુજરાતી ખેલાડી, ઓરેન્જ કેપમાં આ ખેલાડી છે આગળ

રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ 42 રનની ઈનિગ્સ રમી ઓરેન્જ કેપ પર પોતાનો કબજો કર્યો હતો. તો ચાલો આજે જોઈએ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ માટે કોણ ટૉપ-5માં છે.

IPL 2024 RCB vs GT: સિરાજ-દયાલ બાદ વિરાટ-ડુ પ્લેસિસે તબાહી મચાવી, બેંગલુરુએ ફરી ગુજરાતને કચડી નાખ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું અને સતત ત્રીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમું સ્થાન મેળવ્યું હતું. જ્યારે ગુજરાત આ હાર સાથે નવમા સ્થાને સરકી ગયું છે. મોહમ્મદ સિરાજે 2 ઓવરમાં ગુજરાતના બંને ઓપનરને આઉટ કરીને બેંગલુરુની જીતનો પાયો નાખ્યો હતો. જે બાદ વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે RCBને બેટિંગમાં ધમાલ શરૂઆત આપવતા માનસિક રીતે પહેલા જ જીત મેળવી હતી. અંતમાં દિનેશ કાર્તિક અને સ્વપ્નિલ સિંઘે RCBને જીત અપાવી હતી.

IPL 2024 : વિરાટ કોહલીનો શાનદાર રન આઉટ, થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ અનુષ્કાને આપી ‘ફ્લાઈંગ કિસ’

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુના બોલરોએ ગુજરાતને માત્ર 147 રનમાં આઉટ કરી દીધું હતું અને બાદમાં આસાનીથી રનચેઝ કરી RCBએ જીત મેળવી હતી, જેમાં વિરાટ કોહલીનું પણ મહત્વનું યોગદાન હતું. બેટિંગમાં ધમાલ મચાવતા પહેલા વિરાટે મેદાન પર ફિલ્ડિંગમાં પણ કમાલ કર્યો હતો. જેમાં તેણે ગુજરાતના શાહરુખ ખાનને આઉટ કર્યા બાદ પત્ની અનુષ્કા શર્માને ફ્લાઈંગ કિસ કરી હતી, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.

IPL 2024 : સુનીલ ગાવસ્કર સ્ટાર સ્પોર્ટ્સ પર થયા ગુસ્સે, લાઈવ શોમાં લગાવી ક્લાસ

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વિરાટ કોહલીની ધીમી ઈનિંગ્સની ટીકા થઈ હતી, ત્યારબાદ વિરાટે ગુજરાત સામે શાનદાર બેટિંગ કરી હતી અને પછી એક ઈન્ટરવ્યુમાં તેણે ટીકાકારોને જવાબ આપ્યો હતો કે તે લાંબા સમયથી રમી રહ્યો છે અને તેની રમતને સમજે છે. કોહલીની સ્ટ્રાઈક રેટને લઈ ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ ટીકા કરી હતી, જોકે તેને વારંવાર ટેલિકાસ્ટ કરવામાં આવતા તેઓ ખૂબ જ ગુસ્સે થયા છે.

IPL 2024 : ગુજરાત સામે કોહલીની 151ની બેટિંગ એવરેજ, વિરાટને રોકવું ગુજરાતના બોલરો માટે મોટો પડકાર

IPL 2024માં 10 મેચ રમીને વિરાટ કોહલીના 500 રન છે. વિરાટનો ગુજરાત સામે જે પ્રકારનો રેકોર્ડ છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આ મેચ બાદ તે ફરીથી ઓરેન્જ કેપની રેસમાં નંબર વન બની શકે છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો ગુજરાત ટાઈટન્સ છે. આ ટીમ સામે વિરાટ કોહલી જ્યારે પણ રમે છે ત્યારે સારી બેટિંગ કરે છે અને મોટો સ્કોર કરે છે. એવામાં આજની મેચમાં વિરાટને રોકવું ગુજરાતના બોલરો માટે મોટો પડકાર છે.

T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માએ જે પગલું ભર્યું, શું વિરાટ કોહલી પણ આવું જ કરશે?

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની 11મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. તેના બદલે રોહિતને ઈમ્પેક્ટ પ્લેયર્સમાં રાખવામાં આવ્યો હતો, તેની પાછળ એક ખાસ કારણ હતું. હવે સવાલ એ ઊભો થયો છે કે શું વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા અન્ય ખેલાડીઓ કે જેમની ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય નથી થઈ શકતી તેઓ પણ આવો બ્રેક લેશે.

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે વિરાટ કોહલી અને હાર્દિક પંડયા

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. પરંતુ બંને ખેલાડીઓને IPLમાં તેમની ટીમની નિષ્ફળતા માટે સૌથી વધુ દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. હવે 2007નો વર્લ્ડ કપ વિજેતા એસ શ્રીસંત આ બંનેના સમર્થનમાં સામે આવ્યો છે. તેણે આ જોડીને ભારત માટે ગેમ ચેન્જર ગણાવી છે.

T20 World Cup 2024 : રોહિત શર્માએ કરી એવી માંગ, T20 WCમાં ફસાઈ જશે વિરાટ કોહલી

IPL 2024માં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી બીજા સ્થાને છે. તેણે 10 મેચમાં 147ના સ્ટ્રાઈક રેટથી 500 રન બનાવ્યા છે. પરંતુ તે વચ્ચેની ઓવરોમાં ધીમી રમતા જોવા મળે છે. હવે રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ માટે એવી માંગ કરી છે, જે તેના માટે પડકાર બની શકે છે.

આટલા આલિશાન ઘરમાં રહે છે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, ઘરની ઈનસાઈડ તસવીરો જુઓ અહીં

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો અલીબાગમાં આવેલો બંગલો ઘણો આલીશાન છે. જેની ઈનસાઈડ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જે જોઈને ફેન્સ ચોંકી ગયા છે

વિરાટ કોહલી બન્યો વિશ્વનો નંબર 1 એથલીટ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો- લિયોનેલ મેસ્સીને પાછળ છોડી દીધા

વિરાટ કોહલીએ 2024ના 100 મહાન ખેલાડીઓની યાદીમાં વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સીને પાછળ છોડી દીધા છે. તમને જણાવી દઈએ કે વિરાટનું એપ્રુવલ રેટિંગ 76 ટકા છે, જ્યારે રોનાલ્ડોનું 58 ટકા અને મેસ્સીનું 57 ટકા છે. આટલું જ નહીં, તે એકમાત્ર ક્રિકેટર છે જે આ યાદીમાં સામેલ છે.

IPL 2024: ઋતુરાજ ગાયકવાડે પંજાબ સામે કર્યો ‘ટ્રિપલ બ્લાસ્ટ’, વિરાટ કોહલી પણ પાછળ રહી ગયો

ઋતુરાજ ગાયકવાડે પંજાબ કિંગ્સ સામે શાનદાર ઈનિંગ રમી હતી. ચેન્નાઈના કેપ્ટને 47 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ શાનદાર ઈનિંગ દરમિયાન ગાયકવાડે ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો અને બે મોટા રેકોર્ડ પણ બનાવ્યા.

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">