AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલી, આ નામ વિશ્વના કોઈ પણ દેશના ક્રિક્રેટ પ્રેમીથી અજાણ્યું નથી. વર્ષ 2008થી આ નામ સૌ ક્રિકેટ પ્રેમીઓના કાને ગુંજતુ રહ્યું હતું અને હોઠેથી બોલાતું રહ્યું છે. સમયાંતરે વિરાટ કોહલીનું નામ ક્રિકેટ જગતમાં ખરેખર વિરાટ થઈ ગયું છે. હવે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો એક ચહેરો બની ગયો છે. વિરાટ કોહલીએ પોતાના બેટ વડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે, મોટી નામના પ્રાપ્ત કરી છે. દરેક મેચમાં તેના બેટ વડે થતા દરેક રન એક નવો વિક્રમ રચવા બરાબર કહેવામાં કોઈ ખોટું નથી.

દિલ્લીના વિરાટ કોહલી 18 વર્ષનો હતો ત્યારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાના અવસાન થયાના બીજા દિવસે, રણજી ટ્રોફીની મેચમાં, દિલ્લીને મેચ બચાવવાની હતી. વિરાટ કોહલીએ એક એવી ઈનિગ્સ રમી કે મેચ બચી અને વિરાટની નવી પ્રતિભા પણ સામે આવી. વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ, ભારતે કુઆલાલંપુરમાં રમાયેલ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો.

અંડર-19 વર્લ્ડ કપ જીતવાની સાથે જ વિરાટ કોહલીનું ક્રિકેટ જગતમાં વિરાટ બનવાનું શરુ થયું. 2008માં જ ODI ક્રિકેટમાં વિરાટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. ક્રિકેટના ODI ફોર્મેટમાં વિરાટની એક પછી એક ઈનિગ્સ થકી, વિરાટ કોહલીને ક્રિકેટ જગતમાં કિંગ બનાવ્યો અને તેના કારણે ‘કિંગ કોહલી’નુ નવુ વિશ્વાસપાત્ર હુલામણુ નામ મળ્યું. આતંરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે, વિરાટ કોહલીની બેંટીગને લઈને 2011માં ભારતને બીજી વખત વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનું યોગદાન હતું, જ્યારે 2013માં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં પણ વિરાટની ભૂમિકા મહત્વની રહી હતી.

વિરાટ કોહલી એક માત્ર એવો બેટ્સમેન છે, જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, જેવા કે ટેસ્ટ ક્રિકેટ, વન ડે ક્રિકેટ અને T20માં પોતાના બેટ વડે વર્ચસ્વ બનાવી રાખ્યું. 2015થી લઈને 2022 સુધી વિરાટ કોહલી ભારતીય ટીમના સુકાની રહ્યો હતો. તો ભારતમાં ખુબ જ લોકપ્રિય બનેલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમીને વિરાટ કોહલીએ અનેક વિક્રમો રચ્યા. જો કે વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઈપીએલની ટ્રોફી અપાવી શક્યો નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ODI ક્ષેત્રે વિરાટ કોહલીએ, ઓકટોબર 2023 સુધીમાં, 48 સદી ફટકારી છે. જે સર સચિન તેડુંલકરે ODIમાં ફટકારેલી 49 સદી કરતા એક જ સદી ઓછી છે.

Read More

Virat Kohli: કેપટાઉનથી હરારે સુધી… ODI વર્લ્ડ કપ 2027ના મેદાનો પર કેવું રહ્યું છે કિંગ કોહલીનું પ્રદર્શન?

ODI વર્લ્ડ કપ 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે તથા નામિબિયામાં રમાશે. 12 મેદાનો પર યોજાનારી આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીનો અનુભવ ભારત માટે મહત્વનો રહેશે. ખાસ વાત એ છે કે આ 12માંથી 8 મેદાન પર કોહલી રમી ચૂક્યો છે. ચાલો જાણીએ આ મેદાનો પર વિરાટ કોહલીનું પ્રદર્શન કેવું રહ્યું છે.

Ajinkya Rahane: વિરાટ કોહલીએ અજિંક્ય રહાણેને શા માટે કહ્યો પોતાનો બેસ્ટ બેટિંગ પાર્ટનર? આંકડા આપે છે જવાબ

અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેની નિવૃત્તિ બાદ વિરાટ કોહલીએ રહાણે માટે એક ખાસ પોસ્ટ શેર કરી હતી. જેમાં કોહલીએ રહાણેને પોતાનો બેસ્ટ બેટિંગ પાર્ટનર ગણાવ્યો હતો. કોહલીના આ શબ્દો પાછળ બેટિંગના મજબૂત આંકડા છે. જે બંનેની જોડીની સફળતાની સંપૂર્ણ કહાની કહે છે.

Guru Purnima : સચિનથી વિરાટ અને રોહિત સુધી, આ 5 કોચે ઘડ્યા ક્રિકેટના મહાન સિતારા, આ ગુરુઓને સલામ

ગુરુ પૂર્ણિમાના ખાસ અવસર પર આજે એવા પાંચ ક્રિકેટ કોચને યાદ કરવાનો દિવસ છે, જેમણે ભારતીય ક્રિકેટને અનેક મોટા ખેલાડીઓ આપ્યા. કોઈએ સચિન તેંડુલકરને ઘડ્યા, તો કોઈએ વિરાટ કોહલી, રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ જેવા સિતારાઓને નવી દિશા આપી. આ કોચોએ મેદાનની બહાર રહીને ભારતીય ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવ્યું.

Breaking News: ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ બન્યો વર્લ્ડ નંબર 1 ODI બેટ્સમેન, હવે વિરાટ કોહલીથી ‘ખતરો’!

શુભમન ગિલે લેટેસ્ટ ICC ODI રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે, તેણે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલને પાછળ છોડી દીધો છે. રસપ્રદ વાત એ છે કે શુભમન ગિલનું નંબર 1 રેન્કિંગ હવે વિરાટ કોહલીથી ખતરામાં છે. ચાલો લેટેસ્ટ ODI રેન્કિંગ પર એક નજર કરીએ.

વિરાટ કોહલી-અનુષ્કા શર્માએ મુંબઈમાં કરોડોનું વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું, શું ફરી ભારત શિફ્ટ થશે?

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ મુંબઈમાં એક નવું ઘર ખરીદ્યું છે. આ ઘરની કિંમત કરોડોમાં છે. નવું ઘર ખરીદ્યા બાદ વિરાટ-અનુષ્કા બાળકો સાથે લંડનથી ભારત શિફ્ટ થશે તેવી ચર્ચાઓ શરુ થઈ છે.

વૈભવ સૂર્યવંશીથી લઈને રોહિત-વિરાટ સુધી… સચિન તેંડુલકરના 7 મોટા રેકોર્ડ 7 દિવસમાં તૂટી ગયા

ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ અને બાદમાં ઝીમ્બાબ્વે પ્રવાસ ખાસ રહ્યો. એકમાં જ્યાં હર મળી તો બીજામાં મોટી જીત મળી. જોકે આ બંને સિરીઝના છેલ્લા સાત દિવસમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના 7 મોટા રેકોર્ડ 7 દિવસમાં તૂટી ગયા હતા. વૈભવ સૂર્યવંશી, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મળીને સચિન તેંડુલકરના સાત મોટા રેકોર્ડ તોડ્યા હતા.

ખુલ્લા પગે કાદવ-કીચડવાળા રસ્તા પર ચાલી વૃંદાવન પહોંચ્યા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, જુઓ Video

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ગુરુ પૂર્ણિમા પહેલા વૃંદાવન પહોંચી સંત પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા હતા. બંને હિત રાધા કેલી કુંજ આશ્રમમાં દર્શન પછી બહાર નીકળતા જોવા મળ્યા હતા.

વિરાટ કોહલી અને રોહિત શર્માને કોઈ હાથ પણ ના લગાવી શકે, દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર આર અશ્વિને વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. અશ્વિનનું કહેવું છે કે જો બંને દિગ્ગજ ખેલાડીઓ 2027 વનડે વર્લ્ડ કપ રમવા ઈચ્છશે તો તેમને રોકવું મુશ્કેલ હશે. આ સાથે તેણે ટીમ ઈન્ડિયાની બોલિંગ અને ઝડપી બોલરોના અનુભવ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

ઈંગ્લેન્ડ સિરીઝ બાદ ફરી ક્યારે ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે રોહિત શર્મા-વિરાટ કોહલી?

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસનો અંત દમદાર ઈનિંગ સાથે કર્યો. પરંતુ હવે ભારતીય ચાહકોએ બંનેને ટીમ ઈન્ડિયાની જર્સીમાં પાછા જોવા માટે લાંબી રાહ જોવી પડશે. ચાલો જણીએ હવે બંને દિગ્ગજો ફરી ક્યારે મેદાનમાં પાછા ફરશે.

Breaking News: સચિન-દ્રવિડનો મોટો રેકોર્ડ તૂટ્યો, રોહિત-વિરાટની જોડીએ લોર્ડ્સના મેદાન પર રચ્યો ઇતિહાસ; આવો રેકોર્ડ બનાવનારી દેશની પ્રથમ જોડી બની

ભારતીય ક્રિકેટના બે મહાન ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે આજ સુધી કોઈ ભારતીય જોડી નથી કરી શકી. સચિન અને દ્રવિડને પાછળ છોડી આ જોડીએ નવો ઇતિહાસ લખ્યો છે.

IND vs ENG: વિરાટ કોહલી, શુભમન ગિલ કે રોહિત શર્મા… લોર્ડ્સમાં 47 વર્ષના દુષ્કાળનો અંત કોણ લાવશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક વનડે લોર્ડ્સમાં રમાશે. આ ઐતિહાસિક મેદાન પર ભારતીય ટીમે અનેક યાદગાર મેચો રમી છે, પરંતુ એક અનોખી સિદ્ધિ હજુ પણ અધૂરી છે. છેલ્લા 47 વર્ષમાં કોઈ ભારતીય બેટ્સમેન અહીં વનડે સદી ફટકારી શક્યો નથી. હવે ફરી એકવાર આ દુષ્કાળ ખતમ કરવાની તક ટીમ ઈન્ડિયા સામે છે.

IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે શ્રેણી જીતવી આસાન નથી, લોર્ડ્સમાં 22 વર્ષનો દુષ્કાળ ખતમ કરવો પડશે

ટીમ ઈન્ડિયા ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીની અંતિમ મેચ રમશે. આ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખાસ પ્રભાવશાળી રહ્યો નથી. ભારતીય ટીમ વર્ષોથી ત્યાં જીતી શકી નથી. ખરેખર, જો ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ધરતી પર આ ODI શ્રેણી જીતવી હોય, તો તેમણે લોર્ડ્સમાં 22 વર્ષના દુષ્કાળનો અંત લાવવો પડશે.

IND vs ENG: વિરાટ-રોહિત ફ્લોપ, ગિલ-અય્યર રમ્યા નથી, લોર્ડ્સમાં ભારતીય બેટિંગ ભગવાન ભરોસે!

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીની શરૂઆત જીત સાથે કરી હતી પરંતુ કાર્ડિફમાં બીજી મેચમાં હાર સાથે તેણે લીડ ગુમાવી દીધી હતી. હવે, ટીમ પાસે જીતવાની એક છેલ્લી તક છે, પરંતુ તે સરળ રહેશે નહીં, કારણ કે લોર્ડ્સમાં ભારતીય બેટિંગ ઘણીવાર નિષ્ફળ રહી છે અને ભારતીય બેટ્સમેનોનું પ્રદર્શન ફ્લોપ રહ્યું છે.

IND vs ENG: ક્રિકેટના મક્કામાં વિરાટ કોહલીનું અધૂરું સપનું, એકમાત્ર મેદાન જ્યાં નથી મેળવી આ સિદ્ધિ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની નિર્ણાયક વનડેમાં બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. વિશ્વભરના લગભગ દરેક મોટા મેદાન પર રનનો વરસાદ કરનાર કિંગ કોહલી માટે લોર્ડ્સમાં મોટી ઈનિંગ રમવું હજુ પણ એક અધૂરું સપનું છે. આ ઐતિહાસિક મેદાન પર તેણે અત્યાર સુધી એક અડધી સદી પણ ફટકારી નથી. હવે નિર્ણાયક મેચમાં તેની પાસે આ ખરાબ રેકોર્ડ બદલવાની સુવર્ણ તક છે.

IND vs ENG: નિવૃત્તિની ચર્ચા વચ્ચે લોર્ડ્સમાં રોહિત-વિરાટ રચશે ઈતિહાસ, ભારતીય ક્રિકેટમાં પહેલીવાર આવું બનશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક વનડે માત્ર શ્રેણી માટે જ નહીં, પરંતુ રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પણ ઐતિહાસિક બનવાની છે. નિવૃત્તિની અટકળો વચ્ચે આ બંને દિગ્ગજ એક એવો રેકોર્ડ બનાવવાના આરે છે, જે અત્યાર સુધી ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં કોઈ જોડી હાંસલ કરી શકી નથી.

g clip-path="url(#clip0_868_265)">