વિરાટ કોહલી
વિરાટ કોહલી, આ નામ વિશ્વના કોઈ પણ દેશના ક્રિક્રેટ પ્રેમીથી અજાણ્યું નથી. વર્ષ 2008થી આ નામ સૌ ક્રિકેટ પ્રેમીઓના કાને ગુંજતુ રહ્યું હતું અને હોઠેથી બોલાતું રહ્યું છે. સમયાંતરે વિરાટ કોહલીનું નામ ક્રિકેટ જગતમાં ખરેખર વિરાટ થઈ ગયું છે. હવે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો એક ચહેરો બની ગયો છે. વિરાટ કોહલીએ પોતાના બેટ વડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે, મોટી નામના પ્રાપ્ત કરી છે. દરેક મેચમાં તેના બેટ વડે થતા દરેક રન એક નવો વિક્રમ રચવા બરાબર કહેવામાં કોઈ ખોટું નથી.
દિલ્લીના વિરાટ કોહલી 18 વર્ષનો હતો ત્યારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાના અવસાન થયાના બીજા દિવસે, રણજી ટ્રોફીની મેચમાં, દિલ્લીને મેચ બચાવવાની હતી. વિરાટ કોહલીએ એક એવી ઈનિગ્સ રમી કે મેચ બચી અને વિરાટની નવી પ્રતિભા પણ સામે આવી. વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ, ભારતે કુઆલાલંપુરમાં રમાયેલ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો.
અંડર-19 વર્લ્ડ કપ જીતવાની સાથે જ વિરાટ કોહલીનું ક્રિકેટ જગતમાં વિરાટ બનવાનું શરુ થયું. 2008માં જ ODI ક્રિકેટમાં વિરાટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. ક્રિકેટના ODI ફોર્મેટમાં વિરાટની એક પછી એક ઈનિગ્સ થકી, વિરાટ કોહલીને ક્રિકેટ જગતમાં કિંગ બનાવ્યો અને તેના કારણે ‘કિંગ કોહલી’નુ નવુ વિશ્વાસપાત્ર હુલામણુ નામ મળ્યું. આતંરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે, વિરાટ કોહલીની બેંટીગને લઈને 2011માં ભારતને બીજી વખત વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનું યોગદાન હતું, જ્યારે 2013માં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં પણ વિરાટની ભૂમિકા મહત્વની રહી હતી.
વિરાટ કોહલી એક માત્ર એવો બેટ્સમેન છે, જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, જેવા કે ટેસ્ટ ક્રિકેટ, વન ડે ક્રિકેટ અને T20માં પોતાના બેટ વડે વર્ચસ્વ બનાવી રાખ્યું. 2015થી લઈને 2022 સુધી વિરાટ કોહલી ભારતીય ટીમના સુકાની રહ્યો હતો. તો ભારતમાં ખુબ જ લોકપ્રિય બનેલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમીને વિરાટ કોહલીએ અનેક વિક્રમો રચ્યા. જો કે વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઈપીએલની ટ્રોફી અપાવી શક્યો નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ODI ક્ષેત્રે વિરાટ કોહલીએ, ઓકટોબર 2023 સુધીમાં, 48 સદી ફટકારી છે. જે સર સચિન તેડુંલકરે ODIમાં ફટકારેલી 49 સદી કરતા એક જ સદી ઓછી છે.
કોહલીએ સચિન-રોહિતને બાજુ પર મૂક્યા! આ ખેલાડીને ગણાવ્યો T20 ઇતિહાસનો અસલી ‘લેજન્ડ’, જેના નામથી બોલરો આજે પણ ધ્રૂજે છે
IPL 2026 ના પ્રારંભ પહેલા વિરાટ કોહલીએ એક મજેદાર ખુલાસો કર્યો છે. RCBના એક ઈન્ટરવ્યુમાં જ્યારે વિરાટને પૂછવામાં આવ્યું કે, T20 ક્રિકેટનો સૌથી બેસ્ટ ઓપનર કોણ છે? ત્યારે તેણે સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા મોટા નામોને બદલે એક એવા ખેલાડીનું નામ લીધું કે, જેને તે અસલી 'લેજન્ડ' માને છે.
- Ravi Prajapati
- Updated on: Mar 15, 2026
- 8:40 pm
Breaking News : રોહિત અને વિરાટના નામ નહીં… આ ખેલાડીઓને મળશે એવોર્ડ, BCCI એ કરી મોટી જાહેરાત
BCCI એ નમન એવોર્ડ્સ 2026 ના વિજેતાઓની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા વિવિધ શ્રેણીઓમાં ખેલાડીઓ, ભૂતપૂર્વ ખેલાડીઓ, કોચ અને અમ્પાયરોનું સન્માન કરવામાં આવશે. આ લિસ્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનું લિસ્ટમાં નામ નથી.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 3:14 pm
IPL 2026 ની ઓપનિંગ મેચમાં રમશે વિરાટ કોહલી, જાણો રોહિત-ધોનીની પહેલી મેચ ક્યારે થશે?
IPL 2026 ની પ્રથમ 20 મેચનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. સિઝનની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે. આ મેચમાં વિરાટ કોહલી એક્શનમાં જોવા મળશે. જ્યારે એમએસ ધોની અને રોહિત શર્મા ક્યારે પોતાની પહેલી મેચ રમશે તે બાબતે પણ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
- Smit Chauhan
- Updated on: Mar 11, 2026
- 10:41 pm
T20 World Cup 2026માં બનેલા વિશ્વ રેકોર્ડ, જેને દુનિયાએ સલામ કરી, ટીમ ઇન્ડિયાએ અનેક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યા
T20 World Cup 2026: ICC T20 WC એક ઐતિહાસિક ઘટના હતી, આ ટુર્નામેન્ટમાં અનેક રેકોર્ડ તૂટયા. ચાહકોએ નોંધપાત્ર પરાક્રમો જોયા. ટીમ ઇન્ડિયાએ અનેક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યા.
- Dhruv Barot
- Updated on: Mar 10, 2026
- 1:09 pm
ઈતિહાસના પાનાં પર નામ: 1983થી 2026 સુધીમાં ઇન્ડિયાએ જીત્યા 5 WC ફાઈનલ, જાણો ઇંડિયાની જીતમાં મહત્વનો ભાગ ભજવનાર સ્ટાર્સ
T20 WC 2026 જીતીને ઇન્ડિયાએ ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઈન્ડિયા પોતાના ઘરઆંગણે T20 WC જીતનાર પહેલી ટીમ બની. આ જીતમાં ઘણા બધા ખેલાડીઓની મહેનત રહેલી છે. તો ચાલો જાણીએ ઇન્ડિયાને T20 અને ODI WC ફાઇનલમાં જીત અપાવનાર 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' અને 'પ્લેયર ઓફ ધ મેચ'.
- Dhruv Barot
- Updated on: Mar 9, 2026
- 3:11 pm
Iran Israel War : ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે શું વિરાટ કોહલી આઈપીએલ નહી રમે? વાયરલ ફોટોએ ચાહકોની ચિંતા વધારી!
વિરાટ કોહલી હાલ લંડનમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માર્ચના છેલ્લા અઠવાડિયામાં આઈપીએલ 2026 શરુ થશે. ઈરાન-ઈઝરાયલ વચ્ચેના જંગ વચ્ચે દુબઈ એરસ્પેસને બંધ કરી દેવામાં આવી છે. ત્યારે વિરાટ કોહલીનું ભારત આવવું મુશ્કેલ લાગી રહ્યું છે.
- Nirupa Duva
- Updated on: Mar 4, 2026
- 10:21 am
RO-KO 2027: રોહિત શર્મા-વિરાટ કોહલીનો પ્લાન 2027, આ તારીખે કરશે કમબેક, રમશે કુલ આટલી મેચ
રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 ના T20 વર્લ્ડ કપમાં રમવાનું સ્વપ્ન જુએ છે. બંને ખેલાડીઓ જૂનમાં આ ટુર્નામેન્ટ માટે તૈયારી શરૂ કરશે. IPL 2026 પછી ભારત પાંચ ટીમો સામે ODI શ્રેણી રમશે.
- Smit Chauhan
- Updated on: Mar 3, 2026
- 10:06 pm
Breaking : સચિન તેંડુલકરથી રિંકુ સિંહ સુધી… પરિજનોના અવસાન પછી પણ દેશ માટે ઉભા રહ્યા આ દિગ્ગજો
રમતજગતમાં પ્રતિભા જેટલી મહત્વની છે, એટલી જ મહત્વની માનસિક મજબૂતી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા ખેલાડીઓ માટે વ્યક્તિગત જીવનના આઘાતો વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત મુશ્કેલ બને છે. તેમાં પણ પરિજનને ગુમવ્યા બાદ ફરી મેદાનમાં ફરવું અને પર્ફોમ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. છતાં કેટલાક ક્રિકેટરોએ વ્યક્તિગત દુઃખને શક્તિમાં ફેરવી દેશ માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા જ સંકલ્પશીલ ખેલાડીઓ પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Feb 28, 2026
- 8:55 pm
Video: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર વૃંદાવન પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યા, આશ્રમમાં સત્સંગમાં ભાગ લીધો
ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા અનેકવાર વૃંદાવનની મુલાકાત લે છે. ફરી એકવાર બંનેએ વૃંદાવનની મુલાકાત લીધી અને લોકપ્રિય સંત શ્રી પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લીધા હતા. તેમણે આશ્રમમાં સત્સંગમાં પણ ભાગ લીધો હતો.
- Smit Chauhan
- Updated on: Feb 17, 2026
- 3:53 pm
T20 World Cup Breaking : પાંચ વર્ષ પહેલા નામિબિયા સામે રમનારા 5 સ્ટાર ભારતીય ખેલાડીઓની કારકિર્દીનો અંત
ભારત અને નામિબિયા વચ્ચે 2026 T20 વર્લ્ડ કપ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે આ બીજી વાર મુકાબલો થશે. છેલ્લી ટક્કર લગભગ પાંચ વર્ષ પહેલા થઈ હતી. નામિબિયા સામે આ મેચમાં રમનારા 5 ભારતીય ખેલાડીઓની કારકિર્દીનો અંત આવી ગયો છે. જાણો કોણ છે આ ખેલાડીઓ.
- Smit Chauhan
- Updated on: Feb 11, 2026
- 11:30 pm
Central Contract Breaking : BCCI એ 5 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કર્યા, 6 ખેલાડીઓને કરોડોનું નુકસાન
BCCI એ 2025-26 સિઝન માટે કુલ 30 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા છે. પાંચ ખેલાડીઓને પણ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, છ ખેલાડીઓને ડાઉનગ્રેડનો સામનો કરવો પડ્યો છે.
- Smit Chauhan
- Updated on: Feb 9, 2026
- 10:37 pm
Breaking News : BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, લિસ્ટમાં 30 નામ, વિરાટ-રોહિતને મોટો ફટકો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મોટી જાહેરાત કરી છે, જેમાં આ વખતે કુલ 30 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. આ યાદીમાં કેટલાક નવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ડિમોટ કરવામાં આવ્યા છે.
- Smit Chauhan
- Updated on: Feb 9, 2026
- 9:15 pm
Breaking News : BCCIનો મોટો નિર્ણય… રિટાયરમેન્ટ બાદ રોહિત-કોહલીની કેટેગરી ઘટી, નવા કોન્ટ્રાક્ટમાં આ દિગ્ગજોના પત્તાં કપાયા
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, BCCI તેના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી 'A-પ્લસ' કેટેગરીને ખતમ કરવાની યોજના બનાવી રહ્યું છે અને હવે આ અંગે નવી માહિતી સામે આવી છે.
- Ravi Prajapati
- Updated on: Feb 7, 2026
- 1:48 pm
Breaking News : 7,10,900 રોકાણકારો વાળી કંપનીનું ક્રિકેટમાં ડેબ્યૂ, IPL 2026 માટે RCBની પ્રિન્સિપાલ સ્પોન્સર બની
સન ફાર્માસ્યુટિકલ્સ IPL 2026 સીઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) સાથે ત્રણ વર્ષની ભાગીદારી કરી છે. કંપની ક્રિકેટ સ્પોન્સરશિપમાં પ્રથમવાર પ્રવેશી, RCBની મુખ્ય પ્રાયોજક અને અધિકૃત આરોગ્ય ભાગીદાર બની.
- Sagar Solanki
- Updated on: Feb 4, 2026
- 5:55 pm
Breaking News : વિરાટ કોહલીને મોટો ઝટકો, 352 રન બનાવનાર આ ખેલાડી બની ગયો વનડેનો નવો કિંગ
નવીનતમ ICC ODI રેન્કિંગમાં વિરાટ કોહલી નંબર 1 બેટ્સમેન નથી. ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલ 845 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચ્યા છે, જ્યારે કોહલી 795 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.
- Sagar Solanki
- Updated on: Jan 21, 2026
- 10:35 pm