AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલી, આ નામ વિશ્વના કોઈ પણ દેશના ક્રિક્રેટ પ્રેમીથી અજાણ્યું નથી. વર્ષ 2008થી આ નામ સૌ ક્રિકેટ પ્રેમીઓના કાને ગુંજતુ રહ્યું હતું અને હોઠેથી બોલાતું રહ્યું છે. સમયાંતરે વિરાટ કોહલીનું નામ ક્રિકેટ જગતમાં ખરેખર વિરાટ થઈ ગયું છે. હવે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો એક ચહેરો બની ગયો છે. વિરાટ કોહલીએ પોતાના બેટ વડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે, મોટી નામના પ્રાપ્ત કરી છે. દરેક મેચમાં તેના બેટ વડે થતા દરેક રન એક નવો વિક્રમ રચવા બરાબર કહેવામાં કોઈ ખોટું નથી.

દિલ્લીના વિરાટ કોહલી 18 વર્ષનો હતો ત્યારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાના અવસાન થયાના બીજા દિવસે, રણજી ટ્રોફીની મેચમાં, દિલ્લીને મેચ બચાવવાની હતી. વિરાટ કોહલીએ એક એવી ઈનિગ્સ રમી કે મેચ બચી અને વિરાટની નવી પ્રતિભા પણ સામે આવી. વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ, ભારતે કુઆલાલંપુરમાં રમાયેલ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો.

અંડર-19 વર્લ્ડ કપ જીતવાની સાથે જ વિરાટ કોહલીનું ક્રિકેટ જગતમાં વિરાટ બનવાનું શરુ થયું. 2008માં જ ODI ક્રિકેટમાં વિરાટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. ક્રિકેટના ODI ફોર્મેટમાં વિરાટની એક પછી એક ઈનિગ્સ થકી, વિરાટ કોહલીને ક્રિકેટ જગતમાં કિંગ બનાવ્યો અને તેના કારણે ‘કિંગ કોહલી’નુ નવુ વિશ્વાસપાત્ર હુલામણુ નામ મળ્યું. આતંરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે, વિરાટ કોહલીની બેંટીગને લઈને 2011માં ભારતને બીજી વખત વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનું યોગદાન હતું, જ્યારે 2013માં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં પણ વિરાટની ભૂમિકા મહત્વની રહી હતી.

વિરાટ કોહલી એક માત્ર એવો બેટ્સમેન છે, જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, જેવા કે ટેસ્ટ ક્રિકેટ, વન ડે ક્રિકેટ અને T20માં પોતાના બેટ વડે વર્ચસ્વ બનાવી રાખ્યું. 2015થી લઈને 2022 સુધી વિરાટ કોહલી ભારતીય ટીમના સુકાની રહ્યો હતો. તો ભારતમાં ખુબ જ લોકપ્રિય બનેલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમીને વિરાટ કોહલીએ અનેક વિક્રમો રચ્યા. જો કે વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઈપીએલની ટ્રોફી અપાવી શક્યો નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ODI ક્ષેત્રે વિરાટ કોહલીએ, ઓકટોબર 2023 સુધીમાં, 48 સદી ફટકારી છે. જે સર સચિન તેડુંલકરે ODIમાં ફટકારેલી 49 સદી કરતા એક જ સદી ઓછી છે.

Read More

IND vs ENG: વિરાટ કોહલી સાથે ODI વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે શુભમન ગિલ, રોહિત શર્માનું નામ ગાયબ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી વનડે મેચ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. આ મેચ પહેલા ટીમના કેપ્ટન શુભમન ગિલે વિરાટ કોહલી વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે તે વિરાટ કોહલી સાથે ODI વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે. આ નિવેદન બાદ એ તો નક્કી થઈ ગયું છે કે વિરાટ વર્લ્ડ કપમાં રમશે. પણ ગિલે રોહિતનું નામ લીધું નહીં, જેનાથી ફેન્સમાં નવી ચર્ચાઓ શરુ થઈ છે.

IND vs ENG: 967 દિવસ બાદ ODIમાં ફરી જોવા મળશે આ ખાસ નજારો, 2023 વર્લ્ડ કપ પછી પહેલીવાર બનશે આવું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ બર્મિંગહામમાં રમાશે. આ વનડે મેચમાં એવું કંઈક જોવા મળી શકે છે જે છેલ્લે 967 દિવસ પહેલા જોવા મળ્યું હતું. 32 મહિના પછી ફરી એકવાર વનડેમાં આવું થશે.

IND vs ENG: એક-બે નહીં, પણ સાત રેકોર્ડ તોડશે કિંગ કોહલી!… ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં વિરાટ રચશે ઈતિહાસ

ભારત ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી હારી ગયું હતું, પરંતુ હવે તેમનું લક્ષ્ય ODI શ્રેણીમાં વધુ સારું પ્રદર્શન કરવાનું રહેશે. સારા પ્રદર્શનની પણ અપેક્ષા છે, કારણ કે અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ ત્રણ મેચની શ્રેણી માટે ટીમમાં જોડાયા છે. ત્રણેય ખેલાડીઓ ODI શ્રેણીમાં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. બધાની નજર વિરાટ કોહલી પર રહેશે, જે આ ODI શ્રેણી દરમિયાન એક કે બે નહીં, પરંતુ સાત રેકોર્ડ તોડી શકે છે.

Breaking News : વિરાટ કોહલી અને રોહિત શર્મા આ દિવસે T20I હારનો બદલો લેવા ટીમ સાથે મેદાનમાં ઉતરશે

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાના સુપડા સાફ થયા છે. હવે ટીમ ઈન્ડિયા 3 મેચની વનડે સીરિઝ રમશે. તો ચાલો જાણીએ આ હારનો બદલો લેવા માટે ટીમ ઈન્ડિયા ક્યારે મેદાનમાં ઉતરશે.

Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી નિષ્ફળ ગયો, પરંતુ વિરાટ-રોહિતની પણ વિદેશમાં શરૂઆત કંઈ ખાસ નહોતી

ઇંગ્લેન્ડ સામે સતત ત્રણ મેચમાં નિષ્ફળ ગયા બાદ વૈભવ સૂર્યવંશીની ટીકા થઈ રહી છે. જોકે, ભારતીય ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્માની વિદેશમાં પ્રથમ ત્રણ આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સ પણ ખાસ રહી નહોતી. આંકડા દર્શાવે છે કે દરેક મહાન ખેલાડીને પોતાની કારકિર્દીની શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો હતો.

Breaking News: શ્રેયસ અય્યર નહીં… સૌથી વધુ T20 મેચ હારનાર ભારતીય કેપ્ટનનું નામ જાણીને ચોંકી જશો

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે, પરંતુ જ્યારથી તેણે ટીમ ઈન્ડિયાની T20 ટીમની કમાન સંભાળી છે, ત્યારથી તે ચાહકોના નિશાના પર છે, કારણ કે તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. આ બધા વચ્ચે શ્રેયસની બહેનના વિરાટ અને રોહિતની કપ્તાનીમાં હાર અંગેના નિવેદનથી ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ સૌથી વધુ T20 મેચ હારનાર ભારતીય કેપ્ટન કોણ છે.

Breaking News: વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં રમવા માટે ફિટ જાહેર, આ તારીખે મેદાનમાં કરશે વાપસી!

ભારતીય ક્રિકેટ ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડે મેચમાં તેની વાપસીની શક્યતા છે.

IND vs ENG: ઈંગ્લેન્ડ શ્રેણી માટે વિરાટ કોહલીની ખાસ ટ્રેનિંગ, આ દિગ્ગજ ક્રિકેટર સાથે અલીબાગમાં સ્પેશિયલ સેશન

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા એક ખાસ ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કર્યો હતો. ટ્રેનિંગ કેમ્પ દરમિયાન એક ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન પણ હાજર રહ્યો હતો. બંનેનો ટ્રેનિંગનો વીડિયો વાયરલ થયો હતો.

Breaking News : વિરાટ-રોહિતથી આગળ નીકળ્યો કેપ્ટન શ્રેયસ અય્યર, રચ્યો ઈતિહાસ

આયરલેન્ડ વિરુદ્ધ 2-0થી હાર બાદ શ્રેયસ અય્યર પર ચાહકોની નજર હતી. ત્યારે ઈંગ્લેન્ડ સામે મેચમાં શ્રેયસ અય્યરે ફીફટી ફટકારી જવાબ આપી દીધો છે. કેપ્ટન શ્રેયસ અય્યર વિરાટ કોહલીથી આગળ નીકળ્યો છે.

DPL 2026: વિરાટ કોહલીના ભત્રીજા પર ઓક્શનમાં લાગી બોલી, આ ટીમ તરફથી રમશે

વિરાટ કોહલીના પરિવાર સાથે જોડાયેલા એક યુવા ખેલાડીએ ફરી એકવાર ચર્ચા જગાવી છે. દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026ની હરાજીમાં તેના પર બોલી લાગી છે અને હવે ક્રિકેટ ચાહકો એક જ સવાલ પૂછી રહ્યા છે—શું આ વખતે તેને મેદાન પર પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે કે ફરી રાહ જોવી પડશે?

ફીફા વર્લ્ડ કપમાં પણ છવાયો ‘કિંગ કોહલી’ ! ફુટબોલ ગ્રાઉન્ડમાં ગૂંજવા લાગ્યું નામ, જાણો એવું શું થયુ?

Virat Kohli: બેટ્સમેન વિરાટ કોહલીની લોકપ્રિયતા ફક્ત ક્રિકેટ પૂરતી મર્યાદિત નથી, તેમનો ફેન્ડમ વિશ્વભરના રમતગમતના ઉત્સાહીઓ સુધી ફેલાયેલો છે. ફૂટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટમાં પણ આ સ્પષ્ટ જોવા મળ્યું હતુ.

Shreyas Iyer : શ્રેયસ અય્યર પહેલાં આ 14 ખેલાડીઓ બની ચૂક્યા છે ભારતના T20 કેપ્ટન !

શ્રેયસ અય્યર હવે ટીમ ઈન્ડિયાનો નવો ટી20 કેપ્ટન બનશે. વર્ષ 2026ની શરૂઆતમાં જ્યારે ભારતે T20 વર્લ્ડકપ 2026નો ખિતાબ જીત્યો હતો, ત્યારે ટીમની કમાન સૂર્યકુમાર યાદવ પાસે હતી. પરંતુ કોઈને આશા નહોતી કે સૂર્યકુમાર યાદવને માત્ર કેપ્ટન્સી જ નહીં પરંતુ તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. ભારતીય ટીમનો પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય કેપ્ટન વિરેન્દ્ર સેહવાગ હતા. તેમણે માત્ર એક જ મેચમાં ટીમની કમાન સંભાળી હતી અને તે મેચમાં જીત પણ મેળવી હતી.

Breaking News: રોહિત શર્મા પહેલા આ ભારતીય ક્રિકેટરોને મળી ચૂક્યો છે પદ્મશ્રી એવોર્ડ, ક્રિકેટના ભગવાન ભારત રત્નથી સન્માનિત

ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર રોહિત શર્માને તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સાથે તેઓ દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન મેળવનારા ક્રિકેટરોની વિશિષ્ટ યાદીમાં સામેલ થયા છે. જોકે, રોહિત પહેલા પણ અનેક પુરુષ અને મહિલા ક્રિકેટરોને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન જેવા સન્માન મળી ચૂક્યા છે.

Breaking News: શુભમનના 238 રન રોહિત-વિરાટ પર ભારે પડ્યા, ICC રેન્કિંગમાં ગિલ બન્યો નંબર-2 બેટ્સમેન

અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં શાનદાર બેટિંગ કરનાર ભારતીય કેપ્ટન શુભમન ગિલને ICC ODI રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. વિરાટ-રોહિતને પાછળ છોડી ગિલ વિશ્વનો બીજા ક્રમનો ODI બેટ્સમેન બની ગયો છે. ગિલના માત્ર બે ઈનિંગમાં 238 રન કોહલી અને રોહિતને ભારે પડ્યા હતા.

Breaking News: વિરાટ કોહલીએ ફિટનેસ ટેસ્ટ કર્યો પાસ, હવે ઈંગ્લેન્ડમાં 15 વર્ષનો દુકાળ થશે સમાપ્ત?

વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ વનડે શ્રેણી માટે મંજૂરી મળી ગઈ છે. તેણે બેંગલુરુમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 14 જુલાઈથી શરૂ થશે જેમાં વિરાટ રમતો જોવા મળશે. વિરાટ ઈંગ્લેન્ડમાં 15 વર્ષના દુષ્કાળને ખતમ કરવાનો પ્રયાસ કરશે.

યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">