![વિરાટ કોહલી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/11/Virat-Kohli-150x150-1.jpg)
વિરાટ કોહલી
વિરાટ કોહલી, આ નામ વિશ્વના કોઈ પણ દેશના ક્રિક્રેટ પ્રેમીથી અજાણ્યું નથી. વર્ષ 2008થી આ નામ સૌ ક્રિકેટ પ્રેમીઓના કાને ગુંજતુ રહ્યું હતું અને હોઠેથી બોલાતું રહ્યું છે. સમયાંતરે વિરાટ કોહલીનું નામ ક્રિકેટ જગતમાં ખરેખર વિરાટ થઈ ગયું છે. હવે વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો એક ચહેરો બની ગયો છે. વિરાટ કોહલીએ પોતાના બેટ વડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે, મોટી નામના પ્રાપ્ત કરી છે. દરેક મેચમાં તેના બેટ વડે થતા દરેક રન એક નવો વિક્રમ રચવા બરાબર કહેવામાં કોઈ ખોટું નથી.
દિલ્લીના વિરાટ કોહલી 18 વર્ષનો હતો ત્યારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાના અવસાન થયાના બીજા દિવસે, રણજી ટ્રોફીની મેચમાં, દિલ્લીને મેચ બચાવવાની હતી. વિરાટ કોહલીએ એક એવી ઈનિગ્સ રમી કે મેચ બચી અને વિરાટની નવી પ્રતિભા પણ સામે આવી. વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ, ભારતે કુઆલાલંપુરમાં રમાયેલ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો.
અંડર-19 વર્લ્ડ કપ જીતવાની સાથે જ વિરાટ કોહલીનું ક્રિકેટ જગતમાં વિરાટ બનવાનું શરુ થયું. 2008માં જ ODI ક્રિકેટમાં વિરાટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું. ક્રિકેટના ODI ફોર્મેટમાં વિરાટની એક પછી એક ઈનિગ્સ થકી, વિરાટ કોહલીને ક્રિકેટ જગતમાં કિંગ બનાવ્યો અને તેના કારણે ‘કિંગ કોહલી’નુ નવુ વિશ્વાસપાત્ર હુલામણુ નામ મળ્યું. આતંરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે, વિરાટ કોહલીની બેંટીગને લઈને 2011માં ભારતને બીજી વખત વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વનું યોગદાન હતું, જ્યારે 2013માં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં પણ વિરાટની ભૂમિકા મહત્વની રહી હતી.
વિરાટ કોહલી એક માત્ર એવો બેટ્સમેન છે, જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, જેવા કે ટેસ્ટ ક્રિકેટ, વન ડે ક્રિકેટ અને T20માં પોતાના બેટ વડે વર્ચસ્વ બનાવી રાખ્યું. 2015થી લઈને 2022 સુધી વિરાટ કોહલી ભારતીય ટીમના સુકાની રહ્યો હતો. તો ભારતમાં ખુબ જ લોકપ્રિય બનેલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમીને વિરાટ કોહલીએ અનેક વિક્રમો રચ્યા. જો કે વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઈપીએલની ટ્રોફી અપાવી શક્યો નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ODI ક્ષેત્રે વિરાટ કોહલીએ, ઓકટોબર 2023 સુધીમાં, 48 સદી ફટકારી છે. જે સર સચિન તેડુંલકરે ODIમાં ફટકારેલી 49 સદી કરતા એક જ સદી ઓછી છે.
IND vs SL : 3 સિક્સર ફટકારતા જ વિરાટ કોહલી શ્રીલંકામાં તોડશે રિકી પોન્ટિંગનો રેકોર્ડ, બનશે ‘સિક્સર કિંગ’!
શ્રીલંકા પ્રવાસ પર વિરાટ કોહલી રિકી પોન્ટિંગનો મોટો રેકોર્ડ તોડી શકે છે. શ્રીલંકા પ્રવાસ પર 3 મેચની ODI શ્રેણી બીજી ઓગસ્ટથી શરૂ થશે અને સાતમી ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન વિરાટ શ્રીલંકા સામે વનડે શ્રેણીમાં 1000 રન પણ પૂરા કરશે.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2024
- 5:41 pm
Gautam Gambhir Press Conference : ટીમ ઈન્ડિયાના હેડ કોચની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો જાણો
ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે અનેક સવાલોના જવાબો આપ્યા હતા. ગંભીરે આ દરમિયાન વિરાટ કોહલી સાથે પોતાના સંબંધો પર પણ ખુલ્લીને વાત કરી હતી. તો ચાલો જાણીએ પ્રેસ કોન્ફરન્સમાં શું શું થયું.
- Nirupa Duva
- Updated on: Jul 22, 2024
- 12:27 pm
વિરાટ કોહલી-હાર્દિક પંડ્યાનો પગાર વધશે ! IPL 2025માં BCCIના એક નિર્ણયથી થશે વધુ કમાણી
IPLની આગામી સિઝન પહેલા એક મેગા ઓક્શન યોજાવાની છે, જેમાં અત્યાર સુધીના નિયમો મુજબ દરેક ફ્રેન્ચાઈઝીને માત્ર 4 ખેલાડીઓને જ રિટેન કરવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ આ વખતે ટીમો તેને વધારવાની માંગ કરી રહી છે અને BCCIના ફ્રેન્ચાઈઝી માલિકો. સાથે આ મહત્વની બેઠક યોજાવાની છે.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2024
- 11:10 pm
ગૌતમ ગંભીરને કોચ બનાવતા પહેલા કોહલીએ BCCI સાથે કરી વાતચીત, જાણો વિરાટે શું કહ્યું?
ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ શ્રીલંકા શ્રેણીથી શરૂ થઈ રહ્યો છે અને ગંભીરે વિરાટ કોહલી-રોહિત શર્માને આ પ્રવાસ પર વનડે શ્રેણીમાં રમવા માટે કહ્યું હતું, જેને ટીમ ઈન્ડિયાના બંને સ્ટાર બેટ્સમેનોએ સ્વીકારી હતી કારણ કે આ કોચ તરીકે ગંભીરની પ્રથમ સિરીઝ છે. જોકે ગૌતમ ગંભીરને કોચ બનાવતા પહેલા વિરાટ કોહલીએ BCCI ઓફિશિયલ્સ સાથે ખાસ વાતચીત કરી હતી. શું વાત થઈ હતી, એ અંગે હવે ખુલાસો થયો છે.
- Smit Chauhan
- Updated on: Jul 19, 2024
- 6:29 pm
હવે વિરાટ અને અનુષ્કા પણ બનશે ખાસ મહેમાન! અનંત અંબાણીના લગ્ન પછીના સમારોહની તૈયારીઓ શરૂ થઈ
પ્રખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈના Jio સેન્ટરમાં થયા હતા. આ સમારોહ એટલો ભવ્ય હતો કે માત્ર દેશ જ નહીં વિદેશમાંથી પણ લોકોએ તેમાં ભાગ લીધો હતો. તેની પ્રી-વેડિંગ સેલિબ્રેશન મહિનાઓ અગાઉથી જ ચાલતું હતું. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી અને રાજકારણથી લઈને આધ્યાત્મિકતા સુધી દરેકે અલગ-અલગ પ્રસંગોએ તેમાં ભાગ લીધો હતો. પરંતુ તેમાંથી બે મોટા નામ સતત ગાયબ હતા અને તે હતા વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા.
- Sagar Solanki
- Updated on: Jul 18, 2024
- 11:25 pm
ભારત કે પાકિસ્તાન… વનડેમાં સૌથી વધુ સદી કોણે ફટકારી? બંને દેશો વચ્ચે છે મોટો તફાવત
કયા દેશે વનડેમાં સૌથી વધુ સદી ફટકારી છે? તે દેશોમાં ભારત અને પાકિસ્તાન ક્યાં છે? ક્રિકેટના આ બે કટ્ટર હરીફોમાં, વન-ડે સદીના સંદર્ભમાં કોણ કોનાથી આગળ છે? બંને વચ્ચે સદી મામલે શું તફાવત છે? આ ભારત અને પાકિસ્તાન સાથે જોડાયેલા પ્રશ્નો છે. તો ચાલો આ સવાલોના જવાબો જાણવાનો પ્રયાસ કરીએ.
- Smit Chauhan
- Updated on: Jul 18, 2024
- 6:50 pm
IND vs SL : રોહિત શર્મા બાદ વિરાટ કોહલીની પણ છુટ્ટી રદ્દ, બંને ગૌતમ ગંભીર સામે ઝૂક્યા, ODI સિરીઝ રમશે!
શ્રીલંકા સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. મોટા સમાચાર એ છે કે રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલી પણ શ્રીલંકા સામેની ODI સિરીઝમાં રમવાના હોવાના અહેવાલ છે. બંનેએ નવા હેડ કોચ ગૌતમ ગંભીરની વાત માની લીધી છે.
- Smit Chauhan
- Updated on: Jul 18, 2024
- 5:12 pm
વિરાટ કોહલી પુત્ર અકાય સાથે લંડનમાં એક દુકાનમાં ફૂલ ખરીદતો જોવા મળ્યો, જુઓ વીડિયો
વિરાટ કોહલી હાલમાં પરિવાર સાથે લંડનમાં રજાઓ માણી રહ્યો છે. લંડનથી તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે એક દુકાનમાં ફૂલોની ખરીદી કરી રહ્યો છે. વિરાટનો પુત્ર અકાય પણ તેની સાથે આ વીડિયોમાં જોવા મળી રહો છે. અકાય વિરાટના ખોળામાં બેઠો છે અને અનુષ્કા પણ તેમની સાથે છે.
- Smit Chauhan
- Updated on: Jul 18, 2024
- 4:40 pm
IND vs SL: વિરાટ-રોહિત-બુમરાહને નહીં મળે લાંબી રજા, ગંભીર શ્રીલંકામાં ODIમાં રમાડવાના મૂડમાં
શ્રીલંકા પ્રવાસને લઈને નવા કોચ ગૌતમ ગંભીરની નવી વિચારસરણી છે. ગંભીર એ નથી વિચારી રહ્યો કે બીજા બધા શું વિચારી રહ્યા છે. એવા સમાચાર છે કે તે રોહિત, વિરાટ અને બુમરાહને શ્રીલંકા પ્રવાસ પર રમાનાર વનડે શ્રેણીમાં મેદાનમાં ઉતારવા માંગે છે. તો શું આ ખેલાડીઓના લાંબા વિરામને ગ્રહણ લાગશે?
- Smit Chauhan
- Updated on: Jul 16, 2024
- 4:10 pm
ગંભીર અને કોહલી વચ્ચેના વિવાદનો આ અનુભવી ખેલાડીએ મોટો ખુલાસો કર્યો
કોહલી અને લખનઉના બોલર નવીન-ઉલ હક વચ્ચે ઓન ફીલ્ડ લડાઈ થઈ હતી. જેમાં ગૌતમ ગંભીર સામેલ હતો. આ આઈપીએલ 2023માં ખુબ મોટ વિવાદ રહ્યો હતો. આ ઘટના આરસીબી અને લખનઉ સુપર જાયન્ટસની આઈપીએલ મેચ દરમિયાન થઈ હતી.
- Nirupa Duva
- Updated on: Jul 16, 2024
- 2:40 pm
Virat Kohli Restaurant: વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ સામે FIR નોંધાઈ, જાણો શું છે સમગ્ર મામલો
ટી20 વર્લ્ડકપ જીતનો જશ્ન પૂર્ણ થતાં જ મોડી રાત્રે વિરાટ કોહલી લંડન જવા રવાના થયો હતો કારણ કે, વિરાટ કોહલીની પત્ની અને બાળકો લંડનમાં છે. ત્યારે ભારતમાં તેની બેંગલુરુ સ્થિત રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો
- Nirupa Duva
- Updated on: Jul 9, 2024
- 1:13 pm
ટીમ ઈન્ડિયાની વિક્ટરી પરેડ દરમિયાન વિરાટ કોહલીએ BCCIના ઉપાધ્યક્ષને હટી જવા કહ્યું, જાણો કેમ?
BCCIએ T20 વર્લ્ડ કપની જીતની ઉજવણી કરવા માટે 4 જુલાઈએ મુંબઈમાં વિજય પરેડ અને સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ જતી પરેડની વચ્ચે વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે ઉજવણી કરવા માટે એક મોટું પગલું ભર્યું.
- Smit Chauhan
- Updated on: Jul 5, 2024
- 7:52 pm
Video: ઝાડ પર ચડેલા ચાહકે કેમેરામાં શું કર્યું ક્લિક? વીડિયો સામે આવ્યો, વિરાટની પ્રતિક્રિયા જોવા જેવી હતી
મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિક્ટરીપરેડમાં હજારો ચાહકો હાજર રહ્યા હતા. ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી. આ દરમિયાન એક પ્રશંસક ઝાડ પર ચડી ગયો અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પોતાના કેમેરામાં કેદ કરી લીધા. આ ફેનના કેમેરામાં કેદ થયેલો વીડિયો હવે સામે આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 5, 2024
- 6:10 pm
Video: PM મોદીની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથેની સમગ્ર વાતચીત પહેલીવાર આવી સામે, જાણો કોણે શું કહ્યું?
T20 વર્લ્ડ કપ 2024 જીતીને દેશ પરત ફરેલી ટીમ ઈન્ડિયાએ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમે વર્લ્ડ ચેમ્પિયન ટીમને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું અને અહીં PM મોદીએ આખી ટીમ સાથે લાંબા સમય સુધી વાત કરી, તેમના અનુભવો સાંભળ્યા અને થોડી મજાક પણ કરી.
- Smit Chauhan
- Updated on: Jul 5, 2024
- 5:24 pm
કિંગ કોહલી મુંબઈમાં T20 વર્લ્ડકપની ઉજવણી કરી રાતોરાત વિદેશ જવા રવાના થયો, જાણો કેમ
વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની સાથે બાર્બાડોસમાં આવેલા વાવાઝોડાના કારણે ફસાઈ ગયો હતો. 4 જુલાઈએ ભારત પાછો ફર્યો અને દિવસભર T20 વર્લ્ડકપની જીતની ઉજવણી કરી. તે વિદેશ પ્રવાસે નીકળ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jul 5, 2024
- 10:36 am