![યશસ્વી જયસ્વાલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/02/Yashasvi-Jaiswal-.jpg)
યશસ્વી જયસ્વાલ
યશસ્વી ભૂપેન્દ્ર જયસ્વાલનો જન્મ 28 ડિસેમ્બર 2001ના ઉત્તર પ્રદેશમાં થયો હતો,જયસ્વાલની ક્રિકેટિંગ ક્ષમતા ડિસેમ્બર 2013 માં જ્વાલા સિંહ દ્વારા જોવામાં આવી, જેઓ સાંતાક્રુઝમાં ક્રિકેટ એકેડમી ચલાવતા હતા. એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમે છે. તેણે જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું, ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી.ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ માટે રમે છે.2019 માં, તે લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો,અને 2020 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં, તે ભારતની અંડર-19 માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.જયસ્વાલે 3 ફેબ્રુઆરી 2024ના રોજ ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ટેસ્ટ બેવડી સદી ફટકારી હતી.
જયસ્વાલ સૌપ્રથમ 2015માં પ્રસિદ્ધિમાં આવ્યા હતા જ્યારે તેમણે 319 અણનમ રન બનાવ્યા હતા અને ગીલ્સ શિલ્ડ મેચમાં 13/99 રન બનાવ્યા હતા, જે ભારતમાં સ્કૂલ ક્રિકેટમાં ઓલરાઉન્ડ રેકોર્ડ છે.તેની મુંબઈની અંડર-16 ટીમ અને બાદમાં ભારતની રાષ્ટ્રીય અંડર-19 ક્રિકેટ ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી.
IND vs SL: ટીમ ઈન્ડિયાના 15 માંથી 7 ખેલાડીઓ પ્રથમ વખત શ્રીલંકામાં રમશે, જાણો આ ખેલાડીઓની સંપૂર્ણ યાદી
ટીમ ઈન્ડિયાની 15 ખેલાડીઓની શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમે મુંબઈથી કોલંબોની ફ્લાઈટ લીધી. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી શ્રેણી શરૂ થશે. આ પ્રવાસમાં પ્રથમ T20 સિરીઝ રમવાની છે, જેમાં ટીમ ઈન્ડિયાના 7 ખેલાડીઓ શ્રીલંકાની ધરતી પર પ્રથમ વખત રમતા જોવા મળી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે આ 7 ખેલાડીઓમાં એક એવો પણ છે જે 6 વર્ષથી ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 22, 2024
- 4:24 pm
ICC Ranking : શુભમન ગિલે 36 ખેલાડીઓને પાછળ છોડ્યા, યશસ્વી જયસ્વાલની મોટી છલાંગ
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની તાજેતરની T20 રેન્કિંગમાં ફાયદો થયો છે. તો બીજી તરફ ભારતીય બોલરોને રેન્કિંગમાં નુકસાન થયું છે. ભારત-ઝિમ્બાબ્વે સિરીઝ બાદ જાહેર થયેલ લેટેસ્ટ ICC રેન્કિંગમાં મોટા ફેરફારો થયા છે.
- Smit Chauhan
- Updated on: Jul 17, 2024
- 6:03 pm
યશસ્વી જયસ્વાલે ગજબ કરી દીધો, ટીમ ઈન્ડિયાના ખાતામાં 1 બોલમાં 13 રન, પ્રથમવાર આમ થયું
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી T20I સિરીઝની અંતિમ મેચ રવિવારે રમાઈ રહી છે. યશસ્વી જયસ્વાલે ચોથી મેચમાં શાનદાર 93 રન ફટકારીને ભારતીય ટીમને 10 વિકેટથી જીત અપાવી હતી. રવિવારે પણ આવા જ મૂડ સાથે શરુઆત કરવાનો પ્રયાસ કર્યો હતો.
- Avnish Goswami
- Updated on: Jul 14, 2024
- 6:57 pm
IND vs ZIM 5th T20 Score : ભારતે ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું, મુકેશ કુમારે બોલથી તબાહી મચાવી
India vs Zimbabwe 5th T20I Live Score in Gujarati : ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની T20 સિરીઝની છેલ્લી મેચ આજે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. ભારતે આ સીરિઝમાં 3-1ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં પ્લેઈંગ 11માં ફેરફાર કરી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Jul 14, 2024
- 8:07 pm
IND vs ZIM: જયસ્વાલની ઈનિંગે ઝિમ્બાબ્વેને હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ જીતની હેટ્રિક સાથે શ્રેણી પર કર્યો કબજો
ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે 5 મેચની T20 સિરીઝની ચોથી મેચમાં આસાન જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. યશસ્વી જયસ્વાલે ખૂબ જ આક્રમક બેટિંગ કરી ટીમને મોટી જીત અપાવી હતી.
- Smit Chauhan
- Updated on: Jul 13, 2024
- 10:15 pm
T20 World Cup 2024 : યશસ્વી જયસ્વાલને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી ભારે પડી, “ગાર્ડન મે ઘૂમેગા તો પતા હૈ ના”
ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ રમવા માટે અમેરિકા પહોંચી ગઈ છે. તમામ ખેલાડીઓ અમેરિકા પહોંચી ફોટો શેર કરી રહ્યા છે. ત્યારે પહેલી વખત ટી20 વર્લ્ડકપ રમવા જઈ રહેલા યશસ્વી જ્યસ્વાલને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી ભારે પડી છે.
- Nirupa Duva
- Updated on: May 29, 2024
- 1:24 pm
T20 World Cup 2024 : આ 5 યુવા ખેલાડીઓ પહેલીવાર રમશે T20 વર્લ્ડ કપ, મચાવી શકે છે ધમાલ, જુઓ ફોટો
ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ ટી20 વર્લ્ડકપ માટે યુએસ રવાના થઈ ચુક્યા છે અને પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. તો તમને જણાવી દઈએ કે આ ભારતીય ખેલાડી પહેલી વખત વર્લ્ડકપ રમશે.
- Nirupa Duva
- Updated on: May 29, 2024
- 3:49 pm
જયસ્વાલે ફરી એકવાર કર્યા નિરાશ, શું વિરાટ કોહલીને યશસ્વીની નિષ્ફળતાનો ફાયદો મળશે?
IPL 2024 યશસ્વી જયસ્વાલ માટે સારું રહ્યું નથી. રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરતા તે 13 મેચમાં માત્ર 338 રન જ બનાવી શક્યો હતો. આ સિઝનમાં તે 13માંથી 11 ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે વિરાટ કોહલીએ RCB માટે ઓપનિંગ કરતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે તેને આનો ફાયદો T20 વર્લ્ડ કપમાં મળી શકે છે.
- Smit Chauhan
- Updated on: May 15, 2024
- 10:45 pm
રોહિત શર્મા ઓપનિંગ નહીં પણ આ ક્રમે બેટિંગ કરશે તો ટીમ ઈન્ડિયાને થશે ફાયદો, વર્લ્ડ ચેમ્પિયને આપી સલાહ
ભારતીય ટીમ 5 જૂનથી તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. પરંતુ તે પહેલા ટીમની ઓપનિંગ જોડીને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. મોટાભાગના નિષ્ણાતો રોહિત-યશસ્વી અથવા રોહિત-વિરાટને ઈનિંગની શરૂઆત કરવા મોકલવા માગે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન મેથ્યુ હેડને આ મામલે ખૂબ જ રસપ્રદ સલાહ આપી છે.
- Smit Chauhan
- Updated on: May 11, 2024
- 7:04 pm
યશસ્વીની એક ખામીને કારણે થઈ રહ્યું છે મોટું નુકસાન, T20 વર્લ્ડ કપ પહેલા લાવવો પડશે ઉકેલ
IPL 2024માં રાજસ્થાન રોયલ્સ ટીમ ભલે શાનદાર પ્રદર્શન કરી રહી હોય, પરંતુ યશસ્વી જયસ્વાલ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. આ ખેલાડીએ આ સિઝનમાં એક સદી અને એક અડધી સદી ફટકારી છે પરંતુ તેમ છતાં તેના આંકડા ખરાબ છે. હવે આ મુદ્દે આકાશ ચોપરાએ તેના પ્રદર્શન અને નબળાઈ વિશે મોટી વાત કહી છે.
- Smit Chauhan
- Updated on: May 8, 2024
- 6:06 pm
વિરાટ-બુમરાહ નહીં આ બે ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને જીતાડશે વર્લ્ડ કપ, રવિ શાસ્ત્રીએ કરી મોટી ભવિષ્યવાણી
T20 વર્લ્ડ કપ 2 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ-યુએસમાં શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. રોહિત એન્ડ કંપની ફરી એકવાર આ ટૂર્નામેન્ટ જીતવા માટે મોટા દાવેદાર હશે પરંતુ સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન કોણ બનાવશે. રવિ શાસ્ત્રીએ બે યુવા ખેલાડીઓ પર આ દાવ રમ્યો છે.
- Smit Chauhan
- Updated on: May 7, 2024
- 8:45 pm