
યશસ્વી જયસ્વાલ
યશસ્વી ભૂપેન્દ્ર જયસ્વાલનો જન્મ 28 ડિસેમ્બર 2001ના ઉત્તર પ્રદેશમાં થયો હતો,જયસ્વાલની ક્રિકેટિંગ ક્ષમતા ડિસેમ્બર 2013 માં જ્વાલા સિંહ દ્વારા જોવામાં આવી, જેઓ સાંતાક્રુઝમાં ક્રિકેટ એકેડમી ચલાવતા હતા. એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમે છે. તેણે જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું, ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી.ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ માટે રમે છે.2019 માં, તે લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો,અને 2020 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં, તે ભારતની અંડર-19 માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.જયસ્વાલે 3 ફેબ્રુઆરી 2024ના રોજ ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ટેસ્ટ બેવડી સદી ફટકારી હતી.
જયસ્વાલ સૌપ્રથમ 2015માં પ્રસિદ્ધિમાં આવ્યા હતા જ્યારે તેમણે 319 અણનમ રન બનાવ્યા હતા અને ગીલ્સ શિલ્ડ મેચમાં 13/99 રન બનાવ્યા હતા, જે ભારતમાં સ્કૂલ ક્રિકેટમાં ઓલરાઉન્ડ રેકોર્ડ છે.તેની મુંબઈની અંડર-16 ટીમ અને બાદમાં ભારતની રાષ્ટ્રીય અંડર-19 ક્રિકેટ ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી.
યો-યો ટેસ્ટમાં ઈશાન કિશન ફેલ, યશસ્વી જયસ્વાલનો સ્કોર જાણી ચોંકી જશો
ઈશાન કિશન છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને ગયા વર્ષથી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ સ્થાન મળ્યું નથી. યો-યો ટેસ્ટમાં નિષ્ફળ ગયા બાદ ટીમ ઈન્ડિયામાં પાછા ફરવાની અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવાની તેની શક્યતાઓ વધુ ઓછી થતી જાય છે.
- Smit Chauhan
- Updated on: Apr 18, 2025
- 11:45 pm
Yashasvi Jaiswal : જેણે રસ્તા પરથી ઉઠાવીને સ્ટાર બનાવ્યો, હવે તેને છોડવા માંગે છે યશસ્વી જયસ્વાલ
ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર અને IPL 2025માં રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ટીમ છોડવાની માંગ કરીને બધાને ચોંકાવી દીધા છે. એવા અહેવાલો છે કે યશસ્વી જયસ્વાલે પોતાની ટીમ છોડવા NOC માટે ઈમેઈલ કર્યો છે. ખાસ વાત એ છે કે આ એ જ ટીમ છે જેણે યશસ્વી જયસ્વાલને ક્રિકેટમાં સફળતા અપાવવામાં મહત્વનું ભૂમિકા ભજવી છે. એમ કહી શકાય કે જે ટીમે યશસ્વીને રસ્તા પરથી ઉઠાવીને સ્ટાર બનાવ્યો તેને જ હવે તે છોડી રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Apr 16, 2025
- 6:41 pm
આને કહેવાય નસીબ, એક પણ મેચ રમ્યા વગર ચેમ્પિયન ટ્રોફીના વિજેતા બન્યા આ ખેલાડીઓ, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાએ માત્ર 12 ખેલાડીઓ સાથે આખી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્રણ ખેલાડીઓ આખી ટૂર્નામેન્ટની બહાર બેઠા રહ્યા, આ પછી પણ તેઓ ચેમ્પિયન કહેવાશે.
- Nirupa Duva
- Updated on: Mar 10, 2025
- 12:00 pm
Yashasvi Jaiswal : યશસ્વી જયસ્વાલને ફરી ટીમમાં સ્થાન મળ્યું, મોટો નિર્ણય લેવામાં આવ્યો
ચેમ્પિયન ટ્રોફીની ટીમમાંથી યશસ્વી જયસ્વાલને બહાર કરી દેવામાં આવ્યો છે પરંતુ આ ખેલાડી હવે મુંબઈની ટીમમાં સામેલ થયો છે. યશસ્વી જ્યસ્વાલ રણજી ટ્રોફીની સેમિફાઈનલ વિદર્ભ વિરુદ્ધ રમતો જોવા મળશે.
- Nirupa Duva
- Updated on: Feb 14, 2025
- 1:59 pm
Champions Trophy 2025 : BCCI એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયામાં 2 મોટા ફેરફાર કર્યા,જાણો કોણ OUT અને કોણ IN થયુ
ચેમ્પિયન ટ્રોફી 2025 પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા પર મોટું અપટેડ સામે આવ્યું છે. બુમરાહ હજુ સુધી કમરના દુખાવામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, જેના કારણે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકશે નહીં.
- Nirupa Duva
- Updated on: Feb 12, 2025
- 11:43 am
IND vs ENG : રોહિતે યશસ્વી માટે વિરાટનું કાપ્યું પત્તું ? જાણો શું છે સત્ય
વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડેમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જ્યારે યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને આ મેચમાં વનડે ડેબ્યૂ કરવાની તક મળી છે. આવી સ્થિતિમાં સવાલ ઉભો થયો છે કે શું યશસ્વીને તક આપવા માટે કોહલીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે? ચાલો જાણીએ શું છે આખો મામલો.
- Smit Chauhan
- Updated on: Feb 6, 2025
- 4:04 pm
Video : અનન્યા પાંડેના સવાલ પર યશસ્વી જયસ્વાલે આપ્યો એવો જવાબ કે અભિનેત્રી ના રોકી શકી પોતાની લાગણી
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ અને બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે એક સ્પોર્ટ્સ શોમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે માનસિક સ્વાસ્થ્યને લઈને ખાસ ચર્ચા જોવા મળી હતી. આ શોને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Feb 3, 2025
- 6:35 pm
રોહિત શર્મા-યશસ્વી જયસ્વાલ સહિત સ્ટાર ખેલાડીઓની હાજરી છતાં મુંબઈની કારમી હાર
રણજી ટ્રોફી 2024-25માં જમ્મુ કાશ્મીરે મુંબઈ સામે 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં મુંબઈની ટીમ રોહિત-જયસ્વાલ સહિત સ્ટાર ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી હતી. પરંતુ શાર્દુલ ઠાકુર સિવાય આ મેચમાં કોઈ સ્ટાર ખેલાડી રમી શક્યો નહોતો. આ સાથે જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીમાં બીજી વખત મુંબઈને હરાવ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Jan 25, 2025
- 4:38 pm
ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર જાહેર, જસપ્રીત બુમરાહ સહિત 3 ભારતીયોનો સમાવેશ
ICCએ ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 11 ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન તૈયાર કરી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવનારી બે ટીમોનો માત્ર એક જ ખેલાડી આ ટીમનો ભાગ છે. જ્યારે ભારતના 3 ખેલાડીને વર્ષની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.
- Smit Chauhan
- Updated on: Jan 24, 2025
- 4:49 pm
ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેનો ઘરેલુ ક્રિકેટ મેચમાં 10 રન પણ ના કરી શક્યા
રોહિત શર્મા, રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ… આ બધા ભારતીય ટીમના બેટિંગ સુપરસ્ટાર છે. પરંતુ, લાંબા સમય બાદ રણજી ટ્રોફીમાં રમવા આવેલા આ તમામ ખેલાડીઓ પોતપોતાની ઘરઆંગણાની ટીમો માટે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. કોઈપણ ખેલાડી મોટો સ્કોર કરી શક્યો નહીં. ખાસ વાત એ છે કે આ સ્ટાર ખેલાડીઓને 10 રન કરવામાં પણ ફાંફા પડ્યા હતા.
- Smit Chauhan
- Updated on: Jan 23, 2025
- 4:07 pm
યશસ્વી જયસ્વાલનું ખુલ્યું નસીબ, એકપણ ODI રમ્યા વિના સીધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં એન્ટ્રી
ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલની પ્રથમ વખત વનડે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીની સાથે જ જયસ્વાલનું નામ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં પણ સામેલ છે. તેના તાજેતરના ફોર્મને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ આ નિર્ણય લીધો છે.
- Smit Chauhan
- Updated on: Jan 18, 2025
- 5:11 pm
2025માં BCCI રોહિત-વિરાટને આપશે મોટો ઝટકો? કરોડોનું થઈ શકે છે નુકસાન, આ ખેલાડીઓને થશે બમ્પર ફાયદો
2024નું વર્ષ ટીમ ઈન્ડિયા માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ 2024માં પોતાનો જાદુ ચલાવી શક્યા નથી. યશસ્વી જયસ્વાલ અને નીતિશ કુમાર રેડ્ડીએ ખૂબ પ્રભાવિત કર્યા. શક્ય છે કે 2025માં BCCI ટીમ ઈન્ડિયાના દિગ્ગજોને મોટો ફટકો આપી શકે અને તેમને A+ ગ્રેડમાંથી A ગ્રેડમાં મોકલી શકે. જ્યારે જયસ્વાલ અને રેડ્ડી જેવા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. ચાલો ટીમ ઈન્ડિયાના કેટલાક એવા ખેલાડીઓ પર એક નજર કરીએ, જેમાંથી BCCI આ વર્ષે કેટલાકને પ્રમોટ કરી શકે છે અને કેટલાકને ડિમોટ કરી શકે છે.
- Smit Chauhan
- Updated on: Jan 1, 2025
- 4:02 pm
આ લોકો જુઠ્ઠા છે…પૂર્વ ભારતીય ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર જ ઉઠાવ્યા સવાલ
મેલબોર્ન ટેસ્ટ મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયા જીત મેળવવામાં નિષ્ફળ રહી અને આખી ટીમ માત્ર 155 રનમાં જ સમેટાઈ ગઈ. જો કે આ દરમિયાન યશસ્વી જયસ્વાલ અને આકાશ દીપની વિકેટને લઈને વિવાદ થયો હતો અને થર્ડ અમ્પાયર પર સવાલો ઉભા થયા હતા. જે અંગે અનેક ભારતીય દિગ્ગજ ખેલાડીઓએ વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ એક પૂર્વ ભારતીય ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના ખેલાડીને જ જુઠ્ઠા કહ્યા.
- Smit Chauhan
- Updated on: Dec 30, 2024
- 9:30 pm
IND vs AUS : યશસ્વી જયસ્વાલે મેલબોર્ન ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો, આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો
મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિગ્સમાં યશસ્વી જ્યસ્વાલે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે એક કેલેન્ડર યરમાં 1400થી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેમણે સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.
- Nirupa Duva
- Updated on: Dec 30, 2024
- 1:07 pm
IND vs AUS: મેચ દરમિયાન જયસ્વાલ પર રોહિત શર્મા ગુસ્સે થયો, સ્ટમ્પમાં કેદ થયો અવાજ જુઓ વીડિયો
મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાની ફીલ્ડિંગ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા યશસ્વી જ્યસ્વાલ પર ગુસ્સે થતા જોવા મળ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Dec 26, 2024
- 2:34 pm