યશસ્વી જયસ્વાલ

યશસ્વી જયસ્વાલ

યશસ્વી ભૂપેન્દ્ર જયસ્વાલનો જન્મ 28 ડિસેમ્બર 2001ના ઉત્તર પ્રદેશમાં થયો હતો,જયસ્વાલની ક્રિકેટિંગ ક્ષમતા ડિસેમ્બર 2013 માં જ્વાલા સિંહ દ્વારા જોવામાં આવી, જેઓ સાંતાક્રુઝમાં ક્રિકેટ એકેડમી ચલાવતા હતા. એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમે છે. તેણે જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું, ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી.ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ માટે રમે છે.2019 માં, તે લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો,અને 2020 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં, તે ભારતની અંડર-19 માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.જયસ્વાલે 3 ફેબ્રુઆરી 2024ના રોજ ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ ટેસ્ટ બેવડી સદી ફટકારી હતી.

જયસ્વાલ સૌપ્રથમ 2015માં પ્રસિદ્ધિમાં આવ્યા હતા જ્યારે તેમણે 319 અણનમ રન બનાવ્યા હતા અને ગીલ્સ શિલ્ડ મેચમાં 13/99 રન બનાવ્યા હતા, જે ભારતમાં સ્કૂલ ક્રિકેટમાં ઓલરાઉન્ડ રેકોર્ડ છે.તેની મુંબઈની અંડર-16 ટીમ અને બાદમાં ભારતની રાષ્ટ્રીય અંડર-19 ક્રિકેટ ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી.

Read More
Follow On:

જયસ્વાલે ફરી એકવાર કર્યા નિરાશ, શું વિરાટ કોહલીને યશસ્વીની નિષ્ફળતાનો ફાયદો મળશે?

IPL 2024 યશસ્વી જયસ્વાલ માટે સારું રહ્યું નથી. રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરતા તે 13 મેચમાં માત્ર 338 રન જ બનાવી શક્યો હતો. આ સિઝનમાં તે 13માંથી 11 ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે વિરાટ કોહલીએ RCB માટે ઓપનિંગ કરતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે તેને આનો ફાયદો T20 વર્લ્ડ કપમાં મળી શકે છે.

રોહિત શર્મા ઓપનિંગ નહીં પણ આ ક્રમે બેટિંગ કરશે તો ટીમ ઈન્ડિયાને થશે ફાયદો, વર્લ્ડ ચેમ્પિયને આપી સલાહ

ભારતીય ટીમ 5 જૂનથી તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. પરંતુ તે પહેલા ટીમની ઓપનિંગ જોડીને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. મોટાભાગના નિષ્ણાતો રોહિત-યશસ્વી અથવા રોહિત-વિરાટને ઈનિંગની શરૂઆત કરવા મોકલવા માગે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન મેથ્યુ હેડને આ મામલે ખૂબ જ રસપ્રદ સલાહ આપી છે.

યશસ્વીની એક ખામીને કારણે થઈ રહ્યું છે મોટું નુકસાન, T20 વર્લ્ડ કપ પહેલા લાવવો પડશે ઉકેલ

IPL 2024માં રાજસ્થાન રોયલ્સ ટીમ ભલે શાનદાર પ્રદર્શન કરી રહી હોય, પરંતુ યશસ્વી જયસ્વાલ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. આ ખેલાડીએ આ સિઝનમાં એક સદી અને એક અડધી સદી ફટકારી છે પરંતુ તેમ છતાં તેના આંકડા ખરાબ છે. હવે આ મુદ્દે આકાશ ચોપરાએ તેના પ્રદર્શન અને નબળાઈ વિશે મોટી વાત કહી છે.

વિરાટ-બુમરાહ નહીં આ બે ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને જીતાડશે વર્લ્ડ કપ, રવિ શાસ્ત્રીએ કરી મોટી ભવિષ્યવાણી

T20 વર્લ્ડ કપ 2 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ-યુએસમાં શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. રોહિત એન્ડ કંપની ફરી એકવાર આ ટૂર્નામેન્ટ જીતવા માટે મોટા દાવેદાર હશે પરંતુ સવાલ એ છે કે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન કોણ બનાવશે. રવિ શાસ્ત્રીએ બે યુવા ખેલાડીઓ પર આ દાવ રમ્યો છે.

IPL 2024: 10મી ઓવરના અંતિમ બોલ પર મુંબઈના ખેલાડીએ કરી મોટી ભૂલ જે બની MIની હારનું કારણ

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમાં મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ એવી ભૂલો કરી હતી જે તેમની હારનું કારણ બની હતી. બોલિંગ અને ફિલ્ડિંગમાં MIના ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, તેમ પણ ફિલ્ડિંગમાં ખેલાડીઓએ જે કેચો છોડ્યા, તે આજની મેચમાં તેમની હારનું કારણ બની હતી.

T20 વર્લ્ડ કપ 2024: ઈશાન કિશનથી લઈને શ્રેયસ અય્યર સુધી, આ 5 ખેલાડીઓની પસંદગી મુશ્કેલ

IPLની 17મી સિઝન ચાલી રહી છે પરંતુ તેની સાથે જ ભારતીય ટીમ મેનેજમેન્ટ T20 વર્લ્ડ કપ પર પણ નજર રાખી રહ્યું છે. IPL 2024માં ખેલાડીઓનું પ્રદર્શન અને વર્તમાન ફોર્મ T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં તેમના સ્થાન માટે મહત્વપૂર્ણ ચાવી છે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં તેમના પ્રદર્શનને કારણે પાંચ ખેલાડીઓની T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ થવાની આશાઓ ધૂંધળી થઈ ગઈ છે. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

IPL 2024 : રાજસ્થાન-ગુજરાતની ટક્કર T20 વર્લ્ડ કપનું ‘ઓડિશન’, 2 ખેલાડીઓનું ભાવિ દાવ પર

IPL 2024માં ખેલાડીઓનું પ્રદર્શન T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની પસંદગીમાં સૌથી મોટી ભૂમિકા ભજવશે. જ્યારે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર્સના સ્થાનો નિશ્ચિત છે, બાકીના સ્થાનો માટે ઘણા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા છે અને તેમાંથી એક સ્થાન રોહિતના ઓપનિંગ પાર્ટનરનું છે. આ સ્થાન માટેના બે મુખ્ય દાવેદારો આજે એકબીજાની સામે છે અને વર્લ્ડ કપ માટે ઓડિશન આપશે.

IPL 2024 RR vs GT Live Score: રાજસ્થાનમાં ગુજરાતની 3 વિકેટે જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની 24મી મેચ આજે રમાશે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચ ખુબ જ રોમાંચક રહેશે. બંન્ને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે અને પોઈન્ટ ટેબલમાં સ્થાન વધુ મજબૂત કરવા પ્રયાસ કરશે. IPLમાં મોટાભાગની મેચો રોમાંચક રહી છે. ત્યારે ચાહકોને આશા છે કે, આ મેચ પણ રસપ્રદ રહેશે.

IPL 2024: મહિલાઓના સન્માનમાં પિંક જર્સીમાં રાજસ્થાન રોયલ્સની ટીમ મેદાનમાં ઉતરી

રાજસ્થાન રોયલ્સ ટીમ તેમના હોમ ગ્રાઉન્ડ સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં RCB સામે નવી જર્સીમાં મેચ રમવા મેદાનમાં ઉતરી હતી. હકીકતમાં આ મેચ સંપૂર્ણપણે રાજસ્થાનની મહિલાઓ માટે રમાશે. જેના કારણે આ મેચમાં રાજસ્થાનની ટીમ સંપૂર્ણપણે ગુલાબી રંગની જર્સીમાં જોવા મળી છે. આ મેચને મહિલાઓના સન્માનમાં એક ખાસ નામ પણ આપવામાં આવ્યું છે, આ મેચને 'પિંક પ્રોમિસ' તરીકે બહુમાન આપવામાં આવ્યું છે.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં યશસ્વી જયસ્વાલને સુનિલ ગાવસ્કરની ફટકારથી થયો ફાયદો

સુનિલ ગાવસ્કરે ખુલાસો કર્યો છે કે જોહાનિસબર્ગ ટેસ્ટ દરમિયાન તેમણે યશસ્વી જયસ્વાલને ફટકાર લગાવી હતી. યશસ્વી સાઉથ આફ્રિકા સામે સારી શરૂઆત બાદ વિકેટ ગુમાવી દેતો હતો ત્યારે ગાવસ્કર યશસ્વીથી નારાજ થયા હતા. જે બાદ તેમણે જે સલાહ આપી તેનો ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં યશસ્વીને ફાયદો થયો હતો.

ICC ટેસ્ટ રેન્કિંગઃ યશસ્વી જયસ્વાલનો કમાલ, વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો

યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલીને પાછળ છોડી કમાલ કર્યો છે. યશસ્વી જયસ્વાલ લેટેસ્ટ રેન્કિંગમાં આઠમા નંબરે પહોંચી ગઈ છે. આ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ રેન્કિંગ છે અને તેણે વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. જોકે, યશસ્વી ભારતીય કેપ્ટનથી પાછળ રહી ગયો હતો. જાણો લેટેસ્ટ ICC ટેસ્ટ રેન્કિંગમાં કોને-કોને થયો ફાયદો.

ઈંગ્લેન્ડ સિરીઝ બાદ હવે ICCએ પણ યશસ્વીની પ્રતિભાને ઓળખી, આપ્યો આ ખાસ એવોર્ડ

યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે પોતાના પ્રદર્શનના કારણે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. તે ગાવસ્કરના સ્તર સુધી પહોંચવામાં સફળ રહ્યો એટલું જ નહીં, તેણે ટેસ્ટ ઈનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો. ICCએ પણ તેના પ્રદર્શનને સ્વીકાર્યું છે અને તેને વિશેષ એવોર્ડ આપ્યો છે.

હવે બદલાશે રાજસ્થાન રોયલ્સનું નસીબ, સંજુ સેમસન-યશસ્વી જયસ્વાલ બનાવશે ટીમને ચેમ્પિયન!

રાજસ્થાન રોયલ્સે વર્ષ 2008માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો, ત્યારબાદ 2022માં આ ટીમ ફરી એકવાર ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ફાઈનલમાં હારી ગઈ હતી. આ ટીમ 2023માં પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી. સવાલ એ છે કે શું IPL 2024માં રાજસ્થાનની ટીમ રાજ કરશે? શું સંજુ સેમસનની સેનામાં ફરી એકવાર ચેમ્પિયન બનવાની પ્રતિભા અને જીત મેળવવાનો ઉત્સાહ છે?

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં છગ્ગાઓનો વરસાદ, નોંધાયા 5 વિશ્વ વિક્રમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઘર આંગણે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝમાં છગ્ગાઓનો વરસાદ શરુઆતથી જ નોંધાયો છે. સિક્સર એટલી વરસી છે કે, 5 વિશ્વ વિક્રમ નોંધાઈ ચૂક્યા છે. તો છગ્ગા ફટકારવામાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ સિક્સર કિંગ તરીકે ઉભરી આવ્યો છે. જયસ્વાલે સિરીઝમાં અંગ્રેજ બોલરોની ધુલાઇ કરતા સૌથી વધારે છગ્ગા ફટકાર્યા છે.

15 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનોએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ

દેવદત્ત પડિકલે ધર્મશાળા ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને આ ખેલાડીએ પ્રથમ દાવમાં જ પોતાની જાતને સાબિત કરી હતી. પડિકલે ધર્મશાળામાં શાનદાર અડધી સદી ફટકારી હતી અને 65 રન બનાવ્યા હતા. તેની અડધી સદીથી 15 વર્ષના દુષ્કાળનો પણ અંત આવ્યો હતો.

UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
g clip-path="url(#clip0_868_265)">