IND vs ENG : 30 બોલમાં આક્રમક ફિફ્ટી ફટકારી શ્રેયસ અય્યરે ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
શ્રેયસ અય્યરે ઈંગ્લેન્ડ સામે નાગપુર વનડે મેચમાં શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી હતી. આ જમણા હાથના બેટ્સમેને 30 બોલમાં અડધી સદી ફટકારી હતી. અય્યરે પોતાની બેટિંગથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.

શ્રેયસ અય્યર એવા કમનસીબ ખેલાડીઓમાંનો એક છે જે મોટા સારું પ્રદર્શન કરે છે છતાં તેને અન્ય ખેલાડીઓ જેવી પ્રસિદ્ધિ નથી મળી. તેનાથી વિપરીત શ્રેયસ ઘણીવાર BCCI અથવા ચાહકોના રોષનો સામનો કરતો જોવા મળે છે. પરંતુ શ્રેયસ અય્યરે હવે ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો છે.

શ્રેયસ અય્યરે નાગપુર વનડેમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ખેલાડીએ માત્ર 30 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. શ્રેયસ અય્યરે 36 બોલમાં 59 રનની ઈનિંગ રમી હતી.

યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા વહેલા આઉટ થયા બાદ શ્રેયસ અય્યર ક્રીઝ પર આવ્યો. ટીમ ઈન્ડિયાએ 19 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. શ્રેયસ અય્યરે આવતાની સાથે જ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરોની ધુલાઈ શરૂ કરી હતી.

શ્રેયસ અય્યર વિશે એક ગેરસમજ છે કે તે શોર્ટ બોલ સામે નબળો છે અને ઈંગ્લેન્ડને પણ એવું જ લાગ્યું. આ જ કારણ છે કે શ્રેયસના ક્રિઝ પર આવતાની સાથે જ ઈંગ્લેન્ડના બોલર આર્ચરે તેને બાઉન્સર મારવાનું શરૂ કરી દીધું, પરંતુ અય્યરે આર્ચરના સતત બે બાઉન્સર પર બે અદ્ભુત છગ્ગા ફટકાર્યા. પહેલા પુલ શોટ અને પછી લેટ કટ સિક્સર ફટકારી આર્ચરની હાલત ખરાબ કરી હતી.

બે છગ્ગા ઉપરાંત શ્રેયસ અય્યરે તેની ઈનિંગમાં 9 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. શ્રેયસ અય્યરે મેદાનમાં દમદાર શોટ ફટકાર્યા અને આક્રમક શૈલીમાં કારકિર્દીની 19મી અડધી સદી પૂર્ણ કરી હતી.

શ્રેયસ અય્યર જેક બેથેલના એક સરળ બોલ પર ખૂબ જ ખરાબ શોટ રમીને આઉટ થયો હતો, છતાં તેણે 160થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવીને પોતાનું મહત્વ સાબિત કર્યું. અય્યરની આ ઈનિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી નજીક છે અને હવે ટીમ ઈન્ડિયાને આ ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં રાખવાની જરૂર છે. (All Photo Credit : PTI / X / BCCI)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર સાથે જોડાયેલ તમામ ખબરો જાણવા ક્લિક કરો

































































