IND vs PAK War: યુદ્ધ દરમિયાન કોઈ ભારતીયના હાથે દુશ્મન દેશના સૈનિકનુ મોત થઈ જાય તો શુ હત્યાનો ગુનો લાગે ? જાણો
ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ભારત સરકારે દેશમાં મોક ડ્રીલ કરવાનો પણ આદેશ આપ્યો છે. ત્યારે સ્વાભાવિક રીતે આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે જો યુદ્ધમાં સૈનિકને મારી નાખવામાં આવે તો તેના પર હત્યાનો ગુનો નોંધાય કે નહીં.

ભારતીય નાગરિક યુદ્ધ દરમિયાન દુશ્મન સૈનિકને મારી નાખે છે. તો તેના પર સામાન્ય રીતે હત્યાનો આરોપ મૂકવામાં નહીં આવે. પરંતુ આ ઘટના યુદ્ધના સંદર્ભમાં અને કાયદેસર રીતે યુદ્ધ કરવામાં આવતું હોય.

યુદ્ધ દરમિયાન દુશ્મન સૈનિકની હત્યા કરવી એ કાયદેસર યુદ્ધ કાર્યવાહી માનવામાં આવે છે. આને હત્યા નહીં, પણ યુદ્ધનું કાયદેસર કૃત્ય ગણવામાં આવે છે.

Geneva Conventionsની અનુસાર હત્યાનો ગુનો ત્યારસુધી ગણવામાં નથી આવતો જ્યાં સુધી બળજબરી, ત્રાસ અથા શરણાગતિ કરી હોવા છતા હત્યા કરવામાં આવે ત્યારે ગુનો નોધી શકાય છે.

જો વ્યક્તિ નાગરિક હોય ત્યારે વધારે જટિલ બને છે. જો હોમગાર્ડ, ટેરિટોરિયલ આર્મી સહિતના લોકો સંગઠિત થઈને યુદ્ધ કરી રહ્યાં છે. ત્યારે તેમને લડવૈયા ગણવામાં આવે છે. તેને હત્યાનો દોષી ઠેરવવામાં આવતો નથી.

પરંતુ જો કોઈ સત્તાવાર લશ્કરી ઓળખ અથવા સરકારના આદેશ વિના દુશ્મન સૈનિકને મારી નાખવામાં આવે છે.

આ ઉપરાંત કાયદેસર યુદ્ધની જાહેરાત ન થઈ હોય ત્યારે દુશ્મન સૈનિકને મારી નાખે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.
































































