Breaking News : રેલવે મુસાફરો માટે નવો નિયમ, હવે વધુ સામાન સાથે મુસાફરી કરવા પર ભરવો પડશે દંડ, જાણો કેટલો અને શા માટે?
હવાઈ મુસાફરીની જેમ રેલવે મુસાફરો માટે હવે સામાન લઈ જવાની લિમિટ નક્કી કરવામાં આવી છે. રેલવે મુસાફરો હવે વધારે સામાન લઈ સફળ કરી શકશે નહી. જો સામાન લિમિટ વગર હશે તો દંડ ભરવો પડશે.

રેલવેના નવા નિયમ અનુસાર હવે લોકોને વધારે વજન લઈ મુસાફરી કરવાની પરવાનગી હશે નહી. જો મુસાફરો વધારે વજન લઈ મુસાફરી કરશે તો દંડ ભરવો પડશે. જો કોઈ કારણોસર વધારે સામાન લઈ જવો પડશે તો એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે. તેમજ અલગથી કોચ પણ બુક કરવાનું રહેશે.

સામાનને લઈ રેલવેના નિયમ સ્લીપરથી લઈ એસી સુધીના કોચ માટે લાગુ કરવામાં આવ્યા છે. કોચની કેટેગરી અનુસાર વજનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો નક્કી કરેલી મર્યાદાથી સામાન વધારે હશે તો રેલવે ટિકિટની ભાવથી દોઢ ગણો વધારે ચાર્જ ચુકવવાનો રહેશએ. જો નિયમોનું પાલન નહી કરવામાં આવે તો કાર્યવાહી થશે.

તમને જણાવી દઈએ કે, રેલવે મુસાફરોની સુવિધા,સુરક્ષા અને સારી વ્યવસ્થા બનાવી રાખવા માટે સામાનના વજનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. કોચમાં બિનજરુરી ભીડ ઓછી કરવી ,મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક સફળ કરવામાં પણ સહયોગ કરવાથી સામાનનો વજન ઓછો કરવાનો પ્રયત્ન છે.

રેલવેના નવા નિયમો અનુસાર એસી ફર્સ્ટ કોચમાં લોકો હવે 70 કિલો વજન લઈ સફર કરી શકશે. સેકન્ડ એસી કોચમાં 50 કિલો, થર્ડ એસીમાં 40 કિલો ,સ્લીપર કોચમાં 40 કિલોગ્રામ અને સેકન્ડ કેટેગરીમાં 35 કિલો સામાન ફ્રી લઈ જઈ શકશો. જો આનાથી વધારે સામાન છે. તો દંડ ભરવો પડશે. જો વધારે સામાન લઈ જવો છે તો વધારાનો ચાર્જ આપી અલગ કોચ બુક કરવાનો રહેશે.

રેલવેના નિયમો અનુસાર, મુસાફરો લગેજ વાન પણ બુક કરાવી શકે છે. જો કોઈ મુસાફરને મોટી માત્રામાં સામાન સાથે મુસાફરી કરવાની જરૂર હોય, તો તેમણે લગેજ વાન બુક કરાવવી જ જોઈએ. આના માટે વધુ ખર્ચ થશે, પરંતુ તેમનો સામાન સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચશે.

મુસાફરો આરામદાયક અને સલામત મુસાફરીનો આનંદ માણશે. કોચમાં ભીડ ઓછી હશે, બિનજરૂરી દબાણ નહીં હોય અને અન્ય મુસાફરોને અસુવિધા નહીં થાય. (All Photo : PTI)
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો
