AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આસામ

આસામ

આસામ એ ભારતના ઉત્તર-પૂર્વમાં સ્થિત એક રાજ્ય છે. આસામ રાજ્યનો કુલ વિસ્તાર 78,466 ચોરસ કિમી છે. આસામ રાજ્યની સરહદો ભૂટાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ભારતમાં, તેની સરહદો પૂર્વમાં નાગાલેન્ડ અને મણિપુર, પશ્ચિમમાં પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મેઘાલય અને દક્ષિણમાં ત્રિપુરા સાથે જોડાયેલી છે. આસામનુ પાટનગર દિસપુર છે. 2001ની વસ્તી ગણતરી મુજબ, આસામની કુલ વસ્તી આશરે 3,11,69,272 હતી. અહીં હિન્દુઓની વસ્તી 1,72,96,455, મુસ્લિમોની 82,40,611, ખ્રિસ્તીઓની 9,86,589, શીખોની 22,519, બૌદ્ધ ધર્મની 51,029, જૈન ધર્મની 23,957 અને અન્ય ધર્મોના 22,999 લોકોની વસ્તી હતી.

રાજ્યની મુખ્ય નદી બ્રહ્મપુત્રા છે. આસામ એક કૃષિપ્રધાન રાજ્ય છે. ચા, શણ અને શેરડી અહીંના મુખ્ય ઔદ્યોગિક અને રોકડિયા પાક છે. લગભગ 65 ટકા ખેતીની જમીન ચાની ખેતી હેઠળ સમાવિષ્ટ છે. આસામની અર્થવ્યવસ્થામાં તેની વિશેષ ભૂમિકા છે. ભારતના 7100 નાના અને મોટા ચાના બગીચાઓમાંથી લગભગ 700 માત્ર આસામમાં આવેલા છે. આ ઉદ્યોગ અંદાજે 3,79,781 લોકોને રોજગાર પૂરો પાડે છે, જેમાંથી મોટાભાગના બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના છે.

Read More

Breaking News: એકથી વધુ લગ્ન કરનારાઓને સરકારી યોજનાઓનો લાભ નહીં મળે, કર્મચારીઓ નોકરીમાંથી થશે ‘બરતરફ’

એક કરતાં વધુ લગ્ન કરનારા લોકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે નહીં. સાથે જ, એક કરતાં વધુ લગ્ન કરનારા સરકારી કર્મચારીઓને પણ સેવામાંથી બરતરફ કરી દેવામાં આવશે. ભાજપ શાસિત રાજ્યએ આ નિર્ણય લીધો છે.

Breaking News: મણિપુર ફરી ‘ધ્રૂજ્યું’! આસામ રાઇફલ્સના જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ, 2 જવાનના મોત બાદ સમગ્ર વિસ્તાર કરાયો ‘સીલ’

મણિપુરના ઉખરુલ જિલ્લામાંથી હિંસાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરિંગમાં આસામ રાઇફલ્સના બે બહાદુર જવાનો શહીદ થયા છે અને અન્ય કેટલાક જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Breaking News : ડિજિટલ અરેસ્ટ સ્કેમનો પર્દાફાશ, CBIના ઓપરેશન ચક્ર 6 હેઠળ 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા ! જુઓ Video

CBI એ ઓપરેશન ચક્ર-6 હેઠળ દેશના 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં 2 લોકોને ધરપકડ પણ કરવામાં આવી છે. CBIની લગભગ 60 વિશેષ ટીમોએ અનેક રાજ્યોમાં કાર્યવાહી કરી છે.

Breaking News : જોરહાટ એરબેઝ પર IAF વિમાન ક્રેશ ! 5 જવાન શહિદ, જુઓ-Video

અહેવાલો જણાવે છે કે વિમાન નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. સૂત્રો સૂચવે છે કે જોરહાટ એરબેઝ પર ઉતરાણ કરતી વખતે વિસ્ફોટ થયો હતો અને વિમાનમાં આગ લાગી હતી.

ગઈકાલ 12મી મે એ, BJPના હિંમતાએ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા, આજે 13મી મે એ કોંગ્રેસના પવન ખેરા સામે કાર્યવાહી શરૂ

આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરા સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પવન ખેરા આજે બુધવારને 13મી મેના રોજ, આસામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. ખેરાએ હિંમતા સરમાની પત્ની રિંકી ભૂયાન સરમા દ્વારા દાખલ કરાયેલા કેસ સંદર્ભમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

Breaking news: ગુવાહાટીમાં હિમંતા બિસ્વા શર્માનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ, અમિત શાહથી લઈને અનેક CM રહેશે હાજર

હિમંત બિસ્વા શર્મા આજે સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ગુવાહાટીના વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. હિમંતની સાથે ચાર ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લેશે. હિમંતના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.

Breaking News: ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવ ! હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જાહેર કર્યું એલર્ટ, જાણો ગુજરાતની સ્થિતિ

દેશભરમાં અત્યારે હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ છે, તો બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે.

Assam CM Love Story : પ્રેમ, સપના અને રાજકારણ : હિમંતા બિસ્વા સરમાની અનોખી લવ સ્ટોરી

અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની લવ સ્ટોરી પણ તેમની રાજકીય સફર જેટલી જ રસપ્રદ છે. કોલેજના દિવસોમાં ગર્લફ્રેન્ડ રિનિકીને તેમણે કહ્યું હતું—“એક દિવસ હું મુખ્યમંત્રી બનીશ,” અને વર્ષો બાદ તેમનું એ સપનું હકીકત બન્યું.

MLA Accommodation : ચૂંટણી જીત્યા પછી ધારાસભ્યને કેટલા દિવસ પછી ઘર મળે છે?

4 મે 2026ના દિવસે 5 રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવેલા. તેમાં સૌથી વધારે લોકોનું ધ્યાન પશ્ચિમ બંગાળ પર હતું. પશ્ચિમ બંગાળ રાજ્યની 294 બેઠકોમાંથી ભાજપે 207 બેઠકો પર જીતી મેળવી છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 80 બેઠકો જીતી છે.

હિમંતા બિસ્વા સરમાએ હિંમતથી કહ્યું- બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય

આસામ વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ ગઠબંધને શાનદાર પ્રદર્શન કર્યું, વિજયની હેટ્રિક હાંસલ કરી. હિમંતા બિસ્વા શર્માએ આ જીત માટે પવન ખેરાને શ્રેય આપ્યો અને સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ બાંગ્લાદેશી મુસ્લિમોના મત માંગતા નથી. વધુમાં, સરમાએ કહ્યું બંગાળમાં ભાજપની શાનદાર જીત એ "રાષ્ટ્રનો વિજય" છે.

Breaking News : બંગાળમાં ભયમુક્ત વાતાવરણ બનાવવાની મોદી ગેરંટી, આ સરકારી યોજનાઓ પણ કરાશે લાગુ, જુઓ PM મોદીની મોટી જાહેરાત

વડાપ્રધાન મોદીએ બંગાળમાં નવા યુગની જાહેરાત કરી છે, જ્યાં ભયમુક્ત વાતાવરણ અને વિકાસ અભિયાન ચાલશે. તેમણે અહંકારી, હિસાની રાજનીતિને નકારી કાઢી, રોજગાર સર્જન અને પલાયન રોકવા પર ભાર મૂક્યો.

Breaking News : બંગાળની જીત સાથે ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ જ કમળ, બંગાળમાં ભાજપની જીત બાદ બોલ્યા, PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતને "લોકશાહીનો વિજય" ગણાવ્યો. તેમણે આ વિજયનો શ્રેય વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરતા અસંખ્ય કાર્યકરોના સંઘર્ષ અને સમર્પણને આપ્યો.

બંગાળમાં ખીલ્યું કમળ…! વર્ષ 2026ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, PM મોદીનું પહેલું રિએક્શન આવ્યું સામે

BJP એ પશ્ચિમ બંગાળ અને અસમની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશીની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાને આ વિજયને જનતાની શક્તિ અને સુશાસનની રાજનીતિની જીત ગણાવીને બંને રાજ્યોના નાગરિકો તેમજ કાર્યકર્તાઓનો આભાર માન્યો છે.

પાંચ રાજ્યની ચૂંટણી પરિણામોના ચાર મોટા રાજકીય સમાચાર, જાણો

Assembly Election Results 2026 : પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તમિલનાડુ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો સામે આવતાની સાથે જ ચાર મુખ્ય રાજકીય ઘટના આકાર પામી છે. આ પ્રદેશમાં રાજકીય પરિવર્તનની એક લહેર ફેલાઈ ગઈ, અને રાજકીય પક્ષના ગઢ તૂટી ગયા.

MLA Salary Rule: શું જીત્યા બાદ તરત જ શરૂ થાય MLAની સેલેરી? જાણો MLA સેલેરી નિયમ અને 5 રાજ્યોનું વેતન ગણિત

ચૂંટણી જીત્યા બાદ તરત જ MLAને પગાર મળતો નથી. શપથ લીધા બાદ જ સેલેરી અને ભથ્થાં શરૂ થાય છે. અહીં જાણો 5 રાજ્યોમાં MLAના પગારનું તફાવત.

  • Nishat
  • Updated on: May 6, 2026
  • 8:20 am
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">