આસામ
આસામ એ ભારતના ઉત્તર-પૂર્વમાં સ્થિત એક રાજ્ય છે. આસામ રાજ્યનો કુલ વિસ્તાર 78,466 ચોરસ કિમી છે. આસામ રાજ્યની સરહદો ભૂટાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ભારતમાં, તેની સરહદો પૂર્વમાં નાગાલેન્ડ અને મણિપુર, પશ્ચિમમાં પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મેઘાલય અને દક્ષિણમાં ત્રિપુરા સાથે જોડાયેલી છે. આસામનુ પાટનગર દિસપુર છે. 2001ની વસ્તી ગણતરી મુજબ, આસામની કુલ વસ્તી આશરે 3,11,69,272 હતી. અહીં હિન્દુઓની વસ્તી 1,72,96,455, મુસ્લિમોની 82,40,611, ખ્રિસ્તીઓની 9,86,589, શીખોની 22,519, બૌદ્ધ ધર્મની 51,029, જૈન ધર્મની 23,957 અને અન્ય ધર્મોના 22,999 લોકોની વસ્તી હતી.
રાજ્યની મુખ્ય નદી બ્રહ્મપુત્રા છે. આસામ એક કૃષિપ્રધાન રાજ્ય છે. ચા, શણ અને શેરડી અહીંના મુખ્ય ઔદ્યોગિક અને રોકડિયા પાક છે. લગભગ 65 ટકા ખેતીની જમીન ચાની ખેતી હેઠળ સમાવિષ્ટ છે. આસામની અર્થવ્યવસ્થામાં તેની વિશેષ ભૂમિકા છે. ભારતના 7100 નાના અને મોટા ચાના બગીચાઓમાંથી લગભગ 700 માત્ર આસામમાં આવેલા છે. આ ઉદ્યોગ અંદાજે 3,79,781 લોકોને રોજગાર પૂરો પાડે છે, જેમાંથી મોટાભાગના બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના છે.
કાનુની સવાલ: કોઈના બીજા લગ્નમાં જમવા માટે ઘુસી જાવ છો? આ રાજ્યમાં લાગૂ થયો અનોખો કાયદો
કાનુની સવાલ: હવે આ સ્થિતિમાં કોઈના બીજા લગ્નમાંથી મળેલું ભોજન પણ તમને સીધું જેલમાં મોકલી શકે છે. પરંતુ આનો અમલ કેવી રીતે થશે તે સૌથી મોટો પ્રશ્ન છે. ચાલો જાણીએ આ અનોખા કાયદા પાછળની સંપૂર્ણ વાર્તા.
- Meera Kansagara
- Updated on: Nov 30, 2025
- 8:00 am
Amazing Temple Traditions : ક્યાંક દારૂ તો ક્યાંક ચાઇનીઝ… દેશના મંદિરો જ્યાં મળે છે સૌથી અનોખો પ્રસાદ
ભારતમાં ઘણા મંદિરો છે જે તેમની માન્યતાઓ માટે પ્રખ્યાત છે. તેમની ખ્યાતિનું કારણ માનવામાં આવતા ચમત્કારો પણ તેમના પ્રસાદને આભારી છે. જો કે, દેશમાં ઘણા મંદિરો એવા પણ છે જે તેમના પ્રસાદ માટે ખૂબ પ્રખ્યાત છે.
- Sachin Agrawal
- Updated on: Nov 4, 2025
- 5:48 pm
ભારતનું એક રહસ્યમય મંદિર જ્યાં દેવીના માસિક ધર્મને પૂજવામાં આવે છે અને માસિક ધર્મના વસ્ત્રને ગણવામાં આવે છે પ્રસાદ
ભારતમાં એક એવુ રહસ્યમય મંદિર આવેલુ છે જ્યાં વર્ષમાં એકવાર દેવીને માસિક ધર્મ આવે છે અને રીતસર દેવીની યોનિમાંથી લાલ રક્ત વહે છે. દેવીની રજસ્વાલા અવસ્થા દરમિયાન ત્રણ દિવસ સુધી મંદિરના કપાટ બંધ રહે છે. આ માસિક ધર્મ દરમિયાન વહેલા રક્તને સુકવવા માટે જે વસ્ત્રનોનો ઉપયોગ થાય છે તેને ભક્તોને પ્રસાદ રૂપે વહેંચી દેવામાં આવે છે. આ વસ્ત્રને અત્યંત શક્તિશાળી અને પવિત્ર ગણવામાં આવે છે. તાંત્રિક સાધના કરતા સાધકો તાંત્રિક પ્રયોગો માટે લઈ જાય છે. આ વસ્ત્રને આરોગ્ય, સુખ, શાંતિ અને સુરક્ષાનું પ્રતિક ગણવામાં આવે છે.
- Mina Pandya
- Updated on: Oct 28, 2025
- 9:01 am
ઝુબીન ગર્ગનો મૃત્યુ પહેલાનો વીડિયો વાયરલ, પાણીમાં કુદતો જોવા મળ્યો સિંગર
એક વીડિયો સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે , ઝુબીન ગર્ગના મૃત્યુના થોડા સમય પહેલાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઝુબીન પાણીમાં છલાંગ લગાવતો જોવા મળી રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Sep 21, 2025
- 2:08 pm
1…2 નહિ પરંતુ 40 ભાષાઓમાં ગીત ગાયા, સ્કુબા ડાઇવિંગ કરતા સિંગરનું થયું મૃત્યું- આવો છે પરિવાર
બોલિવૂડના અનેક લોકપ્રિય ગીતોને પોતાનો અવાજ આપનાર પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગ હવે આ દુનિયામાં નથી. તેમનું 52 વર્ષની વયે અવસાન થયું છે.તો આજે આપણે ઝુબીન ગર્ગના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Nov 18, 2025
- 10:25 am
History of city name : આસામના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
આસામ ઉત્તરપૂર્વ ભારતનું એક મહત્વપૂર્ણ રાજ્ય છે, જે બ્રહ્મપુત્ર અને બરાક નદીની ખીણોમાં ફેલાયેલું છે અને પૂર્વ હિમાલયના દક્ષિણ ભાગમાં વસેલું છે. વિસ્તારના પ્રમાણમાં જોવામાં આવે તો, ઉત્તરપૂર્વના રાજ્યોમાં તેનું સ્થાન બીજું સૌથી મોટું છે.
- Ashvin Patel
- Updated on: Aug 22, 2025
- 6:21 pm
ના હોય ! ભારતમાં આ ગામની અંદર મહિલાઓ રાજ કરે છે અને પુરુષો ઘરના બધા કામ કરે છે
દુનિયાભરમાં એવી ઘણી જાતિઓ છે કે, જેમના પોતાના અલગ અલગ રીતરિવાજો હોય છે. એવામાં ચાલો જાણીએ કે, ભારતમાં કયા ગામની અંદર મહિલાઓનું રાજ ચાલે છે અને પુરુષો ઘરનું કામ કરે છે...
- Ravi Prajapati
- Updated on: Aug 12, 2025
- 4:07 pm
દર વર્ષે 3 દિવસ લાલ રંગની થઈ જાય છે આ નદી, ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક કારણો જાણો
ભારતમાં વહેતી દરેક નદીનું પોતાનું રહસ્ય અને મહત્વ છે. કેટલીક નદીઓ એવી છે જે તેમની અદ્ભુત માન્યતાઓ માટે પ્રખ્યાત છે. આમાંથી એક નદી વિશે એવું કહેવામાં આવે છે કે તેના પાણીનો રંગ દર વર્ષે 3 દિવસ લાલ થઈ જાય છે. ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક કારણ જાણીને તમે પણ ચોંકી જશો.
- Manish Gangani
- Updated on: Aug 6, 2025
- 2:47 pm
પૂર્વોત્તરના રાજ્યોમાં ભયાનક પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, મણિપુર, સિક્કિમ, આસામમાં જળપ્રલયની સ્થિતિ- જુઓ Video
દેશના પૂર્વોતર ભાગમાં ચોમાસાના આગમનથી ભારે તબાહી મચી ગઈ છે. બે દિવસમાં 32 લોકોના મોત થયા છે. આસામમાં 16, અરુણાચલ પ્રદેશમાં 9, મિઝોરમમાં 4 અને મેઘાલયમાં 3 લોકોના મોત થયા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 1, 2025
- 7:20 pm
મધ્યપ્રદેશમાં નાસ્તો, બિહારમાં લંચ અને આસામમાં ડિનર…જાણો PM મોદીની 3 મુલાકાતોની ખાસ વાતો
સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લીધી. સૌ પ્રથમ પીએમ મોદી મધ્યપ્રદેશ પહોંચ્યા. પછી બિહાર અને આસામ. પીએમ મોદી આજે રાત્રે આસામમાં રહેશે. તેમણે કહ્યું, હું આસામના કાઝીરંગામાં રોકાઈને દુનિયાને તેની જૈવવિવિધતા વિશે જણાવનાર પહેલો પ્રધાનમંત્રી છું. ચાલો જાણીએ પીએમની ત્રણ મુલાકાતો વિશે ખાસ વાતો.
- TV9 Gujarati
- Updated on: Feb 25, 2025
- 9:10 am
કોણ છે દેવજીત સૈકિયા, જે આજે BCCI ના નવા સેક્રેટરી બનશે?
Devajit Saikia : જય શાહ ડિસેમ્બર 2024માં આઈસીસી ચેરમેન બન્યા બાદ BCCIનું સચિવ પદ ખાલી છે. આ દરમિયાન બોર્ડના જોઈન્ટ સેક્રેટરી દેવજીત સૈકિયા વચગાળાના સચિવની ભૂમિકા ભજવી રહ્યા હતા. જે બાદ તેમણે ચૂંટણીમાં પોતાનું ઉમેદવારીપત્ર પણ ભર્યું અને અહીં તેઓ બિનહરીફ ચૂંટાઈ આવવાના છે.
- Nirupa Duva
- Updated on: Jan 12, 2025
- 2:00 pm