Pariksha Pe Charcha 2026 : પરીક્ષા પે ચર્ચામાં પીએમ મોદીનો ગુરુ મંત્ર, પહેલા મનને જીતો
પીએમ મોદીએ કહ્યું જ્યારે પરીક્ષા પે ચર્ચા શરુ કર્યું તો એક પેટર્ન હતી. હવે ધીમે ધીમે હું તેને બદલી રહ્યો છું, આ વખતે મેં તે અલગ અલગ રાજ્યોમાં પણ કર્યું. મેં મારી પેટર્ન પણ બદલી, પરંતુ મૂળ પેટર્ન છોડી નહીં.

પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનું ટેન્શન દુર કરવા તેમજ તેને પ્રોત્સાહિત કરવાનું ગુરુ મંત્ર આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભ્યાસને લઈ કહ્યું કે, પહેલા મનને જીતો પછી મનને જોડો પછી તમારે અભ્યાસમાં જે વિષય રાખવો છે. તે રાખો.આવું કરતા તમે બધા વિદ્યાર્થીઓ હંમેશા સફળ રહેશો. આ સાથે તેમણે કહ્યું કે, આપણું લક્ષ્ય એવું હોવું જોઈએ. જે પહોંચમાં હોય છે, પણ પકડમાં નથી.
અનેક રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા પીએમ મોદીએ કહ્યું જ્યારે પરીક્ષા પે ચર્ચા મે શરુ કરી તો,એક પેટર્ન હતી. હવે ધીમે ધીમે હું તેને બદલી રહ્યો છું, આ વખતે મેં તે અલગ અલગ રાજ્યોમાં પણ કર્યું. મેં મારી પેટર્ન પણ બદલી, પરંતુ મૂળ પેટર્ન છોડી નહીં.
ગમોસાથી સ્વાગત કેમ,પીએમ મોદીએ જણાવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે ચર્ચાની આ 9મી સીઝન છે. પરીક્ષા પે ચર્ચા,યુવાઓ માટે તણાવ મુક્ત માહોલ બનાવવા માટે પીએમ મોદીની આગેવાનીનું એક મોટું અભિયાન Exam Warriorsનો ભાગ છે.
વિદ્યાર્થી સાથે વાતચીત પહેલા પીએમ મોદીએ તમામ વિદ્યાર્થીઓનું આસમના ગમોસાથી સ્વાગત કર્યું હતુ. વિદ્યાર્થીઓ ખાસ આસમના ગમોસા વિશે પીએમ મોદીને કહ્યું હતુ. સૌથી સારી વાત એ છે કે, આ મારી સૌથી પ્રિય વસ્તુ છે. આની રચના ખુબ સારી લાગે છે. સાથે આ નોર્થ ઈસ્ટ ખાસ કરીને આસમમાં મહિલા સશક્તિકરણનું એક શાનદાર ઉદાહરણ છે, કારણ કે, મહિલાઓ આને ઘર પર પ્રેમ અને ઝનુનથી બનાવે છે. આનાથી મહિલાઓ પ્રતિ ખુબ આદર અને સ્મમાન થાય છે. આ માટે આજે આને આપવાનો નિર્ણય કર્યો હતો.
શિક્ષણ બોજ ન હોવું જોઈએ : પીએમ મોદી
વિદ્યાર્થીઓને અભ્યાસનો બોજ ન અનુભવવા વિનંતી કરતા, પીએમ મોદીએ કહ્યું, “શિક્ષણ બોજ ન હોવું જોઈએ. આપણે તેમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત રહેવું જોઈએ. અધૂરું શિક્ષણ સફળ જીવન તરફ દોરી શકતું નથી. તેથી, આપણે ફક્ત ગુણ પર જ નહીં, પરંતુ આપણા જીવનને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વર્ગખંડો અને પરીક્ષાઓથી આગળ વધે છે.
સ્કિલની શરુઆત જ્ઞાનથી થાય છે: પીએમ મોદી
અભ્યાસ સહિત દરેક બાબતમાં સંતુલનની વાત કરતા પીએમ મોદીએ કહ્યું, “દરેક બાબતમાં સંતુલન હોવું જોઈએ. જો તમે એક તરફ ઝુકશો, તો તમે પડી જશો. તેવી જ રીતે, બે પ્રકારની કુશળતા હોય છે. એક જીવન કૌશલ્ય અને બીજી વ્યાવસાયિક કુશળતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષકોને સલાહ આપી છે.
