15,000 કરોડ રૂપિયાના ‘એન્ટિલિયા’માં એકપણ AC નથી, જાણો મુંબઇની કાળઝાળ ગરમીમાં અંબાણી પરિવાર AC વગર કેવી રીતે રહે છે?
દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર મુંબઈની માયાનગરીમાં છે. જો કે, મુકેશ અંબાણીના આ ઘરમાં સ્વિમિંગ પૂલથી લઈને સિનેમા હોલ સુધીની બધી જ સુવિધા છે પરંતુ એસીની સુવિધા નથી.


દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર મુંબઈની માયાનગરીમાં છે. મુંબઈમાં 'એન્ટિલિયા' નામની 27 માળની ઇમારત ઊભી કરનાર મુકેશ અંબાણીના આ ઘરમાં એસી જ નથી.

મુકેશ અંબાણીએ 15,000 કરોડ રૂપિયાના ખર્ચે 'એન્ટિલિયા' નામનું એક વિશાળ ઘર બનાવ્યું અને ત્યાં જ પરિવાર સાથે રહે છે. સ્વિમિંગ પૂલથી લઈને સિનેમા હોલ, હેલિપેડ સુધીની તમામ સુવિધા એક જ ઘરમાં છે.

જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે, મુકેશ અંબાણીના આ આલિશાન ઘરમાં એકપણ એસી નથી. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, એન્ટિલિયામાં કોઈ જ એસી યુનિટ નથી. તો વિચારો કે, અંબાણી ફેમિલી આટલી કડક ગરમીમાં કેવી રીતે રહે છે?

વાત એમ છે કે, એન્ટિલિયામાં પરંપરાગત એસી છે જ નહીં કે જેના માટે સામાન્ય લોકો ટેવાયેલા હોય. જણાવી દઈએ કે, એન્ટિલિયામાં સેન્ટ્રલ કૂલિંગ સિસ્ટમ છે. આ સિસ્ટમ માર્બલ, ફૂલો અને અન્ય આંતરિક વસ્તુઓને સાચવવા માટે રાખવામાં આવેલ છે.

અંબાણીના આ ઘરમાં મહેમાનો ઇચ્છે તો પણ ઘરનું તાપમાન ઘટાડી કે વધારી શકતા નથી. બીજું કે, એન્ટિલિયાની અંદર એક બરફનો રૂમ પણ છે, જ્યાં ખરેખરમાં બરફ પડે છે. દિવાલ પર લગાવેલા ખાસ ડિવાઇસથી આખા રૂમમાં બરફના ટુકડા છાંટવામાં આવે છે.

અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ વાતનો ખુલાસો કરતાં કહ્યું કે, તે 50 મોડેલો સાથે અને અબુ જાની-સંદીપ ખોસલા સાથે શૂટિંગ કરી રહી ત્યારે એન્ટિલિયા ગઈ હતી. આ શૂટ દરમિયાન શ્રેયાને એન્ટિલિયામાં ખૂબ ઠંડી લાગી રહી હતી. શ્રેયાએ બિલ્ડિંગ મેનેજરને તાપમાન વધારવાની વિનંતી કરી પરંતુ મેનેજરે કહ્યું કે, તાપમાનમાં વધારો થઈ શકે તેમ નથી.

એન્ટિલિયામાં આરસપહાણ અને ફૂલોને ચોક્કસ તાપમાનની જરૂર પડે છે, જે એર કન્ડીશનીંગ સિસ્ટમ દ્વારા જાળવવામાં આવે છે. આથી, તાપમાનમાં વધારો કે ઘટાડો કરી શકાતો નથી.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો






































































