Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાણી પરિવાર

અંબાણી પરિવાર

મુકેશ અંબાણી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર મુકેશ અંબાણીએ રિલાયન્સને દેશની સૌથી મોટી કંપની બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

હવે મુકેશ અંબાણીએ લગભગ દરેક ક્ષેત્રમાં પોતાનો બિઝનેસ વિસ્તાર્યો છે. ઓઈલ અને ગેસથી શરૂ થયેલો મુકેશ અંબાણીના બિઝનેસ હવે એટલો મોટો થઈ ગયો છે કે તેઓ ગમે તે ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તેમાં લીડર બની જાય છે.

મુકેશ અંબાણી ફોર્બ્સ અને બ્લૂમબર્ગ સહિત ઘણા સૂચકાંકોમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય અમીરોની યાદીમાં ટોચ પર છે. હવે મુકેશ અંબાણીના બાળકો તેમના પિતાની બિઝનેસ સફરને આગળ વધારી રહ્યા છે. ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી અલગ-અલગ સેક્ટર દ્વારા પોતાની ઓળખ બનાવી રહ્યા છે. જ્યારે તેમની પત્ની નીતા અંબાણી સામાજિક કાર્યો દ્વારા દેશના જરૂરિયાતમંદ લોકોને મદદ કરતી રહે છે.

મુકેશ અંબાણીનો નાનો ભાઈ અનિલ અંબાણી છે. જેના લગ્ન ફિલ્મ અભિનેત્રી ટીના મુનિમ સાથે થયા હતા. મુકેશ અને નીતા અંબાણીને બે પુત્ર અને એક પુત્રી છે. જેમના નામ ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી છે. જ્યારે અનિલ અને ટીના અંબાણીને બે પુત્ર છે. જય અનમોલ છે.

Read More

15,000 કરોડ રૂપિયાના ‘એન્ટિલિયા’માં એકપણ AC નથી, જાણો મુંબઇની કાળઝાળ ગરમીમાં અંબાણી પરિવાર AC વગર કેવી રીતે રહે છે?

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર મુંબઈની માયાનગરીમાં છે. જો કે, મુકેશ અંબાણીના આ ઘરમાં સ્વિમિંગ પૂલથી લઈને સિનેમા હોલ સુધીની બધી જ સુવિધા છે પરંતુ એસીની સુવિધા નથી.

અનંત અંબાણીની 115 કિલોમીટરની દ્વારકાની પગપાળા યાત્રાનું સમાપન, 30 મા જન્મદિવસે દ્વારકાધિશના ચરણોમાં નમાવ્યુ શીશ

અનંત અંબાણીએ જામનગરથી શરૂ કરેલી દ્વારકાની પગપાળા યાત્રાનું આજે સમાપન થયુ છે. 10 દિવસની તેમની આ પગપાળા યાત્રામાં તેઓ 115 કિલોમીટર ચાલ્યા છે. આજે અનંતે તેમના 30મા જન્મદિવસે દ્વારકાધિશના શરણોનાં શીશ નમાવ્યુ હતુ અને જગતના નાથના આશીર્વાદ મેળવ્યા હતા.

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી, રાધિકા પણ જોડાયા, જુઓ Video

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે. અંબાણી પરિવારનું દ્વારકાવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું છે. અંતિમ દિવસની પદયાત્રમાં માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ જોડાયા હતા. દ્વારકામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત કર્યું છે.

Anant Ambani Padyatra : અનંત અંબાણી 140 કિમી ચાલીને કયા મંદિરે જઈ રહ્યો છે ? આ મંદિરનો ઈતિહાસ જાણો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણી હાલમાં એક પદયાત્રા પર જઈ રહ્યા છે. આ વખતે તેમનો 30મો જન્મદિવસ આધ્યાત્મિક રીતે મનાવવાનો નિર્ણય લીધો છે. તો આ મંદિરના ઈતિહાસ વિશે જાણીએ.

Ambani surname history : ‘અંબાણી’ સરનેમનો સૌરાષ્ટ્ર સાથે છે ખાસ નાતો, જાણો શુ છે તેનો ઇતિહાસ

કોઈ પણ વ્યક્તિ હોય તેના નામ પાછળ તેની અટક ફરજિયાત લખવામાં આવે છે. આ અટક પરથી વ્યક્તિ ક્યાં પરિવાર કે સમુદાયમાંથી આવે છે તે દર્શાવે છે. પરંતુ મોટાભાગના લોકોને અટકના નામ પાછળનો ઈતિહાસની જાણ હોતી નથી.

આ ખતરનાક બીમારીથી પીડિત છે અનંત અંબાણી, આ છે સ્થૂળતા વધવા પાછળનું સાચું કારણ

મુકેશ અંબાણીના પુત્ર અનંતને એક ખતરનાક બિમારી છે, જેના કારણે તે પોતાનું વજન નિયંત્રિત કરી શકતા નથી. આ બિમારી તેના વધતા શરીરના વજનનું કારણ પણ છે. જેના કારણે તેમને ઘણી અસુવિધાનો સામનો કરવો પડે છે.

અનંત અંબાણીનું મુંગા પક્ષી માટેનો પ્રેમ ફરી છલકાયો, 250 જેટલી મરઘી અને પક્ષીઓને કતલખાને લઇ જતાં બચાવ્યાં, જુઓ Video

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીના હાલ દ્વારકાની પદયાત્રા કરી રહ્યાં છે. અનંત અંબાણીના પદયાત્રાના 5માં દિવસે તેમને 50 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. ત્યારે જેટલું અંતર કાપીને સોનરડી ગામના પાટિયા સુધી પહોંચ્યા છે.

140 કિલોમીટર પગપાળા દ્વારકા કેમ જઈ રહ્યો છે અનંત અંબાણી, જાણો કારણ

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી ફરી એક વખત ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં અનંત અંબાણી ચાલીને દ્વારકા જઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનંત અંબાણી દરરોજ 20 કિલોમીટર ચાલે છે.

Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક થયો વાયરલ, જુઓ તસવીરો

જ્યારે સ્ટાઇલ સ્ટેટમેન્ટ સેટ કરવાની વાત આવે છે, ત્યારે નીતા અંબાણીની ફેશન પસંદગીઓ અજોડ છે. તે દરેક ખાસ પ્રસંગે પોતાના લુકથી ધ્યાન ખેંચે છે

અંબાણીના લગ્નમાં ગાયબ થયો કિમ કાર્દાશિયનનો હીરો, મહિનાઓ પછી કર્યો ખુલાસો

અમેરિકાની લોકપ્રિય ટીવી સ્ટાર કિમ કાર્દાશિયન ગયા વર્ષે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા ભારત આવી હતી. હવે તેણે આ ભવ્ય લગ્નને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. કિમે જણાવ્યું કે અંબાણીના લગ્ન દરમિયાન તેનો હીરો ખોવાઈ ગયો હતો.

Richest IPL Owner : કાવ્યા મારન કે નીતા અંબાણી, IPL ની સૌથી અમીર માલકિન કોણ છે?

નીતા અંબાણી (મુંબઈ ઇન્ડિયન્સ) અને કાવ્યા મારન (સનરાઇઝર્સ હૈદરાબાદ)ની સંપત્તિની તુલનાની વાત અહીં કરવામાં આવી છે. નીતા અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે, જ્યારે કાવ્યા મારન સન ગ્રુપ સાથે સંકળાયેલી છે. ત્યારે આ બંને માંથી કોણ વધુ અમીર છે તેની વાત અહીં કરવામાં આવી છે.

Jamnagar : PM મોદી અનંત અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ વનતારાની મુલાકાતે, જુઓ Video

વડાપ્રધાન મોદી જામનગરના પ્રવાસ દરમિયાન રિલાયન્સમાં અંનત અંબાણી દ્વારા બનાવવામાં આવેલ મહત્વના પ્રોજેક્ટ 'વનતારા'ની મુલાકાત લીધી. બપોર સુધી PM મોદી વનતારા ખાતે રહેશે જે બાદ તેઓ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે.

Ambani Family : દીકરા અનંતની વાતને લઈ ભાવુક થયા નીતા અંબાણી, રાધિકા માટે કહી આ વાત, જુઓ Video

અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણી પહેલાથી જ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી ઘેરાયેલા છે. આવી સ્થિતિમાં, જ્યારે નીતા અંબાણી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અનંત અંબાણી વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે તે ભાવુક થઈ ગયા. તેણીએ અનંત અને રાધિકા મર્ચન્ટ અંબાણીની જોડીને જાદુ ગણાવી. નીતા અંબાણીએ બીજું શું કહ્યું તે જાણો...

Antilia Job : અંબાણીના ઘરમાં નોકરી કેવી રીતે મળશે, પ્રક્રિયા જાણીને નવાઈ લાગશે

મુકેશ અંબાણીના ઘરમાં નોકરી મેળવવી એ સપનું છે. પરંતુ, આ નોકરી મેળવવા માટે ચક્કસ સ્થિતિ માંથી પસાર થવું પડે છે. ચાલો જાણીએ શું છે પ્રક્રિયા

નીતા અંબાણીને આ કામને લઈ અમેરિકામાં મળ્યું સન્માન, જુઓ Photos

નીતા અંબાણીના કાર્યથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના લાખો લોકોના જીવન પર પ્રભાવ પડ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા અનેક પ્રોજેક્ટ્સે સમાજના વંચિત વર્ગોને, ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રોમાં મદદ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">