Jadariyu Recipe : સૌરાષ્ટ્રનું ફેમસ જાદરિયું ઘરે સરળતાથી બનાવો, સ્વાદિષ્ટ હોવા સાથે સ્વાસ્થ્ય માટે પણ છે લાભકારક
ભારતીય ઘરમાં અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ હલવો બનાવવામાં આવે છે. જેમાંથી કેટલીક વિસરતી વાનગીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે આજે સૌરાષ્ટ્રનું ફેમસ જાદરિયું બનાવવાની રેસિપી જોઈશું.

મોટાભાગે વિસરતી વાનગીઓ કે પરંપરાગત રીતે બનાવવામાં આવતી વાનગીઓ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય છે આ સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે. સૌરાષ્ટ્રનું ફેમસ જાદરિયું ઘરે સરળતાથી બનાવી શકાય છે.

જાદુરિયું બનાવવા માટે ઘઉંના પોકનો લોટ, ઘી, દેશી ગોળ, દૂધ, સૂકા મેવા સહિતની સામગ્રીની જરુર પડશે. ઘઉંના પોકનો લોટ બનાવવા માટે લીલા ઘઉંને શેકી લીધા પછી તેને દળીને લોટ બનાવી લો.

જાદરિયું બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ઘઉંના પોકનો લોટ લો. ત્યારબાદ તેમાં 2 ચમચી ઘી અને થોડું હુફાળું દૂધ નાખી હલાવી 10 મિનિટ રાખો.

હવે એક પેનમાં લો. તેમાં 5-6 ચમચી ઘી નાખો. ઘી ગરમ થાય એટલે ગોળ નાખો અને પાયો કરો. કડક ન થઈ જાય તેનું ધ્યાન આપો. તેમાં ધાબો દઈને રાખેલ લોટ નાખી સરસ હલાવો.

ત્યારબાદ એક ડિશમાં થોડું ઘી લગાવી તેમાં તૈયાર મિશ્રણને પાથરી લો. 10 મિનિટ પછી તેમાં પિસ કરી લો. ત્યારબાદ તેને ડિશમાં સર્વ કરી લ્યો. તેમજ એક અઠવાડિયા સુધી તમે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

તમે ઘઉંના પોકનું જાદરિયું બનાવો છો તેવી જ રીતે તમે લીલા ચણાનું પણ જાદરિયું બનાવી શકો છો. તમે ચણાના જાદરિયાને પણ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.

































































