Ahmedabad થી Mumbai આટલી નાઈટ Train દરરોજ દોડે છે, જાણી લો ટાઈમટેબલ-શેડ્યૂલ
Ahmedabad to Mumbai train : અમદાવાદ ઘણો બિઝનેસમેન વર્ગ રહેલો છે તેમજ નોકરિયાત લોકો પણ રહે છે. ઘણી વાર રજાના અભાવે નાઈટ મુસાફરી કરવાનું પણ થાય છે. તો અમદાવાદથી મુંબઈ ચાલતી નાઈટ ટ્રેન વિશે તમને જણાવશું. જેનાથી તમને હેલ્પ મળી શકે છે.

ટ્રેન નંબર- 19218 સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ અમદાવાદથી 20:15 વાગ્યે ઉપડે છે અને મુંબઈ એટલે કે બોરિવલી 04:35 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન મુંબઈ પહોંચતા સાડા આઠ કલાક જેટલો સમય લે છે. મોટા દરેક સ્ટેશનો પર સ્ટોપ કરે છે.

ટ્રેન નંબર- 22946 સૌરાષ્ટ્ર મેલ અમદાવાદથી 20:30 વાગ્યે ઉપડે છે અને બોરિવલી લગભગ 03:37 કલાકે પહોંચાડે છે. આમ આ ટ્રેન સૌરાષ્ટ્ર જનતા કરતા ઓછો સમય લે છે. અંદાજે 7 કલાકમાં મુંબઈ પહોંચાડે છે.

ટ્રેન નંબર- 22928 લોકશક્તિ એક્સપ્રેસ અમદાવાદથી 20:45 વાગ્યે ઉપડે છે અને મુંબઈ એટલે કે બોરિવલી 04:28 વાગ્યે વહેલી સવારે પહોંચાડે છે. આ ટ્રેન મુંબઈ પહોંચતા પોણા આઠ કલાક જેટલો સમય લે છે. બાન્દ્રા સુધી પહોંચતા 16 જેટલા સ્ટોપેજ કરે છે. મોટો સ્ટોપ વડોદરા, સુરત, વલસાડ અને બોરિવલીનો છે, જે 5 મિનિટનો છે. બાકી સ્ટેશન પર 2 મિનિટ જ રોકાઈ છે.

ટ્રેન નંબર- 14701 અમરાપુર અરવલ્લી એક્સપ્રેસ અમદાવાદથી 21:50 વાગ્યે ઉપડે છે અને મુંબઈ એટલે કે બોરિવલી 05:13 કલાકે સવારે પહોંચાડે છે. આ ટ્રેન મુંબઈ પહોંચતા અંદાજે સાડા સાત કલાક જેટલો સમય લે છે. આ ટ્રેન પાલનપુર, મહેસાણા અને ઉંઝા થઈને આવે છે તેમજ અંધેરી અને લાસ્ટ સ્ટોપ બાન્દ્રા છે.

(આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)
