Diabetesના દર્દીઓ તહેવારો પર રસમલાઈ, કાજુકતરી, દેશી પેંડા જેવી આ મીઠાઈઓ ખાઈ શકશે, સ્વાસ્થ્ય માટે પણ છે બેસ્ટ
લોકોના સ્વાસ્થને ધ્યાનમાં રાખીને મીઠાઈની દુકાનના માલિકો દ્વારા દેશી ગોળની મીઠાઈ શરૂ કરવામાં આવી છે. જેને ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓ પણ કોઈપણ સંકોચ વગર ખાય શકશે.

હિન્દુ કેલેન્ડર પ્રમાણે ઓગસ્ટ મહિનાથી તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે મીઠાઈઓ સૌને ભાવે પરંતુ ડાયાબિટીસ જેવી બીમારીઓના કારણે સ્વાદના રસિયાઓ તહેવારના સમયમાં પણ મીઠાઈ ખાઈ શકતા નથી. આ જ બાબતને ધ્યાન પર રાખીને મીઠાઈની દુકાનના માલિકો દ્વારા દેશી ગોળની મીઠાઈ શરૂ કરવામાં આવી છે. જેના કારણે શરીરને નુકસાન ન થાય સ્વાસ્થ્ય માટે ઉપયોગી બની રહે તે માટે દેશી ગોળ માંથી મીઠાઈઓ બનાવવામાં આવે છે. જેમ કે, રસમલાઈ, કાજુકતરી, દેશી પેંડા વગેરે ખાંડના ઉપયોગ વગર માત્ર દેશી ગોળ માંથી તૈયાર કરવામાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યાર સુધી સુગર ફ્રી મીઠાઈઓ બનાવવામાં આવતી હતી. હવે સુગર ફ્રી મીઠાઈઓનું સ્થાન દેશી ગોળે લીધું છે. દેશી ગોળમાં કોઈપણ પ્રકારના કેમિકલ ની ભેળસેળ હોતી નથી. એ રીતે જોઈએ તો દેશી ગોળ ની મીઠાઈઓ સ્વાસ્થ્ય ર્વઘક પણ ગણી શકાય.

પેડાની બનાવટમાં મુખ્યત્વે દૂધ, ઘી, માવો અથવા તો મિલ્ક પાવડર, એલચી, ડ્રાયફ્રુટ્સ વગેરે વપરાય છે. થાબડી પેંડા, ચોકલેટ પેંડા, કેસર પેંડા, એલચી પેડા, વગેરે અનેક પ્રકારન વેરાઈટીના પેડા બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ આ બધા ની બનાવટમાં મુખ્યત્વે ખાંડનો ઉપયોગ થાય છે. હવે તેની જગ્યાએ અમદાવાદના કેટલાક કેટલાક મીઠાઈ ઉત્પાદકોએ દેશી ગોળ માંથી પેંડા બનાવે છે. જેનો સ્વાદ થોડોક જ ખાંડના પેંડા કરતાં અલગ પડે છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખાંડના પેંડા કરતાં લાભદાયી છે.

કાજુ કતરીની બનાવટમા મુખ્યત્વે કાજુ અને ખાંડ નો સમાવેશ થાય છે. કાજુકતરીની ઉપર ચાંદીનું વરખ લગાવવામાં આવે છે હવે જેમને ડાયાબિટીસ થયો હોય તેવા મીઠાઈના રસિયાઓ માટે દેશી ગોળ માંથી કાજુકતરી બનાવવામાં આવે છે. દેશી ગોળ માંથી બનતી કાજુકતરી મીઠાઈ ની દુકાનોમાં આશરે 900 થી 1000 રૂપિયા ના ભાવે મળી રહે છે.

રસ મલાઈ આમ જુઓ તો રસમલાઈ બંગાળી મીઠાઈ છે. રસ મલાઈ અનેક ફેલેવરની કે વેરાઈટી ની મળે છે. જો તમે દેશી ગોળમાંથી બનેલી રસમલાઈ ખાઓ તો તમને ખબર પણ નથી પડતી કે આ રસમલાઈ ખાંડની નહીં પણ ગોળની છે. દેશી ગોળ માંથી બનેલી રસ મલાઈના એક પીસ નો ભાવ આશરે 25 થી 35 રૂપિયાની વચ્ચે હોય છે