IPL 2024માં ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યાએ હવે તે કામ કરવું પડશે જે તેણે છેલ્લા 5 વર્ષથી નથી કર્યું
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના હાલમાં દિવસોમાં ખરાબ ચાલી રહ્યા છે. IPL 2024માં તેની કપ્તાની હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ હતી. તેની બેટિંગ અને બોલિંગ પણ કામમાં ન આવી. હવે હાર્દિક પંડ્યાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI સેક્રેટરી જય શાહે ભારતીય ક્રિકેટના ઘણા મુદ્દાઓ પર ઘણું બધું કહ્યું છે. તેમણે કહ્યું કે ટીમ ઈન્ડિયાને ટૂંક સમયમાં નવો કોચ મળશે અને આઈપીએલના ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ પર પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આ ઉપરાંત તેણે હાર્દિક પંડ્યા વિશે પણ મોટી વાત કહી છે.

BCCI સેક્રેટરી જય શાહે હાર્દિક પંડ્યા પર મોટું નિવેદન આપ્યું છે. જય શાહે કહ્યું કે હાર્દિક પંડ્યા હવે ડોમેસ્ટિક ક્રિકેટ રમશે. તેની સાથે આ મુદ્દે ચર્ચા થઈ છે અને તે ઘરેલુ ક્રિકેટમાં રમવા માટે રાજી થઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા છેલ્લે વર્ષ 2018-19માં ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો હતો. આ પછી તે કાં તો IPLમાં રમે છે અથવા તો તે ટીમ ઈન્ડિયા માટે રમે છે.

હાર્દિક પંડ્યાને છેલ્લા 2-3 વર્ષમાં ઘણી ઈજા થઈ છે અને તેના કારણે તેણે ઘરેલુ ક્રિકેટથી દૂરી લીધી છે. આ સવાલ પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પણ ઉઠાવ્યો હતો. પરંતુ હવે BCCIએ કહ્યું છે કે A ગ્રેડના ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે.

હાર્દિક પંડ્યાને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ નહીં રમવાની મંજૂરી આપવામાં આવી છે. પંડ્યાના વર્કલોડને મેનેજ કરવા માટે BCCIએ આ પગલું ભર્યું છે. હવે જોવાનું એ રહે છે કે પંડ્યા ક્યારે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો જોવા મળશે.

IPL 2024માં હાર્દિક પંડ્યાનાની કપ્તાની હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ હતી. તેની બેટિંગ અને બોલિંગ પણ કામમાં ન આવી. હવે હાર્દિક પંડ્યાને આનું પરિણામ ભોગવવું પડશે અને ફરી એકવાર પોતાની જાતને સાબિત કરવું પડશે.
