IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સમાં સૂર્યકુમાર યાદવની એન્ટ્રી ખરાબ રહી, ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો
સૂર્યકુમાર યાદવ IPL 2024 ની પોતાની પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. તે લાંબા સમય બાદ મુંબઈ ઈન્ડિયન્સ સામે જોડાયો હતો.

સૂર્યકુમાર યાદવ 0 પર આઉટ થતાં ચાહકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે, ત્યારે હવે આજે જોવાનું રહેશે કે, શું મુંબઈ ઈન્ડિયન્સ પહેલી જીત મેળવી શકે છે કે કેમ તે મેચ બાદ જ ખબર પડશે,

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હજુ સુધી આઈપીએલમાં એક પણ મેચ જીતી શકી નથી અને પોઈન્ટ ટેબલમાં ત્રણ મેચ બાદ શૂન્ય પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે. ટીમ હવે વાનખેડે મેદાન પર દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવવા ઈચ્છશે. આજે સૌની નજર સૂર્યકુમાર યાદવના શાનદાર પ્રદર્શન પર હતી

સૂર્યા ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર હતો. તે ભારતીય ટીમ માટે ઉપલબ્ધ ન હતો એટલું જ નહીં, તે IPLની શરૂઆતની મેચો પણ રમ્યો ન હતો. આજે સૂર્યકુમાર યાદવ દિલ્હી સામે મેદાનમાં ઉતર્યો હતો પરંતુ તેનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હતુ.

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ત્રણ મેચ હારી ગઈ છે. ત્યારે આજે સૂર્યકુમાર યાદવ પર સૌની આશા હતી.ઈજામાંથી પરત ફરેલો સૂર્યકુમાર યાદવ વાપસી વખતે શૂન્ય રન પર આઉટ થયો હતો. એનરિક નોર્ટ્યાએ તેને ફ્રેઝર-મેકગર્કના હાથે કેચ કરાવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માં તેમની મેચ 7 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમી રહી છે. સૂર્યકુમાર યાદવ આ મેચમાં રમવા મેદાનમાં ઉતર્યો હતો પરંતુ 2 બોલમાં 0 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમારની આ સીઝનની પહેલી મેચ હતી.
