AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ

તોફાની અને 360-ડિગ્રી હાર્ડ હિટીંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન છે. 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે તેણે ડેબ્યૂ કર્યુ હતુ, પણ 2018માં મુંબઇ સાથે જોડાયા બાદ તે બેટ્સમેન તરીકે ઊભરીને આવ્યો હતો.

સૂર્યકુમારે 2021માં અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિર્દીની શરૂઆત કરી હતી. આંતરાષ્ટ્રીય ટી-20માં સૂર્યકુમારે નવેમ્બર-2023 સુધીમાં 55 મેચમાં 1900થી વધુ રન કર્યા છે, જેમાં 3 સદી સામેલ છે, જ્યારે વનડેમાં 37 મેચમાં 700 થી વધુ અને એક માત્ર ટેસ્ટ મેચમાં 8 રન કર્યા છે. નવેમ્બર-2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી માટે સૂર્યકુમારની ભારતના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી અને તે પ્રથમ મેચની શરૂઆત સાથે ભારત માટે ક્રિકેટમાં 13મો કેપ્ટન બન્યો હતો.

Read More
Follow On:

IPL 2026: સૂર્યકુમાર યાદવ બહાર, MI vs KKR મેચમાં 6 ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ, બંને ટીમોના મોટા નિર્ણયો

IPL 2026 ની બીજી મેચમાં મુંબઈ અને કોલકાતા વચ્ચે વાનખેડેમાં રોમાંચક જંગ ચાલુ છે. હાર્દિક પંડ્યાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. સૂર્યકુમાર યાદવ પ્લેઇંગ XI માં નથી

Breaking News : ODI વર્લ્ડ કપ 2027 માંથી આ 5 સ્ટાર ભારતીય ખેલાડીઓનું પત્તું કપાશે!

2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં યોજાવાનો છે અને ટીમ ઈન્ડિયા ટાઈટલના દાવેદાર તરીકે પ્રવેશ કરશે. જોકે, ગયા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચેલી ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આ વખતે ટીમનો ભાગ રહેશે નહીં. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા

India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.

IPL 2026 Breaking News : શું ક્રિસ ગેલનો 59 છગ્ગાનો ‘મહારેકોર્ડ’ આ વખતે તૂટશે? આ 8 બેટ્સમેનો છે પ્રબળ દાવેદાર

IPLની 19મી સીઝન શરૂ થવા જઈ રહી છે, અને ઘણા રેકોર્ડ તૂટવાના નક્કી છે. પરંતુ લીગની 5મી સીઝનમાં એક રેકોર્ડ પણ બન્યો હતો. અને છેલ્લા 13 વર્ષથી અકબંધ છે. તે ક્રિસ ગેલનો એક જ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે.

Breaking News : સૂર્યકુમાર યાદવે કર્યો મોટો ખુલાસો, આ ચાર દિગ્ગજોના કારણે મળી હતી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ

ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે તાજેતરમાં મોટો ખુલાસો કર્યો છે કે તેને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં કયા ચાર મહત્વપૂર્ણ વ્યક્તિઓની ભૂમિકા રહી હતી. તેના નિવેદન પછી ટીમ મેનેજમેન્ટ અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની વ્યૂહાત્મક ભૂમિકા ફરી ચર્ચામાં આવી છે.

IPL 2025માં સૌથી વધુ રન કોણે બનાવ્યા? જાણો કયા ધમાકેદાર બેટ્સમેને જીતી ઓરેન્જ કેપ!

દુનિયાની સૌથી લોકપ્રિય T20 લીગ IPLમાં દરેક સિઝનમાં ઘણા બેટ્સમેન તેમના શાનદાર પ્રદર્શનથી ચર્ચામાં રહે છે. વર્ષ 2025નું સિઝન પણ આથી અલગ નથી રહ્યું. આ સિઝનમાં ઘણા બેટ્સમેનોએ સતત રન બનાવ્યા અને તેમની ટીમને જીત મેળવી આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

Breaking News : T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ફેમસ બોલીવૂડ સિંગર શ્રેયા ઘોષાલ વચ્ચે છે ખાસ કનેક્શન, જાણો કેવી રીતે

T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને બોલીવૂડની ફેમસ ગાયિકા શ્રેયા ઘોષાલ વચ્ચે એક ખાસ કનેક્શન છે. સૂર્યકુમાર યાદવ ક્રિકેટજગતમાં અને શ્રેયા ઘોષાલ સંગીતજગતમાં ટોપ પર છે. બંનેના કામ અલગ-અલગ છે. એક મધુર સ્વરથી સંગીતની સુવાસ ફેલાવે છે, તો બીજો બેટથી મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરે છે. એવામાં આ બંને દિગ્ગજો વચ્ચે શું કનેક્શન છે?

Breaking News : T20 વર્લ્ડ કપ જીત્યા પછી સૂર્યકુમાર યાદવ પિતા બનશે, બેબી શાવરનો વીડિયો વાયરલ

Devisha Shetty Baby Shower Ceremony: ટી20 વર્લ્ડકપ 2026માં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે બેક ટુ બેક 2 ટી20 વર્લ્ડકપ જીત્યા છે. હવે વર્લ્ડકપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવ પિતા બનશે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Breaking News: T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા ગંભીર અને સૂર્યકુમાર, લીધા ગણેશજીના આશીર્વાદ

2026 ના T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી ભારતે વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી. આ વિજય બાદ ટીમ ઈન્ડિયાની ટ્રોફી સાથે ભક્તિ યાત્રા પણ શરૂ થઈ છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા અને ભગવાન ગણેશના દર્શન કરી ટીમની સફળતા માટે પ્રાર્થના કરી.

Breaking News: ટીમ ઈન્ડિયા એક સાથે બે શ્રેણી રમશે, BCCI 30 ખેલાડીઓની કરશે પસંદગી

ભારતીય ક્રિકેટ ટીમ 2021 ની જેમ ફરી એકવાર એક સાથે બે જગ્યાએ રમતી જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયા આ વર્ષે ઓક્ટોબરમાં એક સાથે બે મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેના માટે બે ટીમનો પસંદગી કરવામાં આવશે.

Breaking News : અક્ષર પટેલને બહાર રાખવાનો નિર્ણય મોટી ભૂલ, T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવનો મોટો ખુલાસો

T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્લેઈંગ ઈલેવનને લઈને લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે ખુલાસો કર્યો છે. સુપર-8 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં અક્ષર પટેલને બહાર રાખવાનો નિર્ણય બાદમાં મોટી ભૂલ સાબિત થયો હોવાનું તેણે સ્વીકાર્યું અને મેચ પછી વ્યક્તિગત રીતે અક્ષર પટેલ પાસે માફી માંગી હોવાનું જણાવ્યું.

T20 World Cup 2026 Prize Money: ખેલાડીઓને 6-6 કરોડ રૂપિયા, કોચ ગંભીર સહિત સપોર્ટ સ્ટાફને આટલા કરોડ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખુશીઓની સાથે ઈનામોનો પણ વરસાદ થયો છે. BCCI દ્વારા ટીમ ઈન્ડિયા માટે કુલ ₹131 કરોડની ઈનામી રકમ જાહેર કરવામાં આવી છે. હવે આ રકમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે કેવી રીતે વહેંચાશે તેની વિગતો સામે આવી છે, જેમાં દરેકને કરોડો રૂપિયા ઈનામમાં મળશે.

સંજુ સેમસન બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન ? T20 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન બાદ ઉઠી માંગ

T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને ખિતાબ અપાવનાર સંજુ સેમસન હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવતાં તેણે પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ જીત્યો હતો. હવે ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે ભવિષ્યમાં તે ભારતની T20 ટીમનું નેતૃત્વ કરી શકે છે કે નહીં.

500 વર્ષ જૂની વાવમાં સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કર્યું, જાણો અહી કેવી રીતે પહોચશો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીત્યા બાદ 500 વર્ષ જૂની વાવમાં ફોટોશૂટ કર્યું હતુ. ત્યારે હવે ચાહકો જાણવા માંગે છે કે, આ 500 વર્ષ જુની વાવ ક્યાં આવેલી છ. તેમજ અહી કેવી રીતે પહોંચવું. તો ચાલો વિસ્તારથી વાત કરીએ.

T20 World Cup : આ 9 ભારતીય ખેલાડીઓએ બે વાર T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે, જુઓ આખું લિસ્ટ

T20 World Cup 2026 : ભારતે ન્યુઝીલેન્ડને હરાવી સતત બીજી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કર્યો છે. ટીમ ઈન્ડિયાના રેકોર્ડમાં આ ટ્રોફી ત્રીજીવખત આવી છે. ત્રીજી વખત ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની ગઈ છે. ભારત માટે અત્યારસુધી 9 ખેલાડીઓએ 2-2 વખત ટી20 વર્લ્ડકપ જીત્યા છે. આ લિસ્ટમાં ક્યા ક્યા ખેલાડીઓ છે. ચાલો જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">