સૂર્યકુમાર યાદવ
તોફાની અને 360-ડિગ્રી હાર્ડ હિટીંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન છે. 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે તેણે ડેબ્યૂ કર્યુ હતુ, પણ 2018માં મુંબઇ સાથે જોડાયા બાદ તે બેટ્સમેન તરીકે ઊભરીને આવ્યો હતો.
સૂર્યકુમારે 2021માં અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિર્દીની શરૂઆત કરી હતી. આંતરાષ્ટ્રીય ટી-20માં સૂર્યકુમારે નવેમ્બર-2023 સુધીમાં 55 મેચમાં 1900થી વધુ રન કર્યા છે, જેમાં 3 સદી સામેલ છે, જ્યારે વનડેમાં 37 મેચમાં 700 થી વધુ અને એક માત્ર ટેસ્ટ મેચમાં 8 રન કર્યા છે. નવેમ્બર-2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી માટે સૂર્યકુમારની ભારતના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી અને તે પ્રથમ મેચની શરૂઆત સાથે ભારત માટે ક્રિકેટમાં 13મો કેપ્ટન બન્યો હતો.
Breaking News: ટીમ ઈન્ડિયા એક સાથે બે શ્રેણી રમશે, BCCI 30 ખેલાડીઓની કરશે પસંદગી
ભારતીય ક્રિકેટ ટીમ 2021 ની જેમ ફરી એકવાર એક સાથે બે જગ્યાએ રમતી જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયા આ વર્ષે ઓક્ટોબરમાં એક સાથે બે મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેના માટે બે ટીમનો પસંદગી કરવામાં આવશે.
- Smit Chauhan
- Updated on: Mar 12, 2026
- 8:42 pm
Breaking News : અક્ષર પટેલને બહાર રાખવાનો નિર્ણય મોટી ભૂલ, T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવનો મોટો ખુલાસો
T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્લેઈંગ ઈલેવનને લઈને લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે ખુલાસો કર્યો છે. સુપર-8 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં અક્ષર પટેલને બહાર રાખવાનો નિર્ણય બાદમાં મોટી ભૂલ સાબિત થયો હોવાનું તેણે સ્વીકાર્યું અને મેચ પછી વ્યક્તિગત રીતે અક્ષર પટેલ પાસે માફી માંગી હોવાનું જણાવ્યું.
- Smit Chauhan
- Updated on: Mar 12, 2026
- 5:44 pm
T20 World Cup 2026 Prize Money: ખેલાડીઓને 6-6 કરોડ રૂપિયા, કોચ ગંભીર સહિત સપોર્ટ સ્ટાફને આટલા કરોડ
T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખુશીઓની સાથે ઈનામોનો પણ વરસાદ થયો છે. BCCI દ્વારા ટીમ ઈન્ડિયા માટે કુલ ₹131 કરોડની ઈનામી રકમ જાહેર કરવામાં આવી છે. હવે આ રકમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે કેવી રીતે વહેંચાશે તેની વિગતો સામે આવી છે, જેમાં દરેકને કરોડો રૂપિયા ઈનામમાં મળશે.
- Smit Chauhan
- Updated on: Mar 11, 2026
- 3:59 pm
સંજુ સેમસન બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન ? T20 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન બાદ ઉઠી માંગ
T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને ખિતાબ અપાવનાર સંજુ સેમસન હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવતાં તેણે પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ જીત્યો હતો. હવે ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે ભવિષ્યમાં તે ભારતની T20 ટીમનું નેતૃત્વ કરી શકે છે કે નહીં.
- Smit Chauhan
- Updated on: Mar 10, 2026
- 4:03 pm
500 વર્ષ જૂની વાવમાં સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કર્યું, જાણો અહી કેવી રીતે પહોચશો
ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીત્યા બાદ 500 વર્ષ જૂની વાવમાં ફોટોશૂટ કર્યું હતુ. ત્યારે હવે ચાહકો જાણવા માંગે છે કે, આ 500 વર્ષ જુની વાવ ક્યાં આવેલી છ. તેમજ અહી કેવી રીતે પહોંચવું. તો ચાલો વિસ્તારથી વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Mar 10, 2026
- 1:22 pm
T20 World Cup : આ 9 ભારતીય ખેલાડીઓએ બે વાર T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે, જુઓ આખું લિસ્ટ
T20 World Cup 2026 : ભારતે ન્યુઝીલેન્ડને હરાવી સતત બીજી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કર્યો છે. ટીમ ઈન્ડિયાના રેકોર્ડમાં આ ટ્રોફી ત્રીજીવખત આવી છે. ત્રીજી વખત ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની ગઈ છે. ભારત માટે અત્યારસુધી 9 ખેલાડીઓએ 2-2 વખત ટી20 વર્લ્ડકપ જીત્યા છે. આ લિસ્ટમાં ક્યા ક્યા ખેલાડીઓ છે. ચાલો જોઈએ.
- Nirupa Duva
- Updated on: Mar 10, 2026
- 10:47 am
T-20 વર્લ્ડ કપની ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સુર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ આઈકોનિક ફોટોશૂટ- જુઓ Video
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે અડાલજ વાવ ખાતે ટ્રોફી સાથે આઇકોનિક ફોટોશૂટ કરાવ્યુ. 1992થી શરૂ થયેલી આ પરંપરા મુજબ, વિજેતા ટીમના કેપ્ટન ઐતિહાસિક સ્થળોએ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 9, 2026
- 5:42 pm
T20 WC 2026: વર્લ્ડ કપ ટ્રોફી લઈને હનુમાન મંદિર પહોંચ્યા, સૂર્યકુમાર યાદવ, ગૌતમ ગંભીર અને આઈસીસી ચેરમેન, જુઓ વીડિયો
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026 જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર ટ્રોફી લઈ અમદાવાદના હનુમાન મંદિર પહોંચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Mar 9, 2026
- 1:16 pm
T20 WC Breaking : T20 વર્લ્ડકપ જીત્યા પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર સૂર્યકુમારની ટીમની નજર
Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવ ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતનાર ભારતનો ત્રીજો કેપ્ટન છે. 35 વર્ષના સૂર્યકુમાર યાદવે આ સફળતા મેળવ્યા બાદ સંન્યાસ પર મોટું નિવેદન આપ્યું હતુ. તો ચાલો જાણીએ શું કહ્યું.
- Nirupa Duva
- Updated on: Mar 9, 2026
- 11:10 am
T20 WC Breaking : ન્યુઝીલેન્ડને હરાવી ભારત T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન બન્યું, અમદાવાદમાં રચી દીધો ઈતિહાસ
ટીમ ઇન્ડિયા રેકોર્ડ ત્રીજીવાર T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડને ફરી એકવાર હારનો સામનો કર્યો હતો. ભારતની ટીમે અનેક રેકોર્ડ બનાવ્યા અને ઈતિહાસ રચી દીધો.
- Smit Chauhan
- Updated on: Mar 8, 2026
- 11:10 pm
T20 WC Breaking : સૂર્યકુમાર યાદવ પહેલા જ બોલ પર થયો આઉટ, 42 મહિના પછી આવો દિવસ જોયો
ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલમાં, ભારતના ટોચના ક્રમે આક્રમક બેટિંગ કરી, માત્ર 15 ઓવરમાં 203 રન બનાવ્યા. જોકે, તે પછી થોડી વિકેટ પડી ગઈ, અને જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો, ત્યારે તે એકપણ રનનું યોગદાન ન આપી શક્યો.
- Smit Chauhan
- Updated on: Mar 8, 2026
- 9:59 pm
T20 WC Breaking : ‘ગૌતમ ગંભીર બેટિંગ કરવા આવશે…’ ફાઈનલ પહેલા સૂર્યકુમાર યાદવે આવું કેમ કહ્યું?
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે 8 માર્ચે ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ કપ ફાઇનલ પહેલા આ રમૂજી નિવેદન આપ્યું હતું . ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ પહેલા, કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમની માનસિકતા અને કોચ ગૌતમ ગંભીરે તેને કેવી રીતે બદલી નાખ્યું તે વિશે વાત કરી.
- Smit Chauhan
- Updated on: Mar 7, 2026
- 9:39 pm
T20 WC Breaking : 14 વર્ષ પછી આવું બન્યું… આ ખેલાડી સૂર્યકુમાર યાદવથી આગળ નીકળી ગયો
ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ હવે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવાના મામલે ભારતના સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધો છે. સિકંદરે એવી પણ સિદ્ધિ મેળવી છે જે તે T20 વર્લ્ડ કપ 2026 માં પ્રાપ્ત કરનાર પ્રથમ ખેલાડી છે.
- Smit Chauhan
- Updated on: Mar 1, 2026
- 8:28 pm
T20 WC Breaking : T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર થયો આ ચમત્કાર, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો જોરદાર વર્લ્ડ રેકોર્ડ
T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઇન્ડિયાએ સુપર-8 મેચમાં ઝિમ્બાબ્વેને હરાવી સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી. ભારતીય બેટ્સમેનોએ વિસ્ફોટક ઇનિંગ્સ રમી, જેના કારણે ટીમ ઇન્ડિયાએ આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો. સાથે જ એક અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો.
- Smit Chauhan
- Updated on: Feb 27, 2026
- 5:55 pm
Suryakumar Yadav: કોણ છે જે સૂર્યકુમાર યાદવ માટે 6 કલાક તૈયાર થઈ ને આવે છે ? જુઓ Video
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપની સુપર 8 મેચ પહેલાં અમદાવાદમાં એક અનોખા સુપરફૅનને મળ્યા. આ ચાહક સૂર્યા માટે 6 કલાક બોડી પેઇન્ટિંગ કરાવે છે, જે જોઈને સૂર્યકુમાર પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
- Sagar Solanki
- Updated on: Feb 22, 2026
- 5:02 pm