AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ

તોફાની અને 360-ડિગ્રી હાર્ડ હિટીંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન છે. 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે તેણે ડેબ્યૂ કર્યુ હતુ, પણ 2018માં મુંબઇ સાથે જોડાયા બાદ તે બેટ્સમેન તરીકે ઊભરીને આવ્યો હતો.

સૂર્યકુમારે 2021માં અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિર્દીની શરૂઆત કરી હતી. આંતરાષ્ટ્રીય ટી-20માં સૂર્યકુમારે નવેમ્બર-2023 સુધીમાં 55 મેચમાં 1900થી વધુ રન કર્યા છે, જેમાં 3 સદી સામેલ છે, જ્યારે વનડેમાં 37 મેચમાં 700 થી વધુ અને એક માત્ર ટેસ્ટ મેચમાં 8 રન કર્યા છે. નવેમ્બર-2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી માટે સૂર્યકુમારની ભારતના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી અને તે પ્રથમ મેચની શરૂઆત સાથે ભારત માટે ક્રિકેટમાં 13મો કેપ્ટન બન્યો હતો.

Read More
Follow On:

Breaking News: હાર્દિક પંડ્યા બહાર ! રોહિત-સૂર્યકુમાર નહીં, આ ખેલાડી બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન?

મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી કેટલીક સિઝન નિરાશાજનક રહી છે અને હવે ટીમની કેપ્ટનશીપને લઈને પણ ચર્ચાઓ તેજ બની છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી, જેના કારણે તેમના ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે. ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ હાર્દિકને બદલે જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવાની માંગ ઉઠાવી છે.

RCB ફરી બનશે IPL ચેમ્પિયન? RCB ના આ ખેલાડીએ 10 વર્ષ જૂનો ઈતિહાસ દોહરાવ્યો, બન્યા 2 મોટા સંયોગ

મુંબઈ ઇન્ડિયન્સ સામે ભુવનેશ્વર કુમારના સિક્સ અને પર્પલ કેપ રેસમાં આગળ વધતા RCB માટે ખાસ સંયોગો બન્યા છે. ફેન્સ હવે 2016નો ઇતિહાસ ફરી દોહરાવાની આશા રાખી રહ્યા છે.

  • Nishat
  • Updated on: May 11, 2026
  • 9:08 am

Breaking News: સૂર્યકુમાર યાદવના રમવા અંગે મોટા સમાચાર, હાર્દિક પંડ્યાની ફિટનેસ પર આ દિવસે લેવાશે નિર્ણય

મુંબઈ ઈન્ડિયન્સનો આગામી મુકાબલો 10 મેના રોજ રાયપુરમાં RCB સામે છે, અને ટીમ કેપ્ટન હાર્દિક પંડ્યાના ફિટ થવાની રાહ જોઈ રહી છે. આ મેચમાં વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવના રમવા અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ થઈ ગઈ છે.

India Captaincy : સૂર્યા કે શ્રેયસ નહીં પણ આ ખેલાડી બની શકે છે T20 ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, જાણો કોનુ નામ ચર્ચામાં

સંજુ સેમસને તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. એવા સમયે તેની કેપ્ટન માટેની દાવેદારી હવે વધુ મજબૂત દેખાઈ રહી છે.

T20 Team : ટીમ ઈન્ડિયામાંથી સૂર્યકુમાર યાદવ થશે બહાર ! આ ખેલાડી બનશે નવો કેપ્ટન? સામે આવી મોટી અપડેટ

BCCI એ ભારતની T20 ટીમના કેપ્ટનને બદલવાની યોજના ઘડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સૂર્યકુમાર યાદવ લગભગ બે વર્ષથી T20 ટીમના કેપ્ટન છે; જો કે, એક મીડિયાના અહેવાલ મુજબ, હવે તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે. ભવિષ્ય પર નજર રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Breaking News: હાર્દિક પંડ્યા બહાર, સૂર્યા પણ નથી… શું રોહિત શર્મા ફરીથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનશે?

IPL 2026, રોહિત શર્મા: IPL 2026 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ટીમ તેમની આગામી મેચમાં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી શકે છે. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવની ભાગીદારી અંગે સસ્પેન્સ હજુ પણ યથાવત છે.

Breaking News: IPL 2026 દરમિયાન સૂર્યકુમાર યાદવના ઘરે ગુંજી કિલકારી, પત્ની દેવીશાએ પુત્રીને આપ્યો જન્મ

Suryakumar Yadav And Devisha Blessed With A Baby Girl: IPL 2026 સિઝન દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને સારા સમાચાર મળ્યા છે. તેની પત્ની દેવીશા શેટ્ટીએ એક પુત્રીને જન્મ આપ્યો છે. સૂર્યા અને દેવીશા પહેલી વાર માતા-પિતા બન્યા છે.

શું મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા પાસેથી છીનવી લેશે કેપ્ટન્સી? જાણો કોણ છે એ 3 ખેલાડીઓ જે રેસમાં છે સૌથી આગળ

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સની કથળતી હાલત બાદ હવે કેપ્ટન બદલવાની ચર્ચાઓ તેજ થઈ છે. સતત ત્રણ સીઝનમાં નિષ્ફળતા બાદ હાર્દિક પંડ્યાના સ્થાને કોઈ નવા ચહેરાને કમાન સોંપવામાં આવી શકે છે. આ રેસમાં એક યુવા સ્ટાર અને બે અનુભવી દિગ્ગજોના નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે.

શું શુભમન ગિલ બન્યો ભારતનો નવો T20 કેપ્ટન? સૂર્યકુમાર યાદવને હટાવવા પાછળના વાયરલ સમાચારનું શું છે સત્ય!

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે BCCI એ શુભમન ગિલને ટીમ ઇન્ડિયાનો નવો T20 કેપ્ટન બનાવ્યો છે. શું ખરેખર સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે?

Breaking News: રબાડાએ સૂર્યકુમાર યાદવને ફેંક્યો સૌથી ઝડપી બોલ, ઉખડી ગયા સ્ટમ્પ, જુઓ VIDEO

અમદાવાદની પીચ પર વિસ્ફોટક બેટિંગની અપેક્ષા સાથે પહોંચેલા ચાહકોને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડાની ઘાતક બોલિંગનો આનંદ માણવો પડ્યો. રબાડાની સ્પીડમાં મુંબઈના બેટ્સમેનો ધ્વસ્ત થઈ ગયા. ખાસ કરીને સૂર્યા જે બોલ પર બોલ્ડ થયો, તે બોલ મેચનો સૌથી ફાસ્ટ બોલ હતો.

India Next T20I Captain : શું આ ખેલાડી લેશે આગામી T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું સ્થાન!

Shreyas Iyer replace Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવના ફોર્મ અને કેપ્ટનશીપ પર પ્રશ્નાર્થ વચ્ચે શ્રેયસ ઐયર ભારતના આગામી T20I કેપ્ટન તરીકે મજબૂત દાવેદાર બન્યા છે.

Breaking News : સૂર્યકુમાર યાદવ કેપ્ટનશિપમાંથી હાથ ધોઈ બેસશે! ટીમ ઈન્ડિયાથી પણ થશે બહાર?

સૂર્યકુમાર યાદવનું બેટિંગ ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે, જેના કારણે ટીમ ઇન્ડિયામાં તેમનું સ્થાન અને કેપ્ટનશીપ જોખમમાં છે. T20 વર્લ્ડ કપમાં નેતૃત્વ છતાં, વ્યક્તિગત પ્રદર્શન પર સવાલો છે.

Breaking News: T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર ? RCB કેપ્ટન લેશે તેનું સ્થાન !

ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ તેના પ્રદર્શન પર સવાલ ઉભા થયા છે. તો શું તે બે વર્ષ પછી પણ ટીમનો ભાગ નહીં રહે? આ પ્રશ્ન સતત ઉભો થઈ રહ્યો છે, સાથે જ સૂર્યાનું સ્થાન કોણ લેશે તેની પણ ચર્ચા થઈ રહી છે. જેમાં સૌથી પહેલું નામ RCBના કેપ્ટનનું છે.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, કેપ્ટન હાર્દિક પંડ્યા થયો બહાર, જાણો કોના હાથમાં ટીમની કમાન

હાર્દિક પંડ્યાએ પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કર્યું હતું પરંતુ બીજી મેચ પહેલા જ તે અચાનક બહાર થઈ ગયો હતો. પરિણામે, મુંબઈએ બીજી જ મેચમાં પોતાનો કેપ્ટન બદલવો પડ્યો હતો. સાથે જ પ્લેઈંગ ઈલેવનમાં પણ કેટલાક મોટા ફેરફાર કરવા પડ્યા હતા.

Breaking News: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની આઠમી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ની ટક્કર થઈ રહી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે.

વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">