
સૂર્યકુમાર યાદવ
તોફાની અને 360-ડિગ્રી હાર્ડ હિટીંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન છે. 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે તેણે ડેબ્યૂ કર્યુ હતુ, પણ 2018માં મુંબઇ સાથે જોડાયા બાદ તે બેટ્સમેન તરીકે ઊભરીને આવ્યો હતો.
સૂર્યકુમારે 2021માં અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિર્દીની શરૂઆત કરી હતી. આંતરાષ્ટ્રીય ટી-20માં સૂર્યકુમારે નવેમ્બર-2023 સુધીમાં 55 મેચમાં 1900થી વધુ રન કર્યા છે, જેમાં 3 સદી સામેલ છે, જ્યારે વનડેમાં 37 મેચમાં 700 થી વધુ અને એક માત્ર ટેસ્ટ મેચમાં 8 રન કર્યા છે. નવેમ્બર-2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી માટે સૂર્યકુમારની ભારતના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી અને તે પ્રથમ મેચની શરૂઆત સાથે ભારત માટે ક્રિકેટમાં 13મો કેપ્ટન બન્યો હતો.
GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યું ‘સૂર્યગ્રહણ’, ગુજરાત સામે પૂરી થશે 167 દિવસની રાહ?
છેલ્લા ત્રણ-ચાર IPL સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહ્યા છે. પરંતુ આ ખરાબ સમયમાં પણ સૂર્યકુમાર યાદવનું બેટ સતત ચાલતું જ રહ્યું હતું. નવી સિઝનમાં પણ મુંબઈની શરૂઆત સારી રહી ન હતી, સાથે જ આ વખતે સૂર્યાનું બેટ પણ શાંત છે. સૂર્યકુમાર યાદવના પરફોર્મન્સને 'ગ્રહણ' લાગ્યું છે અને હવે મુંબઈ ઈન્ડિયન્સ 'સૂર્યગ્રહણ'થી ચિંતિત છે.
- Smit Chauhan
- Updated on: Mar 29, 2025
- 7:25 pm
IPL 2025 CSK vs MI ની પહેલી મેચમાં ચેન્નાઈની જીત, પણ થઈ ગઈ એક મોટી ભૂલ ! જાણો રોમાંચક મેચના 3 સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ
IPL 2025 ની ત્રીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે હરાવ્યું. નૂર અહેમદના 4 વિકેટ અને ખલીલ અહેમદના 3 વિકેટના પ્રદર્શનથી ચેન્નાઈનો બોલિંગ વિભાગ ચમક્યો.
- Sagar Solanki
- Updated on: Mar 23, 2025
- 11:39 pm
IPL 2025 : હાર્દિક પંડ્યા બહાર, મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ માટે નવા કેપ્ટનની જાહેરાત
હાર્દિક પંડ્યા IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચમાંથી બહાર છે. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાવાની છે, હવે સવાલ એ છે કે જો પંડ્યા નહીં હોય તો ટીમનો કેપ્ટન કોણ હશે? તેના માટે આ ખેલાડીનું નામ સામે આવ્યું છે.
- Nirupa Duva
- Updated on: Mar 19, 2025
- 2:55 pm
IND vs ENG : રાજકોટમાં સૂર્યકુમાર યાદવ કરશે ટીમમાં ફેરફાર ! જાણો બીજી T20માં કેવી હશે ભારતની પ્લેઈંગ 11 ?
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની શ્રેણીની પ્રથમ બે મેચ જીતી લીધી છે. પરંતુ બંને મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન અલગ રહી છે. આવું જ દ્રશ્ય રાજકોટ T20માં પણ જોવા મળી શકે છે. રાજકોટમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમમાં ફેરફાર કરી શકે છે.
- Smit Chauhan
- Updated on: Jan 28, 2025
- 5:17 pm
IND vs ENG : ગૌતમ ગંભીર-સૂર્યકુમાર યાદવ મોહમ્મદ શમીને તક નથી આપી રહ્યા? કોચે આપ્યો જવાબ
મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે T20 મેચમાં રમ્યો નહોતો. બેટિંગ કોચ સિતાંશુ કોટકે હવે તેના પર એક વિચિત્ર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે શમી સંપૂર્ણપણે ફિટ છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે મોહમ્મદ શમી ફિટ છે તો પછી તેને શા માટે પ્લેઈંગ-11 માં રમાડાવામાં નથી આવી રહ્યો?
- Smit Chauhan
- Updated on: Jan 27, 2025
- 10:04 pm
IND vs ENG : અર્શદીપની ‘સદી’, સૂર્યાના 150 છગ્ગા, રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ મેચમાં બનશે મોટા રેકોર્ડ
ટીમ ઈન્ડિયા રાજકોટના મેદાનમાં પણ રાજ કરી શકે છે. જ્યારે ટીમ ઈન્ડિયા ત્રીજી T20માં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે તેમની નજર જીતની હેટ્રિક ફટકારવા અને શ્રેણી પર કબજો કરવા પર હશે. અહીં અર્શદીપ સિંહ અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર્સ કમાલ કરી શકે છે. ભારત આ મેદાન પર છઠ્ઠી T20 રમશે. જ્યારે ઈંગ્લેન્ડ પ્રથમ વખત રાજકોટમાં T20 રમશે.
- Smit Chauhan
- Updated on: Jan 27, 2025
- 9:13 pm
રોહિત શર્માની જેમ હું કોઈને રોકતો નથી, સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ સાથેની T20 સીરિઝ દરમિયાન આવું કેમ કહ્યું? જાણો
રોહિત શર્માના સંન્યાસ બાદ ભારતની ટી20 કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને મળી છે. સૂર્યકુમારની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત સાથે શરુઆત કરી છે પરંતુ આ વચ્ચે સૂર્યનું એક નિવેદન સામે આવ્યું છે.
- Nirupa Duva
- Updated on: Jan 27, 2025
- 2:30 pm
India vs England 1st T20 : ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ઈંગ્લેન્ડ બેટિંગ ફર્સ્ટ
India vs England 1st T20 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની શરૂઆત કોલકાતા ઈડન ગાર્ડન્સમાં થઈ હતી. પહેલી મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો હતો અને મહેમાન ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Jan 22, 2025
- 9:04 pm
IND v ENG T20I : સીરિઝમાં તુટી શકે છે મોટો રેકોર્ડ, સૂર્ય-અર્શદીપ પાસે ઈતિહાસ રચવાની તક
IND v ENG T20I સીરિઝની પહેલી મેચ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાશે. આ મેચમાં અનેક મોટા રેકોર્ડ બની શકે છે. તો ચાલો જાણીએ કે, ટી20 સીરિઝ દરમિયાન ક્યા ક્યા ખેલાડીઓ નવો ઈતિહાસ રચી શકે છે.
- Nirupa Duva
- Updated on: Jan 22, 2025
- 11:32 am
T20માં 300 રન બનાવશે ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા સૂર્યકુમાર યાદવે કરી ગર્જના
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝની શરૂઆતના એક દિવસ પહેલા જ સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે ટીમ ઈન્ડિયા T20માં 300 રન બનાવી શકે છે. શું ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં આવું થશે?
- Smit Chauhan
- Updated on: Jan 21, 2025
- 10:30 pm
IND vs ENG : હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ નહીં, પણ ટીમ ઈન્ડિયામાં મળી છે આ જવાબદારી
હાર્દિક પંડ્યા એક સમય માટે ટી-20નો કેપ્ટન બનવાનો પ્રબળ દાવેદાર હતો. પરંતુ T20માંથી રોહિત શર્માની નિવૃત્તિ બાદ સૂર્યકુમાર યાદવને T20ની કમાન મળી છે. આવી સ્થિતિમાં સૂર્યાએ એક મોટું નિવેદન આપ્યું છે કે શું પંડ્યા હવે નેતૃત્વ જૂથનો ભાગ છે કે નહીં.
- Smit Chauhan
- Updated on: Jan 21, 2025
- 9:26 pm
IND vs ENG : સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયામાંથી બહાર થવાનો નહીં, પરંતુ આ વાતનો છે અફસોસ છે
સૂર્યકુમાર યાદવે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સામેલ ન થવા પર પોતાનું મૌન તોડ્યું છે. સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયામાં પસંદ ન થવાથી તે દુઃખી નથી. પણ તેને એક વાતનો અફસોસ છે.
- Smit Chauhan
- Updated on: Jan 21, 2025
- 9:24 pm
IND vs ENG : ટીમ ઈન્ડિયામાંથી 4 ખેલાડીઓ થશે બહાર, કોલકાતામાં લેવાશે મોટો નિર્ણય
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 માટે શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાનો પડકાર હશે. ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ પ્લેઈંગ-11 માંથી થશે બહાર થશે એ નિશ્ચિત છે, પરંતુ તે કોણ હશે અને ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે, તેના પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Jan 21, 2025
- 5:00 pm
India vs England : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20I મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો,જાણો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20I સીરિઝ 11 જાન્યુઆરીના રોજ રમાશે. 5 મેચની T20I સીરિઝની પહેલી મેચ કોલકત્તામાં રમાશે. તો ચાલો જાણીએ તમે ક્યારે અને ક્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લાઈવ મેચ જોઈ શકશો.
- Nirupa Duva
- Updated on: Jan 21, 2025
- 11:46 am
બહેનના લગ્ન પર ભાવુક થયો સૂર્યકુમાર યાદવ , ફોટો શેર કરી કહી દિલની વાત
સૂર્યકુમાર યાદવની બહેન દીનલ યાદવે એન્જિનિયર કૃષ્ણ મોહન સાથે લગ્ન કર્યા છે. જેના ફોટો સામે આવ્યા છે. આ સાથે ક્રિકેટર સૂર્યકુમાર યાદવે પણ ભાવુક થઈ એક પોસ્ટ શેર કરી છે.
- Nirupa Duva
- Updated on: Dec 2, 2024
- 11:16 am