AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ

તોફાની અને 360-ડિગ્રી હાર્ડ હિટીંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન છે. 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે તેણે ડેબ્યૂ કર્યુ હતુ, પણ 2018માં મુંબઇ સાથે જોડાયા બાદ તે બેટ્સમેન તરીકે ઊભરીને આવ્યો હતો.

સૂર્યકુમારે 2021માં અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિર્દીની શરૂઆત કરી હતી. આંતરાષ્ટ્રીય ટી-20માં સૂર્યકુમારે નવેમ્બર-2023 સુધીમાં 55 મેચમાં 1900થી વધુ રન કર્યા છે, જેમાં 3 સદી સામેલ છે, જ્યારે વનડેમાં 37 મેચમાં 700 થી વધુ અને એક માત્ર ટેસ્ટ મેચમાં 8 રન કર્યા છે. નવેમ્બર-2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી માટે સૂર્યકુમારની ભારતના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી અને તે પ્રથમ મેચની શરૂઆત સાથે ભારત માટે ક્રિકેટમાં 13મો કેપ્ટન બન્યો હતો.

Read More
Follow On:

ગૌતમ ગંભીર, સૂર્યા અને અગરકરે ગિલને અંધારામાં કેમ રાખ્યો? આ એક નિર્ણય 2 દિવસ સુધી ગુપ્ત કેમ રાખવામાં આવ્યો? સિલેક્શનને લઈને થયો ચોંકાવનારો ખુલાસો

શુભમન ગિલને લખનૌમાં ચોથી T20I પહેલા ઈજા થઈ હતી, જેના કારણે તે પાંચમી મેચમાં રમી શક્યો ન હતો. જો કે, તે સમયે પણ ગિલ ટીમનો વાઇસ-કેપ્ટન હતો પરંતુ 24 કલાકથી ઓછા સમયમાં જ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ગૌતમ ગંભીરે લીધો યુ-ટર્ન? સૂર્યકુમાર યાદવે ખોલ્યું રહસ્ય

BCCI એ ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાજર હતો. તેણે ટુર્નામેન્ટ પહેલા એક મોટી જાહેરાત કરી હતી, જે બાદ એવું લાગી રહ્યું છે કે T20 વર્લ્ડ કપ 2026 પહેલા કોચ ગૌતમ ગંભીરે મોટો યુ-ટર્ન લીધો છે.

Breaking News: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલનું પત્તું કપાયું, ઈશાન-રિંકુની વાપસી

T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં બનેલી આ ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમની પસંદગી મુંબઈ સ્થિત BCCI મુખ્યાલયમાં થઈ હતી.

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ પર લટકતી તલવાર! ટીમ ઈન્ડિયાની શનિવારે થશે જાહેરાત, આ ખેલાડી પર સૌની નજર

2024ના T20 વર્લ્ડ કપ બાદ સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમે એશિયા કપ જેવી શ્રેણી અને ટુર્નામેન્ટમાં સફળતા મેળવી હતી. જોકે, કેપ્ટન તરીકે સારું પ્રદર્શન હોવા છતાં, સૂર્યકુમારનું પોતાનું બેટિંગ ફોર્મ લાંબા સમયથી ચિંતાનો વિષય બન્યું છે.

IND vs SA: ભારતીય T20 કેપ્ટન કંઈક મોટું કરશે! રોહિત શર્માની બરાબરી કરવી હોય, તો સૂર્યકુમાર યાદવે આ એક કામ કરવું પડશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી બાદ 9 ડિસેમ્બરથી બંને ટીમો વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાશે, જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસે કંઈક ખાસ કરવાની તક હશે.

શુભમન ગિલ અને અભિષેક શર્મા વચ્ચે ચાલી રહી છે સ્પર્ધા, T20 સિરીઝ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવનું મોટું નિવેદન

સમગ્ર શ્રેણી દરમિયાન અભિષેક શર્મા અને શુભમન ગિલે ઈનિંગ્સની શરૂઆત કરી, અભિષેકે શાનદાર બેટિંગ કરી જ્યારે ગિલ મોટાભાગે સંઘર્ષ કરતો રહ્યો. જોકે, અંતિમ મેચમાં બંનેએ શાનદાર બેટિંગ કરી, પરંતુ વરસાદને કારણે મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી અને તે રદ કરવામાં આવી. મેચ બાદ કેપ્ટ સૂર્યાએ શુભમન અને અભિષેક વિશે મોટું નિવેદન આપ્યું હતું.

Breaking News: ICC એ સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને ફટકાર્યો દંડ, રૌફ પર 2 મેચનો પ્રતિબંધ

એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચોમાં ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની ઘટના બની હતી. ઘણા ખેલાડીઓએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે ICC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાનના હરિસ રૌફ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો જ્યારે ભારતના સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને દંડ ફટકારવામાં આવ્યો છે.

IND vs AUS વચ્ચેની ત્રીજી T20 ક્યાં અને ક્યારે શરૂ થશે, અહી જોઈ શકશો લાઈવ સ્ટ્રીમિંગ

ત્રીજી ટી20 મેચ માટે ભારતીય ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવના હાથમાં છે. તો ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન મિચેલ માર્શ છે. બંન્ને ટીમની પાસે સ્ટાર ખેલાડીઓ છે. જે થોડી જ મિનિટોમાં રમત બદલી નાંખે છે.

384 દિવસ અને 16 ઈનિંગ્સથી ફ્લોપ, સૂર્યકુમાર યાદવની હાલત ખરાબ, T20 વર્લ્ડ કપ પહેલા વધ્યું ટેન્શન

ત્રણ વર્ષ પછી T20 મેચ માટે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાછા ફર્યા બાદ પણ સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન યથાવત રહ્યું. તે ફરી એકવાર આ ગ્રાઉન્ડ પર નિષ્ફળ ગયો. જોકે, ચિંતા ફક્ત મેદાન પર તેની નિષ્ફળતા વિશે નથી, પરંતુ છેલ્લા એક વર્ષમાં તેના નિરાશાજનક બેટિંગ પ્રદર્શન વિશે છે.

IND vs AUS: પહેલી T20 મેચ રદ, ભારતને મોટો ફાયદો, વરસાદમાં ઓસ્ટ્રેલિયન બોલરોના નીકળ્યા આંસુ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. કેનબેરામાં હવામાન અત્યંત ખરાબ હતું, જેના કારણે બે વખત વરસાદ પડ્યો અને અંતે મેચ રદ કરવામાં આવી. જો કે આ મેચ બાદ ટીમ ઈન્ડિયાનું ટેન્શન ઘટ્યું હતું જ્યારે ઓસ્ટ્રેલિયાનું ટેન્શન વધી ગયું છે.

IND vs AUS : 150 છગ્ગા… સૂર્યકુમાર યાદવે રચ્યો ઈતિહાસ, આ મામલે બન્યો નંબર 1

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણીની પહેલી મેચમાં સૂર્યકુમાર યાદવે બે છગ્ગા ફટકારીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે પોતાની T20 કારકિર્દીમાં 150 છગ્ગા પુરા કર્યા હતા અને એક ખાસ યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે.

IND vs AUS : ટી-20 સીરિઝમાં બનશે એક, બે નહી પરંતુ 8 રેકોર્ડ, જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ ઈતિહાસ રચવાની નજીક

IND vs AUS T20I : ઓસ્ટ્રેલિયા સીરિઝ આવતા વર્ષે શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે ભારતની તૈયારીઓની શરૂઆત દર્શાવે છે. તો આ સીરિઝમાં અનેક રેકોર્ડ તુટી શકે છે.

IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ T20 પહેલા કેપ્ટન સુર્યાએ ભર્યો હુંકાર, T20 વર્લ્ડ કપ અંગે કર્યો મોટો ખુલાસો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચ કેનબેરામાં રમાશે. આ મેચ માટે બંને ટીમો મેદાન પર સખત મહેનત કરી રહી છે. મેચ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપને લઈને એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.

Suryakumar Yadav Dropped: સૂર્યકુમાર યાદવ ટીમમાંથી બહાર, આ ખેલાડી બન્યો કેપ્ટન

ઓસ્ટ્રેલિયામાં T20 શ્રેણી પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાનું કારણ બની રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં એશિયા કપ જીત્યો હતો, પરંતુ સૂર્યા ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો. રણજી ટ્રોફી સિઝનની પ્રથમ મેચમાં સૂર્યાને ઓસ્ટ્રેલિયા જતા પહેલા થોડી બેટિંગ પ્રેક્ટિસ કરવાની તક હતી, પરંતુ તેને ટીમમાં સ્થાન જ નથી મળ્યું.

આજે વિમેન્સ ક્રિકેટ ટીમનો પાકિસ્તાન સામે મુકાબલો, સૂર્યકુમાર યાદવે કહ્યું ‘આજે થશે 12-0’!

ભારતના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પાકિસ્તાનની મશ્કરી કરી છે. તેણે મહિલા ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતીય મહિલા ટીમના પ્રદર્શન અંગે એક મહત્વપૂર્ણ વાત શેર કરી છે.

g clip-path="url(#clip0_868_265)">