સૂર્યકુમાર યાદવ
તોફાની અને 360-ડિગ્રી હાર્ડ હિટીંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન છે. 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે તેણે ડેબ્યૂ કર્યુ હતુ, પણ 2018માં મુંબઇ સાથે જોડાયા બાદ તે બેટ્સમેન તરીકે ઊભરીને આવ્યો હતો.
સૂર્યકુમારે 2021માં અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિર્દીની શરૂઆત કરી હતી. આંતરાષ્ટ્રીય ટી-20માં સૂર્યકુમારે નવેમ્બર-2023 સુધીમાં 55 મેચમાં 1900થી વધુ રન કર્યા છે, જેમાં 3 સદી સામેલ છે, જ્યારે વનડેમાં 37 મેચમાં 700 થી વધુ અને એક માત્ર ટેસ્ટ મેચમાં 8 રન કર્યા છે. નવેમ્બર-2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી માટે સૂર્યકુમારની ભારતના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી અને તે પ્રથમ મેચની શરૂઆત સાથે ભારત માટે ક્રિકેટમાં 13મો કેપ્ટન બન્યો હતો.
Breaking News: રબાડાએ સૂર્યકુમાર યાદવને ફેંક્યો સૌથી ઝડપી બોલ, ઉખડી ગયા સ્ટમ્પ, જુઓ VIDEO
અમદાવાદની પીચ પર વિસ્ફોટક બેટિંગની અપેક્ષા સાથે પહોંચેલા ચાહકોને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડાની ઘાતક બોલિંગનો આનંદ માણવો પડ્યો. રબાડાની સ્પીડમાં મુંબઈના બેટ્સમેનો ધ્વસ્ત થઈ ગયા. ખાસ કરીને સૂર્યા જે બોલ પર બોલ્ડ થયો, તે બોલ મેચનો સૌથી ફાસ્ટ બોલ હતો.
- Smit Chauhan
- Updated on: Apr 20, 2026
- 9:06 pm
India Next T20I Captain : શું આ ખેલાડી લેશે આગામી T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું સ્થાન!
Shreyas Iyer replace Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવના ફોર્મ અને કેપ્ટનશીપ પર પ્રશ્નાર્થ વચ્ચે શ્રેયસ ઐયર ભારતના આગામી T20I કેપ્ટન તરીકે મજબૂત દાવેદાર બન્યા છે.
- Sagar Solanki
- Updated on: Apr 19, 2026
- 3:53 pm
Breaking News : સૂર્યકુમાર યાદવ કેપ્ટનશિપમાંથી હાથ ધોઈ બેસશે! ટીમ ઈન્ડિયાથી પણ થશે બહાર?
સૂર્યકુમાર યાદવનું બેટિંગ ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે, જેના કારણે ટીમ ઇન્ડિયામાં તેમનું સ્થાન અને કેપ્ટનશીપ જોખમમાં છે. T20 વર્લ્ડ કપમાં નેતૃત્વ છતાં, વ્યક્તિગત પ્રદર્શન પર સવાલો છે.
- Sagar Solanki
- Updated on: Apr 14, 2026
- 7:27 pm
Breaking News: T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર ? RCB કેપ્ટન લેશે તેનું સ્થાન !
ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ તેના પ્રદર્શન પર સવાલ ઉભા થયા છે. તો શું તે બે વર્ષ પછી પણ ટીમનો ભાગ નહીં રહે? આ પ્રશ્ન સતત ઉભો થઈ રહ્યો છે, સાથે જ સૂર્યાનું સ્થાન કોણ લેશે તેની પણ ચર્ચા થઈ રહી છે. જેમાં સૌથી પહેલું નામ RCBના કેપ્ટનનું છે.
- Smit Chauhan
- Updated on: Apr 6, 2026
- 8:19 pm
Breaking News: મુંબઈ ઈન્ડિયન્સને મોટો ફટકો, કેપ્ટન હાર્દિક પંડ્યા થયો બહાર, જાણો કોના હાથમાં ટીમની કમાન
હાર્દિક પંડ્યાએ પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કર્યું હતું પરંતુ બીજી મેચ પહેલા જ તે અચાનક બહાર થઈ ગયો હતો. પરિણામે, મુંબઈએ બીજી જ મેચમાં પોતાનો કેપ્ટન બદલવો પડ્યો હતો. સાથે જ પ્લેઈંગ ઈલેવનમાં પણ કેટલાક મોટા ફેરફાર કરવા પડ્યા હતા.
- Smit Chauhan
- Updated on: Apr 4, 2026
- 5:07 pm
Breaking News: દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની આઠમી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ની ટક્કર થઈ રહી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે.
- Smit Chauhan
- Updated on: Apr 4, 2026
- 3:27 pm
IPL 2026: સૂર્યકુમાર યાદવ બહાર, MI vs KKR મેચમાં 6 ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ, બંને ટીમોના મોટા નિર્ણયો
IPL 2026 ની બીજી મેચમાં મુંબઈ અને કોલકાતા વચ્ચે વાનખેડેમાં રોમાંચક જંગ ચાલુ છે. હાર્દિક પંડ્યાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. સૂર્યકુમાર યાદવ પ્લેઇંગ XI માં નથી
- Sagar Solanki
- Updated on: Mar 29, 2026
- 8:27 pm
Breaking News : ODI વર્લ્ડ કપ 2027 માંથી આ 5 સ્ટાર ભારતીય ખેલાડીઓનું પત્તું કપાશે!
2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં યોજાવાનો છે અને ટીમ ઈન્ડિયા ટાઈટલના દાવેદાર તરીકે પ્રવેશ કરશે. જોકે, ગયા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચેલી ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આ વખતે ટીમનો ભાગ રહેશે નહીં. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.
- Smit Chauhan
- Updated on: Mar 27, 2026
- 5:41 pm
ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા
India Squad, ODI World Cup 2027: ભારતની વર્લ્ડ કપ ટીમ 2027માં કેવી હશે ? 2023 ના વર્લ્ડ કપની સરખામણીમાં ટીમ ઈન્ડિયા અલગ જોવા મળી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 25, 2026
- 2:23 pm
IPL 2026 Breaking News : શું ક્રિસ ગેલનો 59 છગ્ગાનો ‘મહારેકોર્ડ’ આ વખતે તૂટશે? આ 8 બેટ્સમેનો છે પ્રબળ દાવેદાર
IPLની 19મી સીઝન શરૂ થવા જઈ રહી છે, અને ઘણા રેકોર્ડ તૂટવાના નક્કી છે. પરંતુ લીગની 5મી સીઝનમાં એક રેકોર્ડ પણ બન્યો હતો. અને છેલ્લા 13 વર્ષથી અકબંધ છે. તે ક્રિસ ગેલનો એક જ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે.
- Hasmukh Ramani
- Updated on: Mar 21, 2026
- 9:01 am
Breaking News : સૂર્યકુમાર યાદવે કર્યો મોટો ખુલાસો, આ ચાર દિગ્ગજોના કારણે મળી હતી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ
ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે તાજેતરમાં મોટો ખુલાસો કર્યો છે કે તેને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં કયા ચાર મહત્વપૂર્ણ વ્યક્તિઓની ભૂમિકા રહી હતી. તેના નિવેદન પછી ટીમ મેનેજમેન્ટ અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની વ્યૂહાત્મક ભૂમિકા ફરી ચર્ચામાં આવી છે.
- Smit Chauhan
- Updated on: Mar 18, 2026
- 7:31 pm
IPL 2025માં સૌથી વધુ રન કોણે બનાવ્યા? જાણો કયા ધમાકેદાર બેટ્સમેને જીતી ઓરેન્જ કેપ!
દુનિયાની સૌથી લોકપ્રિય T20 લીગ IPLમાં દરેક સિઝનમાં ઘણા બેટ્સમેન તેમના શાનદાર પ્રદર્શનથી ચર્ચામાં રહે છે. વર્ષ 2025નું સિઝન પણ આથી અલગ નથી રહ્યું. આ સિઝનમાં ઘણા બેટ્સમેનોએ સતત રન બનાવ્યા અને તેમની ટીમને જીત મેળવી આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
- TV9 Gujarati
- Updated on: Mar 17, 2026
- 1:31 pm
Breaking News : T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ફેમસ બોલીવૂડ સિંગર શ્રેયા ઘોષાલ વચ્ચે છે ખાસ કનેક્શન, જાણો કેવી રીતે
T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને બોલીવૂડની ફેમસ ગાયિકા શ્રેયા ઘોષાલ વચ્ચે એક ખાસ કનેક્શન છે. સૂર્યકુમાર યાદવ ક્રિકેટજગતમાં અને શ્રેયા ઘોષાલ સંગીતજગતમાં ટોપ પર છે. બંનેના કામ અલગ-અલગ છે. એક મધુર સ્વરથી સંગીતની સુવાસ ફેલાવે છે, તો બીજો બેટથી મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરે છે. એવામાં આ બંને દિગ્ગજો વચ્ચે શું કનેક્શન છે?
- Smit Chauhan
- Updated on: Mar 16, 2026
- 6:29 pm
Breaking News : T20 વર્લ્ડ કપ જીત્યા પછી સૂર્યકુમાર યાદવ પિતા બનશે, બેબી શાવરનો વીડિયો વાયરલ
Devisha Shetty Baby Shower Ceremony: ટી20 વર્લ્ડકપ 2026માં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે બેક ટુ બેક 2 ટી20 વર્લ્ડકપ જીત્યા છે. હવે વર્લ્ડકપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવ પિતા બનશે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Mar 15, 2026
- 1:35 pm
Breaking News: T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા ગંભીર અને સૂર્યકુમાર, લીધા ગણેશજીના આશીર્વાદ
2026 ના T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી ભારતે વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી. આ વિજય બાદ ટીમ ઈન્ડિયાની ટ્રોફી સાથે ભક્તિ યાત્રા પણ શરૂ થઈ છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા અને ભગવાન ગણેશના દર્શન કરી ટીમની સફળતા માટે પ્રાર્થના કરી.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 7:40 pm