સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ

તોફાની અને 360-ડિગ્રી હાર્ડ હિટીંગ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટી-20 ક્રિકેટનો સ્ટાર બેટ્સમેન છે. 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે તેણે ડેબ્યૂ કર્યુ હતુ, પણ 2018માં મુંબઇ સાથે જોડાયા બાદ તે બેટ્સમેન તરીકે ઊભરીને આવ્યો હતો.

સૂર્યકુમારે 2021માં અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારર્કિર્દીની શરૂઆત કરી હતી. આંતરાષ્ટ્રીય ટી-20માં સૂર્યકુમારે નવેમ્બર-2023 સુધીમાં 55 મેચમાં 1900થી વધુ રન કર્યા છે, જેમાં 3 સદી સામેલ છે, જ્યારે વનડેમાં 37 મેચમાં 700 થી વધુ અને એક માત્ર ટેસ્ટ મેચમાં 8 રન કર્યા છે. નવેમ્બર-2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણી માટે સૂર્યકુમારની ભારતના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી અને તે પ્રથમ મેચની શરૂઆત સાથે ભારત માટે ક્રિકેટમાં 13મો કેપ્ટન બન્યો હતો.

Read More
Follow On:

IPL 2024: રોહિત-બુમરાહે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર ઉઠાવ્યા સવાલ! હાર બાદ MIમાં હંગામો

IPL 2024ની સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે રોહિત શર્માને સુકાનીપદેથી હટાવીને બધાને ચોંકાવી દીધા હતા અને ટીમમાં પરત ફરેલા હાર્દિક પંડ્યાને કમાન સોંપી હતી. ચાહકોએ શરૂઆતથી જ આને લઈને ઘણો વિરોધ કર્યો અને પછી ટૂર્નામેન્ટ દરમિયાન હાર્દિકના નિર્ણયોએ આ વિરોધને વધુ ઉશ્કેર્યો. અધૂરામાં પૂરું આ સિઝનમાં મુંબઈ પ્લેઓફમાંથી બહાર થનાર પહેલી ટીમ બની છે, જે બાદ ટીમમાં ભંગાણના સમાચાર સામે આવ્યા છે.

IPL 2024: MI vs SRH: મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, સૂર્યકુમાર યાદવે 51 બોલમાં ફટકારી શાનદાર સદી

મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં અણનમ 102 રન ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. મુંબઈએ ટુર્નામેન્ટમાં ચોથી જીત નોંધાવી હતી. સૂર્યકુમાર યાદવે શાનદાર સિક્સર ફટકારી પોતાની સદી પૂરી કરવાની સાથે મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી હતી.

ટીમ ઈન્ડિયાને સિલેક્શન બાદ જ મળ્યો ‘રિયાલિટી ચેક’, T20 વર્લ્ડ કપ પહેલા ભારે ટેન્શન

T20 વર્લ્ડ કપ 2024 માટે પસંદ કરવામાં આવેલ ટીમ ઈન્ડિયામાંથી 4 ખેલાડીઓ IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યા અને નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો સમાવેશ થયો છે અને આ ત્રણેય જ નિષ્ફળ રહ્યા છે. વર્લ્ડ કપ માટે ટીમ પસંદ થયાના થોડા જ સમયમાં આવા ખરાબ પ્રદર્શન બાદ ત્રણેય ખેલાડીઓના ખરાબ પ્રદર્શને મેનેજમેન્ટની ચિંતા વધારી છે.

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના કોચ-ખેલાડીએ LIVE મેચમાં હદ વટાવી, IPLના નિયમો તોડ્યા, હવે થઈ સજા

પોલાર્ડ અને ટિમ ડેવિડ બંને IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.20 હેઠળ લેવલ 1 માટે દોષિત ઠર્યા છે. પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન બંનેએ ભૂલ કરી હતી. ઘટનાના 48 કલાક બાદ આ ભૂલ માટે પોલાર્ડ અને ટિમ ડેવિડ બંને પર મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ટીવી રિપ્લે જોયા બાદ બંનેએ ડગઆઉટમાંથી સૂર્યકુમારને રિવ્યુ લેવાનો ઈશારો કર્યો હતો.

IPL 2024 PBKS vs MI: સૂર્યકુમાર યાદવે પંજાબ સામે ફટકાર્યા 78 રન, 5 વર્ષ પછી થયો આવો ‘કમાલ’

પંજાબ કિંગ્સ સામે સૂર્યકુમાર યાદવનું બેટ જોરદાર ચાલ્યું હતું. તેણે 53 બોલમાં 78 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં સૂર્યકુમાર યાદવનો સ્ટ્રાઈક રેટ 147થી વધુ રહ્યો હતો. જો કે તેની ઈનિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવે એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો.

IPL 2024: CSK vs MI વચ્ચેની મેચમાં પથિરાનાએ મચાવ્યો ભૌકાલ, અંબાણી, પંડયા અને મુંબઈની તોડી મોટી આશા, જુઓ Video

IPL 2024ની 29મી મેચમાં મથીશા પથિરાનાએ એક જ ઓવરમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને આઉટ કરીને મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો આપ્યો હતો.

IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સે RCB સામે જે કર્યું તે અન્ય ટીમો આજ સુધી કરી શકી નથી

ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં વિરોધ અને હારનો સતત સામનો કરી રહી છે. આ બધા વચ્ચે સતત ત્રણ હાર બાદ મુંબઈએ સતત બે મેચમાં જીત મેળવી વિજયના રથ પર સવારી શરૂ કરી છે. ગુરુવારે RCB સામે જીત મેળવતા જ મુંબઈ ઈન્ડિયન્સે એક એવું કારનામું કર્યું હતું જે આજસુધી IPLમાં કોઈ કરી શક્યું નથી.

IPL 2024: MI vs RCB વચ્ચેની મેચમાં 11મી ઓવરના આ બોલે RCBના ખેલાડીએ કરી મોટી ભૂલ, જેના કારણે બેંગલુરુની થઈ કારમી હાર

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈ ઈન્ડિયન્સના ઘર વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ. આ સિઝનમાં બંને ટીમો પહેલીવાર એકબીજા સામે રમવા આવી છે. આ મેચમાં મુંબઈને 197 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પ્રથમ 10 ઓવરમાં કોણ જીતશે તે નક્કી કરવું મુશ્કેલ હતું પરંતુ 11 મી ઓવરના ચોથા બોલે RCB ના પ્લેયરે કરેલી એક ભૂલ જેનું પરિણામ હાર આવ્યું હતું.

IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સમાં સૂર્યકુમાર યાદવની એન્ટ્રી ખરાબ રહી, ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો

સૂર્યકુમાર યાદવ IPL 2024 ની પોતાની પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. તે લાંબા સમય બાદ મુંબઈ ઈન્ડિયન્સ સામે જોડાયો હતો.

IPL 2024: સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સમાં કમબેકની સાથે જ અન્ય ટીમોને આપી ચેતવણી, જુઓ Video

મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ 3 મહિનાની બાદ ટીમ સાથે જોડાયો છે. શુક્રવારે તેણે નેટ્સમાં 1 કલાક બેટિંગ પણ કરી હતી. આ પછી તે તેના સાથી ખેલાડીઓને મળ્યો. તેણે મુખ્ય કોચ માર્ક બાઉચર સાથે તેની બેટિંગ વિશે પણ વાત કરી. મુંબઈ ઈન્ડિયન્સે તેનો એક વિસ્ફોટક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.

IPL 2024: જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપથી ખુશ નથી? હર્ષા ભોગલેનો મોટો દાવો!

હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપને લઈને ચાલી રહેલા ડ્રામા વચ્ચે એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ ન મળવાથી નારાજ છે. આ અંગે સિનિયર કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.

IPL 2024: સતત 3 હાર બાદ હાર્દિક પંડયા માટે આવ્યા સારા સમાચાર, આ સ્ટાર બેટ્સમેનની મુંબઈની ટીમમાં વાપસી

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. તે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં રમી શકે છે.

IPL 2024 : હાર્દિક પંડ્યા માટે વધુ એક ખરાબ સમાચાર, મુંબઈ ઈન્ડિયન્સની હાલત થશે ખરાબ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. ટીમ તેની શરૂઆતની બંને મેચ હારી ચૂકી છે. ગુજરાત ટાઇટન્સ દ્વારા મળેલી હાર બાદ મુંબઈની ટીમ પણ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પરાજય પામી હતી અને હવે આ હાર બાદ હાર્દિક પંડ્યાની ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે.

IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સને સૌથી મોટો ફટકો, સૂર્યકુમાર યાદવ ફિટનેસ ટેસ્ટમાં FAIL, આખી સિઝન ગુમાવશે?

સૂર્યકુમાર યાદવની તાજેતરમાં સર્જરી કરવામાં આવી હતી, તે સ્પોર્ટ્સ હર્નિયાથી પીડિત હતો. હાલમાં તે રિકવરીના તબક્કામાં છે પરંતુ તેની ફિટનેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૂર્યકુમાર યાદવ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો છે અને તે શરૂઆતની મેચોમાં નહીં રમે, અને જો તે આગામી ટેસ્ટમાં પણ ફેલ થાય છે તો આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ મોટો ફટકો છે.

મુંબઈ ઈન્ડિયન્સની વધી મુશ્કેલી, સૂર્યકુમાર યાદવ સિઝનની તમામ મેચ નહીં રમી શકે!

આ સિઝનમાં હાર્દિક પંડ્યા મુંબઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કપ્તાની હેઠળ, ટીમ તેની પ્રથમ મેચ 24 માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે રમશે. પરંતુ શક્ય છે કે ટીમનો મહત્વનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ મેચમાં ન રમે, જે હાલમાં NCAમાં પોતાની ઈજા પર કામ કરી રહ્યો છે.

બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">