AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20 WC Breaking: ભારત-પાકિસ્તાન મેચમાં ફરી સંકટના વાદળો, 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં ભારે વરસાદની આગાહી

આગામી 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ પર વરસાદનું સંકટ છે. હવામાન વિભાગે ગંભીર ચેતવણી જાહેર કરી છે અને ચાર કલાક સુધી વરસાદની આગાહી કરી છે. તોફાનની શક્યતા પણ દર્શાવવામાં આવી હોવાથી ચાહકોમાં નિરાશા ફેલાઈ છે.

| Updated on: Feb 13, 2026 | 8:36 PM
Share
T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રવિવારે, 15 ફેબ્રુઆરીએ કોલંબો ખાતે રમાવાનો છે. પરંતુ શ્રીલંકાના હવામાન વિભાગે 15 અને 16 ફેબ્રુઆરી માટે ભારે વરસાદ અને વીજળી સાથેના તોફાનની ચેતવણી જાહેર કરી છે. આ આગાહીથી ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ પર સવાલો ઊભા થયા છે.

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રવિવારે, 15 ફેબ્રુઆરીએ કોલંબો ખાતે રમાવાનો છે. પરંતુ શ્રીલંકાના હવામાન વિભાગે 15 અને 16 ફેબ્રુઆરી માટે ભારે વરસાદ અને વીજળી સાથેના તોફાનની ચેતવણી જાહેર કરી છે. આ આગાહીથી ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ પર સવાલો ઊભા થયા છે.

1 / 5
હવામાન માહિતી આપતી સંસ્થા AccuWeather મુજબ, મેચના દિવસે અંદાજે ચાર કલાક વરસાદ પડી શકે છે. સાથે જ 26 ટકા તોફાનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો આગાહી સાચી સાબિત થાય તો મેચમાં વિલંબ અથવા રદ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આયોજકો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

હવામાન માહિતી આપતી સંસ્થા AccuWeather મુજબ, મેચના દિવસે અંદાજે ચાર કલાક વરસાદ પડી શકે છે. સાથે જ 26 ટકા તોફાનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો આગાહી સાચી સાબિત થાય તો મેચમાં વિલંબ અથવા રદ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આયોજકો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

2 / 5
આ મેચ પહેલા રાજકીય તણાવ પણ જોવા મળ્યો હતો. પાકિસ્તાન સરકારે શરૂઆતમાં ભારત સામે રમવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ICC દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચાઓ યોજાઈ અને અંતે પાકિસ્તાન ટીમ મેચ રમવા માટે સંમત થયું. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ ચર્ચાઓમાં જોડાયું હતું.

આ મેચ પહેલા રાજકીય તણાવ પણ જોવા મળ્યો હતો. પાકિસ્તાન સરકારે શરૂઆતમાં ભારત સામે રમવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ICC દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચાઓ યોજાઈ અને અંતે પાકિસ્તાન ટીમ મેચ રમવા માટે સંમત થયું. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ ચર્ચાઓમાં જોડાયું હતું.

3 / 5
ઇતિહાસની વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ આઠ મુકાબલા રમાયા છે. જેમાં ભારતીય ટીમે સાત મેચોમાં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાનને માત્ર એક જ વખત સફળતા મળી છે. પાકિસ્તાનનો એકમાત્ર વિજય 2021માં નોંધાયો હતો.

ઇતિહાસની વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ આઠ મુકાબલા રમાયા છે. જેમાં ભારતીય ટીમે સાત મેચોમાં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાનને માત્ર એક જ વખત સફળતા મળી છે. પાકિસ્તાનનો એકમાત્ર વિજય 2021માં નોંધાયો હતો.

4 / 5
આંકડાઓ ભારત તરફ ઝુકતા દેખાય છે, પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. હવે બધાની નજર હવામાન પર ટકેલી છે. જો વરસાદ વિક્ષેપ ન કરે તો વિશ્વભરના કરોડો ચાહકોને રોમાંચક મુકાબલો જોવા મળશે. જોકે, હાલ માટે કોલંબોના આકાશમાં છવાયેલા વાદળો ચાહકોની ધડકન વધારી રહ્યા છે. (PC: PTI/X)

આંકડાઓ ભારત તરફ ઝુકતા દેખાય છે, પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. હવે બધાની નજર હવામાન પર ટકેલી છે. જો વરસાદ વિક્ષેપ ન કરે તો વિશ્વભરના કરોડો ચાહકોને રોમાંચક મુકાબલો જોવા મળશે. જોકે, હાલ માટે કોલંબોના આકાશમાં છવાયેલા વાદળો ચાહકોની ધડકન વધારી રહ્યા છે. (PC: PTI/X)

5 / 5

T20 WC Breaking : ઝિમ્બાબ્વેની જીત ટીમ ઈન્ડિયા માટે ‘શુભ સંકેત’, T20 વર્લ્ડ કપ 2026 માં ભારત બનશે વર્લ્ડ ચેમ્પિયન!

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">