કાનુની સવાલ : પતિના મૃત્યુ પછી જો પત્ની બાળકને દત્તક લે તો તેની સંપત્તિ પર કોનો અધિકાર? જાણો
અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કે, જો પતિના મૃત્યુ પછી કોઈ મહિલા બાળકને દત્તક લે છે. તો તેની સંપત્તિ પર કોનો અધિકાર રહેશે.

અલ્હાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વિધવા કોઈ બાળકને દત્તક લે છે, તો તે બાળકને મૃત પતિની મિલકતનો વારસદાર ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયોનો ઉલ્લેખ કરીને કોર્ટે અરજી ફગાવી દીધી.

બાળક મૃતક પતિનો પણ દત્તક લીધેલું બાળક માનવામાં આવશે. તેને પતિનો ભાગ મળશે. આ સાથે પતિની સંપત્તિમાં ઉત્તરાધિકારનો અધિકાર પણ મળશે. જસ્ટિસ ચંદ્ર કુમાર રાયે આ નિર્ણય પ્રયાગરાજના રામ કૃપાલ દ્વારા 1983માં દાખલ કરેલી અરજીને ફગાવતા સંભળાવ્યો હતો.

રામ કૃપાલે પોતાની અરજીમાં મોતી રાણી અને તેમના સ્વર્ગસ્થ પતિ મુરલીધરના દત્તક પુત્રએ મિલકતમાં વારસાના હક આપવાના ઉત્તરાધિકારનો અધિકાર આપવામાં આવ્યો હતો. રસૌલી ગામમાં ખાતા નંબર 96 પર રામજીનું નામ મુરલીધરના દત્તક પુત્ર તરીકે નોંધાયેલું હતું.

જાણકારી મુજબ મુરલીધરનું મૃત્યું થયું હતુ. તેને કોઈ સંતાન ન હતુ. મુરલીધરના મૃત્યું પછી પત્નીને સંપત્તિનો અધિકાર મળ્યો હતો. રામજીએ દાવો કર્યો કે, મોતી રાનીએ 2 ઓગસ્ટ 1960ના રોજ તેમણે તેને દત્તક લીધો હતો. ત્યારે તે મુરલીધરની સંપત્તિનો ઉત્તરાધિકારી છે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે 30 જુલાઈના રોજ સાવન રામ વિરુદ્ધ કલાવંતી કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો. કોર્ટે જણાવ્યું હતું કે, મોતી રાણી અને મુરલીધરના દત્તક પુત્ર તરીકે રામજી ઉત્તરાધિકાર પ્રાપ્ત કરશે.

આ સાથે હાઈકોર્ટે સુભાષ મિસિર મામલે બીજો એક નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતુ કે, વિધવા દ્વારા દત્તક લેવામાં આવેલ બાળક તેના મૃતક પતિનું પણ માનવામાં આવશે.

વિધવાના મૃત્યું પછી તે પતિની સંપત્તિનો તે કાયદેસરના વારસદાર હશે. આ આધારે, કોર્ટે રામ કૃપાલની અરજી ફગાવી દીધી, રામજીને મુરલીધરના પુત્ર તરીકે માન્યતા આપી અને તેમને તેમની મિલકતનો વારસો મેળવવાનો અધિકાર આપ્યો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
