શ્રીલંકા
શ્રીલંકા દક્ષિણ એશિયામાં ઉત્તર હિંદ મહાસાગરમાં એક દ્વીપ દેશ છે. તે ભારતની દક્ષિણમાં આવેલું છે અને ભારતથી માત્ર 31 કિલોમીટર દૂર છે. શ્રીલંકાનું સૌથી મોટું શહેર કોલંબો એક મહત્વપૂર્ણ દરિયાઈ બંદર છે.શ્રીલંકા ઘણા ધર્મોના લોકોનું ઘર છે, પરંતુ બૌદ્ધ ધર્મ સૌથી પ્રચલિત ધર્મ છે, ત્યારબાદ હિન્દુ ધર્મ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આવે છે.
આ દેશ તેના દરિયાઈ પ્રવાસન માટે પણ જાણીતો છે. તેને‘Pearl of the Indian Ocean’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશ તેની લીલીછમ હરિયાળી, સુંદર દરિયાકિનારા અને વિવિધ પ્રકારના વન્યજીવન દ્વારા વર્ગીકૃત થયેલ છે.શ્રીલંકા કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું એક અનોખું મિશ્રણ પ્રદાન કરે છે, જે તેને પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ બનાવે છે.
Read MoreIND vs SL: સદી તરફ આગળ વધી રહ્યો હતો શ્રીલંકાનો ખેલાડી, જાડેજાએ ક્લીન બોલ્ડ કરી 7 દિવસ બાદ લીધો બદલો
કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાના બેટ્સમેન પાસિન્દુ સૂર્યબંદારા શાનદાર બેટિંગ કરી રહ્યા હતા અને સદી તરફ આગળ વધી રહ્યા હતા. જોકે, રવિન્દ્ર જાડેજાના એક બોલે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું. જાડેજાએ સૂર્યબંદારાને 80 રને બોલ્ડ કર્યો અને સાત દિવસ પહેલા મળેલી વિકેટનો હિસાબ પણ બરાબર કરી લીધો.
- Smit Chauhan
- Updated on: Aug 25, 2026
- 8:10 pm
IND vs SL: સરફરાઝ ખાને શ્રીલંકાના કેપ્ટનને એવું શું કહ્યું કે તે 2 બોલ બાદ જ થઈ ગયો આઉટ
કોલંબો ટેસ્ટમાં સરફરાઝ ખાન ભલે પ્લેઇંગ-11નો ભાગ ન હોય, પરંતુ તેની ફિલ્ડિંગે ટીમ ઈન્ડિયાને મહત્વની સફળતા અપાવી. શોર્ટ લેગ પર ઊભેલા સરફરાઝે શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વાને કંઈક એવું કહ્યું કે તેની અસર બે બોલમાં જ જોવા મળી. ધનંજય માત્ર 8 રન બનાવીને આઉટ થયો અને ત્યારબાદ સરફરાઝે જોરદાર ઉજવણી કરી.
- Smit Chauhan
- Updated on: Aug 25, 2026
- 5:43 pm
ધ્રુવ જુરેલના ડાબા કાંડા પર શું લખ્યું છે ? સદી ફટકાર્યા બાદ બતાવ્યું ખાસ ટેટૂ, જાણો તેની પાછળની કહાની
શ્રીલંકા સામેની કોલંબો ટેસ્ટમાં ધ્રુવ જુરેલે શાનદાર અણનમ સદી ફટકારી હતી. જોકે, સદી બાદ તેના ખાસ સેલિબ્રેશનની સાથે તેના ડાબા કાંડા પરના ટેટૂમાં લખેલા વાક્યએ સૌનું ધ્યાન ખેંચ્યું. જુરેલના આ ટેટૂ પાછળની કહાની તેની દેશભક્તિ અને તેના પિતા સાથે જોડાયેલી છે. ચાલો જાણીએ આ ખાસ ટેટૂ પાછળની કહાની.
- Smit Chauhan
- Updated on: Aug 24, 2026
- 8:15 pm
Breaking News: યશસ્વી જયસ્વાલન દોષી જાહેર, 3,50,000 રૂપિયાનો દંડ
યશસ્વી જયસ્વાલ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. પરંતુ તેના સમાચારમાં આવવાનું કારણ તેની બેટિંગ નહીં પરંતુ મેદાન પર તેનું ખરાબ વર્તન છે. મેચના પહેલા દિવસની હરકત બાદ બીજા દિવસે તેના પર મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Aug 24, 2026
- 5:54 pm
Breaking News: ધ્રુવ જુરેલે કોલંબો ટેસ્ટમાં ફટકારી સદી, શ્રીલંકામાં આવો કમાલ કરનાર પ્રથમ ભારતીય
ધ્રુવ જુરેલે શ્રીલંકા સામે બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની માત્ર બીજી ટેસ્ટ સદી હતી. ધ્રુવ જુરેલે કોલંબો ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જુરેલની આ ઐતિહાસિક ઇનિંગે ટીમ ઈન્ડિયાના સ્કોરને 500 રનની પાર પહોંચાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
- Smit Chauhan
- Updated on: Aug 24, 2026
- 5:31 pm
Breaking News: ધ્રુવ જુરેલે MS ધોનીનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, શ્રીલંકામાં રચ્યો ઈતિહાસ
શ્રીલંકા સામેની બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં ધ્રુવ જુરેલે દમદાર સદી ફટકારી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની બિજીં સદી છે. જોકે 76 રનનો આંકડો પાર કરતાની સાથે જ તેણે એમએસ ધોનીને પાછળ છોડી દીધો હતો.
- Smit Chauhan
- Updated on: Aug 24, 2026
- 5:03 pm
IND vs SL: કોલંબોમાં યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના ખેલાડી વચ્ચે મેદાનમાં થયો ઝઘડો, જુઓ વીડિયો
યશસ્વી જયસ્વાલ અને અસિતા ફર્નાન્ડો વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો કે અન્ય ખેલાડીઓએ તેમને અલગ કરવા માટે દખલ કરવી પડી. આ ઘટના કોલંબોમાં ભારતની પ્રથમ ઇનિંગની 17મી ઓવર દરમિયાન બની હતી.
- Bipin Prajapati
- Updated on: Aug 23, 2026
- 12:39 pm
Breaking News : કોણ છે સારાંશ જૈન ? 33 વર્ષની ઉંમરે કોલંબો ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું
33 વર્ષના ખેલાડી સારાંશ જૈનને શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરવાની તક મળી છે. ટોસ પહેલા રવિન્દ્ર જાડેજાએ સારાંશ જૈનને ડેબ્યુ કેપ આપી હતી.
- Nirupa Duva
- Updated on: Aug 23, 2026
- 10:43 am
IND vs SL : કોલંબો ટેસ્ટ જીતવા બદલ ભારતને પુરસ્કાર મળશે, પરંતુ ઓસ્ટ્રેલિયા પણ તેમાં સાથ આપશે
ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસ પર ગોલમાં પહેલી ટેસ્ટ મેચમાં જીતી શાનદાર શરુઆત કરી પરંતુ તેનો પડકાર હજુ પૂર્ણ થયો નથી. આ પડકાર માત્ર સીરિઝમાં જીતવાનો નહી પરંતુ WTC ફાઈનલમાં પહોંચવાનો છે.
- Nirupa Duva
- Updated on: Aug 23, 2026
- 9:48 am
IND vs SL: ડરી ગયું શ્રીલંકા!… ગાલેમાં કારમી હાર બાદ કોલંબોની પિચ બદલી, ટીમ ઈન્ડિયાને રોકવા નવી રણનીતિ?
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ગાલેમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત બાદ શ્રીલંકાએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો હોવાના અહેવાલ છે. કોલંબોની પિચ પર ગાલે કરતાં ઓછો ટર્ન અને સંતુલિત સ્થિતિ જોવા મળી શકે છે, જેથી શ્રીલંકાના યુવા બેટર્સને પણ મદદ મળે.
- Smit Chauhan
- Updated on: Aug 21, 2026
- 9:32 pm
IND vs SL: જે જમીનનો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો ઉપયોગ, હવે ત્યાં રમશે ટીમ ઈન્ડિયા
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ કોલંબોના ઐતિહાસિક સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર રમાશે. ક્રિકેટના અનેક યાદગાર મુકાબલાઓનું સાક્ષી રહેલું આ મેદાન માત્ર રમત માટે જ જાણીતું નથી. તેની જમીન સાથે બીજા વિશ્વયુદ્ધનો પણ એક રસપ્રદ સંબંધ છે. આખરે આ મેદાનની જમીનનો ઉપયોગ યુદ્ધ દરમિયાન શા માટે કરવામાં આવ્યો હતો?
- Smit Chauhan
- Updated on: Aug 21, 2026
- 7:00 pm
IND vs SL: કુલદીપ યાદવ પ્રેક્ટિસમાં પણ ન આવ્યો, કોલંબો ટેસ્ટમાંથી થશે બહાર?
ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. આ મેચમાં ઓફ સ્પિનર સરાંશ જૈન કુલદીપ યાદવનું સ્થાન લઈ શકે છે. કોલંબો ટેસ્ટ પહેલા કુલદીપ યાદવ પ્રેક્ટિસ માટે પણ આવ્યો નહોતો, જ્યારે સરાંશે મજબૂત પ્રેક્ટિસ કરી હતી. એવામાં આગામી મેચમાં કુલદીપને તક નહીં મળે, તેવું લાગુ રહ્યું છે.
- Smit Chauhan
- Updated on: Aug 21, 2026
- 5:16 pm
IND vs SL 2nd Test: કોલંબોમાં ટોસ હારી જશે તો ટીમ ઈન્ડિયા કેમ ખુશ થશે? આ છે કારણ ?
IND vs SL 2nd Test: ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની બીજી અને છેલ્લી મેચ કોલંબોના એસએસસી ગ્રાઉન્ડ પર રમાશે. આ ગ્રાઉન્ડ પર ટૉસનો આંકડો પણ ચોંકાવનારો છે.
- Nirupa Duva
- Updated on: Aug 21, 2026
- 1:52 pm
IND vs SL: દિવસમાં 22 ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા, સાંજે ટીમમાં મળી એન્ટ્રી, હવે કરશે ડેબ્યૂ?
ભારત સામેની બીજી ટેસ્ટ પહેલાં શ્રીલંકાની ટીમમાં બે નવા ચહેરાઓની એન્ટ્રી થઈ છે. ખાસ વાત એ છે કે તેમાંથી એક ખેલાડીએ ટીમમાં પસંદગીના થોડા કલાકો પહેલાં જ સ્થાનિક T20 મેચમાં તોફાની ઇનિંગ રમી હતી. માત્ર 72 બોલમાં 145 રન ફટકારનાર આ બેટ્સમેન હવે ટેસ્ટ ડેબ્યૂ કરશે કે નહીં, તેના પર સૌની નજર છે.
- Smit Chauhan
- Updated on: Aug 20, 2026
- 9:57 pm
IND vs SL: 2-0થી ક્લીનસ્વીપ પાક્કી? જ્યાં બીજી ટેસ્ટ રમાશે ત્યાં ટીમ ઈન્ડિયા 15 વર્ષથી નથી હારી
ગાલેમાં શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બીજી ટેસ્ટ કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. શ્રીલંકા માટે આ મેચ કરો યા મરો જેવી રહેશે, પરંતુ આ મેદાનના છેલ્લા 15 વર્ષના આંકડા ભારતની તરફેણમાં છે. શું આ વખતે પણ ઈતિહાસ ટીમ ઈન્ડિયાની સાથે રહેશે?
- Smit Chauhan
- Updated on: Aug 20, 2026
- 5:42 pm