શ્રીલંકા
શ્રીલંકા દક્ષિણ એશિયામાં ઉત્તર હિંદ મહાસાગરમાં એક દ્વીપ દેશ છે. તે ભારતની દક્ષિણમાં આવેલું છે અને ભારતથી માત્ર 31 કિલોમીટર દૂર છે. શ્રીલંકાનું સૌથી મોટું શહેર કોલંબો એક મહત્વપૂર્ણ દરિયાઈ બંદર છે.શ્રીલંકા ઘણા ધર્મોના લોકોનું ઘર છે, પરંતુ બૌદ્ધ ધર્મ સૌથી પ્રચલિત ધર્મ છે, ત્યારબાદ હિન્દુ ધર્મ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આવે છે.
આ દેશ તેના દરિયાઈ પ્રવાસન માટે પણ જાણીતો છે. તેને‘Pearl of the Indian Ocean’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશ તેની લીલીછમ હરિયાળી, સુંદર દરિયાકિનારા અને વિવિધ પ્રકારના વન્યજીવન દ્વારા વર્ગીકૃત થયેલ છે.શ્રીલંકા કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું એક અનોખું મિશ્રણ પ્રદાન કરે છે, જે તેને પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ બનાવે છે.
Read MoreIND vs SL: શ્રીલંકા પહોંચતા જ સૌથી મોટી નબળાઈ પર કામ શરૂ, લંકા દહનની તૈયારીની શાનદાર શરૂઆત
ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં તેની સૌથી મોટી નબળાઈ બની ગયેલી ભૂલનું પુનરાવર્તન કરવા માંગતી નથી. એટલા માટે ગૌતમ ગંભીરે કોલંબો પહોંચતાની સાથે જ આ ભૂલ પર કામ કરવાનું શરુ કર્યું હતું. શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટે ખેલાડીઓએ આ ભૂલને સુધારવું ખૂબ જ જરૂરી છે.
- Smit Chauhan
- Updated on: Aug 5, 2026
- 5:57 pm
જ્યારે-જ્યારે બુમરાહ થયો ઇજાગ્રસ્ત, ત્યારે-ત્યારે ટીમ ઈન્ડિયાનું પણ તૂટી ગયું મોટી ટૂર્નામેન્ટ જીતવાનું સપનું !
ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફરી એકવાર ઈજા અને ફિટનેસના કારણે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. અગાઉ તે કમર અને અન્ય ઈજાઓને કારણે એશિયા કપ 2022, T20 વર્લ્ડ કપ 2022, IPL 2023, WTC ફાઇનલ 2023 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જેવી મોટી ટુર્નામેન્ટ રમી શક્યો ન હતો.
- Dhruval Shah
- Updated on: Aug 5, 2026
- 8:47 am
Breaking News : શ્રીલંકા પહોંચતા જ ભારતીય ટીમને ખરાબ સમાચાર મળ્યા ! મેચ ખતરામાં, જાણો આખો મામલો શું છે
2 મેચની ટેસ્ટ સીરિઝ રમવા માટે શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારના રોજ શ્રીલંકાની ધરતી પર પગ રાખી ચૂકી છે. પરંતુ શ્રીલંકા પહોંચતા જ ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.તો ચાલો જાણીએ આ ખરાબ સમાચાર શું છે.
- Nirupa Duva
- Updated on: Aug 5, 2026
- 8:22 am
IND vs SL: 3 છગ્ગા ફટકારતા જ રિષભ પંત પૂરી કરશે ખાસ ‘સદી’, આવો કમાલ કરનાર પહેલો ભારતીય બનશે
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત માટે મહત્વપૂર્ણ રહેશે. આ શ્રેણી દરમિયાન તે એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. ત્રણ છગ્ગા ફટકારતા જ તે એક એવી સિદ્ધિ હાંસલ કરી શકે છે જે અન્ય કોઈ ભારતીય ખેલાડી હાંસલ કરતી શક્યો નથી.
- Smit Chauhan
- Updated on: Aug 4, 2026
- 9:40 pm
IND vs SL: શ્રીલંકામાં બેવડી સદી ફટકારવી કેમ છે મુશ્કેલ? ફક્ત 2 ભારતીયોએ કરી છે કમાલ, હવે ગિલ-યશસ્વી પર નજર
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી પહેલાં ક્રિકેટ ચાહકોની નજર ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેનો પર છે. શ્રીલંકાની પીચો પર લાંબી ઇનિંગ રમવી હંમેશા પડકારજનક રહી છે. અત્યાર સુધી માત્ર ગણતરીના ભારતીય બેટ્સમેનો જ ત્યાં બેવડી સદી ફટકારી શક્યા છે. હવે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ પાસે આ ખાસ સિદ્ધિ હાંસલ કરવાની તક છે.
- Smit Chauhan
- Updated on: Aug 4, 2026
- 7:46 pm
IND vs SL: ઉધાર લીધેલા જૂતા પહેરી શરૂ કરી સફર, આજે ભારત-શ્રીલંકાના આ ક્રિકેટરોએ બનાવી પોતાની અલગ ઓળખ
ક્રિકેટની દુનિયામાં સફળતા મેળવવા માટે માત્ર પ્રતિભા જ નહીં, પરંતુ સંઘર્ષ અને મહેનત પણ જરૂરી હોય છે. ભારત અને શ્રીલંકાના કેટલાક ક્રિકેટરોએ આ વાત સાબિત કરી છે. ક્યારેક તેમની પાસે પોતાના જૂતા પણ નહોતા, પરંતુ ઉધાર લીધેલા જૂતા પહેરીને તેમણે ટ્રાયલ્સ આપ્યા અને આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.
- Smit Chauhan
- Updated on: Aug 4, 2026
- 6:47 pm
IND vs SL: શ્રીલંકા ન પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી, ટેસ્ટ શ્રેણીમાં રમવા પર સસ્પેન્સ
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એક યુવા સ્ટાર ખેલાડી ઈજાને કારણે ટીમ સાથે શ્રીલંકા પહોંચી શક્યો નથી. હાલમાં તે રિકવરી પર કામ કરી રહ્યો છે, પરંતુ તેની ટેસ્ટ શ્રેણીમાં ભાગીદારી અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
- Smit Chauhan
- Updated on: Aug 4, 2026
- 5:50 pm
IND vs SL: IPLની ઓફરને ‘ના’ પાડનાર ખેલાડી શ્રીલંકામાં 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડવા માટે તૈયાર
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થશે. પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનારા 33 વર્ષીય સારાંશ જૈન પાસે આ શ્રેણીમાં ઈતિહાસ રચવાની તક છે. IPLમાં નેટ બોલરની ઓફર નકારનાર આ ઓલરાઉન્ડરને જો ડેબ્યૂ કરવાની તક મળશે તો તે ભારત માટે સૌથી વધુ ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરનાર ખેલાડી બની 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.
- Smit Chauhan
- Updated on: Aug 4, 2026
- 4:56 pm
IND vs SL: પિતાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, હવે પુત્ર ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાં રમશે
IND vs SL Test: શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ધનંજય ડી સિલ્વા ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે. ધનંજય ટીમનો કેપ્ટન હોવાની સાથે ટીમનો સૌથી વિશ્વસનીય બેટ્સમેન પણ છે. મેદાન પર મક્કમ બેટિંગ અને સ્માર્ટ કપ્તાની કરનાર ધનંજય ડી સિલ્વાના પિતાની વર્ષ 2018 માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
- Smit Chauhan
- Updated on: Aug 4, 2026
- 4:33 pm
જેણે ભારતને વર્લ્ડ કપ અપાવ્યો, તે જ હવે ભારત સામે રચશે ચક્રવ્યૂહ ! જાણો કોણ છે શ્રીલંકાના નવા હેડ કોચ
શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને માત્ર પોતાની આંતરિક પડકારોનો જ નહીં પરંતુ મેદાનની બહારની એવી વ્યક્તિનો પણ સામનો કરવો પડશે, જે ભારતીય ક્રિકેટને ખૂબ નજીકથી જાણે છે.
- Dhruval Shah
- Updated on: Aug 4, 2026
- 1:58 pm
Breaking News : શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થયો જસપ્રીત બુમરાહ, આ છે મોટું કારણ
Jasprit Bumrah ruled out of Sri Lanka Test Series: શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે સીરિઝમાંથી બહાર થયો.
- Nirupa Duva
- Updated on: Aug 2, 2026
- 2:06 pm
IND vs SL: શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાનો શેડ્યૂલ બદલાયો, હવે આ મેચ ફક્ત 3 દિવસની રહેશે
ભારતીય ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં શ્રીલંકાના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. એક વોર્મ-અપ મેચ પણ શેડ્યૂલ કરવામાં આવી છે. આ પ્રવાસ પહેલા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Aug 1, 2026
- 3:56 pm
પાકિસ્તાનની ગજબ બેઈજ્જતી, 24 વર્ષ બાદ શ્રીલંકા સામે ODI સિરીઝ હારી, 76 બોલ પહેલા જ મેચ પૂરી
પાકિસ્તાન મહિલા ટીમ માટે શ્રીલંકા પ્રવાસ શરમજનક હાર સાથે પૂરો થયો. 24 વર્ષ બાદ શ્રીલંકાએ પાકિસ્તાન સામે દ્વિપક્ષીય ODI સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો. ત્રીજી વનડેમાં પાકિસ્તાનની ટીમ માત્ર 187 રનમાં સમેટાઈ ગઈ, જ્યારે શ્રીલંકાએ 76 બોલ બાકી રાખીને 8 વિકેટે મેચ જીતી લીધી. આ સાથે પાકિસ્તાનને સિરીઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો.
- Smit Chauhan
- Updated on: Jul 28, 2026
- 9:57 pm
Team India : ટીમ ઈન્ડિયા 19 દિવસના બ્રેક પર, જાણો ક્યારે અને કોની સામે મેદાનમાં ઉતરશે
ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ 4 દિવસમાં પૂર્ણ થયો છે. ત્યારબાદ હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ ક્યારે અને કોના વિરુદ્ધ છે. તેના વિશે જાણી લઈએ. 2 અઠવાડિયાથી વધારેનો બ્રેક ખેલાડીઓને મળવાનો છે.
- Nirupa Duva
- Updated on: Jul 27, 2026
- 9:19 am
SL vs IND: 15 ઓગસ્ટે શરૂ થશે ભારત-શ્રીલંકા ટેસ્ટ, ભારતીય ક્રિકેટમાં બીજી વખત બનશે અનોખો સંયોગ
ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને બે ટેસ્ટ મેચની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે જશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટે ગાલેમાં રમાશે. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં માત્ર બીજી વખત એવું બનશે કે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ મેચ સ્વતંત્રતા દિવસના રોજ શરૂ થશે. અગાઉ 2014માં ઈંગ્લેન્ડ સામે આવો સંયોગ સર્જાયો હતો.
- Smit Chauhan
- Updated on: Jul 21, 2026
- 4:28 pm