પાકિસ્તાન ક્રિકેટ ટીમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. ભારતની જેમ પાકિસ્તાન પણ ICCનું પૂર્ણ સભ્ય છે. આ વિશ્વ ક્રિકેટની સૌથી અનુભવી ટીમોમાંથી એક છે, જેને ત્રણેય ફોર્મેટમાં મેચ રમવાનો ઘણો અનુભવ છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમને મેન ઇન ગ્રીન પણ કહેવામાં આવે છે.

Read More
Follow On:

IPL 2024: 4.4 કરોડની કમાણી કરનાર બોલર પાકિસ્તાન સામે નહીં રમે, ભારતમાં IPL સિઝન છોડી નહીં જાય

આયર્લેન્ડનો ઝડપી બોલર જોશ લિટલ 10 મેથી યોજાનારી પાકિસ્તાન સામેની શ્રેણીમાં ભાગ નહીં લે. તે ગુજરાત ટાઈટન્સ તરફથી રમે છે અને ટીમની છેલ્લી મેચ સુધી IPLમાં રમશે. આ માટે તેને આઈરિશ બોર્ડની પરવાનગી પણ મળી છે. ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીએ જોશ લિટલને 4.4 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો અને હાલમાં તે GT તરફથી રમતા સારું પ્રદર્શન કરી રહ્યો છે.

IPL 2024 દરમિયાન પાકિસ્તાનને મોટી ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે BCCI, બોર્ડે બનાવ્યો માસ્ટર પ્લાન

IPLની વચ્ચે પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડ સાથે T20 સિરીઝ રમવા માંગે છે. આ માટે ECBએ તેના આઠ ખેલાડીઓને IPLમાંથી પાછા બોલાવ્યા છે. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને આ મોટી યોજના બનાવી હતી. પરંતુ BCCIએ પાકિસ્તાનની આ યોજનાને બગાડવાનો નિર્ણય લીધો છે.

T20 World Cup 2024 : વિરાટ કોહલીને આઉટ કરવા ખાસ પ્લાન બનાવવામાં આવશે, બાબર આઝમે કહી મોટી વાત

બાબર આઝમે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ પહેલા વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે. બાબરે કહ્યું કે તે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને વહેલા આઉટ કરવાની રણનીતિ બનાવશે. બાબર આઝમના આ નિવેદન બાદ પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરે છે અને વિરાટ કોહલીને કેવી રીતે જલદી આઉટ કરે છે, તેના પર બધાની ખાસ નજર રહેશે.

PCBએ પોતાના જ પગે મારી કુહાડી, IPLની સાથે જ PSLનું કરશે આયોજન

PCBએ હવે BCCI સાથે સીધી સ્પર્ધા કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાની બોર્ડે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું છે કે PSL-7 એપ્રિલથી 20 મે વચ્ચે યોજાશે, જ્યારે અગાઉ તે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં યોજવામાં આવતું હતું. BCCI ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નું આયોજન માત્ર એપ્રિલ-મે વિન્ડોમાં કરે છે.

T20 World Cup 2024: પાકિસ્તાને 18 ખેલાડીઓની પસંદગી કરી, જેમાંથી 2 અનફિટ

ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ સહિત કેટલાક દેશોએ T20 વર્લ્ડ કપ 2024 માટે તેમની ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ પાકિસ્તાને હજુ આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી અને પાકિસ્તાની બોર્ડ 24 મેની સમયમર્યાદા પહેલા ટીમની જાહેરાત કરશે. T20 વર્લ્ડ કપ 2024 પહેલા પાકિસ્તાન આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમશે.

Champions Trophy 2025: ભારતની ‘હા’ પહેલા પાકિસ્તાને નક્કી કરી લીધું કે ટીમ ઈન્ડિયા ક્યાં રમશે?

લાંબા સમય બાદ પાકિસ્તાનને ICC ટૂર્નામેન્ટની યજમાની કરવાની તક મળી છે પરંતુ તેમાં પણ ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાને લઈને શંકાની સ્થિતિ છે. ભારતીય ટીમ 2008થી પાકિસ્તાન ગઈ નથી. પાકિસ્તાન ક્રિકેટે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને PCBએ પહેલાથી જ નક્કી કરી લીધું છે કે ભારતીય ટીમની મેચ ક્યાં રમાશે. પાકિસ્તાને ભલે શહેર પસંદ કર્યું હોય, પરંતુ અંતિમ નિર્ણય હજુ ભારતે લેવાનો બાકી છે.

‘ટ્રોફી જીતવાની કોઈ ગેરંટી નથી…’ ગેરી કર્સ્ટને પાકિસ્તાનના કોચ બનતા જ કહી મોટી વાત

ગેરી કર્સ્ટન IPLમાં ગુજરાત ટાઈટન્સ માટે મેન્ટર તરીકે કામ કરી રહ્યા છે. રવિવારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે તેમને ODI અને T20 માટે કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તે આગામી ત્રણ વર્ષ સુધી ટીમ સાથે જોડાયેલો રહેશે. આ સમયગાળા દરમિયાન ત્રણ ICC ટૂર્નામેન્ટ રમવાની છે. આવી સ્થિતિમાં તેણે પાકિસ્તાન માટે ઓછામાં ઓછી એક ટ્રોફી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.

પાકિસ્તાનની ટીમમાં વિભાજન? ખેલાડીઓ બાબર આઝમની વાત નથી સાંભળતા, મેચમાં થયું કેપ્ટનનું અપમાન!

ન્યુઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં 1-2થી પાછળ રહ્યા બાદ બાબર આઝમ સહિત સમગ્ર ટીમ પર સવાલો ઉઠી રહ્યા છે. દરમિયાન, ટીમમાં વિભાજનના સમાચારે વધુ મુશ્કેલી ઉભી કરી છે. પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ દાવો કર્યો છે કે પાકિસ્તાની ટીમના ખેલાડીઓ કેપ્ટન બાબર આઝમની વાત સાંભળી રહ્યા નથી.

T20 World Cup : ભારત-પાકિસ્તાન મેચમાં ઓસ્ટ્રેલિયન તડકો, 14000 KM દૂર થઈ રહી છે તૈયારીઓ

આ વખતનો T20 વર્લ્ડ કપ એટલા માટે પણ ખાસ છે કારણ કે પહેલીવાર અમેરિકામાં ICCની કોઈ મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમેરિકામાં અને ખાસ કરીને ન્યૂયોર્કમાં ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને આવી સ્થિતિમાં સ્ટેડિયમ તૈયાર કરવા માટે અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયાની પણ મદદ લેવામાં આવી રહી છે.

સ્ટાર ખેલાડીએ T20 વર્લ્ડ કપ પહેલા લીધો સંન્યાસ, 18 વર્ષનું રહ્યું ક્રિકેટ કરિયર

આ વર્ષ ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે, આ પહેલા પાકિસ્તાનની મહિલા ક્રિકેટરે ઈન્ટરનેશનલ કરિયરને અલવિદા કહ્યું છે. પોતાની દિકરી સાથેનો ફોટો પોસ્ટ કરી એક ઈમોશનલ પોસ્ટ લખી છે.

IND vs PAK: T20 વર્લ્ડ કપમાં કેવી રીતે યોજાશે ભારત-પાકિસ્તાન મેચ? અમેરિકાના સ્ટેડિયમની હાલત જોઈને ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ વિશ્વમાં સૌથી વધુ જોવાનાર મેચોમાંની એક છે. કરોડો લોકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. T20 વર્લ્ડ કપમાં બંને દેશ ફરી એકવાર સામસામે ટકરાશે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મેચમાં માત્ર 49 દિવસ બાકી છે અને અમેરિકામાં જ્યાં આ મેચ રમાવાની છે તે સ્ટેડિયમ હજુ તૈયાર નથી થયું.

મોહમ્મદ રિઝવાને T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલી અને બાબર આઝમનો રેકોર્ડ તોડી આ બાબતે બન્યો નંબર-1

PAK vs NZ મોહમ્મદ રિઝવાન: પાકિસ્તાનના વિકેટકિપર મોહમ્મદ રિઝવાને ન્યુઝીલેન્ડ સામેની બીજી T20Iમાં 45 રનની ઇનિંગ રમીને એક નવો વિક્રમ રચી દીધો છે. મોહમ્મદ રિઝવાને વિક્રમ રચવાની સાથોસાથ ભારતના વિરાટ કોહલી અને પાકિસ્તાનના બાબર આઝમને પણ પાછળ છોડી દીધા છે.

પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ રમવા માંગે છે રોહિત શર્મા, કહ્યું ભારત-પાક મેચ કેવી રીતે થઈ શકે?

ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમે છે. 2008માં મુંબઈ હુમલા બાદ બંને ટીમોએ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી, પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે તટસ્થ જગ્યાએ ટેસ્ટ સિરીઝ રમાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી.

અઝહર મહમૂદ બન્યા પાકિસ્તાનના મુખ્ય કોચ, PCBએ લીધા વધુ 3 મોટા નિર્ણય

અઝહર મહમૂદને પાકિસ્તાન ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. આ સિવાય વહાબ રિયાઝને ટીમના સિનિયર મેનેજરની જવાબદારી, મોહમ્મદ યુસુફને બેટિંગ કોચ અને સઈદ અજમલને સ્પિન બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને હરાવ્યું ત્યારે અઝહર મહેમૂદ પાકિસ્તાનના બોલિંગ કોચ હતા.

ફિટનેસની ટ્રેનિંગમાં ખેલાડીઓએ બેટ અને બોલ છોડી બંદૂક હાથમાં લીધી, જુઓ વીડિયો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાલમાં સૈનાની સાથે ફિટનેસ પર કામ કરી રહ્યા છે. આ ટ્રેનિંગ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટરો સેના પાસેથી બંદૂક ચલાવવાની પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
g clip-path="url(#clip0_868_265)">