AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 ક્રિકેટ

T20 ક્રિકેટ

છેલ્લા કેટલાક વર્ષોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.ટ્વેન્ટી20એ ક્રિકેટનું ટૂંકું ફોર્મેટ છે. ભારતીય ટીમઅત્યારસુધી 2 ટી20 વર્લ્ડકપ પોતાને નામ કરી ચૂકી છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. આ પછી ODI ક્રિકેટ છે જે 50 ઓવર પ્રતિ ઇનિંગ્સની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર, સૌથી ટૂંકું ફોર્મેટ T20 ક્રિકેટ છે. જે 20 ઓવર પ્રતિ ઇનિંગ્સ છે.

ટ્વેન્ટી20 રમતમાં બંને ટીમો એક જ ઇનિંગ રમે છે, જે મહત્તમ વીસ ઓવર (ટીમ દીઠ 120 બોલ) સુધી મર્યાદિત હોય છે. ફર્સ્ટ-ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટની સાથે, ટ્વેન્ટી20 એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને સ્તરે રમાતા ઉચ્ચતમ સ્તરના ક્રિકેટ તરીકે માન્યતા પ્રાપ્ત ક્રિકેટના ત્રણ ફોર્મેટમાંનું એક છે.એક સામાન્ય ટ્વેન્ટી20 મેચ 3 કલાકથી થોડો વધુ ચાલે છે, જેમાં દરેક ઇનિંગ લગભગ 90 મિનિટ અને ઇનિંગ્સ વચ્ચે 10-મિનિટનો બ્રેક હોય છે. આ રમતના અગાઉના ફોર્મેટ કરતા નોંધપાત્ર રીતે ટૂંકો છે. આ ફોર્મેટ મેદાન પરના ચાહકો અને ટેલિવિઝન ચાહકો બંનેને આકર્ષિત કરે છે.મોટાભાગના આંતરરાષ્ટ્રીય પ્રવાસોમાં ઓછામાં ઓછી એક ટ્વેન્ટી20 મેચનો સમાવેશ થાય છે,

Read More

એશિયા કપ માટે દુબઈ પહોંચી ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન સામેના મુકાબલા પર બધાની નજર

મહિલા એશિયા કપ 2026 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દુબઈ પહોંચી ગઈ છે. 28 ઓગસ્ટથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર એશિયન ચેમ્પિયન બનવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ સામે ખિતાબ બચાવવાનો નહીં, પરંતુ પાછલી આવૃત્તિની હારનો જવાબ આપવાનો પડકાર પણ રહેશે. ખાસ કરીને પાકિસ્તાન સામેની મેચ પર ચાહકોની નજર રહેશે.

Braking News: આ ખેલાડીના કારણે વિરાટ કોહલીના કોચ મુશ્કેલીમાં, DPL 2026 માં એક મોટો ‘કૌભાંડ’

દિલ્હી પ્રીમિયર લીગ માટે દેવ ચૌધરીની પસંદગીએ મોટો વિવાદ ઉભો કર્યો છે. વિરાટના બાળપણના કોચ રાજકુમાર શર્મા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

IND vs AFG: ભારત સામેની T20 શ્રેણી માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર, વિરાટ કોહલી સાથે લડનાર ખેલાડીની વાપસી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં ત્રણ મેચની T20 શ્રેણી રમાવાની છે. આ શ્રેણી માટે અફઘાનિસ્તાને પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. ઈબ્રાહીમ ઝદરાનને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે સ્ટાર ઝડપી બોલર નવીન-ઉલ-હકની પણ ટીમમાં વાપસી થઈ છે. શ્રેણીની તમામ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

રોનાલ્ડોના દેશે ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સ્પેનને હરાવી 2028 ના T20 વર્લ્ડ કપ તરફ આગળ વધ્યું

ફૂટબોલની દુનિયામાં પ્રભુત્વ ધરાવતા રોનાલ્ડોના દેશે પોર્ટુગલે ક્રિકેટની દુનિયામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પોર્ટુગલે ICC મેન્સ T20 વર્લ્ડ કપ યુરોપ સબ-રિજનલ ક્વોલિફાયર C 2026 જીત્યું છે. આ ટાઇટલ જીત સાથે પોર્ટુગલ ICC મેન્સ T20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયર 2027 માટે સીધું ક્વોલિફાય થઈ ગયું છે. એટલે કે પોર્ટુગલ 2028 ના T20 વર્લ્ડ કપ તરફ આગળ વધ્યું છે.

હાર્દિક પંડ્યાના ટ્રેડિંગ પર KKR ને મળી ‘મોટો દાવ’ રમવાની સલાહ, હવે શું કોલકાતા આપશે આ 2 ખેલાડીઓની કુરબાની?

IPL 2027 પહેલાં હાર્દિક પંડ્યા કઈ ટીમમાં જશે, તેને લઈને ચર્ચા ગરમ થઈ છે. અફવાઓ વચ્ચે હવે હાર્દિક KKR (કોલકાતા નાઇટ રાઇડર્સ) માં જોડાય તેવી સૌથી વધુ શક્યતા દેખાઈ રહી છે. એવામાં ભારતીય પૂર્વ ક્રિકેટરનું કહેવું છે કે, હાર્દિકને પોતાની ટીમમાં લાવવા માટે કોલકાતાએ પોતાના બે ખેલાડીને ટીમમાંથી બહાર કરવા પડશે.

Breaking News: ટીમ ઈન્ડિયાની સિરીઝમાં થશે મોટો ફેરફાર! આ મેચની તારીખ બદલાશે?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં રમાનારી ત્રણ મેચની T20 સિરીઝના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ એક મેચની તારીખ બદલવા પર વિચાર કરી રહ્યું છે. તેનું મુખ્ય કારણ શું છે? ચાલો જાણીએ.

Breaking News: હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સમાં પાછો આવવા માંગતો હતો, શુભમન ગિલ પણ તૈયાર થયો, તો પછી સોદો કેમ તૂટ્યો?

હાર્દિક પંડ્યાએ 2022માં ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળી અને તેની પ્રથમ સિઝનમાં ફ્રેન્ચાઈઝીને ચેમ્પિયન બનાવી હતી. ટીમ બીજી સિઝનમાં પણ ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ત્યારબાદ હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સમાં ચાલ્યો ગયો. હવે ફરી તે ગુજરાત ટાઈટન્સમાં પાછો આવવા માંગતો હતો અને કેપ્ટન ગિલ પણ તૈયાર હતો, છતાં એવું શું થયું કે આ ડીલ ના થઈ શકી અને પંડયાની ઘર વાપસી નહીં થઈ. ચાલો જાણીએ.

8 વર્ષ રિલેશનશીપમાં રહી 7 વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરનાર રમનદીપ સિંહનો પરિવાર જુઓ

રમનદીપ સિંહ એક ઓલરાઉન્ડર ક્રિકેટર છે, જેનો જન્મ 13 એપ્રિલ 1997ના રોજ ચંદીગઢ પંજાબમાં થયો હતો. તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબ માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માટે રમે છે.રમનદીપ સિંહનો પરિવાર જુઓ

Breaking News: ટીમ ઈન્ડિયાની નવી T20 સિરીઝ જાહેર, ત્રણેય મેચ એક જ મેદાનમાં રમાશે, જાણો શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ ટીમની નવી T20 શ્રેણીની તારીખો જાહેર કરવામાં આવી છે. અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 શ્રેણી 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. તમામ મેચો નવી દિલ્હીમાં રમાશે.

નિવૃત્તિ પછી તરત બીજા દેશનો કેપ્ટન બની ગયો આ ક્રિકેટર, રોનાલ્ડો સાથે છે ખાસ કનેક્શન

39 વર્ષની ઉંમરે નિવૃત્તિ બાદ આ ક્રિકેટર તરત જ બીજા દેશનો કેપ્ટન બની ગયો છે. ખાસ વાત એ છે કે તેનો જન્મ એવી જગ્યાએ થયો છે, જ્યાંથી વિશ્વનો એક દિગ્ગજ ફૂટબોલર પણ આવે છે. હવે તે જ દેશને T20 વર્લ્ડ કપમાં પહોંચાડવાની જવાબદારી તેના ખભા પર છે.

Breaking News: બળાત્કાર અને અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીની ધરપકડ

બળાત્કાર-અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ બંગાળ પોલીસે દિલ્હી કેપિટલ્સના ઓપનરની ધરપકડ કરી છે. ધરપકડ બાદ આ ખેલાડી હવે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તેની કારકિર્દી જોખમમાં મુકાઈ શકે છે.

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વધુ એક ભારતીય ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ખેલાડીઓની ઇજાઓથી પરેશાન ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહેલો ભારતીય ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. ઇજાના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે આ ઓલરાઉન્ડર ક્યારે ફિટ થઈ મેદાનમાં વાપસી કરશે તે જોવું રહ્યું.

સુનીલ નરેનની જાદુઈ બોલિંગ… 4 ઓવરમાં માત્ર 7 રન આપી 3 વિકેટ ઝડપી, 650 વિકેટના રેકોર્ડથી હવે એક ડગલું દૂર

કેરેબિયન પ્રીમિયર લીગ 2026 માં સુનીલ નરેનની શાનદાર બોલિંગે ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું છે. 4 ઓવરમાં માત્ર 7 રન આપી 3 વિકેટ ઝડપીને નરેને ફરી એકવાર સાબિત કર્યું કે, શા માટે તેને T20 ક્રિકેટના મહાન બોલરોમાંનો એક ગણવામાં આવે છે.

મિત્રની બહેન સાથે પ્રેમ થયો, પરિવાર હતો લગ્નની વિરુદ્ધ, આવો છે અજિત અગરકરનો પરિવાર

અજિત અગરકરે રમતના ત્રણેય ફોર્મેટમાં 200 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.તેઓ 2002 ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને 2007 T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા અને 2003 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2000 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં રનર્સ અપ રહ્યા હતા.અજિત અગરકરનો પરિવાર જુઓ.

Ajinkya Rahane: નિવૃત્તિ બાદ ફરી મેદાનમાં અજિંક્ય રહાણે, આ વિદેશી T20 લીગમાં બતાવશે તાકાત

ભારતના મજબૂત બેટ્સમેન અજિંક્ય રહાણેએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ તેમજ ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે નિવૃત્તિ બાદ પણ તે મેદાનમાં રમતો જોવા મળશે. તે જલ્દી એક વિદેશી લીગમાં રમી શકે છે. નિવૃત્તિ પછી પણ રહાણે આ T20 લીગમાં પોતાની તાકાત બતાવશે.

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
તહેવારોમાં પીઝાનો ઓર્ડર આપતા પહેલા ચેતી જજો
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
g clip-path="url(#clip0_868_265)">