T20 ક્રિકેટ
છેલ્લા કેટલાક વર્ષોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.ટ્વેન્ટી20એ ક્રિકેટનું ટૂંકું ફોર્મેટ છે. ભારતીય ટીમઅત્યારસુધી 2 ટી20 વર્લ્ડકપ પોતાને નામ કરી ચૂકી છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. આ પછી ODI ક્રિકેટ છે જે 50 ઓવર પ્રતિ ઇનિંગ્સની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર, સૌથી ટૂંકું ફોર્મેટ T20 ક્રિકેટ છે. જે 20 ઓવર પ્રતિ ઇનિંગ્સ છે.
ટ્વેન્ટી20 રમતમાં બંને ટીમો એક જ ઇનિંગ રમે છે, જે મહત્તમ વીસ ઓવર (ટીમ દીઠ 120 બોલ) સુધી મર્યાદિત હોય છે. ફર્સ્ટ-ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટની સાથે, ટ્વેન્ટી20 એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને સ્તરે રમાતા ઉચ્ચતમ સ્તરના ક્રિકેટ તરીકે માન્યતા પ્રાપ્ત ક્રિકેટના ત્રણ ફોર્મેટમાંનું એક છે.એક સામાન્ય ટ્વેન્ટી20 મેચ 3 કલાકથી થોડો વધુ ચાલે છે, જેમાં દરેક ઇનિંગ લગભગ 90 મિનિટ અને ઇનિંગ્સ વચ્ચે 10-મિનિટનો બ્રેક હોય છે. આ રમતના અગાઉના ફોર્મેટ કરતા નોંધપાત્ર રીતે ટૂંકો છે. આ ફોર્મેટ મેદાન પરના ચાહકો અને ટેલિવિઝન ચાહકો બંનેને આકર્ષિત કરે છે.મોટાભાગના આંતરરાષ્ટ્રીય પ્રવાસોમાં ઓછામાં ઓછી એક ટ્વેન્ટી20 મેચનો સમાવેશ થાય છે,
Breaking News: કેપ્ટનશીપ અને ટીમમાંથી સ્થાન ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવની પહેલી પ્રતિક્રિયા, જાણો SKY એ શું કહ્યું?
BCCI એ સૂર્યકુમાર યાદવ પાસેથી T20I કેપ્ટનશીપ છીનવી લીધી છે. તેને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ, સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. કેપ્ટનશીપ અને ટીમમાંથી સ્થાન ગુમાવ્યા બાદ સૂર્યકુમાર યાદવની પહેલી પ્રતિક્રિયા શું હતી? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 5:17 pm
Suryakumar Yadav : ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ કાયમ માટેનો OUT? શું કહ્યું અજીત અગરકરે!
કોઈએ કલ્પના કરી નહીં હશે કે ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારો અને ટીમનો કેપ્ટન બનેલો ખેલાડી સૂર્યકુમાર યાદવ માત્ર 22 મહિનાના ટૂંકા ગાળામાં પોતાની કેપ્ટનશીપ જ નહીં, પરંતુ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પણ ગુમાવી દેશે.
- Dhruval Shah
- Updated on: Jun 6, 2026
- 4:05 pm
Breaking News: શ્રેયસ અય્યર બન્યો ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન, સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત
BCCI ની પસંદગી સમિતિએ 6 જૂન, શનિવારના રોજ મુંબઈમાં BCCI મુખ્યાલયમાં બેઠક યોજી હતી, જેમાં ભારતના આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસ અને શ્રીલંકામાં ભારત A સામેની બિનસત્તાવાર ટેસ્ટ મેચ માટે ટીમોની પસંદગી કરી હતી. BCCI ભારતના નવા T20 કેપ્ટનની પણ જાહેરાત કરી છે. આ સાથે જ સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત થયો છે અને શ્રેયસ અય્યરના યુગની શરૂઆત થઈ છે.
- Smit Chauhan
- Updated on: Jun 6, 2026
- 3:50 pm
Breaking News: ભારતીય ક્રિકેટ માટે નિર્ણાયક દિવસ, અફઘાનિસ્તાન ટેસ્ટથી લઈને નવા T20 કેપ્ટન સુધી મોટા ફેરફારોની તૈયારી
ભારતીય ક્રિકેટ માટે આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટેની રણનીતિ, T20 ટીમની કેપ્ટનશિપ અને નવા ખેલાડીઓને તક આપવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. શ્રેયસ અય્યરને T20 ટીમની કમાન મળવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
- Nishat
- Updated on: Jun 6, 2026
- 9:03 am
Big Cricket League: Universal Bossનું કમબેક રહ્યું ફિક્કું, યુપી બ્રિજ સ્ટાર્સે ક્રિસ ગેલની ટીમને હરાવી
Big Cricket League Season 2: "યુનિવર્સલ બોસ" તરીકે જાણીતો ક્રિસ ગેલ, વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક છે. ક્રિસ ગેલ બિગ ક્રિકેટ લીગ (BCL) સિઝન 2 ની ચોથી મેચમાં મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો અને તેનું કમબેક નિષ્ફળ ગયું હતું.
- Smit Chauhan
- Updated on: Jun 5, 2026
- 9:14 pm
Breaking News: IPL 2026 માં 31 છગ્ગા, 174 ના સ્ટ્રાઈક રેટથી 593 રન, છતાં ઓક્શનમાં કોઈએ ના ખરીદ્યો
કર્ણાટકની મહારાજા T20 ટ્રોફી માટે યોજાયેલી હરાજીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીનું નામ ચર્ચામાં રહ્યું કારણ કે તે અનસોલ્ડ રહ્યો. IPL 2026માં 593 રન અને શાનદાર સ્ટ્રાઈક રેટ હોવા છતાં કોઈ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો નહીં. મોટો સવાલ એ છે કે સ્ટાર ખેલાડી માટે કોઈએ બોલી કેમ ન લગાવી? ચાલો જાણીએ.
- Smit Chauhan
- Updated on: Jun 5, 2026
- 7:02 pm
Big Cricket League: શ્રીસંતની ટીમ સતત બીજી મેચ હારી, ગુજરાત ડાયમંડ્સે શાનદાર જીત નોંધાવી
બિગ ક્રિકેટ લીગની બીજી સિઝનની ત્રીજી મેચમાં ગુજરાત ડાયમંડ્સે મુંબઈ મરીન્સને 44 રનથી હરાવ્યું હતું. 4 જૂનના રોજ રમાયેલી આ મેચમાં 15-15 ઓવરો રમાઈ હતી. શ્રીસંતની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ મરીન્સનો આ સતત બીજો પરાજય હતો.
- Smit Chauhan
- Updated on: Jun 5, 2026
- 5:34 pm
Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની માર્કેટમાં ધૂમ, એક જાહેરાત માટે મળશે ₹1 કરોડથી વધુ!
IPL 2026 માં શાનદાર પ્રદર્શન કર્યા પછી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી જાહેરાતની દુનિયામાં એક નવો સ્ટાર બની ગયો છે. ઘણી મોટી કંપનીઓ તેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કરવા માટે સ્પર્ધા કરી રહી છે. અહેવાલો અનુસાર, તેના એક એન્ડોર્સમેન્ટ ડીલની કિંમત ₹1 કરોડથી વધુ હોઈ શકે છે.
- Smit Chauhan
- Updated on: Jun 4, 2026
- 10:00 pm
Breaking News: T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાને શું-શું આપ્યું? તેની કેપ્ટનશીપ બચાવી શકાઈ હોત જો…
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ પર મોટો ખતરો છે. એવું માનવામાં આવે છે કે BCCI હવે નવા T20 કેપ્ટનની શોધ કરી રહ્યું છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હોવા છતાં, ટીમમાં તેનું સ્થાન હવે સુરક્ષિત નથી. ચાલો જાણીએ T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાને શું આપ્યું છે.
- Smit Chauhan
- Updated on: Jun 4, 2026
- 8:58 pm
Breaking News: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની IPL પર હતી નજર, ખરીદવા માંગતો હતો ટીમ, લલિત મોદીનો ચોંકાવનારો દાવો, જુઓ VIDEO
IPLના સ્થાપક લલિત મોદીના તાજેતરના ખુલાસાએ ક્રિકેટ જગતમાં નવી ચર્ચા જગાવી છે. લલિત મોદીના દાવા મુજબ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે IPLમાં પોતાની ટીમ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. IPLના શરૂઆતના દિવસોમાં લીગની વધતી લોકપ્રિયતાને કારણે અનેક મોટા નામો તેમાં રોકાણ કરવા આતુર હતા. જોકે, દાઉદ સંબંધિત આ દાવાને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ અથવા દસ્તાવેજી પુરાવો સામે આવ્યો નથી.
- Smit Chauhan
- Updated on: Jun 4, 2026
- 7:54 pm
Breaking News: RCB ને IPL 2026 ચેમ્પિયન બનાવ્યાના માત્ર 72 કલાકમાં જ કેપ્ટન રજત પાટીદારને મળી મોટી હાર
મધ્યપ્રદેશ પ્રીમિયર લીગ 3 જૂનના રોજ શરૂ થઈ હતી. RCB ને સતત બીજીવાર ચેમ્પિયન બનાવનાર રજત પાટીદાર તેના રાજ્યની T20 લીગની પહેલી મેચ રમી હતી. જોકે, તેનું અને તેની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને ટીમને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. RCB ને ચેમ્પિયન બનાવ્યાના 72 કલાક બાદ જ પાટીદારને હાર મળી હતી.
- Smit Chauhan
- Updated on: Jun 4, 2026
- 6:03 pm
Breaking News: ઋતુરાજ ગાયકવાડ અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીનું સ્થાન લેશે!
અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ઋતુરાજ ગાયકવાડનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ થઈ શકે છે. એક અહેવાલ મુજબ, ઋતુરાજ ગાયકવાડ વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે, જે ઈજાને કારણે બહાર થઈ ગયો છે. ઋતુરાજ ગાયકવાડ શ્રીલંકા પ્રવાસે ગયેલી ઈન્ડિયા A ટીમનો વાઈસ કેપ્ટન હતો. જોકે, હવે તે અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં જોડાશે.
- Smit Chauhan
- Updated on: Jun 4, 2026
- 5:25 pm
Breaking News: ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર હાર્દિક પંડ્યાને T20 ટીમમાંથી બહાર કરવામાં આવશે? જાણો કારણ
IPL 2026 માં હાર્દિકનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જે બાદ તે આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સમાં નહીં રમે તેવી ચર્ચા છે. IPL 2026 બાદ હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામે વનડે શ્રેણીમાં રમતો જોવા મળશે. જોકે આ સિઝન પહેલા ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતાડનાર ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા T20 ટીમમાંથી બહાર થશે તેવા સમાચાર સામે આવ્યા છે.
- Smit Chauhan
- Updated on: Jun 4, 2026
- 5:22 pm
Breaking News : T20માં ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન બનવાની રેસમાં કોણ કોણ છે જાણો
India's Next T20 Captain : ભારતની ટી20 ટીમના નવા કેપ્ટનને લઈ સસ્પેન્સ હવે થોડા સમયમાં જ પૂર્ણ થવાનું છે.હવે માત્ર નામ જાહેર કરવાની જ વાર છે, ટુંકમાં સૂર્યકુમાર યાદવના સ્થાન પર ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટન બનવાની રેસમાં 2 નામ સૌથી આગળ ચાલી રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jun 4, 2026
- 8:13 am
Breaking News :સૂર્યકુમાર યાદવ પાસેથી ભારતીય T20 કેપ્ટનશીપ છીનવાઈ ગઈ, કોણ લેશે સ્થાન?
સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો લાગી શકે છે. રિપોર્ટ મુજબ આ ખેલાડીને ભારતની ટી20 કેપ્ટનશીપમાંથી દુર કરાશે.એટલું જ નહી ટીમ ઈન્ડિયામાં સિલેક્શન પણ થયું નથી. જાણો સમગ્ર મામલો
- Nirupa Duva
- Updated on: Jun 4, 2026
- 8:12 am