T20 ક્રિકેટ
છેલ્લા કેટલાક વર્ષોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.ટ્વેન્ટી20એ ક્રિકેટનું ટૂંકું ફોર્મેટ છે. ભારતીય ટીમઅત્યારસુધી 2 ટી20 વર્લ્ડકપ પોતાને નામ કરી ચૂકી છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. આ પછી ODI ક્રિકેટ છે જે 50 ઓવર પ્રતિ ઇનિંગ્સની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર, સૌથી ટૂંકું ફોર્મેટ T20 ક્રિકેટ છે. જે 20 ઓવર પ્રતિ ઇનિંગ્સ છે.
ટ્વેન્ટી20 રમતમાં બંને ટીમો એક જ ઇનિંગ રમે છે, જે મહત્તમ વીસ ઓવર (ટીમ દીઠ 120 બોલ) સુધી મર્યાદિત હોય છે. ફર્સ્ટ-ક્લાસ અને લિસ્ટ A ક્રિકેટની સાથે, ટ્વેન્ટી20 એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને સ્તરે રમાતા ઉચ્ચતમ સ્તરના ક્રિકેટ તરીકે માન્યતા પ્રાપ્ત ક્રિકેટના ત્રણ ફોર્મેટમાંનું એક છે.એક સામાન્ય ટ્વેન્ટી20 મેચ 3 કલાકથી થોડો વધુ ચાલે છે, જેમાં દરેક ઇનિંગ લગભગ 90 મિનિટ અને ઇનિંગ્સ વચ્ચે 10-મિનિટનો બ્રેક હોય છે. આ રમતના અગાઉના ફોર્મેટ કરતા નોંધપાત્ર રીતે ટૂંકો છે. આ ફોર્મેટ મેદાન પરના ચાહકો અને ટેલિવિઝન ચાહકો બંનેને આકર્ષિત કરે છે.મોટાભાગના આંતરરાષ્ટ્રીય પ્રવાસોમાં ઓછામાં ઓછી એક ટ્વેન્ટી20 મેચનો સમાવેશ થાય છે,
Breaking News: વિરાટ કોહલીએ તોડ્યો 2645 રનનો ઐતિહાસિક રેકોર્ડ, ઇંગ્લેન્ડની ધરતી પર રચ્યો નવો ઇતિહાસ; રિકી પોન્ટિંગને પણ પછાડ્યો
કાર્ડિફ વનડેમાં મેદાન પર ઉતરતાની સાથે જ કિંગ કોહલીએ રેકોર્ડ્સની ઝડી લગાવી દીધી છે. ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ રન બનાવવાનો રાહુલ દ્રવિડનો વર્ષો જૂનો રેકોર્ડ તોડવાની સાથે વિરાટે કયા કયા અદભુત કીર્તિમાન સ્થાપ્યા, તેની પૂરી વિગત અહીં જુઓ.
- Sachin Agrawal
- Updated on: Jul 16, 2026
- 8:30 pm
Breaking News: 0,0,0,0,0,0,0,0,0,0… રોહિત શર્માએ તોડી ખરાબ બેટિંગની તમામ હદો, આ રીતે રમશે વનડે વર્લ્ડ કપ?
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં કેપ્ટન રોહિત શર્માનું ખરાબ ફોર્મ ચાલુ છે. પ્રથમ મેચમાં 11 રન બનાવ્યા બાદ, બીજી વનડેમાં રોહિત 47 બોલમાં માત્ર 26 રન જ કરી શક્યો હતો. 2014 પછી પહેલીવાર રોહિતની બેટિંગમાં જોવા મળેલા આ નબળા રેકોર્ડની પૂરી વિગત અહીં જુઓ.
- Sachin Agrawal
- Updated on: Jul 16, 2026
- 8:09 pm
કેએલ રાહુલને એક જ મેચ રમાડ્યા બાદ ટીમમાંથી બહાર કેમ કરવામાં આવ્યો ? 3 વર્ષ પછી આ સ્ટાર ખેલાડીની થઈ એન્ટ્રી
ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચમાં ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યા બાદ કેએલ રાહુલને કાર્ડિફ વનડેમાંથી કેમ બહાર રાખવામાં આવ્યા અને તેમના સ્થાને કયા વિસ્ફોટક બેટ્સમેનને મોકો મળ્યો છે, તેની પૂરી વિગત અહીં જુઓ.
- Sachin Agrawal
- Updated on: Jul 16, 2026
- 8:07 pm
‘વૈભવ સૂર્યવંશી’ ક્યારે રમશે આગામી ‘ઇન્ટરનેશનલ મેચ’? શું T-20 સિરીઝમાં ઓપનિંગ કરતો જોવા મળશે આ ‘યુવા ઓપનર’?
ડેબ્યૂ મેચમાં ખાસ કમાલ ન કરી શકનાર યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીને ટૂંક સમયમાં મેદાન પર ફરી કમબેક કરવાની તક મળી શકે છે. ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ પૂરી થયા બાદ રમાનારી આગામી T-20 સિરીઝ માટે ભારતીય ટીમમાં આ યુવા ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. પોતાની પ્રથમ સિરીઝમાં નિષ્ફળ રહ્યા બાદ વૈભવ માટે આ નવી તક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
- Ravi Prajapati
- Updated on: Jul 16, 2026
- 6:07 pm
હવે ક્રિસ ગેલનો ‘મોટો રેકોર્ડ’ ખતરામાં… તેના જ ‘લંગોટિયા યારે’ T-20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો
મેજર લીગ ક્રિકેટ (MLC 2026) માં રનનો વરસાદ થવાની સાથે એક મોટો રેકોર્ડ પણ બની ગયો છે. મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડીઝના એક વિસ્ફોટક ઓલરાઉન્ડરે તોફાની ઇનિંગ રમી અને T-20 ક્રિકેટના ઇતિહાસમાં 1000 છગ્ગા મારનાર દુનિયાનો માત્ર બીજો બેટ્સમેન બની ગયો.
- Ravi Prajapati
- Updated on: Jul 16, 2026
- 5:40 pm
એક જ T20 મેચમાં 3 સદી… સ્ટીવ સ્મિથની ટીમે ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરીને ‘વર્લ્ડ રેકોર્ડ’ તોડ્યો
અમેરિકામાં રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટ (MLC) માં એક એવો રોમાંચક મુકાબલો જોવા મળ્યો કે, જેણે T20 ક્રિકેટના ઇતિહાસના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. એક જ મેચમાં 3 સદી અને T20 ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ થવા જેવા અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ આ મેચમાં નોંધાયા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 16, 2026
- 4:02 pm
સૂર્યકુમાર યાદવને જ્યાં પહોંચતા 750 દિવસ લાગ્યા, શ્રેયસ અય્યરે માત્ર 16 દિવસમાં જ મેળવી લીધો એ શરમજનક રેકોર્ડ !
ભારતીય T20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની શરૂઆત ખૂબ જ નબળી રહી છે. સૂર્યકુમાર યાદવ પછી ટીમની કમાન સંભાળનાર અય્યરે કપ્તાનીના શરૂઆતના દિવસોમાં જ એક એવો નકારાત્મક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જેને સૂર્યાએ લાંબા સમય સુધી ટાળી રાખ્યો હતો.
- Sachin Agrawal
- Updated on: Jul 12, 2026
- 9:07 pm
કેપ્ટન Shreyas Iyer કે પછી કોચ Gautam Gambhir? કોના લીધે વર્લ્ડ ચેમ્પિયન ભારત સતત 6 મેચ હાર્યું?
દુનિયાની નંબર-1 અને સતત બે વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમ England પ્રવાસ પર એક પણ મેચ જીતી શકી નથી અને સતત 6 મેચ હારી ગઈ છે. આ શરમજનક પ્રદર્શન માટે માત્ર મેદાન પરના 11 ખેલાડીઓ જ નહીં પણ કેપ્ટન શ્રેયસ અય્યરની નબળી રણનીતિ અને કોચ ગૌતમ ગંભીરના કેટલાક ખોટા નિર્ણયો પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 12, 2026
- 5:44 pm
Breaking News: ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાનો કર્યો વ્હાઈટવોશ, T20 શ્રેણીમાં 5-0 થી કારમી હાર
ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 5-0થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી મેચમાં પણ ભારતીય ટીમ બોલિંગ અને ફિલ્ડીંગમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. બેટ્સમેનનોએ જીત મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ અંતે ટીમની હાર થઈ. આ હાર સાથે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ અને ટીમના પ્રદર્શન પર ગંભીર સવાલો ઉભા થયા છે, જ્યારે ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાનો વ્હાઈટવોશ કરી સંપૂર્ણ દબદબો જમાવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 11, 2026
- 11:12 pm
Breaking News: શ્રેયસ અય્યરની બહેને કર્યું એવું કામ, સોશિયલ મીડિયા પર શરૂ થયો નવો વિવાદ
શ્રેયસ અય્યર પહેલાથી જ પોતાની કેપ્ટનશીપને લઈને વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. એક તરફ જ્યાં ટીમ ઈન્ડિયા હજુ સુધી તેના નેતૃત્વમાં એક પણ મેચ જીતી શકી નથી. ત્યાં બીજી તરફ તેની બહેનના નિવેદનોથી તેની મુશ્કેલીમાં વધારો કરી થઈ રહ્યો છે. શ્રેયસની બહેન શ્રેષ્ઠાની એક પ્રતિક્રિયાથી મોટો વિવાદ ઉભો થયો છે.
- Smit Chauhan
- Updated on: Jul 11, 2026
- 10:54 pm
IND vs ENG: 64 બોલમાં 131 રન… જોસ બટલરે મચાવ્યો તોફાન, 5 વર્ષ બાદ T20 માં ફટકારી સદી
જોસ બટલર, જે આ શ્રેણીમાં એક પણ મોટી કે ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો, તેણે અંતિમ મેચમાં પોતાના બેટથી ભારે તબાહી મચાવી અને ભારતીય બોલરોને જોરદાર ફટકાર્યા. તેણે 5 વર્ષ બાદ પોતાની બીજી T20I સદી પણ ફટકારી હતી.
- Smit Chauhan
- Updated on: Jul 11, 2026
- 9:45 pm
“15 વર્ષના ખેલાડી સાથે અન્યાય…” વૈભવ સૂર્યવંશીને ટીમમાં બહાર કરવા પર ભડક્યા સુનિલ ગાવસ્કર
વૈભવ સૂર્યવંશીને માત્ર ત્રણ મેચ બાદ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાના નિર્ણય પર સવાલ ઉઠી રહ્યા છે. ટીમ મેનેજમેન્ટે છેલ્લી ટી-20માં અનુભવીને પ્રાથમિક્તા દેતા સંજુ સેમસનને પાછો લાવ્યો છે. સુનિલ ગાવસ્કર અને ગ્રીમ સ્વાન માને છે કે T-20 સિરીઝનું પરિણામ પહેલેથી નક્કી થઈ ગયુ હતુ તો એવામાં યુવા બેટ્સમેને વધુ એક તક આપવી જોઈતી હતી.
- Mina Pandya
- Updated on: Jul 11, 2026
- 9:26 pm
Breaking News: વૈભવ સૂર્યવંશીની ટીમમાંથી છુટ્ટી, માત્ર 3 મેચમાં જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર
ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીની છેલ્લી મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. ડેબ્યૂ કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને માત્ર ત્રણ મેચ બાદ જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. સારી શરૂઆત છતાં મોટી ઈનિંગ ન રમી શકનાર વૈભવને અંતિમ મુકાબલામાં તક મળી નથી, જેના કારણે આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 11, 2026
- 8:14 pm
Breaking News: વૈભવ સૂર્યવંશી બહાર, સંજુ સેમસન કરશે ઓપનિંગ, ટોસ જીતી ભારતની બોલિંગ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે, જ્યારે સંજુ સેમસનનું ટીમમાં કમબેક થયું છે. ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી હારી ગયેલી ટીમ ઈન્ડિયાએ સાઉથમ્પ્ટનમાં પોતાની પ્રતિષ્ઠા બચાવવા છેલ્લી T20 મેચમાં બે ફેરફાર કર્યા હતા.
- Smit Chauhan
- Updated on: Jul 11, 2026
- 7:50 pm
Breaking News: ઈંગ્લેન્ડમાં ટ્રાફિકજામમાં ફસાઈ ટીમ ઈન્ડિયા, સમયસર સ્ટેડિયમ ન પહોંચતા મેચમાં વિલંબ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી T20 પહેલાં ટીમ ઈન્ડિયા ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે ખેલાડીઓ સમયસર સાઉથમ્પ્ટનના યુટિલિટા બાઉલ સ્ટેડિયમ પહોંચી શક્યા નહોતા. પરિણામે ટોસ અને મેચ બંને નિર્ધારિત સમય કરતાં મોડા શરૂ થયા, જેના કારણે ચાહકોને લાંબી રાહ જોવી પડી.
- Smit Chauhan
- Updated on: Jul 11, 2026
- 7:20 pm