IND vs SL: જાડેજા-કુલદીપ નહીં.. આ ભારતીય સ્પિનર શ્રીલંકામાં બની શકે છે ટીમ ઈન્ડિયાનો એક્કો
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે. ટીમ ઈન્ડિયા પાસે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જેવા અનુભવી સ્પિનરો છે, પરંતુ આ યુવા સ્પિનર ગાલેમાં ટીમ ઈન્ડિયાનો એક્કો સાબિત થઈ શકે છે.

ગાલે ટેસ્ટમાં ભારત ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. જાડેજા અને કુલદીપનું સ્થાન લગભગ નિશ્ચિત માનવામાં આવે છે, જ્યારે ત્રીજા સ્પિનર તરીકે માનવ સુથાર અને સારાંશ જૈન વચ્ચે પસંદગી થઈ શકે છે.

સુથારને પસંદ કરવાનો સૌથી મોટો ફાયદો તેની ઊંચાઈ અને બાઉન્સ મેળવવાની ક્ષમતા છે. ગાલેની પીચ પર માત્ર બોલનો ટર્ન જ નહીં, પરંતુ બાઉન્સ પણ સ્પિનરો માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.

શ્રીલંકાના પૂર્વ ઓલરાઉન્ડર ફરવીઝ મહારૂફે પણ સુથારને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેના મતે, જો ભારત ત્રણ સ્પિનરો સાથે રમે તો સુથારને તક આપવી આશ્ચર્યજનક નહીં હોય.

સુથારની સરખામણી શ્રીલંકાના પ્રભાત જયસૂર્યા સાથે પણ થઈ રહી છે. બંને ડાબોડી સ્પિનર છે અને ઊંચાઈને કારણે બોલમાં સારો બાઉન્સ મેળવી શકે છે. જયસૂર્યાએ ગાલેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

માનવ સુથારે અત્યાર સુધી માત્ર એક ટેસ્ટ મેચ રમી છે. હવે ગાલેની પરિસ્થિતિમાં તેની કસોટી થઈ શકે છે. જો તે બાઉન્સનો યોગ્ય ઉપયોગ કરવામાં સફળ રહેશે, તો તે જાડેજા અને કુલદીપ સાથે ટીમ ઈન્ડિયાના સ્પિન આક્રમણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. (PC:PTI/X)
IND vs SL: SSPનો પુત્ર ભારત-શ્રીલંકા શ્રેણીમાં રમશે, એવરેજ 55ની નજીક, 14 સદી ફટકારી ચૂક્યો છે
