AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલ-2 ના નોર્થ બ્લોકનું 16 વર્ષ બાદ લોકાર્પણ

અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલ-2 ના નોર્થ બ્લોકનું 16 વર્ષ બાદ લોકાર્પણ

| Updated on: Aug 12, 2026 | 6:25 PM
Share

અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલ-2 ના આઇકોનિક નોર્થ બ્લોકનું 16 વર્ષની રાહ બાદ લોકાર્પણ થયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં PPP મોડેલ પર બનેલા આ ટર્મિનલમાં આધુનિક વેઇટિંગ એરિયા, ટિકિટિંગ કાઉન્ટર, ફૂડ કોર્ટ, પાર્કિંગ અને સુરક્ષા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

ગુજરાતના જાહેર પરિવહન માળખામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના બની છે. શહેરના ગીતામંદિર બસ ટર્મિનલ-૨ના આઇકોનિક નોર્થ બ્લોકનું 16 વર્ષ જેટલી લાંબી રાહ બાદ આખરે લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ભવ્ય બસ પોર્ટનું ઉદ્ઘાટન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને અમદાવાદ બસ ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. કુલ 4,309 ચોરસ મીટર વિસ્તારમાં નિર્મિત આ ટર્મિનલ-૨ નોર્થ બ્લોક પાછળ ₹186.67 કરોડનો ખર્ચ થયો છે.

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અહીં અનેક આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. જેમાં વિશાળ વેઇટિંગ એરિયા, કાર્યક્ષમ ટિકિટિંગ કાઉન્ટર્સ, વિવિધ ફૂડ કોર્ટ વિકલ્પો, પૂરતું પાર્કિંગ અને અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થાનો સમાવેશ થાય છે. વેઇટિંગ હોલની ક્ષમતા પણ નોંધપાત્ર છે.

જનરલ વેઇટિંગ હોલમાં 100 બેઠકો, લેડીઝ વેઇટિંગ હોલમાં 75 બેઠકો અને ડીલક્ષ વેઇટિંગ હોલમાં 25 બેઠકો ઉપલબ્ધ કરાવાઈ છે. આ નવા નોર્થ બ્લોકના લોકાર્પણથી અમદાવાદ અને આસપાસના વિસ્તારના લાખો મુસાફરોને અત્યાધુનિક અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.

ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ, આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">