Breaking News: વૈભવ સૂર્યવંશીની ટીમમાંથી છુટ્ટી, માત્ર 3 મેચમાં જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર
ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીની છેલ્લી મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. ડેબ્યૂ કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને માત્ર ત્રણ મેચ બાદ જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. સારી શરૂઆત છતાં મોટી ઈનિંગ ન રમી શકનાર વૈભવને અંતિમ મુકાબલામાં તક મળી નથી, જેના કારણે આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.

ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ T20 મેચ માટે ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. સૌથી વધુ ચર્ચા વૈભવ સૂર્યવંશીની બાદબાકીને લઈને થઈ રહી છે.

15 વર્ષીય વૈભવે આ શ્રેણીની બીજી મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેને સતત ત્રણ મેચ રમવાની તક મળી હતી, પરંતુ હવે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે.

વૈભવ ત્રણ મેચમાં કુલ 42 રન જ બનાવી શક્યો હતો. દરેક ઈનિંગમાં તેણે ઝડપી શરૂઆત કરી અને આકર્ષક શોટ્સ રમ્યા, પરંતુ કોઈ પણ વખત મોટી ઈનિંગ રમી શક્યો નહોતો.

અંતિમ T20 માટે ટીમ મેનેજમેન્ટે ફરી એકવાર સંજુ સેમસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વૈભવની જગ્યાએ સેમસનને ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી છે.

માત્ર ત્રણ મેચ બાદ જ વૈભવને બહાર કરવાનો નિર્ણય ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે આગામી શ્રેણીમાં યુવા બેટ્સમેનને ફરી તક મળે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે. (PC: PTI/Getty Images)
Breaking News: વૈભવ સૂર્યવંશી બહાર, સંજુ સેમસન કરશે ઓપનિંગ, ટોસ જીતી ભારતની બોલિંગ
