AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manav Suthar: ભારત પછી આ વિદેશી ટીમ માટે રમશે ટીમ ઈન્ડિયાનો યુવા સ્ટાર, શ્રીલંકા પ્રવાસ પહેલા મોટી જાહેરાત

ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકા પ્રવાસની તૈયારી કરી રહેલા યુવા સ્પિનર માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ બાદ હવે તેને વિદેશમાં રમવાની વધુ એક તક મળી છે. આ યુવા સ્પિનર શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પૂર્ણ કર્યા બાદ ઈંગ્લેન્ડ જશે, જ્યાં તે કાઉન્ટી ક્રિકેટમાં પોતાની બોલિંગનો જાદુ બતાવતો જોવા મળશે.

| Updated on: Jul 31, 2026 | 5:42 PM
Share
ટીમ ઈન્ડિયા 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ પ્રવાસ પહેલાં ભારતીય ડાબોડી સ્પિનર માનવ સુથારને મોટી તક મળી છે. તે ફરી ઈંગ્લિશ કાઉન્ટી ટીમ વોરવિકશાયર માટે રમશે.

ટીમ ઈન્ડિયા 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ પ્રવાસ પહેલાં ભારતીય ડાબોડી સ્પિનર માનવ સુથારને મોટી તક મળી છે. તે ફરી ઈંગ્લિશ કાઉન્ટી ટીમ વોરવિકશાયર માટે રમશે.

1 / 5
માનવ સુથારને કાઉન્ટી ચેમ્પિયનશિપની સિઝનની અંતિમ ચાર મેચ માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે. તે શ્રીલંકા પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ઈંગ્લેન્ડ પહોંચશે અને વોરવિકશાયર તરફથી રમશે.

માનવ સુથારને કાઉન્ટી ચેમ્પિયનશિપની સિઝનની અંતિમ ચાર મેચ માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે. તે શ્રીલંકા પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ઈંગ્લેન્ડ પહોંચશે અને વોરવિકશાયર તરફથી રમશે.

2 / 5
માનવે ગયા મહિને અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે કુલ છ વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શનને કારણે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે પણ ભારતીય ટીમમાં તેની પસંદગી થઈ છે.

માનવે ગયા મહિને અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે કુલ છ વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શનને કારણે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે પણ ભારતીય ટીમમાં તેની પસંદગી થઈ છે.

3 / 5
આ સિઝનની શરૂઆતમાં માનવ વોરવિકશાયર માટે બે મેચ રમ્યો હતો અને 11 વિકેટ ઝડપી હતી. તેમાં એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે. તેના પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટ પ્રભાવિત થયું છે.

આ સિઝનની શરૂઆતમાં માનવ વોરવિકશાયર માટે બે મેચ રમ્યો હતો અને 11 વિકેટ ઝડપી હતી. તેમાં એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે. તેના પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટ પ્રભાવિત થયું છે.

4 / 5
માનવ સુથારે અત્યાર સુધી 22 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 147 વિકેટ ઝડપી છે. તે ઉપયોગી બેટિંગ પણ કરી શકે છે. વોરવિકશાયર માટે તેની અગાઉની મેચોમાં બેટથી પણ યોગદાન આપ્યું હતું. હવે શ્રીલંકા પ્રવાસ બાદ ફરી કાઉન્ટી ક્રિકેટમાં તેની પ્રતિભા બતાવવાની તક મળશે.

માનવ સુથારે અત્યાર સુધી 22 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 147 વિકેટ ઝડપી છે. તે ઉપયોગી બેટિંગ પણ કરી શકે છે. વોરવિકશાયર માટે તેની અગાઉની મેચોમાં બેટથી પણ યોગદાન આપ્યું હતું. હવે શ્રીલંકા પ્રવાસ બાદ ફરી કાઉન્ટી ક્રિકેટમાં તેની પ્રતિભા બતાવવાની તક મળશે.

5 / 5

Virat Kohli: કેપટાઉનથી હરારે સુધી… ODI વર્લ્ડ કપ 2027ના મેદાનો પર કેવું રહ્યું છે કિંગ કોહલીનું પ્રદર્શન?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">