AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી એક ભારતીય ક્રિકેટર છે. જે સ્થાનિક ક્રિકેટમાં બિહાર અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌપ્રથમ રમ્યો હતો. ડાબા હાથના બેટ્સમેન તરીકે, તેણે જાન્યુઆરી 2024 માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. તે સૌથી નાની વયે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરનાર ખેલાડી છે.

વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાં થયો હતો. તેણે ચાર વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને શરૂઆતમાં તેના પિતા દ્વારા કોચિંગ મેળવ્યું હતું અને નવ વર્ષની ઉંમરે સમસ્તીપુરમાં ક્રિકેટ એકેડમીમાં જોડાયા હતા.

વૈભવ સૂર્યવંશી બિહારના મુઝફ્ફરપુર જિલ્લા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે કારણ કે તેઓ ત્યાંના એક સંબંધીના ઘરે રહીને ઇન્ડોર સ્ટેડિયમમાં ક્રિકેટનુ કોચિંગ કરતા હતા.

Read More

Breaking News : વૈભવ સૂર્યવંશી મેદાન પર રમવા ક્યારે ઉતરશે, સવારે કેટલા વાગ્યે મેચ શરૂ થશે ? જાણો

વૈભવ સૂર્યવંશી હવે દુલીપ ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે. તેમણે આ વખતે ઈર્સ્ટ ઝોનની ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મેચ 23 ઓગસ્ટથી શરુ થશે. જે ટેસ્ટ ફોર્મેટ પર રમાશે.

વૈભવ સૂર્યવંશીએ જ્યાં સદી ફટકારી હતી, હવે ત્યાં જ યોજાશે દુલીપ ટ્રોફીની ફાઇનલ, BCCI એ બદલ્યું સ્થળ

ભારતીય ઘરેલુ ક્રિકેટની નવી સીઝન 23 ઓગસ્ટે દુલીપ ટ્રોફી 2026 સાથે શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટ મૂળ રીતે બેંગલુરુમાં યોજાવાની હતી, પરંતુ ફાઇનલનું સ્થળ બદલવામાં આવ્યું છે. આ એ જ મેદાન છે જ્યાં વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારી હતી. બધાની નજર પહેલીવાર ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા ઈસ્ટ ઝોનના વાઇસ કેપ્ટન 15 વર્ષના વૈભવ પર રહેશે.

Vaibhav Suryavanshi: ટીમ ઈન્ડિયાથી દૂર વૈભવ સૂર્યવંશીએ શરૂ કરી ખાસ પ્રેક્ટિસ, પોતાની નબળાઈ પર શરું કર્યું કામ

વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરમાં જ ક્રિકેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. IPLથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પોતાની પ્રતિભા બતાવ્યા બાદ હવે તેની નજર નવા પડકાર પર છે. એક ફોર્મેટમાં સંઘર્ષ બાદ વૈભવે પોતાની રમત સુધારવા માટે ખાસ તૈયારી શરૂ કરી છે. જાણો ક્યાં અને કેવી રીતે કરી રહ્યો છે મહેનત.

Breaking News : વૈભવ સૂર્યવંશી T20નો ‘કિંગ’ બનશે, જોસ બટલરે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા બાદ ભવિષ્યવાણી કરી

ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યા પછી, જોસ બટલરે યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી વિશે એક ભવિષ્યવાણી કરી છે. બટલર માને છે કે વૈભવ ટી20નો કિંગ બની શકે છે.

15 વર્ષ, 181 દિવસ અને એક સદી… વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સમાં તોડશે 30 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ?

ભારતીય ક્રિકેટનો યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી હવે એક એવા રેકોર્ડની નજીક છે, જે છેલ્લા 30 વર્ષથી અતૂટ છે. માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાલ મચાવનાર વૈભવ પાસે એશિયન ગેમ્સ 2026માં સદી ફટકારીને ક્રિકેટ ઈતિહાસ બદલવાની તક છે.

વૈભવ સૂર્યવંશીને 15 વર્ષની ઉંમરે કેમ બનાવવામાં આવ્યો વાઈસ કેપ્ટન? કારણ આવ્યું સામે

દુલીપ ટ્રોફીમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ઈસ્ટ ઝોનના વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ફક્ત 15 વર્ષના આ યુવા સ્ટારને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. જોકે તેને વાઈસ કેપ્ટન બનાવવાનું સાચું કારણ હવે બહાર આવ્યું છે.

Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, પહેલીવાર બન્યો ટીમનો વાઈસ કેપ્ટન

થોડા અઠવાડિયા પહેલા જ, વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને ઇતિહાસ રચ્યો. હવે, આ ઉંમરે તે ટીમના લીડરશીપનો ભાગ પણ બની ગયો છે અને જરૂર પડ્યે તે ટીમની કપ્તાની કરતો પણ જોવા મળી શકે છે. તેને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Video: વૈભવ સૂર્યવંશી કયા બોલરથી ડરે છે ? રવિન્દ્ર જાડેજાએ કહ્યું- ‘માર્કેટમાં આવો કોઈ…’

વૈભવ સૂર્યવંશી પોતાની નિર્ભય બેટિંગ માટે જાણીતો છે, પરંતુ શું 15 વર્ષીય આ સ્ટાર કોઈ બોલરથી ડરે છે? IPL 2026 દરમિયાન રવિન્દ્ર જાડેજા સાથેના એક રેપિડ ફાયર રાઉન્ડમાં વૈભવે આ સવાલનો જવાબ આપ્યો હતો. જોકે, વૈભવના જવાબ કરતાં જાડેજાની એક લાઇન વધુ ચર્ચામાં આવી છે. વૈભવ-જાડેજાનો IPL 2026 નો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Vaibhav Suryavanshi: 15 વર્ષના બાળકે 230 બેટ્સમેનોને પાછળ છોડ્યા, ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ

વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે પ્રવાસ પર પોતાના બેટથી ધમાલ મચાવી હતી. ત્રણ મેચની T20I શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા બાદ હવે તેની મહેનતનું પરિણામ ICC રેન્કિંગમાં પણ જોવા મળ્યું છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ છે અને એકસાથે 230 બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.

Vaibhav-Abhishek : અભિષેક શર્માના આ રેકોર્ડને વૈભવ સૂર્યવંશી તોડી શકે છે

Vaibhav Sooryavanshi- Abhishek Sharma : વૈભવ સૂર્યવંશી દરેક મેચમાં કોઈના કોઈ રેકોર્ડ બનાવી રહ્યો છે. તેમજ વૈભવ સૂર્યવંશી કેટલાક રેકોર્ડ તોડી પણ ચૂક્યો છે. હવે તેની નજર અભિષેક શર્માના રેકોર્ડ પર છે. તો ચાલો જાણીએ આ રેકોર્ડ શું છે.

Vaibhav Suryavanshi: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની તુલના સર ડોન બ્રેડમેન સાથે કેમ કરવામાં આવી રહી છે?

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ વૈભવ સૂર્યવંશી વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જે વાયરલ થઈ રહ્યું છે. તેણે વૈભવની સરખામણી સર્વકાલીન મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેન સાથે કરી હતી. ચાલો જાણીએ ઉથપ્પાએ શું કહ્યું અને કેમ કરી બંનેની તુલના.

Vaibhav Sooryavanshi: ઝિમ્બાબ્વેમાં વૈભવનો જલવો, 2 એવોર્ડ સાથે મળ્યા લાખો રૂપિયા, જાણો કેટલી કમાણી કરી

વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને બે મોટા એવોર્ડ પોતાના નામે કર્યા છે. શ્રેણીની ત્રણ મેચમાં 151 રન બનાવનાર વૈભવને અંતિમ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને સમગ્ર શ્રેણી માટે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જાહેર કરવામાં આવ્યો. આ બંને એવોર્ડ સાથે તેને ઈનામ તરીકે મોટી રકમ પણ મળી છે. ચાલી જાણીએ વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વેમાં કેટલી કમાણી કરી.

વૈભવ સૂર્યવંશીથી લઈને રોહિત-વિરાટ સુધી… સચિન તેંડુલકરના 7 મોટા રેકોર્ડ 7 દિવસમાં તૂટી ગયા

ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ અને બાદમાં ઝીમ્બાબ્વે પ્રવાસ ખાસ રહ્યો. એકમાં જ્યાં હર મળી તો બીજામાં મોટી જીત મળી. જોકે આ બંને સિરીઝના છેલ્લા સાત દિવસમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના 7 મોટા રેકોર્ડ 7 દિવસમાં તૂટી ગયા હતા. વૈભવ સૂર્યવંશી, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મળીને સચિન તેંડુલકરના સાત મોટા રેકોર્ડ તોડ્યા હતા.

શુભમન ગિલની જગ્યાએ વૈભવ સૂર્યવંશીએ રોહિત શર્મા સાથે વનડેમાં ઓપનિંગ કરવી જોઈએ, દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન

ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર માને છે કે વૈભવ સૂર્યવંશી શુભમન ગિલ કરતાં વધુ સારો ઓપનર હશે. વૈભવ સૂર્યવંશીને ODI ફોર્મેટમાં સામેલ કરવો જોઈએ અને તેને રોહિત શર્માની સાથે ઓપનિંગમાં મોકલો જોઈએ. જ્યારે શુભમન ગિલે ચોથા સ્થાને બેટિંગ કરવી જોઈએ. ચાલો જાણીએ આ દિગ્ગજ ખેલાડીએ આવું કેમ કહ્યું.

Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશીને હેડ કોચે આપી ખાસ ચેતવણી, જો સુધરશે નહીં તો વધશે મુશ્કેલી!

વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે સામે 151 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેમ છતાં મેચ બાદ હેડ કોચ વીવીએસ લક્ષ્મણ દ્વારા તેને ચેતવણી આપવામાં આવી છે. ચાલો જાણીએ કોચે વૈભવને શું ચેતવણી આપી અને શા માટે.

g clip-path="url(#clip0_868_265)">