AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી એક ભારતીય ક્રિકેટર છે. જે સ્થાનિક ક્રિકેટમાં બિહાર અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌપ્રથમ રમ્યો હતો. ડાબા હાથના બેટ્સમેન તરીકે, તેણે જાન્યુઆરી 2024 માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. તે સૌથી નાની વયે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કરનાર ખેલાડી છે.

વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાં થયો હતો. તેણે ચાર વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને શરૂઆતમાં તેના પિતા દ્વારા કોચિંગ મેળવ્યું હતું અને નવ વર્ષની ઉંમરે સમસ્તીપુરમાં ક્રિકેટ એકેડમીમાં જોડાયા હતા.

વૈભવ સૂર્યવંશી બિહારના મુઝફ્ફરપુર જિલ્લા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે કારણ કે તેઓ ત્યાંના એક સંબંધીના ઘરે રહીને ઇન્ડોર સ્ટેડિયમમાં ક્રિકેટનુ કોચિંગ કરતા હતા.

Read More

Breaking News: વૈભવ સૂર્યવંશીની ટીમમાંથી છુટ્ટી, માત્ર 3 મેચમાં જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર

ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીની છેલ્લી મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. ડેબ્યૂ કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને માત્ર ત્રણ મેચ બાદ જ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. સારી શરૂઆત છતાં મોટી ઈનિંગ ન રમી શકનાર વૈભવને અંતિમ મુકાબલામાં તક મળી નથી, જેના કારણે આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.

Breaking News: વૈભવ સૂર્યવંશી બહાર, સંજુ સેમસન કરશે ઓપનિંગ, ટોસ જીતી ભારતની બોલિંગ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે, જ્યારે સંજુ સેમસનનું ટીમમાં કમબેક થયું છે. ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણી હારી ગયેલી ટીમ ઈન્ડિયાએ સાઉથમ્પ્ટનમાં પોતાની પ્રતિષ્ઠા બચાવવા છેલ્લી T20 મેચમાં બે ફેરફાર કર્યા હતા.

IND vs ENG: પાંચમી T20 માં સંજુ સેમસનની થશે વાપસી! તો વૈભવ-ઈશાન-તિલકમાંથી કોનું પત્તું કપાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પાંચમી અને અંતિમ T20 મેચ સાઉથમ્પ્ટનમાં રમાનારી છે, જ્યાં સંજુ સેમસન ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરી શકે છે. સેમસન ઉપરાંત અન્ય એક ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. સવાલ એ છે કે સંજુને કોના સ્થાને રમાડવામાં આવશે. વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, તિલક વર્મામાંથી કોનું પત્તું કપાશે.

Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી નિષ્ફળ ગયો, પરંતુ વિરાટ-રોહિતની પણ વિદેશમાં શરૂઆત કંઈ ખાસ નહોતી

ઇંગ્લેન્ડ સામે સતત ત્રણ મેચમાં નિષ્ફળ ગયા બાદ વૈભવ સૂર્યવંશીની ટીકા થઈ રહી છે. જોકે, ભારતીય ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલી અને રોહિત શર્માની વિદેશમાં પ્રથમ ત્રણ આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સ પણ ખાસ રહી નહોતી. આંકડા દર્શાવે છે કે દરેક મહાન ખેલાડીને પોતાની કારકિર્દીની શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો હતો.

Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી હવે નેપાળમાં રમતો જોવા મળશે ? BCCI એ બનાવ્યો ખાસ પ્લાન !

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં ઈન્ડિયા A ટીમને નેપાળના પ્રવાસે મોકલી શકે છે. જો આ યોજના અમલમાં આવશે તો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પણ મોટી તક મળી શકે છે. ઈંગ્લેન્ડમાં નિરાશાજનક પ્રદર્શન બાદ આ પ્રવાસ તેના માટે પોતાને સાબિત કરવાની મહત્વપૂર્ણ તક બની શકે છે.

હમ નહીં સુધરેંગે… શોર્ટ બોલ સામે ભારતીય સ્ટાર બેટ્સમેનોનો The End ! આખરે આવું ક્યાં સુધી ચાલશે?

ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી20 મેચમાં પણ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ફરી એકવાર શોર્ટ પિચ બોલ રમતી વખતે ફસાયા. ભારતીય ટોપ ઓર્ડર વધારાના બાઉન્સને સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. ભારતીય ટીમે ટોચના ત્રણ બેટ્સમેન, અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી અને ઈશાન કિશનને માત્ર 48 રનમાં ગુમાવી દીધા.

IND vs ENG: વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડમાં શીખ્યો મોટો પાઠ, લાંબી ઈનિંગ રમવી હોય તો બદલવી પડશે આ આદત

ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે T20 મેચમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની આક્રમક બેટિંગની ઝલક તો દેખાડી, પરંતુ મોટી ઇનિંગ રમી શક્યો નથી. આ દરમિયાન તેની બેટિંગની એક એવી નબળાઈ સામે આવી છે, જે ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળ થવું હોય તો વૈભવે આ ભૂલમાંથી ઝડપથી શીખવું પડશે.

IND vs ENG: ત્રીજી મેચમાં ચાલશે વૈભવ સૂર્યવંશીનો જાદુ? બ્રિસ્ટોલમાં IPLની કહાનીનું થશે પુનરાવર્તન

વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, જેમાં તેણે પોતાની વિસ્ફોટક બેટિંગની ઝલક દેખાડી હતી. જોકે, તે અત્યાર સુધી બંને ઈનિંગમાં લાંબો સમય ટકી શક્યો નથી. શું તે તેની ત્રીજી મેચમાં આ પરિસ્થિતિ બદલી શકશે? ત્રીજી મેચ સાથે વૈભવના કનેક્શનને જોતા લાગી રહ્યું છે કે તે ત્રીજી મેચમાં મોટી ઈનિંગ રમશે. ચાલો જાણીએ શું છે આ કનેક્શન.

IND vs ENG: સતત બે મેચમાં ફ્લોપ વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવશે?

ઈંગ્લેન્ડ સામે સતત બે T20 મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના સ્થાનને લઈને ચર્ચા તેજ બની છે. સંજુ સેમસનની વાપસીની અટકળો વચ્ચે હવે સવાલ એ છે કે શું ટીમ ઈન્ડિયા આગામી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે કે પછી યુવા બેટ્સમેન પર વિશ્વાસ જાળવી રાખશે?

IND vs ENG : વૈભવ સૂર્યવંશી સતત બીજી મેચમાં ફ્લોપ, જોફ્રા આર્ચરના ઘાતક બાઉન્સર પર આઉટ થયો

Vaibhav Sooryavanshi vs Jofra Archer : ભારતીય ક્રિકેટ ટીમના 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ફરી એક વખત મોટી ઈનિગ્સ રમવામાં અસફળ રહ્યો હતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝની ત્રીજી મેચમાં જોફ્રા આર્ચરની ધાતક બાઉન્સર પર આઉટ થયો હતો.

ક્રિકેટ ઇતિહાસમાં ભારતની સૌથી શરમજનક હાર, માત્ર 76 રનમાં ટીમ ઈન્ડિયા થઈ ઓલઆઉટ !

ભારતીય ક્રિકેટ ટીમ માટે નોટિંગહામનું ટ્રેન્ટ બ્રિજ મેદાન હવે એક નિરાશાજનક યાદ બની ગયું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની ત્રીજી મેચ નોટિંગહામના ઐતિહાસિક ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા 125 રનથી હારી ગઈ.

Breaking News: સૂર્યકુમાર યાદવે વૈભવ સૂર્યવંશી વિશે શું કહ્યું? સોશિયલ મીડિયા પરની અફવાઓ પર તોડ્યું મૌન

ભારતને T20 વર્લ્ડ કપ 2026 માં ચેમ્પિયન બનાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં તેણે માત્ર ટીમ ઈન્ડિયા અને વૈભવ સૂર્યવંશી વિશે વાત નથી કરી, પરંતુ એક દાવાને પણ નકારી કાઢ્યો છે.

Breaking News: IND vs ENG ત્રીજી T20 પહેલા વૈભવ સૂર્યવંશીએ કરી ખાસ તૈયારી, ઈંગ્લેન્ડની વધી ચિંતા

ઈંગ્લેન્ડ સામેની બીજી T20માં સારી શરૂઆત છતાં મોટી ઈનિંગ રમી ન શકનાર વૈભવ સૂર્યવંશીએ હવે પોતાની નબળાઈ દૂર કરવા ખાસ તૈયારી શરૂ કરી છે. નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે તેણે લાંબા સમય સુધી શોર્ટ બોલ સામે કરી પ્રેક્ટિસ કરી, જેથી ત્રીજી T20માં વધુ આત્મવિશ્વાસ સાથે ઉતરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે.

Breaking News: ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સંજુ સેમસન સહિત 5 ખેલાડીઓનું પત્તું કપાયું

ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ વચ્ચે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન.

IND vs ENG: વૈભવ સૂર્યવંશી અને સંજુ સેમસન બંને રમશે ! આવી હશે ત્રીજી T20 માં ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20I નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાશે. આ મેચમાં ભારત કઈ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારશે તે પ્રશ્ન હજુ પણ યથાવત છે. અહેવાળ અનુસાર આ મેચમાં સંજુ રમશે, સાથે જ સૂર્યવંશીને પણ તક મળશે. ચાલો જાણીએ ત્રીજી T20માં કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન.

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">