Breaking News : IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ
IPL 2026 માં અત્યાર સુધીમાં 47 મેચ રમાઈ છે. પંજાબ, બેંગલુરુ, હૈદરાબાદ અને રાજસ્થાન આ સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે અને હાલ ટોપ 4 માં સામેલ છે. જોકે, તેનો અર્થ એ નથી કે અન્ય ટીમો પ્લેઓફની રેસમાં નથી. IPL 2026 માં બધી 10 ટીમો પ્લેઓફમાં પહોંચી શકે છે, પછી ભલે તે છેલ્લા ક્રમે રહેલી લખનૌ સુપરજાયન્ટ્સ હોય કે પછી મુંબઈ અને KKR. પ્લેઓફમાં પહોંચવા માટે દરેક ટીમને કેટલી મેચ જીતવાની જરૂર છે, ચાલો જાણીએ.

IPL 2026 માં કઈ ચાર ટીમો પ્લેઓફમાં ક્વોલિફાય કરશે, તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. ટોપથી લઈ બોટમ (છેલ્લા ક્રમ) સુધીની તમામ ટીમો હજી પ્લેઓફની રેસમાં છે. કોઈ બહાર ફેંકાઈ નથી અને કોઈ ક્વોલીફાય પણ નથી થઈ. ચાલો પ્લેઓફ સમીકરણ અને દરેક ટીમને તેમાં પહોંચવા માટે કેટલી જીતની જરૂર છે તે જાણીએ.

IPL 2026 માં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. PBKSએ તેની નવ મેચમાંથી છ મેચ જીતી છે, જ્યારે બે મેચ હારી છે અને એક ડ્રો રહી છે. આનો અર્થ એ થયો કે પંજાબ પાસે પાંચ મેચ બાકી છે અને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે તેને ફક્ત બે જીતની જરૂર છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વાત કરીએ તો, તેમના નવ મેચોમાં 12 પોઈન્ટ છે. તેમની પાસે પાંચ મેચ બાકી છે, અને RDBને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે બે જીતની જરૂર છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ તેમની 10 મેચોમાંથી છ જીતી ચૂક્યું છે. તેમની પાસે ચાર લીગ મેચ બાકી છે, અને હવે તેમને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ફક્ત બે જીતની જરૂર છે.

રાજસ્થાન રોયલ્સે 10 માંથી 6 મેચ જીતી છે અને તેમની હજી ચાર મેચ બાકી છે. પ્લેઓફમાં પહોંચવા માટે RR ને ફક્ત પણ બે જીતની જરૂર છે.

ગુજરાત ટાઈટન્સે પણ 10 માંથી 6 મેચ જીતી છે. GT પાસે ચાર મેચ બાકી છે અને પ્લેઓફમાં પહોંચવા માટે તેમને બે મેચમાં જીતની જરૂર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે નવમાંથી ચાર મેચ જીતી અને હવે તેમની પાંચ મેચ બાકી છે. પ્લેઓફમાં પહોંચવા માટે પાંચમાંથી ચાર મેચ જીતવાની જરૂર છે.

દિલ્હી કેપિટલ્સે પણ નવમાંથી ચાર મેચ જીતી છે અને તેમની પણ પાંચ મેચ બાકી છે. એવામાં પ્લેઓફમાં પહોંચવા માટે DCને પાંચમાંથી ચાર મેચ જીતડી જ પડશે.

કોલકાતા નાઈટ રાઈડર્સની પાંચ મેચ બાકી છે અને પ્લેઓફમાં પહોંચવા માટે KKR ને પાંચેય મેચ જીતવી જ પડશે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે, પરંતુ તેઓ સંપૂર્ણપણે રમતમાંથી બહાર નથી થયા. મુંબઈએ 10 માંથી ત્રણ મેચ જીતી છે. તેમની પાસે ચાર લીગ મેચ બાકી છે, અને પ્લેઓફની રેસમાં રહેવા માટે, તેમને ચારેય મેચ જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.

લખનૌ સુપરજાયન્ટ્સ માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. લખનૌની પાંચ મેચ બાકી છે, અને તેમને પાંચેય મેચ જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે. (PC:PTI/X/IPL)
Breaking News: કોઈ નથી ટક્કરમાં… ICC T20 રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા નંબર 1, વર્લ્ડ ચેમ્પિયન ભારતની બાદશાહત કાયમ
