લખનૌ સુપર જાયન્ટ્સ
લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ભાગ લે છે. આ ટીમની માલિકી RPSG ગ્રૂપની છે. જે અગાઉ 2016 અને 2017 વચ્ચે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવતી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કે.એલ રાહુલ છે, કોચ જસ્ટિન લેંગર, અધ્યક્ષ સંજીવ ગોયન્કા, માલિક RPSG ગ્રુપ, ચીફ એક્ઝિક્યુટિવ વિનોદ બિષ્ટ અને મેનેજર અવિનાશ વૈદ્ય છે. ફેબ્રુઆરી 2022ના મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીએ તેના ખેલાડીઓનો પ્રથમ સેટ ખરીદ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની ટીમના માર્ગદર્શક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
2022 સીઝનમાં, ફ્રેન્ચાઇઝી ગ્રુપ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહી અને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ. તેઓ એલિમિનેટર મેચમાં ચોથા સ્થાને રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો કર્યો હતો 2023ની સીઝનમાં ટીમ ફરીથી ત્રીજું સ્થાન મેળવ્યું અને એલિમિનેટર મેચ હારી ગઈ હતી.
IPL Trading Window : અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર, IPL 2026માં આ ટીમમાંથી રમશે!
IPL 2026 પહેલા બધાની નજર ટ્રેડ વિન્ડો પર છે, જ્યાં મોટા ખેલાડીઓની આપ-લે થવાની અપેક્ષા છે. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર હવે આ રેસમાં સામલે થયો છે. મુંબઈ ઈન્ડિયન્સ એક ફ્રેન્ચાઈઝી સાથે કેશ ડીલની તૈયારી કરી રહી છે.
- Smit Chauhan
- Updated on: Nov 12, 2025
- 8:27 pm
યુવરાજ સિંહને હેડ કોચ બનાવશે આ ટીમ! IPL 2026 પહેલા મોટા ફેરફારની તૈયારી
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે હજુ સુધી IPLમાં કોઈ કોચિંગ કે મેન્ટરશિપની ભૂમિકા ભજવી નથી. તેણે ઘરેલુ ક્રિકેટમાં પણ આવું કંઈ કર્યું નથી. જોકે, તેણે શુભમન ગિલ અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓને વ્યક્તિગત કોચિંગથી મદદ કરી છે. હવે તે IPL 2026માં એક ટીમના કોચ બનશે તેવી શક્યતા છે.
- Smit Chauhan
- Updated on: Oct 30, 2025
- 9:55 pm
IPL 2026 Auction પહેલા 97 કરોડના ખેલાડીઓ થશે બહાર, આ ટીમ સૌથી વધુ પ્લેયર્સ કરશે રિલીઝ
આ વખતે, IPL 2026 સિઝન પહેલા એક મીની ઓક્શન યોજાશે, જે ડિસેમ્બરમાં થઈ શકે છે. આ ઓક્શન માટે ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર હોવાની અપેક્ષા છે. ઓક્શન પહેલા કેટલીક ફ્રેન્ચાઈઝી તેમના કેટલાક સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરશે.
- Smit Chauhan
- Updated on: Oct 11, 2025
- 6:16 pm
ગૌતમ ગંભીર પછી આ દિગ્ગજ ભારતીય ખેલાડીએ પણ ટીમ છોડી દીધી, આ વાતથી હતો નારાજ
IPL 2025માં લખનૌ સુપરજાયન્ટ્સનો મેન્ટર રહેલો ઝહીર ખાન હવે ટીમથી અલગ થઈ ગયો છે. ઝહીર ખાને ગૌતમ ગંભીરનું સ્થાન લીધું હતું, પરંતુ એક વર્ષમાં જ તેમણે લખનૌ ટીમ છોડી દીધી છે. જાણો શું કારણ છે?
- Smit Chauhan
- Updated on: Sep 18, 2025
- 8:46 pm
IPLની આ 4 ફ્રેન્ચાઇઝીનો હવે ઇંગ્લેન્ડમાં દબદબો જોવા મેળવશે, ECBએ કરી જાહેરાત
ઇન્ડિયન પ્રીમિયર લીગ ટીમોએ ઇંગ્લેન્ડ લીગમાં પ્રવેશ કર્યો છે. આ માહિતી ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. ચાર IPL ટીમોના માલિકોએ ઇંગ્લેન્ડની લીગ 'ધ હન્ડ્રેડ' ની ટીમોમાં રોકાણ કર્યું છે. આનાથી ECB ને કરોડો રૂપિયાની કમાણી થઈ છે.
- Nirupa Duva
- Updated on: Jul 31, 2025
- 11:19 am
વીડિયો બનાવવાના ચક્કરમાં 3 વખત ડૂબતા ડૂબતા બચ્યો ટીમ ઈન્ડિયાનો આ ક્રિકેટર, જુઓ વીડિયો
ટીમ ઈન્ડિયા માટે આ ખેલાડીએ અત્યારસુધી 43 મેચ રમી છે. તેમણે વર્ષ 2022માં ડેબ્યુ કર્યું હતુ અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગત્ત મેચ રમી છે.ઈન્ટરનેશનલ ક્રિકેટ સિવાય તેમણે આઈપીએલમાં અત્યારસુધી 77 મેચ રમી છે.
- Nirupa Duva
- Updated on: Jun 30, 2025
- 11:44 am
Breaking News : સંન્યાસ લેતા જ કેપ્ટન બન્યો IPLનો આ ધુરંધર ખેલાડી, ફાઈનલમાં 13 સિક્સ ફટકારી બનાવ્યા હતા 137 રન
સંન્યાસ લેવાના નિર્ણયના થોડા જ કલાકોમાં આઈપીએલના ધુરંધર ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ એજ ખેલાડી છે. જેમણે ફાઈનલમાં 55 બોલમાં 137 રન બનાવ્યા હતા. જેમાં 13 સિક્સ પણ સામેલ છે.
- Nirupa Duva
- Updated on: Jun 11, 2025
- 12:23 pm
Breaking News : વિરાટ-રોહિત પછી હવે 29 વર્ષની ઉંમરે આ ક્રિકેટરે ત્રણેય ફોર્મેટમાંથી સંન્યાસ લીધો
ભારતના 2 દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. આ બંન્ને ક્રિકેટર હવે માત્ર વનડે ઈન્ટરનેશનલ મેચ રમશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ 29 વર્ષના ક્રિકેટરે ત્રણેય ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. જાણો કોણ છે આ ક્રિકેટર
- Nirupa Duva
- Updated on: Jun 10, 2025
- 10:17 am
IPL 2025 : BCCIએ ઋષભ પંત પર 30 લાખનો દંડ ફટકાર્યો, જાણો કેપ્ટનનો ગુનો શું હતો
IPL 2025ની લીગ સ્ટેજ મેચ લખનૌ સુપર જાયન્ટસ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનૌની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. લીગ સ્ટેજ મેચમાં પંતે સદી ફટકારી અને ફ્લિપ મારી આનો જશ્ન મનાવ્યો હતો. મેચ બાદ બીસીસીઆઈએ પંત પર 30 લાખનો દંડ ફટકાર્યો છે.
- Nirupa Duva
- Updated on: May 30, 2025
- 9:02 am
સદી ફટકાર્યા પછી રિષભ પંતે કર્યું કંઈક એવું, અનુષ્કા શર્મા ચોંકી ગઈ, પ્રતિક્રિયા થઈ વાયરલ
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે સદીની ઈનિંગ રમી હતી. પંતની સદી દરમિયાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ સ્ટેન્ડમાં હાજર હતી. તેની પ્રતિક્રિયા ખૂબ વાયરલ થઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: May 27, 2025
- 10:34 pm
LSG vs RCB : રિષભ પંતે IPLમાં સૌથી મોંઘી સદી ફટકારી, મોટો રેકોર્ડ તોડ્યો
LSG ના કેપ્ટન રિષભ પંતે IPL 2025ની છેલ્લી લીગ સ્ટેજ મેચમાં યાદગાર ઈનિંગ રમી હતી. તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. રિષભ પંતે IPLમાં સૌથી મોંઘી સદી ફટકારી હતી અને મોટો રેકોર્ડ તોડ્યો હતો.
- Smit Chauhan
- Updated on: May 27, 2025
- 10:11 pm
IPL 2025 : દિગ્વેશ રાઠીએ નોટબુક સેલિબ્રેશનનું રહસ્ય ખોલ્યું,ખુદ આની પાછળનું કારણ જણાવ્યું, વીડિયો
લખનૌ સુપર જાયન્ટસના યુવા સ્પિનર દિગ્વેશ રાઠીએ પોતાની રમતની સાથે સાથે અનોખા નોટબુક સેલિબ્રેશનનું કારણ પણ જણાવ્યું છે. જે ચાહકોમાં ખઉબ ફેમસ છે. વિકેટ લઈ દિગ્વેશ રાઠી આવી સેલિબ્રેશન કેમ કરે છે. તેની પાછળનું કારણ જણાવ્યું છે.
- Nirupa Duva
- Updated on: May 27, 2025
- 11:03 am
IPL 2025 : ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો! પોઈન્ટ ટેબલના ટોપ-2 માંથી બહાર થવાનો ખતરો
ગુજરાત લખનૌ સામે મેચ હારી ગયું છતાં પણ આ ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર છે. ગુજરાતની ટીમના 18 પોઈન્ટ છે અને એક મેચ બાકી છે. RCB એ 12 મેચમાં 17 પોઈન્ટ મેળવ્યા છે અને તે બીજા સ્થાને છે. પંજાબ કિંગ્સના 17 પોઈન્ટ છે અને તે ત્રીજા નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સના 16 પોઈન્ટ છે અને તે ચોથા સ્થાને છે.
- Nirupa Duva
- Updated on: May 23, 2025
- 11:37 am
IPL 2025: અભિષેક શર્મા અને દિગ્વેશ રાઠી વચ્ચે લાઈવ મેચ દરમિયાન ઝપાઝપી થઈ, વચ્ચે આવ્યા અમ્પાયર
આઈપીએલ 2025ની 61મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન અભિષેક શર્મા અને લખનૌના સ્પિનર દિગ્વેશ રાઠી વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટના અભિષેક શર્માની વિકેટ લયા બાદ બની હતી. જેને દિગ્વેશ રાઠીએ આઉટ કર્યો હતો.
- Nirupa Duva
- Updated on: May 20, 2025
- 11:15 am
IPL 2025 : રિષભ પંત આઉટ થતા જ સંજીવ ગોયન્કા ગુસ્સે થયા ? બાલ્કનીમાં કર્યું કંઈક આવું
રિષભ પંતનું ફોર્મ ખૂબ જ ખરાબ છે, તેની કેપ્ટનશીપ હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું છે. પંતે હૈદરાબાદ સામે પણ માત્ર 7 રન જ બનાવ્યા હતા. તેના આઉટ થયા પછી લખનૌ ટીમના માલિક સંજીવ ગોયેન્કાની એક તસવીર વાયરલ થઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: May 19, 2025
- 10:54 pm