લખનૌ સુપર જાયન્ટ્સ
લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ભાગ લે છે. આ ટીમની માલિકી RPSG ગ્રૂપની છે. જે અગાઉ 2016 અને 2017 વચ્ચે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવતી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કે.એલ રાહુલ છે, કોચ જસ્ટિન લેંગર, અધ્યક્ષ સંજીવ ગોયન્કા, માલિક RPSG ગ્રુપ, ચીફ એક્ઝિક્યુટિવ વિનોદ બિષ્ટ અને મેનેજર અવિનાશ વૈદ્ય છે. ફેબ્રુઆરી 2022ના મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીએ તેના ખેલાડીઓનો પ્રથમ સેટ ખરીદ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની ટીમના માર્ગદર્શક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
2022 સીઝનમાં, ફ્રેન્ચાઇઝી ગ્રુપ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહી અને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ. તેઓ એલિમિનેટર મેચમાં ચોથા સ્થાને રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો કર્યો હતો 2023ની સીઝનમાં ટીમ ફરીથી ત્રીજું સ્થાન મેળવ્યું અને એલિમિનેટર મેચ હારી ગઈ હતી.
Breaking News: IPL ટ્રેડ ડીલથી પંતને નુકસાન, કુલદીપને ફાયદો! LSG માં પણ મળશે એટલો જ પગાર
IPL 2027ની સૌથી મોટી ટ્રેડ ડીલમાં રિષભ પંત સાથે કુલદીપ યાદવ પણ ટીમ બદલતો જોવા મળશે. જોકે, જ્યાં પંતના પગારમાં ઘટાડો થયો છે, ત્યાં કુલદીપને કોઈ નુકસાન થયું નથી. દિલ્હી કેપિટલ્સ છોડીને લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાનાર આ સ્પિનરને અગાઉ જેટલો જ પગાર મળશે.
- Smit Chauhan
- Updated on: Jun 23, 2026
- 5:53 pm
Breaking News: LSG માંથી બહાર થતાં જ રિષભ પંતે ભર્યું મોટું પગલું, સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો
IPL 2027ની સૌથી ચર્ચિત ટ્રેડ ડીલ બાદ રિષભ પંત ફરી દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યો છે. જોકે, ટીમ બદલતાની સાથે જ તેણે સોશિયલ મીડિયા પર એવું પગલું ભર્યું કે ચાહકોમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ. લખનૌ સુપરજાયન્ટ્સ છોડ્યા બાદ પંતની એક હરકતે ટ્રેડ પાછળની સમગ્ર કહાની અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.
- Smit Chauhan
- Updated on: Jun 23, 2026
- 5:24 pm
Breaking News: રિષભ પંતની જગ્યાએ આ ખેલાડી બનશે લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન, LSG નો મોટો નિર્ણય
રિષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સમાંથી દિલ્હી કેપિટલ્સમાં ગયો છે. આ ટ્રેડ ડીલના 24 કલાકની અંદર જ LSG એ પંતની જગ્યાએ તેના નવા કેપ્ટનનું નામ પણ ફાઈનલ કરી લીધું છે. ચાલો જાણીએ કોણ બનશે LSG નો નવો કેપ્ટન.
- Smit Chauhan
- Updated on: Jun 23, 2026
- 4:59 pm
Breaking News: IPLમાં ટીમ બદલવાથી રિષભ પંતને મોટું નુકસાન, 27 કરોડના બદલે મળશે ફક્ત આટલા રૂપિયા
IPL 2027 પહેલા થયેલી સૌથી મોટી ટ્રેડ ડીલમાં રિષભ પંત ફરી દિલ્હી કેપિટલ્સમાં પરત ફર્યો છે, પરંતુ આ વાપસી તેની માટે આર્થિક રીતે મોંઘી સાબિત થઈ છે. IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી તરીકે 27 કરોડ રૂપિયા મેળવનાર પંતને હવે ટ્રેડ બાદ કરોડોનું નુકસાન થયું છે. તેના પગારમાં મોટો ઘટાડો થયો છે. ચાલો જાણીએ પંતને IPL 2027 માં કેટલા રૂપિયા મળશે.
- Smit Chauhan
- Updated on: Jun 23, 2026
- 4:30 pm
Breaking News: IPL 2027 પહેલા લખનૌ અને દિલ્હી વચ્ચે સૌથી મોટો ટ્રેડ! 27 કરોડના સ્ટાર ખેલાડીની થશે ઘર વાપસી?
IPL 2027 પહેલા ટ્રાન્સફર માર્કેટમાં સૌથી મોટી હલચલ જોવા મળી શકે છે. અહેવાલો મુજબ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મોટા ખેલાડીઓની અદલાબદલી અંગે ચર્ચા ચાલી રહી છે. આ ડીલ હેઠળ સ્ટાર સ્પિનર લખનૌમાં જોડાઈ શકે છે, જ્યારે 27 કરોડનો સ્ટાર ખેલાડી ફરી એકવાર દિલ્હી કેપિટલ્સની જર્સીમાં જોવા મળી શકે છે.
- Smit Chauhan
- Updated on: Jun 19, 2026
- 5:35 pm
Breaking News : વિરાટ કોહલીને 0 પર આઉટ કરનાર પ્રિન્સ યાદવે વનડેમાં કર્યું ડેબ્યુ, જુઓ ફોટો
પ્રિન્સ યાદવને અફઘાનિસ્તાન વિરુદ્ધ બીજી વનડેમાં ડેબ્યુ કરવાની તક મળી છે. આ જમણા હાથના ફાસ્ટ બોલરે IPL 2026 માં તેના શાનદાર પ્રદર્શન પછી આ સફળતા મેળવી છે. જોકે, એક બોલે પ્રિન્સ યાદવની કારકિર્દીનો માર્ગ બદલી નાખ્યો,
- Nirupa Duva
- Updated on: Jun 17, 2026
- 2:27 pm
Breaking News: એક રનની કિંમત 8.65 લાખ રૂપિયા… IPL 2026માં રિષભ પંતનો દરેક રન LSGને પડ્યો લાખોમાં
IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે સિષભ પંતનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબ રહ્યું નહોતું. IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી તરીકે રમતા રિષભ પંતે 14 મેચમાં માત્ર 312 રન બનાવ્યા હતા. તેના પગાર અને પ્રદર્શનની સરખામણી કરતાં તેનો એક રન LSG ને 8.65 લાખ રૂપિયામાં પડ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Jun 2, 2026
- 9:33 pm
IPL Captains : IPL 2026 ખતમ થતા આ 5 ખેલાડીઓ પર લટકી રહી છે કેપ્ટનશીપની તલવાર?
આજે 31મે રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તેની સાથે જ ટુર્નામેન્ટ પણ સમાપ્ત થશે. ત્યારબાદ 5 ટીમના કેપ્ટનના નામ ચર્ચામાં છે જેમની ટીમના કેપ્ટન પરથી હકાલપટ્ટી કરવામાં આવી શકે છે. આ લીસ્ટમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.
- Dhruval Shah
- Updated on: May 31, 2026
- 11:13 am
Breaking News: રિષભ પંત વર્તમાન યુગનો સૌથી ખરાબ IPL કેપ્ટન, ચોંકાવનારા છે આંકડા
રિષભ પંતને ફક્ત બે સિઝન પછી લખનૌની કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવ્યો હતો. IPL 2026 માં તેની બેટિંગ કે કેપ્ટનશીપ અસરકારક રહી ન હતી. તેને દૂર કરવાનું એક કારણ તેના કેપ્ટનશીપ ચોંકાવનારા આંકડા પણ છે. જે અનુસાર રિષભ પંત વર્તમાન યુગનો સૌથી ખરાબ IPL કેપ્ટન સાબિત થયો છે.
- Smit Chauhan
- Updated on: May 29, 2026
- 8:09 pm
Breaking News: રિષભ પંતે છોડી લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ, IPL 2026 ના અંત પહેલા મોટી જાહેરાત
રિષભ પંત 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બન્યો હતો. LSG એ તેને મેગા ઓક્શનમાં 27 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવીને ખરીદ્યો હતો.હવે બે સિઝન બાદ રિષભ પંતે પોતે LSG કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. મોટો સવાલ એ છે કે શું પંતે આ નિર્ણય પોતે લીધો હતો, કે પછી ટીમના માલિકો અને મેનેજમેન્ટ દ્વારા તેને હટાવવામાં આવ્યો છે?
- Smit Chauhan
- Updated on: May 29, 2026
- 5:46 pm
Breaking News : આગામી IPL સિઝનમાં 4 ટીમો પોતાના કેપ્ટન બદલી શકે છે, ચાહકો કરી રહ્યા છે માંગ
આઈપીએલ 2026ની ફાઈનલને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આઈપીએલમાં અનેક ટીમો પોતાના પ્રદર્શનને કારણે દુખી છે. ત્યારે આવતી સીઝનમાં ચાર કેપ્ટનને ટાટા-બાય બાય કહેવાનો વારો આવી શકે છે.
- Nirupa Duva
- Updated on: May 26, 2026
- 2:01 pm
Breaking News : IPL 2026 બાદ LSGમાં મોટા ફેરફારોના સંકેત, શું ઋષભ પંત છોડશે ટીમ?
IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમમાં મોટા ફેરફારોની અપેક્ષા છે. ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીના નિવેદનથી ઋષભ પંતના કેપ્ટનશીપ અને ટીમના ભવિષ્ય પર સવાલો ઉભા થયા છે.
- Sagar Solanki
- Updated on: May 24, 2026
- 4:59 pm
Breaking News : માત્ર પિતા સચિન જ નહી દીકરો અર્જુન તેંડુલકર પણ કરોડો રુપિયાના માલિક છે, જાણો નેટવર્થ
સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકરે પંજાબ કિંગ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટસ માટે આઈપીએલ ડેબ્યુ કર્યું હતુ. તો ચાલો આજે આપણે સચિનના દીકરા અર્જુન તેંડુલકરની નેટવર્થ વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: May 24, 2026
- 11:45 am
IPL 2026 : શ્રેયસ અય્યરની સદીથી PBKSની જીત, લખનૌને હરાવ્યા બાદ પંજાબની નજર હવે RR પર
ગઈ કાલે 23મેના દિવસે રમવામાં આવેલી IPL 2026ની 68મી મેચમાં, પંજાબ કિંગ્સે (PBKS) લખનૌ સુપર જાયન્ટ્સને (LSG) હરાવ્યું. આ જીત સાથે પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાં યથાવત છે.
- Dhruval Shah
- Updated on: May 24, 2026
- 9:11 am
Breaking News: સતત 13 મેચ બહાર બેઠા બાદ અર્જુન તેંડુલકરનું LSG માટે ડેબ્યૂ, IPL 2026 માં પહેલીવાર રમવાની તક મળી
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે આખરે લખનૌ સુપર જાયન્ટ્સ માટે ડેબ્યૂ કર્યું છે. પંજાબ કિંગ્સ સામે LSGની અંતિમ લીગ મેચ માટે તેને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો. સતત 13 મેચ બહાર બેઠા બાદ અર્જુન તેંડુલકરને IPL 2026 માં રમવાની તક મળી છે.
- Smit Chauhan
- Updated on: May 23, 2026
- 7:48 pm