અમદાવાદ તસવીર : મેઘાણીનગરના એક પરિવારે સ્થાનિકો સાથે કરી ધનતેરસની પૂજા, 2100 કરતા વધારે શ્રી યંત્રોનો આપ્યો પ્રસાદ
દિવાળીના તહેવારની ઉજવણી કરવાની શરુઆત થઈ ગઈ છે. લોકો ભારે ઉત્સાહથી અનેક ખરીદી કરી રહ્યાં છે. ત્યારે આજે ધનતેરસના દિવસે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. આજે લોકો ધનલક્ષ્મી કે લક્ષ્મી માતાની પૂજા - અર્ચના કરતા હોય છે. જેમાં કેટલાક લોકો ઘરે પૂજા કરે છે. તો કેટલાક લોકો મંદિરમાં જઈને પૂજા અર્ચના કરતા હોય છે.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક પરિવારે આજે ધનતેરસનો પર્વ સ્થાનિકો સાથે મળીને ઉજવણી કરી છે. મેઘાણીનગરમાં આ પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી ધનતેરસના દિવસે પૂજાનું આયોજન કરે છે.

પટેલ પરિવારે મેઘાણીનગરમાં છેલ્લા 20 વર્ષથી શ્રી યંત્રની પૂજાનું આયોજન કરે છે. આ પૂજાનો લાભ અનેક લોકો લે છે. અને ધન્યતા અનુભવે છે.

ધનતેરસની પૂજામાં આ વર્ષે 2100 કરતા વધારે શ્રી યંત્ર રાખવામાં આવ્યા છે. જે લોકોનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પૂજામાં રાખવામાં આવેલી શ્રી યંત્રની પૂજા વિધી કરીને ભક્તોને પ્રસાદી રુપ યંત્ર આપવામાં આવ્યુ છે.

આયોજક ઘનશ્યામ પટેલ પરિવાર અને પૂજારીનું માનવુ છે કે ધનતેરસે સોના - ચાંદી અને ધનની પુજા કરવાથી સુખ અને શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે. લોકોને સાથે રાખીને પૂજા કરવાથી લોકોને પણ તે પૂજા વિધીનો લાભ મળે છે.

છેલ્લા 20 વર્ષ કરતા પણ વધારે પૂજાનું આયોજન કરવામાં આવે છે. યંત્રની પૂજા કર્યા બાદ પૂજામાં ઉપસ્થિત લોકોને પણ શ્રી યંત્ર ભેટ અથવા તો પ્રસાદ રુપે આપવામાં આવે છે.