આધારકાર્ડ
આધાર એ ભારત સરકાર તરફથી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ 12 અંકનો વ્યક્તિગત ઓળખ નંબર છે. આ નંબર ભારતમાં ગમે ત્યાં ઓળખ અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા મળેલ આધાર પત્ર અને UIDAI વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ ઈ-આધાર સમાન રીતે માન્ય છે.
કોઈપણ વ્યક્તિ, વય અને લિંગને ધ્યાનમાં લીધા વિના, જે ભારતમાં નિવાસી છે અને UIDAI દ્વારા નિર્ધારિત ચકાસણી પ્રક્રિયાને સંતોષે છે તે આધાર માટે નોંધણી કરાવી શકે છે. વ્યક્તિઓએ ફક્ત એક જ વાર નોંધણી કરવાની જરૂર છે. આધાર નોંધણી ભારતના તમામ રહેવાસીઓ માટે મફત છે. આધાર નંબર દરેક વ્યક્તિ માટે અનન્ય છે અને તે આજીવન માન્ય રહેશે. આધાર નંબર રહેવાસીઓને બેંકિંગ, મોબાઈલ ફોન કનેક્શન અને અન્ય સરકારી અને બિન-સરકારી સેવાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓનો યોગ્ય સમયે લાભ લેવામાં મદદ કરશે.
આધાર કાર્ડમાં નામ, નંબર અને સરનામું બદલવા હવે નહીં ખાવા પડે કચેરીના ધક્કા, આવી રહી છે ‘સુપર એપ’
નવી આધાર એપને લઈને મોટી અપડેટ સામે આવી છે. UIDAI દ્વારા આધારના નવા એપનું ફુલ વર્ઝન 28 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યું છે. આ એપ આવ્યા બાદ આધાર અપડેટ કરાવવા માટે હવે લોકોને કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી મહત્વની માહિતી હવે ઘર બેઠા મોબાઈલથી અપડેટ કરી શકાશે.
- Ashvin Patel
- Updated on: Jan 26, 2026
- 8:11 pm
લગ્ન બાદ Aadhaar Cardમાં પતિનું નામ કેવી રીતે ઉમેરાવવું ? જાણો અહીં સરળ રીત
જો તમે તાજેતરમાં લગ્ન કર્યા છે અને તમારા પતિનું નામ તમારા આધાર કાર્ડમાં ઉમેરવા માંગો છો, તો તે કરવું સરળ છે. આ બેંક ખાતા અપડેટ્સ, પાસપોર્ટ, રેશન કાર્ડ, વીમા અથવા સંયુક્ત ખાતા જેવા હેતુઓ માટે દસ્તાવેજ ચકાસણીને સરળ બનાવશે.
- Devankashi rana
- Updated on: Jan 25, 2026
- 10:07 am
કાનુની સવાલ: આધાર કાર્ડ, માર્કશીટ કે એગ્રીમેન્ટ… ડોક્યુમેન્ટ્સને લેમિનેશન કરાવવું કાયદેસર છે કે નહીં? જાણો સંપૂર્ણ નિયમ
કાનુની સવાલ: આજકાલ દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે લોકો લેમિનેશન કરાવવાનું પસંદ કરે છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજો અથવા કોઈ મહત્વપૂર્ણ એગ્રીમેન્ટ એમ દરેક દસ્તાવેજ માટે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું લેમિનેશન કરાવવું કાયદેસર છે કે નહીં? અને જો કરાવીએ તો ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલી તો નહીં આવે? જાણો આ આર્ટિકલમાં.
- Meera Kansagara
- Updated on: Jan 25, 2026
- 9:31 am
નવા વર્ષની શરૂઆતમાં PVC આધાર કાર્ડ મેળવો! ATM કાર્ડ જેવી મજબૂતી અને વૉલેટ ફ્રેન્ડલી ડિઝાઇન ધરાવતું આ ઓળખ પત્ર હવે ઓનલાઇન મંગાવો
આધાર કાર્ડ આજકાલ ફક્ત એક ઓળખ પત્ર નથી રહ્યું. તે બેંકિંગ, સરકારી યોજનાઓ અને બીજી જરૂરી સેવાઓ માટે પણ અનિવાર્ય બની ગયું છે. હવે આને ધ્યાનમાં રાખીને, UIDAI એ PVC આધાર કાર્ડની સુવિધા શરૂ કરી છે. આ કાર્ડ દેખાવમાં ATM કાર્ડ જેવું હોય છે.
- Ravi Prajapati
- Updated on: Jan 5, 2026
- 5:30 pm
શું તમારે આધારકાર્ડ પર હેન્ડસમ ફોટો લગાવવો છે? શું હાલનો ફોટો પસંદ નથી- બસ આ સરળ સ્ટેપથી બદલી શકાશે ફોટો
Aadhar Card Photo Change: આધારકાર્ડમાંથી ફોટો તમે જ્યારે ઈચ્છો ત્યારે બદલી શકો છો ખાસ કરીને ત્યારે જ્યારે તમારો ફોટો જુનો થઈ ગયો હોય તો પણ તમે નવો ફોટો અપડેટ કરાવી શકો છો.
- Mina Pandya
- Updated on: Dec 25, 2025
- 2:42 pm
Deadline Alert: 31 ડિસેમ્બર સુધીમાં પતાવી દેજો આ મહત્વના કામો, નહીંતર પસ્તાવો
ડિસેમ્બર 2025 એ વર્ષનો છેલ્લો મહિનો જ નહીં, પણ ઘણી મહત્વપૂર્ણ ટેક્સ ડેડલાઇન માટે છેલ્લી તક પણ છે. 31 ડિસેમ્બરની ડેડલાઇન ધરાવતા બે નાણાકીય કાર્યો વિશે જાણો. આ કાર્યો સમયસર પૂર્ણ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી પાછળથી પસ્તાવાની કોઈ જગ્યા ન રહે.
- Tanvi Soni
- Updated on: Dec 19, 2025
- 9:20 am
આધારકાર્ડ અને પાનકાર્ડ લિંકિંગની અંતિમ તારીખ નજીક, લિંક કરી નાખજો નહિતર હેરાન થવાનો વારો આવશે !
આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકિંગની અંતિમ તારીખ નજીક આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા અનુસાર, નાગરિકો 31 ડિસેમ્બર, 2025 પહેલા ઘરે બેઠા મફતમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકો છો. જો આ સમયમર્યાદા સુધી લિંકિંગ ન કરવામાં આવે તો અનેક મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે.
- Manish Gangani
- Updated on: Dec 13, 2025
- 4:47 pm
હવે આધાર કાર્ડ ઝેરોક્ષની જરૂર નહિ પડે, UIDAI એ નિયમો બદલ્યા, જાણો સંપૂર્ણ માહિતી
હોટલમાં રહેવા માટે હોય કે અન્ય ઘણા હેતુઓ માટે, તમારા આધાર કાર્ડની ઝેરોક્ષની જરૂરી છે. હવે, એક મોટો ફેરફાર આવી રહ્યો છે. UIDAI કયા નવા નિયમો લાવવાની યોજના બનાવી રહ્યું છે ચાલો જાણોએ,
- Sachin Agrawal
- Updated on: Dec 9, 2025
- 3:56 pm
OYO રૂમ બુક કરતી વખતે હવે આધાર કાર્ડની ફોટોકોપી સ્વીકારવામાં આવશે નહીં, UIDAIનો મોટો નિર્ણય
UIDAI આધાર સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક નવો નિયમ રજૂ કરી રહ્યું છે, જેમાં હોટલ અને ઇવેન્ટ કંપનીઓને આધાર ફોટોકોપી રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નોંધણી પછી, તેઓ QR સ્કેન અથવા નવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને પેપરલેસ ઑફલાઇન ચકાસણી કરી શકશે, જેનાથી ગોપનીયતા અને ડેટા સુરક્ષામાં સુધારો થશે.
- Manish Gangani
- Updated on: Dec 7, 2025
- 9:37 pm
Aadhaar Card : હવે આ કામ માટે નહીં વાપરી શકો આધાર કાર્ડ, નવા નિયમમાં અટકી શકે તમારું કામ
દેશના એક રાજ્યમાં આધાર કાર્ડ જન્મના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આધાર ઓળખ કાર્ડ છે, જન્મ તારીખનો સત્તાવાર પુરાવો નહીં.
- Sagar Solanki
- Updated on: Dec 2, 2025
- 5:52 pm
Aadhaar Update : આધાર કાર્ડમાં તમે તમારુ નામ, સરનામું અને જન્મ તારીખ કેટલી વાર બદલી શકો છો? UIDAIએ જાહેર કરી નવી યાદી
Aadhaar new update: UIDAI એ આધારમાં સુધારા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે નામ, સરનામું અને જન્મ તારીખમાં બદલાવ કરવા માટે બહુ દસ્તાવેજોની જરૂર નહીં પડે ફક્ત એક જ માન્ય દસ્તાવેજ પૂરતો રહેશે. આ નિર્ણયથી દેશભરમાં આધારધારકોને મોટી રાહત મળશે.
- Manish Gangani
- Updated on: Nov 27, 2025
- 2:37 pm
Aadhaar Card Changes : હવે આધારકાર્ડમાંથી સરનામું અને જન્મ તારીખ થશે ગાયબ ! ફક્ત ફોટો અને QR કોડથી થશે ઓળખ
UIDAI ટૂંક સમયમાં આધાર કાર્ડના ફોર્મેટમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે. નવી સિસ્ટમ લાગુ થતા આધાર કાર્ડ પર છપાતી તમામ વ્યક્તિગત માહિતી, જેમ કે સરનામું અને જન્મ તારીખ દૂર કરવામાં આવશે. ઓળખ માટે કાર્ડ પર ફક્ત ફોટો અને QR કોડ જ રહેશે. આ પગલાનું મુખ્ય કારણ વ્યક્તિગત ડેટાના દુરુપયોગને અટકાવવું અને ઑફલાઇન ચકાસણીની જૂની પ્રથાને સમાપ્ત કરવું છે.
- Sagar Solanki
- Updated on: Nov 20, 2025
- 4:14 pm
તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી ? આ મહત્વપૂર્ણ દસ્તાવેજ ચકાસવા માટે ઘરે બેઠા આટલું કામ અવશ્ય કરો
આધાર કાર્ડ આજે બધા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડથી તમે સરકારી સેવાનો લાભ મેળવી શકો છો અને તેનો ઉપયોગ ઓળખના પુરાવા તરીકે પણ કરી શકો છો. એવામાં ચાલો જાણીએ કે, તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી....
- Ravi Prajapati
- Updated on: Nov 19, 2025
- 4:19 pm
Aadhaar Cardમાં નામ કેટલી વાર બદલાવી શકો છો? 99% લોકો નથી જાણતા જવાબ
તમારા નામમાં કે તમારા પિતાના નામમાં એકવાર ભૂલ સુધારાવ્યા પછી પણ ભૂલ જણાય તો શું કરવું. તમારા આધાર કાર્ડ પર તમારું નામ કેટલી વાર બદલી શકો છો અને આ માટે તમારે કયા દસ્તાવેજોની જરૂર પડશે.
- Devankashi rana
- Updated on: Nov 17, 2025
- 12:02 pm
આધાર કાર્ડ ખોવાઈ ગયું કે નંબર ભૂલાઈ ગયો? હવે ચિંતા કરવાની જરુર નથી UIDAI એ પ્રક્રિયા સરળ બનાવી
જો તમારુ આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તમને તમારો આધાર નંબર યાદ નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જાણો તેનું કારણ...
- Manish Gangani
- Updated on: Nov 9, 2025
- 9:55 pm