
આધારકાર્ડ
આધાર એ ભારત સરકાર તરફથી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ 12 અંકનો વ્યક્તિગત ઓળખ નંબર છે. આ નંબર ભારતમાં ગમે ત્યાં ઓળખ અને સરનામાના પુરાવા તરીકે કામ કરે છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા મળેલ આધાર પત્ર અને UIDAI વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ ઈ-આધાર સમાન રીતે માન્ય છે.
કોઈપણ વ્યક્તિ, વય અને લિંગને ધ્યાનમાં લીધા વિના, જે ભારતમાં નિવાસી છે અને UIDAI દ્વારા નિર્ધારિત ચકાસણી પ્રક્રિયાને સંતોષે છે તે આધાર માટે નોંધણી કરાવી શકે છે. વ્યક્તિઓએ ફક્ત એક જ વાર નોંધણી કરવાની જરૂર છે. આધાર નોંધણી ભારતના તમામ રહેવાસીઓ માટે મફત છે. આધાર નંબર દરેક વ્યક્તિ માટે અનન્ય છે અને તે આજીવન માન્ય રહેશે. આધાર નંબર રહેવાસીઓને બેંકિંગ, મોબાઈલ ફોન કનેક્શન અને અન્ય સરકારી અને બિન-સરકારી સેવાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓનો યોગ્ય સમયે લાભ લેવામાં મદદ કરશે.
હવે ઍરપોર્ટ કે ટ્રેન યાત્રા દરમિયાન આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નથી, સરકારે નવી એપ કરી લોંચ- જાણી લો નિયમ
આધાર માટે એક નવી એપ લોંચ કરવામાં આવનાર છે. જેનાથી QR કોડ સ્કેન કરીને ઓળખની પુષ્ટિ કરી શકાશે. આધારકાર્ડ અને તેની ફોટોકોપી સાથે રાખવાની જરૂર નહીં પડે.
- Mina Pandya
- Updated on: Apr 10, 2025
- 5:12 pm
Aadhaar Card News : હવે તમારો ચહેરો જ બનશે તમારુ આધાર કાર્ડ, ભારત સરકારે લોન્ચ કરી આધાર એપ
ભારતમાં રહેતા લોકો માટે કેટલાક ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ડોક્યુમેન્ટની દરરોજ ક્યાંક ને ક્યાંક કોઈ કામ માટે જરૂર પડે છે. તેના વિના ઘણા કામો અટવાઈ જાય છે. ત્યારે ભારત સરકાર દ્વારા આધાર એપ લોન્ચ કરવામાં આવી છે.
- Disha Thakar
- Updated on: Apr 15, 2025
- 3:03 pm
OYO કે હોટેલમાં Aadhar Cardથી રૂમ બુક કરો છો તો આ કામ પહેલા કરો
જો તમે પણ OYO કે કોઈપણ હોટેલમાં બુકિંગ કરતી વખતે આધાર કાર્ડનો ઉપયોગ કરો છો. તો આ માહિતી તમારા માટે ઉપયોગી છે. આ પછી તમારા વ્યક્તિગત ડેટાની સુરક્ષા અને ગોપનીયતા પણ જાળવવામાં આવશે. ક્યાંય પણ આધાર કાર્ડનો ઉપયોગ કરતા પહેલા આ કરવાનું ભૂલશો નહીં.
- Meera Kansagara
- Updated on: Mar 26, 2025
- 9:27 am
“એક વ્યક્તિ, એક મત!” બોગસ વોટિંગ રોકવા માટે વોટર ID ને આધાર સાથે લિંક કરાશે ફરજિયાત, શું ગેમ ચેન્જર સાબિત થશે આ યોજના?
ચૂંટણી પંચે બોગસ મતદાન રોકવા માટે વૉટર આઈડી ને આધાર કાર્ડ સાથે જોડવાનો નિર્ણય લીધો છે. આ પગલુ વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલા બોગસ મતદાનના આરોપો બાદ આવ્યુ છે. જો કે આ પ્રક્રિયામાં કાયદાકીય કે રાજકીય પડકારો અનેક છે. ચૂંટણી પંચે પણ તમામ રાજકીય દળો પાસે સૂચનો માગ્યા છે. અને તબક્કાવાર તેને લાગુ કરવાની યોજના બનાવી છે. તેનાથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે.
- Mina Pandya
- Updated on: Mar 20, 2025
- 8:00 pm
Breaking News : PAN બાદ હવે મતદાર ઓળખકાર્ડ પણ આધારકાર્ડ સાથે લિંક થશે, ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય
આધારકાર્ડને મતદાર ઓળખકાર્ડ સાથે લિંક કરવા પાછળનું એક કારણ એ છે કે, બોગસ મતદાનને રોકવામાં મદદ કરી શકે છે. આ સિસ્ટમ લાગુ થયા પછી, એક વ્યક્તિ એકથી વધુ સ્થળોએ મતદાન કરવાની શક્યતા ખતમ થઈ જશે અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. તો બોગસ મતદારકાર્ડ ધરાવનારાઓની સંખ્યા ઉપર પણ નિયંત્રણ આવશે.
- TV9 Gujarati
- Updated on: Mar 18, 2025
- 10:56 pm
વડોદરામાં આધારકાર્ડની કામગીરીમાં લાલિયાવાડી, કર્મચારીઓ મોડા આવતા વહેલી સવારથી આવેલા અરજદારોને હાલાકી- Video
વડોદરામાં આધારકાર્ડની કામગીરીમાં લાલિયાવાડી સામે આવી છે. અરજદારો તો વહેલી સવારથી આવીને લાઈનમાં ઊભા રહી જાય છે પરંતુ કર્મચારીઓ મોડા આવતા અરજગારોને હાલાકી ભોગવવી પડે છે. ઠંડી વચ્ચે વૃદ્ધ અરજદારો ઉભા રહેવા મજબુર બને છે.
- Anjali oza
- Updated on: Jan 23, 2025
- 3:43 pm
Aadhaar Cardમાં કેટલી વખત બદલી શકાય ફોટો ? જાણો શું છે નિયમ
ભારતમાં રહેતા લોકો માટે કેટલાક ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ડોક્યુમેન્ટની દરરોજ ક્યાંક ને ક્યાંક કોઈ કામ માટે જરૂર પડે છે. તેના વિના ઘણા કામો અટવાઈ જાય છે. આવું જ એક ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ. ત્યારે આ લેખમાં જાણીશું કે, આધાર કાર્ડમાં તમે કેટલી વખત ફોટો બદલાવી શકો છો.
- Dilip Chaudhary
- Updated on: Jan 11, 2025
- 8:00 pm
એક આધાર કાર્ડ પર કેટલા SIM Card ખરીદી શકાય ? જાણો શું છે નિયમ
આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. તેનો ઉપયોગ માત્ર ઓળખના પુરાવા તરીકે જ થતો નથી, પરંતુ સિમ કાર્ડ ખરીદવા માટે પણ થાય છે. જો કે, આધાર કાર્ડ પર સિમ કાર્ડ ખરીદવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમે આ મર્યાદાથી વધુ સિમ કાર્ડ લો છો, તો તમારે કાયદાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
- Dilip Chaudhary
- Updated on: Jan 9, 2025
- 5:11 pm
આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો ? આ છે નિયમ
આધાર કાર્ડ સૌ કોઈ માટે જરૂરી છે. આધાર કાર્ડની સાથે અન્ય કેટલાક જરૂરી દસ્તાવેજને સાંકળી લેવામાં આવ્યા છે. આધાર કાર્ડમાં જે વિગતો હોય તે જ વિગતો અન્ય દસ્તાવેજમાં ના હોય તો સરકારી યોજના કે અન્ય પ્રકારની મહત્વની કામગીરીમાં અડચણ આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે આધાર કાર્ડમાં ઓનલાઈન સુધારો કરવો હોય તો એકવારમાં કેટલી વિગતોનો સુધારો કરી શકાય છે ?
- TV9 Gujarati
- Updated on: Dec 26, 2024
- 2:05 pm
ભારતમાં ‘Aadhar’ તો પાકિસ્તાનમાં કયું કાર્ડ છે માન્ય ?
ભારતમાં આધાર કાર્ડ તમારી ઓળખ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. દરેક નાગરિક પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. પરંતુ શું તમે પાકિસ્તાનના ઓળખ પત્ર વિશે જાણો છો ? એટલે કે જેમ ભારતમાં આધાર કાર્ડનો ઉપયોગ થાય છે તેમ પાકિસ્તાનમાં કયું કાર્ડ માન્ય છે ?
- Dilip Chaudhary
- Updated on: Dec 23, 2024
- 1:35 pm
Free Aadhaar Update: માત્ર 4 દિવસ બાકી…પછી આધારકાર્ડ અપડેટ માટે લાગશે પૈસા, પહેલા જ પતાવી દેજો કામ
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા અથવા UIDAI એ આધાર કાર્ડને મફત અપડેટ કરવાની સમયમર્યાદા 14 ડિસેમ્બર 2024 સુધી લંબાવી હતી અને હવે તેને સમાપ્ત થવામાં માત્ર ચાર દિવસ બાકી છે.
- Devankashi rana
- Updated on: Dec 10, 2024
- 11:09 am
Aadhaar Update : આ તારીખ સુધી ફ્રીમાં અપડેટ કરાવી શકશો આધાર કાર્ડ
ઘણી વખત લોકો આધાર કાર્ડ બનાવતી વખતે કેટલીક ભૂલો કરે છે. પરંતુ UIDAI આધાર કાર્ડ અપડેટ કરવાની તક પૂરી પાડે છે. જો કે, તમારે આ માટે ફી ચૂકવવી પડશે. પરંતુ જો તમે આ તારીખ સુધી આધાર કાર્ડ અપડેટ કરાવશો, તો તમારે તેના માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
- Dilip Chaudhary
- Updated on: Dec 9, 2024
- 8:57 pm
આ કર્મચારીઓ Aadhaar વગર ઉપાડી શકશે PFના પૈસા, EPFOએ બહાર પાડી નવી માર્ગદર્શિકા
EPFO નિયમો અનુસાર, જો કોઈ કર્મચારીએ PF ક્લેમ સેટલ કરવો હોય એટલે કે PFમાંથી પૈસા ઉપાડવા હોય. તેના માટે તેનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને આધાર નંબર લિંક હોવો જોઈએ. પરંતુ EPFOએ આ નિયમમાં કેટલાક કર્મચારીઓને છૂટ આપી છે, જેઓ આધાર વગર પણ PFમાંથી પૈસા ઉપાડી શકે છે.
- TV9 Gujarati
- Updated on: Nov 30, 2024
- 8:44 pm
વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ માટે ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો – Video
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાંબી લાઈનો લાગી રહી છે. વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપમાં સરકાર દ્વારા રાશનકાર્ડ ફરજિયાત કરવાના નિર્ણય સામે વિવાદ જોવા મળ્યો છે. એકતરફ ગામડાઓમાં આધાર કાર્ડ સિસ્ટમ બંધ હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ ઈ-કેવાયસી નહીં થાય આધારકાર્ડ અપગ્રેડ નહીં થાય તો વિદ્યાર્થીઓ સ્કોલરશીપના ફોર્મ ન ભરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Sep 26, 2024
- 4:37 pm
સુરત, અમદાવાદમાં ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓનું બની રહ્યું છે નકલી આધાર કાર્ડ ! આખા દેશમાં ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ, જાણો શું છે કાવતરું ?
હવા મહેલના ધારાસભ્યએ આજે જયપુરમાં નકલી આધાર કાર્ડ બનાવવા સામે કાર્યવાહી કરી. અહીં બાંગ્લાદેશી ઘૂસણખોરોના નકલી કાર્ડ બનાવવામાં આવી રહ્યા હતા, આ આરોપીઓને સખત સજા થવી જોઈએ અને દેશભરમાં થઈ રહેલી આવી છેતરપિંડી બંધ થવી જોઈએ.
- Sagar Solanki
- Updated on: Sep 26, 2024
- 3:59 pm