Aadhaar Update : આધાર કાર્ડમાં તમે તમારુ નામ, સરનામું અને જન્મ તારીખ કેટલી વાર બદલી શકો છો? UIDAIએ જાહેર કરી નવી યાદી
Aadhaar new update: UIDAI એ આધારમાં સુધારા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે નામ, સરનામું અને જન્મ તારીખમાં બદલાવ કરવા માટે બહુ દસ્તાવેજોની જરૂર નહીં પડે ફક્ત એક જ માન્ય દસ્તાવેજ પૂરતો રહેશે. આ નિર્ણયથી દેશભરમાં આધારધારકોને મોટી રાહત મળશે.
દેશના દરેક નાગરિક માટે, આધાર કાર્ડ ફક્ત પ્લાસ્ટિકનો ટુકડો નથી, પરંતુ એક મુખ્ય ઓળખ છે. પછી ભલે તે શાળામાં પ્રવેશ માટે હોય, બેંક ખાતું ખોલવા માટે હોય, સરકારી લાભ મેળવવા માટે હોય કે તમારું સરનામું બદલવા માટે હોય, તે દરેક જગ્યાએ જરૂરી છે. જોકે, આધાર વિગતો અપડેટ કરાવતી વખતે માથાનો દુખાવો થઈ જતો હોય છે.તમારું નામ બદલવા માટે એક અલગ દસ્તાવેજ જરૂરી પડતી હતી અને તમારા સરનામાંને સુધારવા માટે એક અલગ દસ્તાવેજ જરૂરી હતો. ઓળખના પુરાવા માટે એક દસ્તાવેજ સબમિટ કરો, પછી સરનામાના પુરાવા માટે બીજો. આ સમગ્ર પ્રક્રિયામાં પહેલા ઘણો સમય લાગતો હતો, અને ક્યારેક લોકોને વારંવાર આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડતી હતી.
હવે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ આ મુશ્કેલીને કાયમ માટે સહેલી કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, UIDAI એ આધાર અપડેટ નિયમોમાં એક મોટો અને ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. આ ફેરફાર લાખો વપરાશકર્તાઓ માટે ભેટથી ઓછો નથી. હવે, તમારે તમારું નામ, સરનામું, જન્મ તારીખ અથવા અન્ય વિગતો અપડેટ કરવા માટે અસંખ્ય દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. હવે, તમારું બધું કામ ફક્ત એક દસ્તાવેજથી થશે.
“એક કાગળ, બધા અપડેટ્સ”
UIDAI એ જણાવ્યું છે કે જો તમારી પાસે એક સત્તાવાર દસ્તાવેજ છે જેમાં તમારું નામ, સંપૂર્ણ સરનામું અને ફોટો જેવી બધી જરૂરી વિગતો સામેલ છે, તો તમારે અલગ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં. આ ‘માસ્ટર ડોક્યુમેન્ટ’ તરીકે કાર્ય કરશે. એટલે કે, જો તમારી પાસે એક જ દસ્તાવેજ છે જે ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા બંને જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તો તમે તેને સબમિટ કરીને તમારી આધાર વિગતો અપડેટ કરી શકો છો. આ દસ્તાવેજો સબમિટ કરવાની ઝંઝટ દૂર કરશે અને અપડેટ પ્રક્રિયાને ઝડપી બનાવશે.
નામ, સરનામું…તમે તમારી વિગતો કેટલી વાર બદલી શકો છો?
UIDAI એ તમને તમારી વિગતો અપડેટ કરવાની મંજૂરી આપી છે, પરંતુ તેણે ચોક્કસ મર્યાદાઓ પણ નક્કી કરી છે, જે દરેક આધાર વપરાશકર્તાને જાણ હોવી જોઈએ. જો તમે તમારા નામ, સરનામું અથવા મોબાઇલ નંબર સંબંધિત કોઈપણ માહિતી અપડેટ કરી રહ્યા છો, તો આ નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે:
- નામ: સૌથી અગત્યનું, તમે તમારા આધારકાર્ડ પર તમારું નામ ફક્ત બે વાર બદલી શકો છો. આ નિયમ ખૂબ જ કડક છે, તેથી તમારું નામ અપડેટ કરતી વખતે ખૂબ કાળજી રાખો.
- સરનામું અને મોબાઇલ નંબર: આ સૌથી મોટી રાહત છે. તમે તમારા આધાર કાર્ડમાં તમારું સરનામું અને મોબાઇલ નંબર ગમે તેટલી વાર બદલી અથવા અપડેટ કરી શકો છો. તેમા કોઈ મર્યાદા નથી.
- લિંગ: તમારા આધાર કાર્ડ પર લિંગ બદલવાની ક્ષમતા હાલમાં ઉપલબ્ધ નથી.
- જન્મ તારીખ: આ માહિતી પણ ફક્ત મર્યાદિત સંખ્યામાં બદલી શકાય છે.
કામની વાત
જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈ સુધારો કરાવવા જઈ રહ્યા છો, તો તમારે કેટલો ખર્ચ થશે તે જાણવું જરૂરી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ આધાર સેવા કેન્દ્રો પર વિવિધ અપડેટ્સ માટેના નિશ્ચિત ચાર્જની વિગતો સ્પષ્ટ કરી છે. જો તમે બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ, આઇરિસ અને ફોટો) સાથે ડેમોગ્રાફિક વિગતો (જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઇલ નંબર અને ઇમેઇલ) અપડેટ કરાવો છો, તો તેનો ખર્ચ ₹100 થાય છે. જોકે, જો તમે ફક્ત ડેમોગ્રાફિક વિગતો (બાયોમેટ્રિક્સ વિના) અપડેટ કરાવો છો, તો તેનો ખર્ચ ₹50 રહે છે. આ ઉપરાંત, જો તમારે ફક્ત બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું હોય, તો તેના માટે પણ ₹ 100 નો ચાર્જ લેવામાં આવે છે.આ દર UIDAI દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે.
