AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આધારકાર્ડ અને પાનકાર્ડ લિંકિંગની અંતિમ તારીખ નજીક, લિંક કરી નાખજો નહિતર હેરાન થવાનો વારો આવશે !

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકિંગની અંતિમ તારીખ નજીક આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા અનુસાર, નાગરિકો 31 ડિસેમ્બર, 2025 પહેલા ઘરે બેઠા મફતમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકો છો. જો આ સમયમર્યાદા સુધી લિંકિંગ ન કરવામાં આવે તો અનેક મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે.

આધારકાર્ડ અને પાનકાર્ડ લિંકિંગની અંતિમ તારીખ નજીક, લિંક કરી નાખજો નહિતર હેરાન થવાનો વારો આવશે !
| Updated on: Dec 13, 2025 | 4:47 PM
Share

આજના સમયમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયા છે. નાણાકીય વ્યવહારો હોય કે આવકવેરા સંબંધિત કામ, પાન કાર્ડ વિના પ્રક્રિયા શક્ય નથી, જ્યારે આધાર વિના અનેક સરકારી અને ખાનગી સેવાઓ મેળવવી મુશ્કેલ બની છે. આવી સ્થિતિમાં સરકારે આધાર અને પાનને લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે. 31 ડિસેમ્બર સુધી મફતમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. પરંતુ સમયમર્યાદા બાદ લિંક ન કરનારાઓને અનેક અડચણોનો સામનો કરવો પડી શકે છે.

લિંક ન થાય તો શું થશે?

ClearTaxના અહેવાલ મુજબ, જો આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક ન કરવામાં આવે તો આવકવેરા રિફંડ મેળવવામાં વિલંબ થઈ શકે છે. આગામી વર્ષમાં ITR ફાઇલ કરવી મુશ્કેલ બનશે અને TDS અથવા TCS ઊંચા દરે વસૂલવામાં આવી શકે છે. ઉપરાંત, બેંક ખાતું ખોલવું, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ મેળવવું મુશ્કેલ બની શકે છે. બેંક કે પોસ્ટ ઓફિસમાં એક દિવસમાં ₹50,000થી વધુ જમા કરાવવાનો પ્રતિબંધ રહેશે, જ્યારે નાણાકીય વર્ષમાં ₹2.5 લાખથી વધુ જમા શક્ય નહીં રહે. કોઈપણ બેંકમાં ₹10,000થી વધુનો વ્યવહાર પણ કરી શકાશે નહીં.

કોને લિંક કરવું ફરજિયાત છે?

જેનાં આધાર કાર્ડ 1 ઑક્ટોબર 2024 પહેલા બનાવાયા છે અને જે આવકવેરો ભરે છે, તેમના માટે આધાર–પાન લિંક ફરજિયાત છે.

કોને છૂટછાટ છે?

જે લોકો ITR ફાઇલ કરતા નથી, જમ્મુ–કાશ્મીર, આસામ અને મેઘાલયમાં રહે છે, 80 વર્ષથી વધુ ઉંમરના છે અથવા ભારતીય નાગરિક નથી, તેમને આ નિયમમાંથી છૂટછાટ આપવામાં આવી છે.

લિંક કરવાની પ્રક્રિયા

આધારકાર્ડ અને પાનકાર્ડને આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલ મારફતે સરળતાથી લિંક કરી શકાય છે. પોર્ટલ પર ‘Link Aadhaar’ વિકલ્પ પસંદ કરી આધાર અને પાનકાર્ડ નંબર દાખલ કરવો, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવો અને UIDAI સાથે વિગતો માન્ય કરવા સંમતિ આપ્યા બાદ લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ થશે.

SMS દ્વારા પણ સુવિધા

આ ઉપરાંત, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી UIDPAN <આધારકાર્ડ નંબર> <પાનકાર્ડ નંબર> લખીને 567678 અથવા 56161 પર SMS મોકલીને પણ લિંક કરી શકાય છે.

સરકારનું સ્પષ્ટ સૂચન છે કે સમયમર્યાદા પહેલાં આધારકાર્ડ–પાનકાર્ડ લિંકિંગ પૂર્ણ કરી લેવું, જેથી ભવિષ્યમાં નાણાકીય અને આવકવેરા સંબંધિત કોઈ મુશ્કેલી ન આવે.

Electricity Bill Reduce : વીજળીના બિલ ઘટાડવા ખુદ ભારત સરકારે જ બતાવી AI નો ઉપયોગ કરવાની રીત

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">