Yoga For Depression: આ 5 યોગાસનોથી ડિપ્રેશન અને સ્ટ્રેસ થશે કંટ્રોલ, ડોક્ટરની જરુર નહી પડે
Yoga For Depression: યોગ કરવાથી શરીર સ્વસ્થ અને એનર્જેટિક રહે છે. મન પણ શાંત રહે છે. રિલેક્સનો અનુભવ થાય છે. જાણો ક્યા યોગાસનો એવા છે જે માઈન્ડને ફ્રેશ કરે છે. આ યોગાસનો એવા છે જે મગજને તો ફ્રેશ કરે જ છે સાથે-સાથે આખો દિવસ સ્ફુર્તિ પણ રહે છે.

For Depression: જો સવારે દિવસની શરૂઆત સારી રીતે થાય તો આખો દિવસ ઘણો સારો જાય છે. ઘણા લોકો સવારે વહેલા દોડવા જાય છે, જ્યારે મોટાભાગના લોકો ઘરે યોગ અને ધ્યાન કરે છે. જો તમે પણ તમારા દિવસની શરૂઆત પોઝિટિવ અને શાનદાર રીતે કરવા માંગતા હો તો તમે સવારે ઉઠ્યા પછી તમારે યોગ કરવા જોઈએ. આ કર્યા પછી તમે દિવસભર તણાવથી મુક્ત રહેશો અને તણાવ તમને પરેશાન કરશે નહીં.

ઉત્તનાસન: જો તમને એન્ઝાયટી અને ડિપ્રેશન હોય તો ઉત્તનાસન કરવું જોઈએ. તેનાથી મન શાંત રહે છે.

અધોમુખાસન: અધોમુખાસન કરવાથી ચિંતા અને તણાવ દૂર કરે છે. અવસાદ અને એન્ઝાયટી માંથી નીકળવામાં મદદ કરે છે.

શવાસન: આ આસન કરવાથી બોડી રિલેક્સ થાય છે અને સાથે મન પણ શાંત થયા છે. આ બેસ્ટ અને સૌથી સરળ આસન છે.

બલાસના: આ આસનને કરવાથી મસલ્સ મજબૂત થાય છે અને સાથે જ બોડી ફિટ રહે છે.

ડીપ બ્રિથિંગ: ડીપ બ્રિથિંગથી લંગ્સ, પેટ અને મસલ્સ મજબૂત રહે છે, સાથે જ માઈન્ડ ફ્રેશ રહે છે અને શાંત રહે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.
