યોગ
યોગ એ યોગ્ય જીવન જીવવાનું વિજ્ઞાન છે અને તેથી તેને રોજિંદા જીવનમાં સામેલ કરવું જોઈએ. તે આપણા જીવનના તમામ પાસાઓ પર કામ કરે છે. જેમ કે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક. યોગ એટલે એકતા અથવા બંધન. આ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ યુજ છે, જેનો અર્થ થાય છે જોડાવું.
એક આધ્યાત્મિક પ્રક્રિયા જ્યાં શરીર, મન અને ભાવનાનું સંયોજન થાય છે. આ શબ્દ હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં ધ્યાનની પ્રક્રિયા સાથે સંબંધિત છે. યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ.
યોગ દિવસ
પ્રથમ ઈન્ટરનેશનલ યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ અવસર પર ભારતે બે વર્લ્ડ રેકોર્ડ બનાવીને ‘ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં પોતાનું નામ નોંધાવ્યું છે. પ્રથમ રેકોર્ડ એક જગ્યાએ એકસાથે સૌથી વધુ સંખ્યામાં યોગ કરનારા લોકો માટે અને બીજો રેકોર્ડ એક સાથે વધારે દેશોના લોકો સાથે જોડાઈને યોગ કરતાં તે માટે રેકોર્ડ બન્યો હતો.
યોગનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં યોગાસનના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. લોકોના સ્વાસ્થ્ય પર યોગના મહત્વ અને અસરો વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 21મી જૂને યોગનો અભ્યાસ કરવામાં આવે છે.
સવારે સૂર્યોદય પહેલાના એકથી બે કલાક યોગ માટેનો શ્રેષ્ઠ સમય છે. જો સવાર તમારા માટે શક્ય ન હોય તો તમે સૂર્યાસ્ત સમયે પણ કરી શકો છો. દરેક આસન યોગા મેટ અથવા શેતરંજી પાથરીને કરવા જોઈએ. યોગ માટે બેસ્ટ સ્થળ શોધવું જોઈએ. જેમ કે, બગીચો, ઘરની અગાશી. બસ એટલું ધ્યાન રાખવું કે જગ્યા જે પણ હોય તમે ખુલ્લામાં વ્યવસ્થિત કુદરતી હવા શ્વાસ મારફતે લઈ શકવા જોઈએ.
યોગના લાભો
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે.
Surya Namaskar Significance : શા માટે દુનિયા સદીઓથી સૂર્ય નમસ્કાર કરી રહી છે ? યોગ દિવસે જાણો તેના વિશે
International Yoga Day 2026: ઘણી યોગ પદ્ધતિઓમાં સૂર્ય નમસ્કારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ જ કારણ છે કે યોગ અભ્યાસની શરૂઆત ઘણીવાર સૂર્ય નમસ્કારથી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ચાલો આપણે સૂર્ય નમસ્કારના ધાર્મિક મહત્વ અને આપણે સૂર્યને શા માટે નમસ્કાર કરીએ છીએ તે વિશે જાણીએ.
- Meera Kansagara
- Updated on: Jun 21, 2026
- 1:38 pm
ગ્લેમર્સની દુનિયા છોડી પતિ સાથે યોગ સ્ટુડિયો ચલાવે છે, અમદાવાદની આ અભિનેત્રી, જુઓ ફોટો
બોલિવુડથી લઈ નાના પડદા સુધી અનેક એવા સ્ટાર છે. જેમણે પોતાના કરિયર બદલ્યું છે. ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું. છે. આ કલાકારોમાંથી એક અમદાવાદમાં જન્મેલી એક ટીવીનો જાણીતો ચેહરો પણ છે. જેમણે ગ્લેમર્સની દુનિયા છોડી યોગ સ્ટુડિયઓ ખોલ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jun 21, 2026
- 10:18 am
યોગ એ માત્ર આસન નથી, પરંતુ માનવ એકતાનો આધાર છે : PM મોદી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર યોગાસન કર્યા હતા. તેમણે કહ્યું કે યોગ ફક્ત શારીરિક મુદ્રાઓ, આસન નથી પરંતુ માનવ એકતાના પાયા તરીકે કામ કરે છે.
- Bipin Prajapati
- Updated on: Jun 21, 2026
- 8:37 am
Yoga Day 2026 : એરિયલથી લઈને અષ્ટાંગ સુધી… આ બોલીવુડ સ્ટાર્સ કરે છે સૌથી મુશ્કેલ યોગ
Yoga Day 2026: હોલીવુડ અને બોલીવુડ સ્ટાર્સ દ્વારા કરવામાં આવતા મુશ્કેલ યોગ પોઝ ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. એરિયલ યોગથી લઈને ડિમાન્ડિંગ અષ્ટાંગ પોઝ સુધી, આ સેલિબ્રિટીઓ પોતાની ફિટનેસ જાળવવા માટે પોતાના શરીરને રબરની જેમ વાળે છે. પરંતુ શું આ ફિટનેસ પાછળની પદ્ધતિ એ જ છે? જાણો કોણ વર્ષોની પ્રેક્ટિસ દ્વારા નિષ્ણાત બન્યું છે અને કોને તેમના ટ્રેનર્સની મદદ મળી છે.
- Meera Kansagara
- Updated on: Jun 21, 2026
- 8:34 am
International Yoga Day 2026 : કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ, જુઓ ફોટો
International Yoga Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ કોલકાતાના રેડ રોડ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નું નેતૃત્વ કર્યું હતુ. 21 જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરુઆત થઈ હતી.કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા હતા.
- Nirupa Duva
- Updated on: Jun 21, 2026
- 8:31 am
21 જૂનના મહત્વના સમાચાર : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ભારે પવન સાથે વરસાદની આગાહી, તો ગુજરાતમાં 5 દિવસ ચોમાસું બેસવાના કોઈ એંધાણ નહીં, 24-25 જૂને મીની વાવાઝોડાની આગાહી
Gujarat Live Updates આજ 21 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
- TV9 Gujarati
- Updated on: Jun 21, 2026
- 9:07 pm
FIFA World Cup 2026: મેસ્સીથી લઈને રોનાલ્ડો સુધી, આ ફૂટબોલ સ્ટાર્સની પાર્ટનર્સ ફિટ રહેવા માટે કરે છે ‘યોગ’
21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. યોગ માત્ર સામાન્ય લોકોમાં જ નહીં, પરંતુ વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ સ્ટાર્સના પરિવારોમાં પણ ખૂબ લોકપ્રિય છે. લિયોનેલ મેસ્સીની પત્નીથી લઈને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેમારની ગર્લફ્રેન્ડ સુધી, અનેક સેલિબ્રિટીઓ ફિટનેસ, લવચીકતા અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે યોગને પોતાના દૈનિક જીવનનો મહત્વપૂર્ણ ભાગ બનાવે છે.
- Smit Chauhan
- Updated on: Jun 20, 2026
- 5:07 pm
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમદાવાદ રેલવે મંડળની અનોખી પહેલ, 4 વંદે ભારત ટ્રેનોમાં પણ થશે યોગ સત્રો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણીને અનોખો આયામ આપતા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે રેલવે પરિસરો ઉપરાંત ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં પણ યોગ સત્રો યોજવાનો નિર્ણય લીધો છે. મુસાફરોને સ્વસ્થ જીવનશૈલી અને યોગ પ્રત્યે જાગૃત કરવા માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
- Sachin Agrawal
- Updated on: Jun 20, 2026
- 5:04 pm
યોગથી અબજોનો બિઝનેસ ! યોગ ટ્રેન્ડે આ કંપનીઓને બનાવી કરોડોની બ્રાન્ડ
યોગ હવે માત્ર સ્વાસ્થ્યનું સાધન નથી, પરંતુ એક મોટી વ્યવસાયિક તક છે. પતંજલિ, Decathlon, Cult.fit, Noise અને boAt જેવી કંપનીઓ યોગ, ફિટનેસ ઉત્પાદનો, ડિજિટલ સેવાઓ અને પહેરી શકાય તેવા ઉપકરણો દ્વારા અબજો રૂપિયાની આવક ઉભી કરી રહી છે.
- Meera Kansagara
- Updated on: Jun 20, 2026
- 8:59 am
વધતી ગરમીમાં આ યોગાસન અને પ્રાણાયામ શરીરને રાખશે ઠંડુ, AIIMSના ડોક્ટરે બતાવ્યું કારણ
વધતી ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પાણી, કુલર અને એર કંડિશનરનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે નિયમિત યોગ આપણા શરીરને કુદરતી રીતે ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે? ચાલો એક્સપર્ટ સાથે ચર્ચા કરીએ કે આપણે કયા યોગ આસનો અને પ્રાણાયામ કસરતો કરવી જોઈએ જેથી ગરમીથી બચી શકાય.
- Meera Kansagara
- Updated on: Jun 2, 2026
- 10:02 am
Meditation Myths: મેડિટેશનથી જોડાયેલી આ માન્યતામાં તમે પણ માનો છો? જાણો સત્ય શું છે
જો તમે બેચેની, તણાવગ્રસ્ત અથવા મૂંઝવણ અનુભવો છો, તો ધ્યાન એક સારો ઉકેલ છે. જોકે કેટલાક લોકો તેના સિદ્ધાંતોથી ગેરમાર્ગે દોરાયા છે. આ આર્ટિકસમાં અમે ધ્યાન વિશેની માન્યતામાં અને સત્યો સમજાવીશું.
- Meera Kansagara
- Updated on: May 9, 2026
- 9:07 am
બાળકોની ઊંચાઈ વધારવા દવા નહીં, આ યોગાસનો કરાવો, ટૂંક સમયમાં દેખાશે અસર
સારી ઊંચાઈ માત્ર વ્યક્તિત્વનું નિર્માણ જ નથી કરતી પણ આત્મવિશ્વાસ પણ વધારવાનું કામ કરે છે. તેથી, માતાપિતા બાળપણથી જ તેમના બાળકોની ઊંચાઈ વિશે ચિંતા કરે છે. જો તમારા બાળકનો વિકાસ અટકી ગયો હોય, તો કેટલાક યોગાસનોનો અભ્યાસ કરવાથી તેમની ઊંચાઈ વધારવામાં મદદ મળી શકે છે. ચાલો આવા પાંચ યોગ આસનો વિશે જાણીએ જે ઊંચાઈ વધારી શકે છે.
- Meera Kansagara
- Updated on: May 5, 2026
- 9:47 am
આ વાત દોષના લક્ષણો છે, તેમને બેલેન્સ કરવા માટે આ 6 યોગાસનો કરો
આયુર્વેદમાં વાત, પિત્ત અને કફનું બેલેન્સ જરૂરી માનવામાં આવે છે. વધુ પડતી વાત સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. વધુ પડતી વાત બેચેની, મૂડ સ્વિંગ, અનિદ્રા, કબજિયાત, પેટનું ફૂલવું, ભૂખ ન લાગવી, શુષ્ક ત્વચા અને વાળ અને નબળાઇ જેવા લક્ષણો તરફ દોરી શકે છે. તેને સંતુલિત કરવા માટે યોગ આસન વિશે જાણો.
- Meera Kansagara
- Updated on: Feb 21, 2026
- 7:42 am
રોજ સવારે પ્રાણાયામ કરવા કેમ જરુરી છે? સ્વામી રામદેવે જણાવ્યુ
પ્રાણાયામ શરીરને અને મનને સંતુલિત કરવા માટે અસરકારક શ્વાસ પ્રક્રિયા છે, જેથી શરીરમાં ઓક્સિજનનું પ્રવાહ વધે છે, ફેફસા મજબૂત બને છે અને તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ મળે છે. નિયમિત પ્રાણાયામથી એકાગ્રતા અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને સમગ્ર સ્વાસ્થ્ય અને ઉર્જા સ્તર સુધરે છે. યોગ ગુરુ સ્વામી રામદેવ દ્વારા ભલામણ કરાયેલા કેટલાક પ્રાણાયામ અપનાવવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- TV9 Gujarati
- Updated on: Feb 17, 2026
- 2:43 pm
બાબા રામદેવે કહ્યું- રોજ 20-30 મિનિટ કપાલભાતિ કરવાથી આ બીમારીઓ રહેશે દૂર
બાબા રામદેવ દરેકના ઘરમાં યોગ લાવ્યા છે લોકોને યોગથી પરિચીત કર્યાં છે. તેઓ હંમેશા યોગ કરવાની ભલામણ કરે છે. તેમના મતે, યોગ કરવાથી ઘણી બીમારીઓથી રાહત મળી શકે છે. આ લેખમાં, આપણે કપાલભાતિ પ્રાણાયામના ફાયદાઓ અંગે જાણીશું.
- TV9 Gujarati
- Updated on: Jan 8, 2026
- 2:22 pm