AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યોગ

યોગ

યોગ એ યોગ્ય જીવન જીવવાનું વિજ્ઞાન છે અને તેથી તેને રોજિંદા જીવનમાં સામેલ કરવું જોઈએ. તે આપણા જીવનના તમામ પાસાઓ પર કામ કરે છે. જેમ કે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક. યોગ એટલે એકતા અથવા બંધન. આ શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ યુજ છે, જેનો અર્થ થાય છે જોડાવું.

એક આધ્યાત્મિક પ્રક્રિયા જ્યાં શરીર, મન અને ભાવનાનું સંયોજન થાય છે. આ શબ્દ હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં ધ્યાનની પ્રક્રિયા સાથે સંબંધિત છે. યોગના આઠ અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ.

યોગ દિવસ

પ્રથમ ઈન્ટરનેશનલ યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ અવસર પર ભારતે બે વર્લ્ડ રેકોર્ડ બનાવીને ‘ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં પોતાનું નામ નોંધાવ્યું છે. પ્રથમ રેકોર્ડ એક જગ્યાએ એકસાથે સૌથી વધુ સંખ્યામાં યોગ કરનારા લોકો માટે અને બીજો રેકોર્ડ એક સાથે વધારે દેશોના લોકો સાથે જોડાઈને યોગ કરતાં તે માટે રેકોર્ડ બન્યો હતો.

યોગનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં યોગાસનના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. લોકોના સ્વાસ્થ્ય પર યોગના મહત્વ અને અસરો વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 21મી જૂને યોગનો અભ્યાસ કરવામાં આવે છે.

સવારે સૂર્યોદય પહેલાના એકથી બે કલાક યોગ માટેનો શ્રેષ્ઠ સમય છે. જો સવાર તમારા માટે શક્ય ન હોય તો તમે સૂર્યાસ્ત સમયે પણ કરી શકો છો. દરેક આસન યોગા મેટ અથવા શેતરંજી પાથરીને કરવા જોઈએ. યોગ માટે બેસ્ટ સ્થળ શોધવું જોઈએ. જેમ કે, બગીચો, ઘરની અગાશી. બસ એટલું ધ્યાન રાખવું કે જગ્યા જે પણ હોય તમે ખુલ્લામાં વ્યવસ્થિત કુદરતી હવા શ્વાસ મારફતે લઈ શકવા જોઈએ.

યોગના લાભો

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે.

Read More

શિયાળાની ઠંડીમાં સવારે આ 5 યોગ કરો, તમારું શરીર આખો દિવસ રહેશે એક્ટિવ

શિયાળાની ઋતુમાં રોજ વહેલી સવારે યોગાભ્યાસ કરવાની ટેવ વિકસાવો. થોડા જ સમયમાં તમારા શરીર અને મનમાં સકારાત્મક બદલાવ અનુભવાશે. યોગ તમારા શરીરને સ્ફૂર્તિમય બનાવશે તેમજ માનસિક શાંતિ મેળવવામાં પણ સહાયરૂપ બનશે.

યુરિક એસિડ વધારી રહ્યુ છે તમારા સાંધાનો દુખાવો? બાબા રામદેવે જણાવેલા 4 આસનથી મળશે જલ્દી રાહત

આજકાલ યુરિક એસિડના ઊંચા સ્તરની સમસ્યા વધુને વધુ સામાન્ય બની રહી છે. તેને અવગણવી ન જોઈએ, કારણ કે તે ઘણા રોગોનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, સ્વામી રામદેવ દ્વારા સૂચવેલા યોગ આસન યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ.

તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે, સ્વામી રામદેવે સૂચવેલા આ યોગાસન શરૂ કરો

આજકાલ નાની વયથી માંડીને મોટી ઉમરના લોકોમાં હૃદય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. યોગને તમારી જીવનશૈલીમાં સામેલ કરવાથી હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળી શકે છે. ચાલો સ્વામી રામદેવ પાસેથી શીખીએ કે કયા આસનો હૃદયના સ્વાસ્થ્ય માટે અસરકારક સાબિત થઈ શકે છે.

ઘૂંટણમાં દુખાવો હોય તો ચિંતા ના કરશો, સવારે માત્ર 10 મિનિટ બાબા રામદેવે જણાવેલા આ આસન કરો ફરક દેખાશે

ઘૂંટણનો દુખાવો આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, પરંતુ તેને હળવાશથી ન લેવી જોઈએ. તે પછીથી ઘણી સમસ્યાઓ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, સ્વામી રામદેવ દ્વારા સૂચવેલા યોગ આસનો ઘૂંટણના દુખાવાને ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ.

આ 5 યોગાસનો પેટની ચરબી ઘટાડશે, તમારા પેટના સ્નાયુઓને કરશે મજબૂત

જ્યારે પેટની ચરબી ઘટાડવાની વાત આવે છે, ત્યારે લોકો ઘણીવાર વિચારે છે કે તે ફક્ત હાઈ ઈન્ટેન્સ વર્કઆઉટ્સ વિશે છે. જોકે કેટલાક યોગ પોઝ છે જે પેટની ચરબી ઘટાડી શકે છે અને પેટના સ્નાયુઓને ટોન કરી શકે છે. આ પોઝના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે. આ આર્ટિકલમાં આપણે આવા પાંચ યોગ પોઝ વિશે શીખીશું.

Winter Yoga: શિયાળામાં હેલ્ધી રાખશે આ આસનો, પ્રદૂષણને કારણે થતી શ્વસન સમસ્યાઓથી પણ બચાવશે

શિયાળાની ઋતુમાં આંતરિક શક્તિ જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ પ્રદૂષણ પણ વધે છે. જેના કારણે શ્વસન સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં દરરોજ કેટલાક યોગાસનો કરવાથી સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળી શકે છે. કારણ કે આ આસનો રક્ત પરિભ્રમણ સુધારવા, ફેફસાના સ્વાસ્થ્ય જાળવવા અને ગરમી ઉત્પન્ન કરવામાં અસરકારક છે.

હાઈ બ્લડ પ્રેશર હોય તો બાબા રામદેવે જણાવ્યા ફાયદાકારક યોગાસન

આજકાલ લગભગ મોટાભાગના લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઈ છે, પરંતુ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને હળવાશથી ના લેવી જોઈએ. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઘણીવાર ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. બાબા રામદેવે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કેટલાક ફાયદાકારક યોગાસન સૂચવ્યા છે. ચાલો તેમના વિશે જાણીએ.

આ યોગાસન કરવાથી શરીરને મળશે તાકાત, બાબા રામદેવે જણાવ્યુ

યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. તાજેતરમાં, બાબા રામદેવે તેમના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેમણે ત્રણ યોગ આસનો કરવાની ભલામણ કરી છે જે શરીરને ઉર્જા આપશે. ચાલો તેમના વિશે વધુ જાણીએ.

આ આસનોથી માથાનો દુખાવો થઇ જશે દૂર, બાબા રામદેવ પાસેથી જાણો

સતત માથાનો દુખાવા એ માઈગ્રેન અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, બાબા રામદેવ દ્વારા સૂચવેલા કેટલાક સરળ યોગ આસનો માથાના દુખાવામાં રાહત મેળવવામાં અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે. આ આસનો માત્ર માથાના દુખાવામાં રાહત આપતા નથી, પરંતુ મનને શાંત પણ કરે છે.

કબજિયાત અને ગેસથી રાહત મેળવવા માટે, બાબા રામદેવે સૂચવ્યા આ યોગાસન

આજકાલ કબજિયાત અને ગેસની સમસ્યા વધુને વધુ સામાન્ય બની રહ્યી છે. તેમને અવગણવા જોઈએ નહીં, કારણ કે તે ગંભીર આરોગ્યલક્ષી સમસ્યા તરફ દોરી શકે છે. યોગ ગુરુ બાબા રામદેવ સમજાવે છે કે, આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે કયા યોગાસન ફાયદાકારક હોઈ શકે છે. ચાલો જાણીએ.

બાબા રામદેવે બતાવ્યા મહિલાઓના માનસિક સ્વાસ્થય માટેના ઉત્તમ યોગાસન

આજના ઝડપી જીવનમાં, ઘણી સ્ત્રીઓ નબળી માનસિક સ્વાસ્થયથી પીડાઈ રહી છે. આવી સ્થિતિમાં, સ્વામી રામદેવ સમજાવે છે કે સારા માનસિક સ્વાસ્થય માટે મહિલાઓએ કયા યોગ આસનો અપનાવવા જોઈએ. ચાલો જાણીએ.

શું યોગ કરતા પહેલા સ્નાન કરવું જરૂરી છે ? જાણો એક્સપર્ટ શું કહે છે

જો તમે તમારી વ્યસ્ત લાઈફસ્ટાઈલ છતાં ફિટ રહેવા માંગતા હો, તો યોગ કરવાનું શરૂ કરો. આજકાલ આપણી ખાવાની આદતો ઘણી બગડી ગઈ છે, જેની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં તમે સ્વસ્થ રહેવા માટે યોગનો સહારો લઈ શકો છો.

બાબા રામદેવે બતાવેલા આ યોગ કરીને કમર-પીઠના દુંખાવામાં રાહત મેળવો

યોગ ગુરુ બાબા રામદેવ ઘણીવાર તેમના વીડિયો દ્વારા યોગનું મહત્વ સમજાવતા હોય છે. સ્વસ્થ શરીર જાળવવા માટે યોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો તમે કમર-પીઠના દુખાવાથી પીડાતા હોવ, તો તમે બાબા રામદેવના કેટલાક યોગ આસનોનો અભ્યાસ કરીને રાહત મેળવી શકો છો.

ખરતા વાળ અટકાવવા માટે બાબા રામદેવે જણાવ્યા સરળ ઉપાય, આ વસ્તુ ખાઓ

આજકાલ વાળ ખરવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, કારણ કે આપણે આપણા આહારથી લઈને આપણી દિનચર્યા સુધી ઘણી નાની નાની બાબતોને અવગણીએ છીએ. પતંજલિના સ્થાપક અને યોગ ગુરુ બાબા રામદેવે ખરતા વાળ અટકાવવા માટે કેટલીક સરળ રીતો શેર કરી છે, જેને તમે પણ અપનાવી શકો છો.

યાદશક્તિ ઓછી થવાનું કારણ શું છે, યોગ કરશે મદદ, જાણો શું કહ્યું AIIMSના ડૉક્ટરે

ઘણા લોકો યાદશક્તિ ગુમાવવાની સમસ્યાથી પીડાય છે. આ વિવિધ કારણોસર હોઈ શકે છે પરંતુ એક મુખ્ય કારણ બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો અને ખરાબ લાઈફસ્ટાઈલ છે. ચાલો આ વાત AIIMS ના એક ડૉક્ટર પાસેથી સમજીએ.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">