દુશ્મન દેશ પાકિસ્તાનમાંથી પરત ફરેલા ભારતીય સૈનિક સાથે શું કરે છે ભારત સરકાર, જાણો A to Z જાણકારી
જ્યારે કોઈ ભારતીય સૈનિક દુશમન દેશ પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવે છે. તો તેને મહિનાઓ સુધી કામ આપવામાં આવતું નથી. પરંતુ તેમને પુરતો પગાર આપવામાં આવે છે.પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. પાકિસ્તાને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાન પૂર્ણમ કુમાર સાહુને કસ્ટડીમાંથી મુક્ત કર્યા છે.

તમને જણાવી દઈએ કે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હતો, ત્યારે 23 એપ્રિલે પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાની રેન્જર્સે આંતરરાષ્ટ્રીય સરહદ પરથી કસ્ટડીમાં લીધો હતો. ત્યારથી, તેને પાછા લાવવાની માંગ થઈ રહી હતી. આજે, 14 મેના રોજ, તે લગભગ 20 દિવસ પછી પાછો ફર્યો છે. ટુંકમાં 504 કલાકમાં પાકિસ્તાનની કેદમાંથી એક બીએસએફ જવાન મુક્ત થયો,

ભારતીય સેના, નૌ સેના અને એરફોર્સમાં જ્યારે પણ કોઈ સૌનિક ભૂલથી બોર્ડર પાર કરી લે છે અને બીજા દેશની સેના દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવે છે. અને પરત કરવામાં આવે છે, ત્યારે તેને તાત્કાલિક ફરજ પર પાછો લેવામાં આવતો નથી. આ પરિસ્થિતિમાં, એક નિર્ધારિત પ્રક્રિયા અને કૂલ-ઓફ પીરિયડ હોય છે જેમાં અનેક પરીક્ષણો અને તબીબી મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. તો ચાલો ભારતીય શસ્ત્ર બળના નિયમો અનુસાર વિસ્તારથી સમજીએ.

કસ્ટડીમાંથી મુક્ત થયા પછીની પ્રક્રિયા વિશે જો આપણે વાત કરીએ તો. જ્યારે સૌનિકને બીજા દેશમાંથી ભારત મોકલવામાં આવે છે.(જેમ કે પાકિસ્તાન કે પછી ચીન ) તો સીધો તેને ડ્યુટી પર મુકવામાં આવતો નથી.તેમને કેટલાક તબક્કામાંથી પસાર થવાનું રહે છે.ગુપ્ત માહિતી અને સુરક્ષા ડિબ્રીફિંગ,ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), મિલિટરી ઇન્ટેલિજન્સ (MI), RAW, અને નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NTRO) જેવી એજન્સીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવે છે.

ખાતરી કરવામાં આવે છે કે, તેમણે દુશ્મન દેશને કોઈ સંવેદનશીલ સૂચનાઓ તો આપી નથી ને? તેના પર કોઈ માનસિક કે શારીરિક ત્રાસ થયો નથી ને?શું તેમના મનમાં દેશ કે સેના પ્રત્યે કોઈ દ્વેષ કેળવવામાં આવ્યો નથી ને?તબીબી અને મનોવૈજ્ઞાનિક પરીક્ષણ આર્મી,નેવી, એરફોર્સ હોસ્પિટલમાં તેનું ફિઝિકલ અને સાઈકોલોજિકલ ચેકઅપ કરવામાં આવે છે.માનસિક સ્થિતિને વિશેષ રુપથી જોવામાં આવે છે, કે, તે PTSD (Post-Traumatic Stress Disorder)થી પીડિત નથી.

કોર્ટ ઈન્ક્વાયરી, "કોર્ટ ઓફ ઇન્ક્વાયરી" ની રચના થાય છે. તે તપાસે છે કે, તેણે સરહદ કેવી રીતે પાર કરી? , શું તે ભૂલથી ગયો હતો કે પછી ફરજની અવગણના કરવામાં આવી હતી? શું કોઈ કાવતરું કે બળવો હતો?Cool-Off Period એટલે કે, રજા અથવા અલગ થવાનો સમયગાળો સૈનિકને માનસિક અને ભાવનાત્મક રીતે સ્થિર કરવા માટે છે. આ સમયગાળો સામાન્ય રીતે 15 દિવસથી 90 દિવસ સુધીનો હોય શકે છે. આ દરમિયાન સૈનિકને પરિવાર સાથે મળવા, કાઉન્સલિંગ કરવું અને આરામ આપવામાં આવે છે.કેટલાક કેસમાં તેમને Low-Stress Duty Post પર અસ્થાયી રુપે લગાવવામાં આવે છે.જેમ કે મુખ્યાલય અથવા તાલીમ યૂનિટમાં.

કૂલ-ઓફ પીરિયડ અને ચેક પ્રક્રિયા પછી જો બધું સામાન્ય જણાય તો,સૈનિકને ફરીથી સેવામાં લેવામાં આવે છે. પરંતુ તેમનું પોસ્ટિંગ સ્થાન પણ બદલાઈ શકે છે, ખાસ કરીને સરહદથી દૂર.જો શંકાસ્પદ અથવા માનસિક રીતે અસ્થિર હોય તો,તેમને થોડા સમય માટે "નોન-ઓપરેશનલ ડ્યુટી" પર રાખવામાં આવે છે.કેટલીકવાર, "મેડિકલ બોર્ડ" તેને "કાયમી નિમ્ન તબીબી શ્રેણી (LMC)" માં મૂકે છે. કેટલાક કિસ્સાઓમાં, સૈનિકને નિવૃત્ત પણ કરી શકાય છે.

હવે જો આપણે ભારતીય કાનુનની વાત કરીએ તો.કલમ 63 ફરજમાં કસુર કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહી. કલમ 69: નાગરિક ગુનાઓ માટે લશ્કરી અદાલત દ્વારા ટ્રાયલ "આર્મી રૂલ્સ,1954" કોર્ટ ઓફ ઇન્કવાયરી અને મેડિકલ બોર્ડની પ્રક્રિયાનું વર્ણન કરે છે.

ભારતીય નૌકાદળ અધિનિયમ, 1957 (Navy Act, 1957). અનુશાસન,કર્તવ્ય અને સરહદના ઉલ્લંધન અંગે ખાસ જોગવાઈઓ છે.વાયુસેના અધિનિયમ, 1950 સરહદ પાર કરવા જેવી ઘટનાઓ પર "ફરજની બેદરકારી" અને "ગેરવર્તણૂક" હેઠળ કાર્યવાહી કરી શકાય છે.

ઐતિહાસિક ઉદાહરણ જોઈએ તો ચંદુ ચૌહાણ (2016) તે ભૂલથી LOC પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયો. મુક્તિ પછી, લાંબી પૂછપરછ અને તબીબી મૂલ્યાંકન પછી જ તેમને ફરીથી સેવામાં લેવામાં આવ્યા. કેટલીક વખત સૈનિકોને " (Temporary Non-Duty)માં રાખવામાં આવ્યા છે.

હા, જ્યારે કોઈ સૈનિક સરહદ પાર કરે છે અને પછી દુશ્મન દેશમાંથી પાછો ફરે છે, ત્યારે ભારતીય સેના અને ગુપ્તચર એજન્સીઓ પણ તેની ડબલ એજન્ટ હોવાની શંકાના આધારે તપાસ કરે છે.આને ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર શક્યતા માનવામાં આવે છે, ખાસ કરીને જ્યારે વાત ભારત સાથે પ્રતિકૂળ સંબંધો ધરાવતા દેશોની આવે છે, જેમ કે,પાકિસ્તાન, ચીન

જ્યારે કોઈ સૈનિક દુશ્મનની કસ્ટડીમાં થોડા દિવસો કે અઠવાડિયા વિતાવે છે, ત્યારે કેટલીક શક્યતાઓ ઊભી થાય છે, બ્રેનવોશિંગ,માનસિક દબાણ,બ્લેકમેલિંગ,ડરાવવો દુશ્મન એજન્સીઓ પૈસા અથવા પદ પર પ્રમોશનની લાલચ આપીને તેમને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરી શકે છે.

ભારતીય સૈન્ય અધિનિયમ (Army Act, 1950) ની કલમો લાગુ કરી શકાય છે.Official Secrets Act, 1923 ઉપરોક્ત કાયદા હેઠળ જાસૂસીનો કેસ દાખલ કરી શકાય છે.NSA (National Security Act) ધરપકડ પણ હેઠળ શક્ય છે.
ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. ભારતીય સેનાના સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
