ભારતીય સેના

ભારતીય સેના

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. કોલકત્તામાં ભારતીય સેનાની સ્થાપના વર્ષ 1776માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી હતી. દેશમાં આંતરિક કે બાહ્ય આક્રમણને પહોચી વળવા માટે સૈન્ય સક્ષમ છે.

દેશની અંદર જ્યારે પણ કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે ભારતીય સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરે છે. શાંતિના સમયે ભારતીય સૈન્યનો હાથ હંમેશા દેશવાસીઓની તરફ લંબાયેલો જોવા મળે છે.

યુદ્ધ ભૂમિમાં ભારતીય સૈન્ય દુશ્મનને મારી હટાવે છે. ભારતની અંદર વિવિધ પ્રાંત અને રાજ્યોમાં 53 કેન્ટોનમેન્ટ આવેલા છે. જે 9 સૈન્ય મથકોમાં વહેચાયેલા છે. ભારતીય સૈન્યને વિશ્વની સૌથી મોટી સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતીય સૈન્ય તરફ દેશ અને દુનિયા આદરની દ્રષ્ટિએ જોવે છે.

Read More

જમ્મુ કાશ્મીરના પુંછમાં એરફોર્સના કાફલા પર થયેલા હુમલામાં PAKનો હાથ, 3 આતંકવાદીઓની તસવીર જાહેર

4 મે, 2024 ના રોજ એરફોર્સના કાફલા પર હુમલો કરનારા ત્રણ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. આ આતંકવાદીઓની ઓળખ પાકિસ્તાનના અબુ હમઝા, હદૂન અને ઇલ્યાસ ફૌજી તરીકે થઈ છે.

જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો, 5 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર નાપાક હુમલો કર્યો છે. પૂંછ જિલ્લામાં ભારતીય વાયુસેનાના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં પાંચ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

કયા દેશના સૈનિકોને મળે છે સૌથી વધુ પગાર, જાણો આ મામલે ભારત કયા નંબરે છે ?

સેનાના જવાનોનો પગાર પણ વધુ હોવો જોઈએ. જો કે યુરોપ અને અમેરિકાના મોટાભાગના દેશો સૈનિકોને વધુ પગાર આપવામાં પાછળ છે. જ્યારે આ મામલે નાના દેશો આગળ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયા દેશના સૈનિકોને સૌથી વધુ પગાર આપવામાં આવે છે.

જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવામાં આવશે AFSPA, સેનાની પણ થશે વાપસી, અમિત શાહે જણાવ્યો સંપૂર્ણ પ્લાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી છે. એક મીડિયા ગ્રુપને આપેલા એક ઈન્ટરવ્યુમાં શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી સેના પાછી ખેંચી લેવામાં આવશે અને અહીંની કાયદો અને વ્યવસ્થા જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવામાં આવશે.

40 કલાકનું ઓપરેશન, 1 મિલિયન ડોલરનું કાર્ગો, દરિયાઈ લુંટારૂઓને લઈને મુંબઈ પહોંચ્યું ભારતીય નેવી

એમવી રુએન કાર્ગો જહાજને 14 ડિસેમ્બર 2023એ સોમાલિયાઈ દરિયાઈ લુંટારાઓ દ્વારા હાઈજેક કરી લેવામાં આવ્યું હતું. જહાજને જ્યારે હાઈજેક કરી લેવામાં આવ્યો તો તે ભારતીય કિનારાથી લગભગ 2600 કિલોમીટર દુર હતું,

થેન્કયૂ PM મોદી..ભારતીય નેવીએ સોમાલી ડાકુઓથી જહાજ બચાવ્યું તો ગદગદ થયા બલ્ગેરિયાના રાષ્ટ્રપતિ

બલ્ગેરિયાના રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું કે, "હૃદયથી કૃતજ્ઞ બલ્ગેરિયન જહાજ રુએન અને તેના ક્રૂ સહિત 7 બલ્ગેરિયન નાગરિકોને બચાવવા માટે નૌકાદળની બહાદુર કાર્યવાહી માટે પીએમ નરેન્દ્ર મોદીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

ભારતીય નૌકાદળે મધ દરિયે 40 કલાક ચલાવ્યું ઓપરેશન, 35 સમુદ્રી ચાંચિયાઓને શરણે લાવી 17 બંધકોને મુક્ત કરાવ્યા

ભારતીય નૌકાદળે હિંદ મહાસાગરમાં સમુદ્રી ચાંચિયાઓ સામે 40 કલાક સુધી ઓપરેશન ચલાવીને 35 સોમાલિયન ચાંચિયાઓને પકડી પાડ્યા છે. નૌકાદળે ચાંચિયાના કબજામાં રહેલા 17 બંધકોને મુક્ત કરાવ્યા છે. હિંદ મહાસાગરમાં લગભગ 40 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં માર્કોસ કમાન્ડોની કામગીરી સામે સમુદ્રી ચાંચિયાઓ હિંમત હારી ગયા અને પછી તેઓએ આત્મસમર્પણ કર્યું.

ભારતના અગ્નિ-5 મિસાઈલ પરીક્ષણથી પાકિસ્તાનમાં ખળભળાટ, શાહબાઝ સરકારે ભારત સરકારને કરી આ વિનંતી

ભારતના અગ્નિ-5 મિસાઈલના પરીક્ષણથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. અગ્નિ 5 મિસાઈલની શક્તિ જોઈને પાકિસ્તાને ભારતને વિનંતી કરી છે. આ વિનંતીથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે અગ્નિ 5 મિસાઈલના પરીક્ષણથી પાકિસ્તાન 'આઘાતમાં' છે.

ભારતીય સેનામાં ફરજ બજાવતા શ્વાનને કેટલો મળે છે પગાર? રિટાયરમેન્ટ બાદ તેમની સાથે થાય છે કંઈક આવું

ભારતીય સેનાના ઘણા મોટા ઓપરેશનમાં શ્વાનએ મુખ્ય ભૂમિકા ભજવી છે. પરંતુ શું તમે જાણો છો કે આ શ્વાનને મિલિટરી ઓપરેશનમાં કામ કરવા બદલ કેટલો પગાર મળે છે? જાણો કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે

જેસલમેરમાં વાયુસેનાનુ તેજસ ક્રેશ, ફાઈટર પ્લેન વસ્તીવાળા વિસ્તારમાં પડ્યું, આગ ફાટી નીકળી

રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન યુદ્ધ અભ્યાસમાં સામેલ હતું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.

ભારત-ચીન બોર્ડર પર તૈનાત થશે પિનાકા રોકેટ લોન્ચર, આ રીતે કરશે દુશ્મન પર વાર

રોકેટ લોન્ચર્સ લગાવતાની સાથે, ભારત વાસ્તવિક નિયંત્રણ રેખા પર વધુ મજબૂત બનશે. આ માટે આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. પિનાકા એ ભારતની સ્વદેશી રોકેટ સિસ્ટમ છે. આનાથી ચીન સાથેની સરહદ પર ભારતીય આર્ટિલરીની ફાયરપાવરમાં વધુ વધારો થશે.

India China Border News: ભારત-ચીન બોર્ડર પર હલચલ વધી, 11 લાખ કરોડ રૂપિયાના બિઝનેસ પર સંકટ?

ગલવાન ઘાટી અથડામણ બાદ ફરી એકવાર ભારત અને ચીન વચ્ચે તણાવના અહેવાલો છે. જેના કારણે ભારતે LAC પર વધુ સૈનિકો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. શું આ તણાવને કારણે બંને દેશો વચ્ચેના વેપાર પર કોઈ અસર પડશે? ચાલો તમને પણ જણાવીએ

ચીનની નાપાક ચાલ પહેલા ભારતનું મોટું પગલું, વધુ 10,000 સૈનિકો સરહદ પર કર્યા તૈનાત

જૂન 2020માં પૂર્વી લદ્દાખના ગલવાન વિસ્તારમાં ચીન અને ભારત વચ્ચેના મડાગાંઠને પગલે બેઇજિંગ સાથેના સંબંધોમાં તિરાડ પડી હતી. તે દરમિયાન, સરકાર ચીન સાથેની તેની સરહદને વધુ મજબૂત કરવા માટે 10,000 વધારાના સૈનિકો તૈનાત કરવા જઈ રહી છે. આ સૈનિકો હાલમાં દેશની પશ્ચિમી સરહદ પર તૈનાત હતા.

ભારતીય સેના બનશે તાકતવર, નેવીને મળશે 6 હોક હેલિકોપ્ટર, જાણો શું છે તેની ખાસિયત?

MH-60R Seahawk નામના આ હેલિકોપ્ટરને 6 માર્ચે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. હવે ભારતીય નૌકાદળ સબમરીનને શોધીને તેનો નાશ કરી શકશે. રોમિયો હેલિકોપ્ટરનું MH 60R વર્ઝન સામાન્ય રીતે એન્ટી સબમરીન વર્ઝન છે.

BSF આઈજી દિનેશ કુમાર બુરાએ કહ્યું ‘જો પાકિસ્તાન પાક કાપવા નહીં આપે તો આપણે પણ…’

આઈજી બુરા સાંબા જિલ્લાના સરહદી વિસ્તાર બાબા ચમલિયાલ ખાતે એક ખેડૂત ભગવાન દાસને પોલીસ પ્રશાસન વતી 3 લાખ રૂપિયાનું ઈનામ આપવા આવ્યા હતા, જેમણે ડ્રોન શોધવાની માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને વાડની સામે બને તેટલી ખેતી કરવા જણાવ્યું. સાથે જ ખાતરી આપી છે કે BSF તેમને સંપૂર્ણ મદદ અને સુરક્ષા આપશે.

નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">