AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય સેના

ભારતીય સેના

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. કોલકત્તામાં ભારતીય સેનાની સ્થાપના વર્ષ 1776માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી હતી. દેશમાં આંતરિક કે બાહ્ય આક્રમણને પહોચી વળવા માટે સૈન્ય સક્ષમ છે.

દેશની અંદર જ્યારે પણ કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે ભારતીય સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરે છે. શાંતિના સમયે ભારતીય સૈન્યનો હાથ હંમેશા દેશવાસીઓની તરફ લંબાયેલો જોવા મળે છે.

યુદ્ધ ભૂમિમાં ભારતીય સૈન્ય દુશ્મનને મારી હટાવે છે. ભારતની અંદર વિવિધ પ્રાંત અને રાજ્યોમાં 53 કેન્ટોનમેન્ટ આવેલા છે. જે 9 સૈન્ય મથકોમાં વહેચાયેલા છે. ભારતીય સૈન્યને વિશ્વની સૌથી મોટી સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતીય સૈન્ય તરફ દેશ અને દુનિયા આદરની દ્રષ્ટિએ જોવે છે.

Read More

મૂનિરના નાપાક ઈરાદાનો ફરી થયો પર્દાફાશ, કુપવાડામાં ઠાર કરાયેલા બે આતંકીની તપાસમાં મોટો ખૂલાસો

ભારતીય સેના દ્વારા ઓપરેશન પિમ્પલના ભાગ રૂપે, સેના અને સુરક્ષા દળોએ કુપવાડામાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. એન્કાઉન્ટર સ્થળેથી પાકિસ્તાની બનાવટના સિગારેટના પેકેટ અને ડ્રગ્સઓ મળી આવ્યા હતા. વધુમાં, આતંકવાદીઓ પાસેથી ચીની બનાવટના હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા. આ ઘટનાએ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીર અંગે આસીમ મુનીર અને પાકિસ્તાની સેનાના નાપાક ઇરાદાઓનો પર્દાફાશ કર્યો છે.

Powerful fighter jets : દુનિયાના 10 સૌથી શક્તિશાળી ફાઇટર જેટ, ભારત કેટલું શક્તિશાળી ? જાણી લો

દુનિયાના 10 સૌથી શક્તિશાળી ફાઈટર જેટની અહીં ચર્ચા કરવાંઆ આવી છે, જેમાં યુએસના F-35 અને F-22, ચીનના J-20 જેવા વિમાનોનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય એકતા, મહિલા સશક્તિકરણ, નક્સલવાદ… PM મોદી એકતા પરેડ સંબોધનમાં કરેલી 6 મોટી વાત જાણો

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા મજબૂત કરવા, મહિલા સશક્તિકરણ અને નક્સલવાદ સામેની લડત પર ભાર મૂક્યો. તેમણે સરદાર પટેલના વારસાનું સન્માન કરી, કોંગ્રેસની ઐતિહાસિક ભૂલોની ટીકા કરી.

ગંગાસિહ રસાલા તરીકે ઓળખ પામેલ બીએસએફના 52 જેસલમેરી અને બિકાનેરી ઊંટનું દળ એકતા પરેડમાં લેશે ભાગ

એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની ટૂકડી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્લીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટીન્જન્ટ, હવે કેવડિયા ખાતેની એકતા પરેડમા પણ ભાગ લેવાની છે. ઊંટ સવારની લાંબી મૂછો, કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને કારણે આ ટૂકડી પરેડ દરમિયાન અલગ તરી આવે છે.

ગુજરાત-રાજસ્થાન સરહદે ત્રિશુલ શક્તિથી ગભરાયું પાકિસ્તાન, મુલ્લા મુનીરે જાહેર કર્યું નોટામ

ભારતની ત્રિશુલ શક્તિ, થલસેના, નૌકાદળ અને વાયુસેના વચ્ચે સંયુક્ત કવાયત થશે, જે ભારતની વધતી જતી સંયુક્ત યુદ્ધ ક્ષમતાઓ, આત્મનિર્ભરતા અને નવીનતાનું પ્રદર્શન કરશે. ભૌગોલીક વિશ્લેષક ડેમિયન સિમોને લખ્યું છે કે, આ કવાયત અસામાન્ય ધોરણે અને 28,000 ફૂટ સુધીના એરસ્પેસ રિઝર્વેશનવાળા વિસ્તારમાં હાથ ધરવામાં આવી રહી છે.

મહેસાણામાં સૌ પ્રથમવાર યોજાયો એર શો, વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે રજૂ કર્યા દિલધડક સ્ટંટ

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવવાના ભાગરૂપે આજે મહેસાણા એરોડ્રામ ખાતે ભારતીય વાયુસેનાની લોકપ્રિય સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દિવાળીની અતિશબાજી બાદ ઉત્તર ગુજરાતના આકાશમાં અદભુત અને રોમાંચક કરતબોનું પ્રદર્શન યોજાયું હતું.

79,000 કરોડની ડિફેન્સ ડીલને લીલી ઝંડી! ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના હવે વધારે મજબૂત બનશે

રક્ષા મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી હતી કે, Defense Acquisition Council (DAC) એ ભારતીય સંરક્ષણ દળો (Defense Forces) ની ક્ષમતાઓ વધારવા માટે ₹79,000 કરોડના ખરીદી પ્રસ્તાવોને મંજૂરી આપી છે.

Operation Sindoor : આકાશમાંથી પાકિસ્તાનમાં આગ વરસાવનારા 6 બહાદૂર યોદ્ધાઓને ગેલેન્ટ્રી એવોર્ડ

ઓપરેશન સિંદૂર દરમિયાન ઉત્કૃ્ષ્ટ કામગીરી બદલ ભારતીય સેના અને વાયુસેનાના છ બહાદુર અધિકારીઓને ગેલેન્ટ્રી એવોર્ડ પ્રાપ્ત થયા છે. કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર સહિત સંરક્ષણ દળોના વીરતા પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરતું ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને ભારતીય સેનામાં “લેફ્ટન્ટ કર્નલ”નો ઇલકાબ આપવામાં આવ્યો

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સન્માન તેમની વિશિષ્ટ લશ્કરી કારકિર્દી અને અસંખ્ય એથ્લેટિક સિદ્ધિઓને અનુસરે છે. ચોપરાની યાત્રામાં અર્જુન એવોર્ડ, ખેલ રત્ન અને પદ્મશ્રી જેવા મહત્વપૂર્ણ પુરસ્કારોનો સમાવેશ થાય છે. તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમની ભાગીદારીથી તેમને મજબૂત સ્પર્ધા પણ મળી. વધુ વાંચો

BSF ના જવાનો સાથે ઈન્ડો લાયન ફાઉન્ડેશનની અનોખી દિવાળી પર્વની, જુઓ Video

દિવાળીનો પર્વ લોકો પોતાના પરિવાર સાથે આનંદભેર ઉજવે છે, ત્યારે દેશની સુરક્ષામાં તત્પર રહેનારા BSF જવાનો માટે પણ આ તહેવાર ખાસ બની રહ્યો. Indo Lion Foundation એ જેસલમેર ખાતે આવેલી Rython Wala Forward Post પર સરહદ પર તહેનાત જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

પાકિસ્તાનની ઈંચે ઈંચ જમીન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં, ઓપરેશન સિંદૂર તો માત્ર એક ટ્રેલર હતુ: રાજનાથસિહ

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "ઓપરેશન સિંદૂરમાં જે બન્યું તે તો માત્ર એક ટ્રેલર હતું. જો કે આ ટ્રેલરથી જ પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો કે જો ભારત પાકિસ્તાનને જન્મ આપી શકે છે, તો તેનો સફાયો પણ કરી શકે છે. મારે તેના વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી."

Indian Army Bharti 2025 : સેનામાં આવી ભરતી, આટલી જગ્યા પર થશે ભરતી, 10 અને 12 પાસ વાળા લઈ શકશે લાભ

Indian Army DG EME Group C Vacancy 2025: ભારતીય સેનાએ MTS સહિત વિવિધ ગ્રુપ C પદો માટે ભરતીની જાહેરાત કરી છે. અરજી પ્રક્રિયા 11 ઓક્ટોબરથી શરૂ થશે. પસંદગી લેખિત પરીક્ષા અને અન્ય પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવશે.

Indian Coast Guard Bharti 2025: ભારતીય કોસ્ટ ગાર્ડમાં 10મું ધોરણ પાસ ઉમેદવારો માટે નોકરીની તક, દર મહિને રૂપિયા 69,100 સુધીનો પગાર

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2025: આ 10મું ધોરણ પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની તક છે. ભારતીય કોસ્ટ ગાર્ડે વિવિધ પદો માટે અરજીઓ મંગાવી છે. અરજીઓ કરવાની અંતિમ તારીખ 11 નવેમ્બર છે.

POK માં કંઈક મોટું થવાનું છે? બે દિવસમાં ચાર નિવેદન, પાકિસ્તાન સામે ભારતનો બદલાયેલો સ્વર… શું છે આખી હકીકત?

India-Pakistan Tension : ભારતના આક્રમક સ્વરે સૌની નજરો ખેંચી લીધી છે, કારણ કે શાંતિના સમય દરમિયાન ભારત સામાન્ય રીતે પાકિસ્તાન સામે આટલો કડક અભિગમ અપનાવતું નથી. હવે ભારતનો પાકિસ્તાન પ્રત્યેનો રુખ થોડો નવો અને બદલાયેલો લાગે છે, જેને કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંઈક મોટું થવાનું છે.

“પાકિસ્તાન વિચારી લે કે તેને નક્શામાં રહેવુ છે કે નહીં…” સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વીવેદીની ખુલ્લી ચેતવણી

ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વીવેદીનું એક મોટુ નિવેદન સામે આવ્યુ છે. સેના પ્રમુકે અનુપગઢમાં એક કાર્યક્રમમાં કહ્યુ કે પાકિસ્તાને હવે વિચારવુ પડશે કે તેને નક્શામાં રહેવુ છે કે નહીં. હવે પછી ભારત એવી કાર્યવાહી કરશે કે તેનુ નક્શામાંથી જ નામોનિશાન મિટાવી દેવામાં આવશે, ત્યારે પાકિસ્તાને પણ વિચારવુ પડશે.

g clip-path="url(#clip0_868_265)">