Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય સેના

ભારતીય સેના

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. કોલકત્તામાં ભારતીય સેનાની સ્થાપના વર્ષ 1776માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી હતી. દેશમાં આંતરિક કે બાહ્ય આક્રમણને પહોચી વળવા માટે સૈન્ય સક્ષમ છે.

દેશની અંદર જ્યારે પણ કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે ભારતીય સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરે છે. શાંતિના સમયે ભારતીય સૈન્યનો હાથ હંમેશા દેશવાસીઓની તરફ લંબાયેલો જોવા મળે છે.

યુદ્ધ ભૂમિમાં ભારતીય સૈન્ય દુશ્મનને મારી હટાવે છે. ભારતની અંદર વિવિધ પ્રાંત અને રાજ્યોમાં 53 કેન્ટોનમેન્ટ આવેલા છે. જે 9 સૈન્ય મથકોમાં વહેચાયેલા છે. ભારતીય સૈન્યને વિશ્વની સૌથી મોટી સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતીય સૈન્ય તરફ દેશ અને દુનિયા આદરની દ્રષ્ટિએ જોવે છે.

Read More

અગ્નિપથ સ્કીમની ‘અગ્નિપરીક્ષા’ આવતા વર્ષથી શરૂ, પ્રથમ બેચ 4 વર્ષ કરશે પૂર્ણ

ભારતીય સેનાની અગ્નિપથ યોજનાના સૈનિકોની પ્રથમ બેચનું અંતિમ મૂલ્યાંકન આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનું છે. આમાંથી 75% લોકોને સેના છોડવી પડશે. કેટલાક રાજ્યો અને અર્ધલશ્કરી દળોએ તેમના માટે ક્વોટા નક્કી કર્યો છે. કાયમી સ્થાન મેળવવા માટે 25% અગ્નિવીરોની પસંદગી અંતિમ મૂલ્યાંકન પછી કરવામાં આવશે.

‘મેક ઇન ઇન્ડિયા’ સીમાચિહ્નરૂપ ! ખાનગી કંપનીએ તેજસનો મુખ્ય ઘટક બનાવ્યો, જાણો સંરક્ષણ પ્રધાને શું કહ્યું ?

ફ્યુઝલેજ એ તેજસ વિમાનનો મુખ્ય ભાગ છે, જેમાં પાઇલટ, મુસાફરો તેમજ કાર્ગો રહે છે, જ્યારે પાછળનો ફ્યુઝલેજ પૂંછડીના ભાગ અને તેના સંબંધિત ઘટકોને ટેકો આપે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "આ ભારતીય ઘટકો સાથે, આપણા સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં ઉત્પાદિત વિમાન આગામી સમયમાં વધુ ઊંચાઈઓને સ્પર્શશે."

બે ભૂતપૂર્વ સૈનિકો સામે FIR દાખલ, ભારતીય સેનામાં ઉશ્કેરવાનો પ્રયાસ

ભારતીય સેનાએ બે ભૂતપૂર્વ સૈનિકો સામે સેનામાં બળવો ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવીને FIR નોંધી છે. તેમના પર પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવવાનો અને સૈનિકોને નોકરી છોડવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. જયપુર અને લખનઉમાં FIR નોંધવામાં આવી છે.

Breaking News : કાશ્મીરના રાજૌરીમાં સૈન્યના વાહન પર ગોળીઓનો વરસાદ, સેના એલર્ટ

પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી પ્રવૃતિને વેગ આપવામાં આવી રહ્યો છે અથવા તો સરહદ ઉપર ગોળીબાર કરીને યુદ્ધવિરામની સ્થિતિનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આજે બુધવારે કાશ્મીરના રાજૌરીમાં LOC પારથી ભારતીય ક્ષેત્રમાં ગોળીબાર થયો હતો, આ ગોળીબારમાં ભારતીય સૈન્યના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઘટના બાદ સૈન્ય એલર્ટ થઈ ગયુ છે. વધારાનો ફોર્સ બોલાવી લઈને ગોળીબારના નજીકના સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામા આવી રહ્યો છે.

India-Pakistan Missile Flight Time : ભારતથી પાકિસ્તાન સુધી મિસાઇલ પહોંચવામાં કેટલો સમય લાગે ?

ભારતની બ્રહ્મોસ મિસાઇલના આકસ્મિક લોન્ચિંગ પછી, પાકિસ્તાન સુધી પહોંચવાનો સમય ચર્ચાનો વિષય બન્યો છે. દરેક લોકો એ વાત જાણવા ઉત્સુખ છે કે ભારતથી પાકિસ્તાન સુધી મિસાઇલ પહોંચવામાં કેટલો સમય લાગશે.

Sainik School vs Military School : સૈનિક સ્કૂલ અને મિલિટરી સ્કૂલ વચ્ચે શું તફાવત છે? એડમિશન અને ફી સહિતની મહત્વપૂર્ણ વિગતો જાણો

Sainik School vs Military School : સૈનિક સ્કૂલ અને મિલિટરી સ્કૂલ બંને બાળકોને શિસ્ત, શારીરિક તાલીમ અને લશ્કરી જીવન માટે તૈયાર કરે છે પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવત છે. ચાલો જાણીએ કે આ શાળાઓમાં પ્રવેશ કેવી રીતે મેળવવો, ફી કેટલી છે અને બંને વચ્ચે શું તફાવત છે?

પાકિસ્તાન સાથે યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ કેમ આપ્યો હજારો કોન્ડોમનો ઓર્ડર ? જાણો આ વિચિત્ર ઘટના

પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન એક અનોખી ઘટના બની. ભારતીય સેનાએ આ યુદ્ધ માટે મોટી સંખ્યામાં કોન્ડોમ ખરીદ્યા હતા, ચાલો જાણીએ કે ભારતીય સેનાને આટલી મોટી માત્રામાં કોન્ડોમ ખરીદવાની જરૂર કેમ પડી

J-K: પૂંચમાં સેનાનું વાહન ખીણમાં પડ્યુ, 5 જવાન શહીદ, 10 ઘાયલ

india army poonch valley tragedy: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મંગળવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. મેંધાર વિસ્તારમાંથી પસાર થઈ રહેલું સૈન્ય વાહન અચાનક ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. જ્યારે 10થી વધુ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

CDS જનરલ બિપીન રાવતના હેલિકોપ્ટરને કેવી રીતે નડ્યો હતો અકસ્માત ? કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો

વર્ષ 2021માં દેશના પહેલા CDS જનરલ બિપીન રાવતના હેલિકોપ્ટરને નડેલા અકસ્માતમાં CDS જનરલનું અવસાન થયું હતું. આ મામલાની તપાસ માટે રચાયેલી સંસદીય સમિતિએ 8 ડિસેમ્બરે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં અકસ્માત પાછળ માનવીય ભૂલને જવાબદાર દર્શાવવામાં આવી છે. આ અકસ્માતમાં જનરલ રાવતની પત્ની સહિત 12 લોકોના મોત થયા હતા.

4 લાખ મહિલાઓ સાથે બળાત્કાર, 30 લાખ બાંગ્લાદેશીઓનો નરસંહાર અને 1 કરોડથી વધુની હિજરત બાદ ભારતીય સેનાની મદદથી થયો બાંગ્લાદેશનો ઉદય

17 ડિસેમ્બર 1971 એ દિવસ જ્યારે બાંગ્લાદેશનો એક અલગ દેશ તરીકે ઉદય થયો અને આ આઝાદીનો સૂર્ય જોવા માટે બાંગ્લાદેશે બહુ મોટી કિંમત ચુકાવવી પડી. આ દરમિયાન હાલના બાંગ્લાદેશ અને પહેલાના પૂર્વ પાકિસ્તાનમાં પશ્ચિમી પાકિસ્તાનના કટ્ટરવાદીઓ દ્વારા મોટાપાયે કત્લેઆમ થયો. એ સમયે 4 લાખ જેટલી મહિલાઓનો રેપ કરવામાં આવ્યો. 30 લાખથી વધુ બંગાળી ભાષી લોકોની હત્યા કરી દેવાઈ. જેમા મોટાભાગના હિંદુઓ હતા.

જ્યારે પાકિસ્તાને માત્ર 13 દિવસમાં જ ભારત સામે સ્વીકારી હતી શરણાગતિ…1971ના યુદ્ધની સંપૂર્ણ કહાની

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાને માત્ર 13 દિવસમાં જ ભારત સામે ઘૂંટણિયે પડી ગયું હતું. જનરલ નિયાઝી અને ભારતીય સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરાની 'ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સરેન્ડર' પર હસ્તાક્ષર કરતી તસવીર આજે પણ ફેમસ છે. ત્યારે આ લેખમાં 1971ના યુદ્ધ કેમ થયું અને માત્ર 13 દિવસમાં જ પાકિસ્તાન ભારત સામે કેવી રીતે ઝૂકી ગયું તેના વિશે જાણીશું.

Indian Navy Day 2024 : 26 રાફેલ-M, 3 સ્કોર્પિન સબમરીન, 96 જહાજો… આગામી 10 વર્ષમાં ભારતીય નૌકાદળ કેટલી મજબૂત હશે?

Navy Day Special : ભારતીય નેવી નેવી ડે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. નૌકાદળ દિવસની ઉજવણીની તૈયારીઓ વિશે માહિતી આપતા નૌકાદળના વડાએ કહ્યું છે કે, આગામી 10 વર્ષમાં નૌકાદળને વધુ મજબૂત કરવા માટે 26 રાફેલ-M ફાઇટર એરક્રાફ્ટ, 3 સ્કોર્પિન સબમરીન અને 96 નવા જહાજોને સામેલ કરવામાં આવશે.

3500 km રેન્જ, દરિયામાંથી દુશ્મન પર કરશે હુમલો…ભારતની K-4 ન્યુક્લિયર મિસાઈલે પાકિસ્તાનનું વધાર્યું ટેન્શન

ભારતીય નૌકાદળ અને DRDOએ સમુદ્રમાં એક મહત્વપૂર્ણ સિક્રેટ પરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં ભારતીય નૌકાદળે તેની પરમાણુ સંચાલિત સબમરીન INS અરિઘાતથી K-4 SLBM મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ બાદ ભારત હવે દરિયામાંથી પરમાણુ હુમલા કરી શકશે જેના કારણે ભારતની પરમાણુ શક્તિમાં વધારો થયો છે.

પાકિસ્તાન અને ચીનના સૈનિકો સાથેના યુદ્ધમાં હવે ભારતીય ડોગ કરશે હુમલો, જાસૂસી સાથે બંદૂક પણ ચલાવશે

પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધની સ્થિતિ સર્જાય તો આ ડોગ જાસૂસી સાથે બંદૂક પણ ચલાવશે. સેનાએ દુશ્મનને શોધીને ખતમ કરવા માટે આ ડોગ સાથે પ્રેક્ટિસ કરી છે. આ ઉપરાંત ઊંચાઈવાળા વિસ્તારોમાં સહાયતા અને પરિવહનને સુધારવા માટે લોજિસ્ટિક્સ ડ્રોનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

વિશ્વમાં સૌથી મોટી સેના કયા દેશ પાસે છે ? જાણો ભારત કયા નંબરે આવે છે

કોઈપણ દેશની સુરક્ષાનો આધાર તેની સેના પર હોય છે. જો સેના મજબૂત હશે તો દેશ પર બહારના હુમલાનો ખતરો ઓછો રહેશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, વિશ્વમાં કયા દેશની સેના સૌથી મોટી છે અને આ યાદીમાં ભારત કયા નંબર પર છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">