AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય સેના

ભારતીય સેના

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. કોલકત્તામાં ભારતીય સેનાની સ્થાપના વર્ષ 1776માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી હતી. દેશમાં આંતરિક કે બાહ્ય આક્રમણને પહોચી વળવા માટે સૈન્ય સક્ષમ છે.

દેશની અંદર જ્યારે પણ કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે ભારતીય સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરે છે. શાંતિના સમયે ભારતીય સૈન્યનો હાથ હંમેશા દેશવાસીઓની તરફ લંબાયેલો જોવા મળે છે.

યુદ્ધ ભૂમિમાં ભારતીય સૈન્ય દુશ્મનને મારી હટાવે છે. ભારતની અંદર વિવિધ પ્રાંત અને રાજ્યોમાં 53 કેન્ટોનમેન્ટ આવેલા છે. જે 9 સૈન્ય મથકોમાં વહેચાયેલા છે. ભારતીય સૈન્યને વિશ્વની સૌથી મોટી સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભારતીય સૈન્ય તરફ દેશ અને દુનિયા આદરની દ્રષ્ટિએ જોવે છે.

Read More

Breaking News : ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી… કયા દેશ પર હુમલો થશે? આર્મી ચીફના નિવેદનથી નવી ચર્ચાઓ શરૂ

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું કે 'ઓપરેશન સિંદૂર' સમાપ્ત નથી, માત્ર સંઘર્ષમાં વિરામ છે, જે ભારતની ભાવિ સુરક્ષા વ્યૂહરચના સૂચવે છે. તેમણે ત્રણેય સેનાઓ – થલસેના, વાયુસેના અને નૌકાદળ – વચ્ચેના મજબૂત સંકલન પર ભાર મૂક્યો.

Heart Touching Video: આર્મી જવાનોની નમ્રતાએ જીત્યું દિલ, બાઇકર સાથેની આ ક્ષણ બની Viral, દિલ જીતી લેતો વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ સૈન્ય અને પોલીસના વર્તન અંગે નવી ચર્ચા જગાવી છે. વીડિયોમાં એક બાઇકર સૈન્યના સૈનિકોને સલામ કરે છે, જેઓ બદલામાં તેમની આદરપૂર્ણ સલામનો જવાબ આપે છે. લોકો આ નાની પણ હૃદયસ્પર્શી ક્ષણને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Breaking News: ભારતીય PMના નિવાસસ્થાને ડ્રોન ઉડાવ્યા… પાકિસ્તાની રાષ્ટ્રપતિએ શરમ વેચી ખાધી, ‘નકટો’ માણસ આટલું જૂઠું કઈ રીતે બોલી શકે?

શું પાકિસ્તાની રાષ્ટ્રપતિ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસ્યા છે? ભારત સામે હળાહળ જૂઠું બોલતા પહેલાં ઝરદારી એ ભૂલી ગયો કે, તે ખુદ ભારતના ડરથી બંકરમાં છુપાયો હતો. એવામાં હવે એક વર્ષ પછી ભારતને લઈને તેમણે એવું વાહિયાત નિવેદન આપ્યું છે કે, જેનાથી પાકિસ્તાનની અસલી ઓકાત ફરી દુનિયા સામે આવી ગઈ છે.

Breaking News : સૌથી સંવેદનશીલ વિસ્તાર હરામીનાળા પહોંચ્યા અમિત શાહ, સુરક્ષા અંગે સમીક્ષા કરી, જુઓ Video

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કચ્છના હરામીનાળા વિસ્તારમાં 45 ડિગ્રી તાપમાન વચ્ચે ભારત-પાકિસ્તાન સરહદ સુરક્ષાની સમીક્ષા કરી. તેમણે બીએસએફ આઉટપોસ્ટ, ટેકનોલોજી અને નવા J7 બોર્ડર આઉટપોસ્ટનું નિરીક્ષણ કર્યું.

અમદાવાદમાં 138મી OSCC ની હાઈ લેવલ બેઠક, સમુદ્રમાં ભારતની સુરક્ષા માટે અભેદ્ય બનાવવાની તૈયારી

અમદાવાદમાં યોજાયેલી 138મી OACC બેઠકમાં દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચા થઈ. બેઠકમાં આતંકવાદ, સાયબર સુરક્ષા, ગુપ્તચર તંત્ર અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.

  • Nishat
  • Updated on: May 22, 2026
  • 9:31 am

Pakistan : ભારતના સેના પ્રમુખના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ, ISPRએ આપી પરમાણુ ધમકી, જાણો વિગત

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાની સેનાના પ્રચાર વિભાગ ISPRએ ભારતને પરમાણુ શક્તિ હોવાની ધમકી આપી છે.

Breaking News : વડોદરામાં ઇતિહાસ રચાયો, ટાટાના પ્લાન્ટમાંથી પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ C295 એરક્રાફ્ટ બહાર પાડવામાં આવ્યું

વડોદરામાં ટાટાના પ્લાન્ટમાંથી પહેલું મેડ ઈન ઈન્ડિયા C295 લશ્કરી પરિવહન વિમાન તૈયાર છે. આ દેશના ઉડ્ડયન ક્ષેત્ર અને "આત્મનિર્ભર ભારત" માટે એક ઐતિહાસિક સફળતા છે, આ ભારતીય વાયુસેનાની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે.

ભારતમાં ઘૂસણખોરી રોકવા માટે સુવેન્દુ અધિકારીની સરકારનો મોટો નિર્ણય, સરહદની જમીન BSFને આપી દેવાશે, જાણો બીજા મહત્વના નિર્ણયો

પશ્ચિમ બંગાળની સુવેન્દુ અધિકારીની ભાજપ સરકારે, સત્તા સંભાળતાવેત, બાગ્લાદેશમાંથી ભારતમાં થઈ રહેલી ઘૂસણખોરી અટકાવવા માટેનો મોટો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સુવેન્દ્ર સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં પાંચ અન્ય મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં વડાપ્રધાન મોદીએ, પાંચ રાજ્યોના પરિણામો જાહેર થયા બાદ 4 મેના રોજ સાંજે, દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે કરેલા સંબોધન મુજબ આયુષ્યમાન ભારત યોજના, પશ્ચિમ બંગાળમાં લાગુ કરવાનો પણ સમાવેશ થાય છે.

Breaking News : DRDOએ હાઇપરસોનિક મિસાઇલ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

DRDOએ હાઈપરસોનિક મિસાઈલ માટે એક્ટિવલી કૂલ્ડ ફુલ સ્કેલ સ્ક્રૈમઝેટ કંબસ્ટરનું 1200 સેકન્ડનું સફળ પરીક્ષણ કર્યું છે. આ સફળતા ભારતની અદ્યતન એરસ્પેસની ક્ષમતાઓને દર્શાવે છે અને સ્વદેશી હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ વિકાસ માટે પાયો નાખશે.

Breaking News : લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણ્ય બનશે દેશના નવા CDS, ત્રણેય સેનાની કમાન સંભાળશે

લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણ્યની એક પ્રતિષ્ઠિત લશ્કરી કારકિર્દી રહી છે. તેઓ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (એનએસસીએસ) માં લશ્કરી સલાહકાર તરીકે સેવા આપે છે. આ પહેલા, તેમણે આર્મી સ્ટાફના વાઇસ ચીફ અને સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (જીઓસી-ઇન-સી) જેવી મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં સેવા આપી છે

Operation Sindoor Anniversary: ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન માટે કાળ બન્યાં ભારતના આ આધુનિક હથિયારો

આજે ભારતના ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ છે. આ ઓપરેશન માત્ર બહાદુરીનું પ્રતીક જ નહીં પણ પહેલગામમાં થયેલી કાયર ઘટનાનો જવાબ અને પાકિસ્તાનમાં આતંકવાદના ગઢને ખતમ કરવાના મિશનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આ ઓપરેશનમાં ભારતે આધુનિક યુદ્ધના તમામ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.

Operation Sindoor પછી બદલો પણ લઈ શક્યું નહીં ઇસ્લામાબાદ, ભારતે તેને કેવી રીતે ઘૂંટણિયે પાડી દીધું?

ઓપરેશન સિંદૂર એ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા એક ઐતિહાસિક લશ્કરી કાર્યવાહી હતી. જેમાં પહેલગામ હુમલા પછી પાકિસ્તાનને નિર્ણાયક જવાબ આપવામાં આવ્યો હતો. ભારતે પોતાની સુરક્ષા જાળવી રાખીને, ચોક્કસ હુમલાઓ દ્વારા આતંકવાદી અને લશ્કરી સ્થાપનોને ભારે નુકસાન પહોંચાડ્યું.

‘Operation Sindoor’ ને એક વર્ષ: આતંકવાદીઓના ઠેકાણાથી લઈને એરબેઝ સુધી, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને શું ગુમાવ્યું?

‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ પૂર્ણ થતાં ફરી ચર્ચા તેજ બની છે કે ભારતના આ સૈન્ય અભિયાનમાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું હતું. એરબેઝ, રડાર સિસ્ટમ અને આતંકી કેમ્પો પર થયેલા હુમલાઓ આજે પણ ચર્ચામાં છે.

  • Nishat
  • Updated on: May 7, 2026
  • 9:41 am

One Year Of Operation Sindoor : ભૂષણ કુમાર અને વિવેક અગ્નિહોત્રી બનાવી રહેલા ‘ઓપરેશન સિંદૂર’ ફિલ્મનું કામ ક્યાં સુધી પહોંચ્યું?

પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ સામે કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી અને ભૂષણ કુમાર હવે આ ઐતિહાસિક અભિયાન પાછળના બંધ દરવાજાઓમાં રચાયેલા સત્યને ફિલ્મી પડદા પર રજૂ કરવા જઈ રહ્યા છે.

Operation Sindoor: Indian Army એ માત્ર 88 કલાકમાં પાકિસ્તાનને હચમચાવી નાખ્યું, સેનાએ 1.5 મિનિટના Videoમાં વિનાશનું ટ્રેલર રજૂ કર્યું

પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ચલાવેલા ‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ પૂર્ણ થતા ભારતીય સેનાએ ખાસ વિડિયો જાહેર કર્યો છે. 88 કલાક સુધી ચાલેલા આ મિશનમાં પાકિસ્તાન અને PoKના 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા.

  • Nishat
  • Updated on: May 7, 2026
  • 8:13 am
g clip-path="url(#clip0_868_265)">