ભારતીય સેના
ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. કોલકત્તામાં ભારતીય સેનાની સ્થાપના વર્ષ 1776માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી હતી. દેશમાં આંતરિક કે બાહ્ય આક્રમણને પહોચી વળવા માટે સૈન્ય સક્ષમ છે.
દેશની અંદર જ્યારે પણ કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે ભારતીય સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરે છે. શાંતિના સમયે ભારતીય સૈન્યનો હાથ હંમેશા દેશવાસીઓની તરફ લંબાયેલો જોવા મળે છે.
યુદ્ધ ભૂમિમાં ભારતીય સૈન્ય દુશ્મનને મારી હટાવે છે. ભારતની અંદર વિવિધ પ્રાંત અને રાજ્યોમાં 53 કેન્ટોનમેન્ટ આવેલા છે. જે 9 સૈન્ય મથકોમાં વહેચાયેલા છે. ભારતીય સૈન્યને વિશ્વની સૌથી મોટી સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતીય સૈન્ય તરફ દેશ અને દુનિયા આદરની દ્રષ્ટિએ જોવે છે.
એવા 5 દેશ જે જમીન, પાણી અને આકાશ દ્વારા એકસાથે કરી શકે છે પરમાણુ હુમલો
દુનિયાના આ થોડા જ દેશો જેની પાસે એકસાથે ત્રણ દિશાઓથી પરમાણુ હુમલો કરવાની તાકત છે. પરંતુ વાસ્તવિક પ્રશ્ન એ છે કે આ શસ્ત્રોના વધતા સંચયથી ભવિષ્ય કેટલું સુરક્ષિત છે ?
- Sachin Agrawal
- Updated on: Nov 30, 2025
- 2:07 pm
ભારતમાં પરમાણુ હથિયારોનું નિયંત્રણ કોના હાથમાં છે? શું વડાપ્રધાન હુમલો કરવાનો આદેશ આપી શકે છે?
ભારતમાં પરમાણુ હથિયારોનું કંટ્રોલ કોઈ એક વ્યક્તિના હાથમાં નથી. ટૂંકમાં વડાપ્રધાન ઇચ્છે તો પણ એકલા હાથે પરમાણુ હથિયારોના ઉપયોગનો આદેશ આપી શકતા નથી. ભારત સરકારે આમ કરવા માટે કેટલાંક નિયમો બનાવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Nov 29, 2025
- 7:23 pm
Breaking News : મંદિરમાં પ્રવેશવાનો કર્યો ઇનકાર, ખ્રિસ્તી આર્મી ઓફિસરની ગઈ નોકરી, CJI સૂર્યકાંતએ લીધો મોટો નિર્ણય
મંગળવારે સુપ્રીમ કોર્ટે ખ્રિસ્તી આર્મી ઓફિસરની બરતરફીને સમર્થન આપ્યું. સેમ્યુઅલ કમલેશને, એક આર્મી ઓફિસર, તેમની રેજિમેન્ટની સાપ્તાહિક ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેમને બરતરફ કરવામાં આવ્યા હતા.
- Disha Thakar
- Updated on: Nov 26, 2025
- 9:52 am
‘બિલ્ડર્સ નેવી’ બન્યું ભારત, ભારતીય નૌસેનામાં સામેલ થયું INS માહે, જાણો તેની વિશેષતા
ભારતીય નૌકાદળમાં INS માહેનું ભવ્ય સમારોહમાં સામેલ થવું એ સ્વદેશી શક્તિનું પ્રતીક છે. આ એન્ટિ-સબમરીન યુદ્ધ જહાજ કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત છે અને દરિયાકાંઠાની સુરક્ષા, જાસૂસી અને પેટ્રોલિંગને મજબૂત કરશે.
- Sagar Solanki
- Updated on: Nov 24, 2025
- 6:02 pm
દુબઈમાં ક્રેશ થયેલું ભારતનું તેજસ ફાઇટર જેટ કેટલું મોંઘું હતું ? શું વીમો લીધો હતો.. જાણો
દુબઈ એર શોમાં તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પાયલટ શહીદ થયા. મોંઘા સ્વદેશી જેટના ક્રેશ થવાથી મોટું આર્થિક નુકસાન થયું છે.
- Sagar Solanki
- Updated on: Nov 21, 2025
- 7:48 pm
Breaking News : ભારતનું તેજસ ફાઇટર જેટ થયું ક્રેશ, દુબઈ એર શોમાં મોટો અકસ્માત, જુઓ Video
દુબઈ એર શોમાં એક મોટો અકસ્માત થયો છે. એક ભારતીય તેજસ વિમાન ક્રેશ થયું છે. મીડિયા અહેવાલ મુજબ ઉડાન ભરતી વખતે આ અકસ્માત થયો હતો. પાયલોટ બહાર નીકળ્યો કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી.
- Sagar Solanki
- Updated on: Nov 21, 2025
- 4:36 pm
મૂનિરના નાપાક ઈરાદાનો ફરી થયો પર્દાફાશ, કુપવાડામાં ઠાર કરાયેલા બે આતંકીની તપાસમાં મોટો ખૂલાસો
ભારતીય સેના દ્વારા ઓપરેશન પિમ્પલના ભાગ રૂપે, સેના અને સુરક્ષા દળોએ કુપવાડામાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. એન્કાઉન્ટર સ્થળેથી પાકિસ્તાની બનાવટના સિગારેટના પેકેટ અને ડ્રગ્સઓ મળી આવ્યા હતા. વધુમાં, આતંકવાદીઓ પાસેથી ચીની બનાવટના હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા. આ ઘટનાએ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીર અંગે આસીમ મુનીર અને પાકિસ્તાની સેનાના નાપાક ઇરાદાઓનો પર્દાફાશ કર્યો છે.
- Sachin Agrawal
- Updated on: Nov 8, 2025
- 6:41 pm
Powerful fighter jets : દુનિયાના 10 સૌથી શક્તિશાળી ફાઇટર જેટ, ભારત કેટલું શક્તિશાળી ? જાણી લો
દુનિયાના 10 સૌથી શક્તિશાળી ફાઈટર જેટની અહીં ચર્ચા કરવાંઆ આવી છે, જેમાં યુએસના F-35 અને F-22, ચીનના J-20 જેવા વિમાનોનો સમાવેશ થાય છે.
- Sagar Solanki
- Updated on: Nov 3, 2025
- 1:43 pm
રાષ્ટ્રીય એકતા, મહિલા સશક્તિકરણ, નક્સલવાદ… PM મોદી એકતા પરેડ સંબોધનમાં કરેલી 6 મોટી વાત જાણો
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા મજબૂત કરવા, મહિલા સશક્તિકરણ અને નક્સલવાદ સામેની લડત પર ભાર મૂક્યો. તેમણે સરદાર પટેલના વારસાનું સન્માન કરી, કોંગ્રેસની ઐતિહાસિક ભૂલોની ટીકા કરી.
- Kinjal Mishra
- Updated on: Oct 31, 2025
- 11:58 am
ગંગાસિહ રસાલા તરીકે ઓળખ પામેલ બીએસએફના 52 જેસલમેરી અને બિકાનેરી ઊંટનું દળ એકતા પરેડમાં લેશે ભાગ
એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની ટૂકડી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્લીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટીન્જન્ટ, હવે કેવડિયા ખાતેની એકતા પરેડમા પણ ભાગ લેવાની છે. ઊંટ સવારની લાંબી મૂછો, કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને કારણે આ ટૂકડી પરેડ દરમિયાન અલગ તરી આવે છે.
- TV9 Gujarati
- Updated on: Oct 29, 2025
- 9:38 pm
ગુજરાત-રાજસ્થાન સરહદે ત્રિશુલ શક્તિથી ગભરાયું પાકિસ્તાન, મુલ્લા મુનીરે જાહેર કર્યું નોટામ
ભારતની ત્રિશુલ શક્તિ, થલસેના, નૌકાદળ અને વાયુસેના વચ્ચે સંયુક્ત કવાયત થશે, જે ભારતની વધતી જતી સંયુક્ત યુદ્ધ ક્ષમતાઓ, આત્મનિર્ભરતા અને નવીનતાનું પ્રદર્શન કરશે. ભૌગોલીક વિશ્લેષક ડેમિયન સિમોને લખ્યું છે કે, આ કવાયત અસામાન્ય ધોરણે અને 28,000 ફૂટ સુધીના એરસ્પેસ રિઝર્વેશનવાળા વિસ્તારમાં હાથ ધરવામાં આવી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Oct 26, 2025
- 11:00 am
મહેસાણામાં સૌ પ્રથમવાર યોજાયો એર શો, વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે રજૂ કર્યા દિલધડક સ્ટંટ
ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવવાના ભાગરૂપે આજે મહેસાણા એરોડ્રામ ખાતે ભારતીય વાયુસેનાની લોકપ્રિય સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દિવાળીની અતિશબાજી બાદ ઉત્તર ગુજરાતના આકાશમાં અદભુત અને રોમાંચક કરતબોનું પ્રદર્શન યોજાયું હતું.
- TV9 Gujarati
- Updated on: Oct 24, 2025
- 5:23 pm
79,000 કરોડની ડિફેન્સ ડીલને લીલી ઝંડી! ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના હવે વધારે મજબૂત બનશે
રક્ષા મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી હતી કે, Defense Acquisition Council (DAC) એ ભારતીય સંરક્ષણ દળો (Defense Forces) ની ક્ષમતાઓ વધારવા માટે ₹79,000 કરોડના ખરીદી પ્રસ્તાવોને મંજૂરી આપી છે.
- Ravi Prajapati
- Updated on: Oct 23, 2025
- 9:20 pm
Operation Sindoor : આકાશમાંથી પાકિસ્તાનમાં આગ વરસાવનારા 6 બહાદૂર યોદ્ધાઓને ગેલેન્ટ્રી એવોર્ડ
ઓપરેશન સિંદૂર દરમિયાન ઉત્કૃ્ષ્ટ કામગીરી બદલ ભારતીય સેના અને વાયુસેનાના છ બહાદુર અધિકારીઓને ગેલેન્ટ્રી એવોર્ડ પ્રાપ્ત થયા છે. કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર સહિત સંરક્ષણ દળોના વીરતા પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરતું ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 23, 2025
- 8:38 am
ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને ભારતીય સેનામાં “લેફ્ટન્ટ કર્નલ”નો ઇલકાબ આપવામાં આવ્યો
ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સન્માન તેમની વિશિષ્ટ લશ્કરી કારકિર્દી અને અસંખ્ય એથ્લેટિક સિદ્ધિઓને અનુસરે છે. ચોપરાની યાત્રામાં અર્જુન એવોર્ડ, ખેલ રત્ન અને પદ્મશ્રી જેવા મહત્વપૂર્ણ પુરસ્કારોનો સમાવેશ થાય છે. તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમની ભાગીદારીથી તેમને મજબૂત સ્પર્ધા પણ મળી. વધુ વાંચો
- Manish Gangani
- Updated on: Oct 22, 2025
- 6:05 pm