ઓપરેશન સિંદૂર
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.
ભારતીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, આ કાર્યવાહી “સટીક, સંયમિત અને બિન-ઉશ્કેરણીજનક” હતી અને કોઈપણ પાકિસ્તાની લશ્કરી સ્થાનોને નિશાન બનાવવામાં આવી ન હતી. ભારતે જે સ્થળોએ હવાઈ હુમલા કર્યા તેમાં કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે.
આ ઓપરેશનને “સિંદૂર” નામ એટલે આપવામાં આવ્યું, કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, જે આ ક્રિયાના પ્રતીકાત્મક મહત્વને દર્શાવે છે. આ પહેલગામ હુમલામાં ઘણી સ્ત્રીઓ વિધવા થઈ હતી. તેમના સિંદૂર ભૂંસાયા હતા, તેથી આ ઓપરેશનને ‘સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.
Read MoreBreaking News: ‘ઓપરેશન સિંદૂર’ થી રામ મંદિર સુધી, વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા બન્યા પ્રથમ CEO
અયોધ્યાના ભવ્ય રામ મંદિર પરિસરમાં સુરક્ષા અને સંચાલનને વધુ મજબૂત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને રામ મંદિરના પ્રથમ પૂર્ણકાલિક CEO તરીકે નિયુક્ત કર્યા છે.
- Ravi Prajapati
- Updated on: Sep 2, 2026
- 4:59 pm
ઓપરેશન સિંદૂર બાદ ભારતનું એર ડિફેન્સ વધુ મજબૂત થશે : રશિયા પાસેથી ₹50,000 કરોડમાં વધુ 5 S-400 ખરીદવાની તૈયારી
ઓપરેશન સિંદૂરમાં S-400 ના શાનદાર પ્રદર્શન બાદ ભારત પોતાના એર ડિફેન્સને વધુ અભેદ્ય બનાવવા જઈ રહ્યું છે. રશિયાએ ભારતીય સંરક્ષણ મંત્રાલયને ₹50,000 કરોડથી વધુ કિંમતના 5 નવા S-400 સ્ક્વોડ્રનનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ ડીલ પૂર્ણ થતાં ભારત પાસે કુલ 10 S-400 સ્ક્વોડ્રન થઈ જશે.
- Sachin Agrawal
- Updated on: Sep 1, 2026
- 4:38 pm
પાકિસ્તાને જ્યાં અણુશસ્ત્રો સંતાડ્યા છે તે કિરાણા હિલ્સ પર ભારતે ઓપરેશન સિંદૂર વખતે હૂમલો કર્યો હતો ? પૂર્વ CDSએ ખોલ્યું રહસ્ય
ભૂતપૂર્વ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' અગાઉની લશ્કરી કાર્યવાહીથી કેમ અને કેટલુ અલગ હતું, કારણ કે વ્યૂહરચના અંગે કોઈ અનિશ્ચિતતા કે ખચકાટ નહોતો. જ્યારે ભારતે ઉરી હુમલા પછી જમીન-આધારિત સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને પુલવામા પછી મોટા લશ્કરી દળને સામેલ કરીને હવાઈ હુમલાનો વિકલ્પ પસંદ કર્યો હતો
- Bipin Prajapati
- Updated on: Aug 26, 2026
- 2:38 pm
તુર્કીને પાકિસ્તાનનો સાથ ભારે પડ્યો? ઓપરેશન સિંદૂર પછી તુર્કીની કંપનીને એક જ દિવસમાં 4,700 કરોડનું નુકસાન
ઓપરેશન સિંદૂર બાદ ભારત સરકારે સુરક્ષા મંજૂરી રદ કરતા તુર્કીની એવિએશન સર્વિસ કંપની સેલેબીને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ એક જ દિવસમાં તેની હજારો કરોડ રૂપિયાની મૂડી અને વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું.
- Sachin Agrawal
- Updated on: Jun 17, 2026
- 9:31 pm
Breaking News : પહેલગામમાં આતંકી હુમલો કરવા પાકિસ્તાન 4 વર્ષથી કરતું હતુ તૈયારી, NIA તપાસમાં મોટો ખુલાસો
પહેલગામમાં પાકિસ્તાની મુસ્લિમ આતંકીઓએ કરેલા હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હુમલાની NIAએ કરેલી તપાસમાં મોટો અને ચોકાવનારો ખુલાસો થયો છે. પહેલગામ આતંકવાદી હુમલો અચાનક થયો ન હતો. પહેલગામમાં આતંકી હુમલો કરવા માટેનું કાવતરું ચાર વર્ષ પહેલા પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું. હિન્દુ પ્રવાસીઓ પર કરાયેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોન, પાકિસ્તાનથી આયાત કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનની એક બેંક દ્વારા રૂપિયા પૂરા પાડવામાં આવ્યા હતા. આ એ જ બેંક છે જેનું નામ અગાઉ પણ આતંકવાદ સંબંધિત હુમલા કેસોમાં સામે આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 1, 2026
- 6:05 pm
Breaking News : ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી… કયા દેશ પર હુમલો થશે? આર્મી ચીફના નિવેદનથી નવી ચર્ચાઓ શરૂ
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું કે 'ઓપરેશન સિંદૂર' સમાપ્ત નથી, માત્ર સંઘર્ષમાં વિરામ છે, જે ભારતની ભાવિ સુરક્ષા વ્યૂહરચના સૂચવે છે. તેમણે ત્રણેય સેનાઓ – થલસેના, વાયુસેના અને નૌકાદળ – વચ્ચેના મજબૂત સંકલન પર ભાર મૂક્યો.
- Sagar Solanki
- Updated on: May 30, 2026
- 4:35 pm
Breaking News: ભારતીય PMના નિવાસસ્થાને ડ્રોન ઉડાવ્યા… પાકિસ્તાની રાષ્ટ્રપતિએ શરમ વેચી ખાધી, ‘નકટો’ માણસ આટલું જૂઠું કઈ રીતે બોલી શકે?
શું પાકિસ્તાની રાષ્ટ્રપતિ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસ્યા છે? ભારત સામે હળાહળ જૂઠું બોલતા પહેલાં ઝરદારી એ ભૂલી ગયો કે, તે ખુદ ભારતના ડરથી બંકરમાં છુપાયો હતો. એવામાં હવે એક વર્ષ પછી ભારતને લઈને તેમણે એવું વાહિયાત નિવેદન આપ્યું છે કે, જેનાથી પાકિસ્તાનની અસલી ઓકાત ફરી દુનિયા સામે આવી ગઈ છે.
- Ravi Prajapati
- Updated on: May 29, 2026
- 7:19 pm
આતંક ફેલાવતા સમયે પાકિસ્તાનને અલ્લાહ યાદ ના આવ્યા, પરંતુ ભારતના એક નિર્ણયે યાદ કરવી દીધા
પાણી વિના કશું નથી. આ વાત પાકિસ્તાનના સંદર્ભમાં સાચી પડે છે. આનું કારણ એ છે કે પડોશી રાષ્ટ્ર 2016 થી ભારતમાંથી પાણી મેળવવા ધમપછાડા કરતું આવ્યું છે. જો કે હવે, પરિસ્થિતિ એવી જગ્યાએ પહોંચી ગઈ છે જ્યાં પાકિસ્તાન ગેરકાયદેસર ટ્રિબ્યુનલ પર આધાર રાખીને સિંધુ નદીનુ પાણી માંગે છે. ભારતે ફરી એકવાર પાકિસ્તાનને તેનો ચહેરો જોવા માટે અરીસો ધર્યો છે.
- TV9 Gujarati
- Updated on: May 17, 2026
- 8:38 am
ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે- અમેરિકાના ફોરેન અફેર્સ મેગેઝિનમાં કરાયો દાવો- વાંચો
એક અમેરિકી મીડિયામાં કરાયેલા દાવા અનુસાર ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે. એક જિયોપોલિટિકલ પ્રેડિક્શન અનુસાર આવનારા દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મોટુ યુદ્ધ થવાનું છે તેનો સ્કેલ બહુ મોટો હશે. ઓપરેશન સિંદૂર કરતા પણ મોટો હશે અને આ વખતે યુએસએ પણ આ યુદ્ધમાં કોઈપણ ઈન્ટરવેન્શન નહીં કરી શકે. અમેરિકી મેગેઝિને આ યુદ્ધમાં મોટા પરમાણુ હુમલાને લઈને પણ ચેતવ્યા છે.
- Mina Pandya
- Updated on: May 15, 2026
- 4:32 pm
Operation Sindoor Anniversary: ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન માટે કાળ બન્યાં ભારતના આ આધુનિક હથિયારો
આજે ભારતના ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ છે. આ ઓપરેશન માત્ર બહાદુરીનું પ્રતીક જ નહીં પણ પહેલગામમાં થયેલી કાયર ઘટનાનો જવાબ અને પાકિસ્તાનમાં આતંકવાદના ગઢને ખતમ કરવાના મિશનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આ ઓપરેશનમાં ભારતે આધુનિક યુદ્ધના તમામ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.
- Dhruval Shah
- Updated on: May 7, 2026
- 11:04 am
‘Operation Sindoor’ની વર્ષગાંઠ પર PM મોદીની પાકિસ્તાનને સીધી ચેતવણી ! X પર DP પણ કર્યું ચેન્જ
7 મે, ભારતના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ તારીખ છે. આ જ દિવસે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો અને પાકિસ્તાનની અંદરથી કાર્યરત આતંકવાદીઓને ખતમ કરી દીધા. નોંધનીય છે કે, તે સમયે ભારત સરકારે આ લશ્કરી અભિયાનને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું હતું.
- Devankashi rana
- Updated on: May 7, 2026
- 9:50 am
‘Operation Sindoor’ ને એક વર્ષ: આતંકવાદીઓના ઠેકાણાથી લઈને એરબેઝ સુધી, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને શું ગુમાવ્યું?
‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ પૂર્ણ થતાં ફરી ચર્ચા તેજ બની છે કે ભારતના આ સૈન્ય અભિયાનમાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું હતું. એરબેઝ, રડાર સિસ્ટમ અને આતંકી કેમ્પો પર થયેલા હુમલાઓ આજે પણ ચર્ચામાં છે.
- Nishat
- Updated on: May 7, 2026
- 9:41 am
One Year Of Operation Sindoor : ભૂષણ કુમાર અને વિવેક અગ્નિહોત્રી બનાવી રહેલા ‘ઓપરેશન સિંદૂર’ ફિલ્મનું કામ ક્યાં સુધી પહોંચ્યું?
પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ સામે કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી અને ભૂષણ કુમાર હવે આ ઐતિહાસિક અભિયાન પાછળના બંધ દરવાજાઓમાં રચાયેલા સત્યને ફિલ્મી પડદા પર રજૂ કરવા જઈ રહ્યા છે.
- Dhruval Shah
- Updated on: May 7, 2026
- 8:54 am
Operation Sindoor: Indian Army એ માત્ર 88 કલાકમાં પાકિસ્તાનને હચમચાવી નાખ્યું, સેનાએ 1.5 મિનિટના Videoમાં વિનાશનું ટ્રેલર રજૂ કર્યું
પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ચલાવેલા ‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ પૂર્ણ થતા ભારતીય સેનાએ ખાસ વિડિયો જાહેર કર્યો છે. 88 કલાક સુધી ચાલેલા આ મિશનમાં પાકિસ્તાન અને PoKના 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા.
- Nishat
- Updated on: May 7, 2026
- 8:13 am
DRDOની ‘યુક્તિ’ અને સેનાની ‘શક્તિ’નો ખતરનાક સમન્વય! તેજસ અને બ્રહ્મોસના આખરી પ્રહાર સામે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું પાકિસ્તાન!
મે 2025માં યોજાયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતે પોતાની સૈન્ય સર્વોપરિતા સાબિત કરી છે. તેજસ ફાઈટર જેટ્સ, બ્રહ્મોસ મિસાઈલ અને DRDOના આધુનિક ડ્રોન સિસ્ટમની મદદથી ભારતીય સેનાએ પાકિસ્તાની સૈન્ય માળખા અને આતંકી ઠેકાણાઓની કમર તોડી નાખી છે.
- TV9 Gujarati
- Updated on: May 6, 2026
- 9:36 pm