AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂર

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.

ભારતીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, આ કાર્યવાહી “સટીક, સંયમિત અને બિન-ઉશ્કેરણીજનક” હતી અને કોઈપણ પાકિસ્તાની લશ્કરી સ્થાનોને નિશાન બનાવવામાં આવી ન હતી. ભારતે જે સ્થળોએ હવાઈ હુમલા કર્યા તેમાં કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે.

આ ઓપરેશનને “સિંદૂર” નામ એટલે આપવામાં આવ્યું, કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, જે આ ક્રિયાના પ્રતીકાત્મક મહત્વને દર્શાવે છે. આ પહેલગામ હુમલામાં ઘણી સ્ત્રીઓ વિધવા થઈ હતી. તેમના સિંદૂર ભૂંસાયા હતા, તેથી આ ઓપરેશનને ‘સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.

Read More

ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે- અમેરિકાના ફોરેન અફેર્સ મેગેઝિનમાં કરાયો દાવો- વાંચો

એક અમેરિકી મીડિયામાં કરાયેલા દાવા અનુસાર ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે. એક જિયોપોલિટિકલ પ્રેડિક્શન અનુસાર આવનારા દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મોટુ યુદ્ધ થવાનું છે તેનો સ્કેલ બહુ મોટો હશે. ઓપરેશન સિંદૂર કરતા પણ મોટો હશે અને આ વખતે યુએસએ પણ આ યુદ્ધમાં કોઈપણ ઈન્ટરવેન્શન નહીં કરી શકે. અમેરિકી મેગેઝિને આ યુદ્ધમાં મોટા પરમાણુ હુમલાને લઈને પણ ચેતવ્યા છે.

Operation Sindoor Anniversary: ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન માટે કાળ બન્યાં ભારતના આ આધુનિક હથિયારો

આજે ભારતના ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ છે. આ ઓપરેશન માત્ર બહાદુરીનું પ્રતીક જ નહીં પણ પહેલગામમાં થયેલી કાયર ઘટનાનો જવાબ અને પાકિસ્તાનમાં આતંકવાદના ગઢને ખતમ કરવાના મિશનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આ ઓપરેશનમાં ભારતે આધુનિક યુદ્ધના તમામ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.

‘Operation Sindoor’ની વર્ષગાંઠ પર PM મોદીની પાકિસ્તાનને સીધી ચેતવણી ! X પર DP પણ કર્યું ચેન્જ

7 મે, ભારતના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ તારીખ છે. આ જ દિવસે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો અને પાકિસ્તાનની અંદરથી કાર્યરત આતંકવાદીઓને ખતમ કરી દીધા. નોંધનીય છે કે, તે સમયે ભારત સરકારે આ લશ્કરી અભિયાનને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું હતું.

‘Operation Sindoor’ ને એક વર્ષ: આતંકવાદીઓના ઠેકાણાથી લઈને એરબેઝ સુધી, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને શું ગુમાવ્યું?

‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ પૂર્ણ થતાં ફરી ચર્ચા તેજ બની છે કે ભારતના આ સૈન્ય અભિયાનમાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું હતું. એરબેઝ, રડાર સિસ્ટમ અને આતંકી કેમ્પો પર થયેલા હુમલાઓ આજે પણ ચર્ચામાં છે.

  • Nishat
  • Updated on: May 7, 2026
  • 9:41 am

One Year Of Operation Sindoor : ભૂષણ કુમાર અને વિવેક અગ્નિહોત્રી બનાવી રહેલા ‘ઓપરેશન સિંદૂર’ ફિલ્મનું કામ ક્યાં સુધી પહોંચ્યું?

પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ સામે કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી અને ભૂષણ કુમાર હવે આ ઐતિહાસિક અભિયાન પાછળના બંધ દરવાજાઓમાં રચાયેલા સત્યને ફિલ્મી પડદા પર રજૂ કરવા જઈ રહ્યા છે.

Operation Sindoor: Indian Army એ માત્ર 88 કલાકમાં પાકિસ્તાનને હચમચાવી નાખ્યું, સેનાએ 1.5 મિનિટના Videoમાં વિનાશનું ટ્રેલર રજૂ કર્યું

પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ચલાવેલા ‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ પૂર્ણ થતા ભારતીય સેનાએ ખાસ વિડિયો જાહેર કર્યો છે. 88 કલાક સુધી ચાલેલા આ મિશનમાં પાકિસ્તાન અને PoKના 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા.

  • Nishat
  • Updated on: May 7, 2026
  • 8:13 am

DRDOની ‘યુક્તિ’ અને સેનાની ‘શક્તિ’નો ખતરનાક સમન્વય! તેજસ અને બ્રહ્મોસના આખરી પ્રહાર સામે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું પાકિસ્તાન!

મે 2025માં યોજાયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતે પોતાની સૈન્ય સર્વોપરિતા સાબિત કરી છે. તેજસ ફાઈટર જેટ્સ, બ્રહ્મોસ મિસાઈલ અને DRDOના આધુનિક ડ્રોન સિસ્ટમની મદદથી ભારતીય સેનાએ પાકિસ્તાની સૈન્ય માળખા અને આતંકી ઠેકાણાઓની કમર તોડી નાખી છે.

હાફિઝ સઈદ અને મસૂદ અઝહર માટે પાકિસ્તાની સૈન્યે ઓપરેશન સિંદૂરમાં ભારત સામે લડાઈ કરીઃ પાક નેતાની કબૂલાત

'ઓપરેશન સિંદૂર'ને એક વર્ષ થયા તે પહેલા પાકિસ્તાનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શહીર સિયાલવીએ કરેલા નિવેદનથી, પાકિસ્તાનની સેના અને આતંકવાદી જૂથો વચ્ચેના સંબંધો અંગે ચર્ચા જગાવી છે. પાકિસ્તાની નેતા શહીર સિયાલવીએ આ જાહેર કાર્યક્રમ દરમિયાન આતંકવાદી માટે પાકિસ્તાનની સેનાને ભારત સામે યુદ્ધ લડવુ પડ્યું છે તેવુ નિવેદન હવે તપાસનો વિષય બની ગયું છે. એવું કહેવાય છે કે આ કાર્યક્રમ લશ્કર-એ-તૈયબા (LeT) સંગઠન સાથે જોડાયેલ હતો.

Breaking News : ઓપરેશન સિંદુરની એનિવર્સરી પહેલા કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ Video

7મે 2026ના રોજ ઓ“ઓપરેશન સિંદૂર”ની પહેલી એનિવર્સરી છે. બીએસએફ પેટ્રોલિંગ દરમ્યાન કચ્છમાં પાકિસ્તાની બોટ મળી આવી છે.કચ્છમાં સુરક્ષા એજન્સીના જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે.

આખી દુનિયા જેનાથી ડરે છે, તે ‘બ્રહ્માસ્ત્ર’ હવે ભારત આવશે; પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દેશે આ ડિફેન્સ સિસ્ટમ

ઓપરેશન સિંદૂરના એક વર્ષ બાદ ભારત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. રશિયાએ ભારત માટે ચોથું S-400 એર ડિફેન્સ સિસ્ટમ રવાના કરી દીધું છે, જેનાથી પાકિસ્તાન અને ચીનમાં ફફડાટ ફેલાયો છે.

Pahalgam Attack : પહેલગામ હુમલાની પહેલી વરસી, સમગ્ર કાશ્મીરમાં હાઈ અલર્ટ જાહેર, PMએ કહ્યુ- આતંકવાદ સામે નહીં ઝુકીએ

પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી પર કાશ્મીરમાં સુરક્ષા વધારવામાં આવી છે. આતંકી ખતરા વચ્ચે સર્ચ ઓપરેશન અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

  • Nishat
  • Updated on: Apr 22, 2026
  • 9:15 am

Breaking News : કેટલીક મર્યાદા-હદ ક્યારેય ના ઓળંગવી જોઈએ, ભારતીય સૈન્યનો પાકિસ્તાનને ઈશારામાં કડક સંદેશ

પહલગામ આતંકવાદી હુમલો: ભારતીય સેનાએ પાકિસ્તાનને સાંકેતિક ભાષામાં કડક સંદેશ આપ્યો છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂરના રૂપમાં પોસ્ટ કરીને પાકિસ્તાનનું નામ લીધી વિના જ સ્પષ્ટ કહ્યું છે કે, કેટલીક મર્યાદા-હદ ક્યારેય ના ઓળંગવી જોઈએ.

Breaking News : ‘ભારત ભૂલતું નથી, ન્યાય મળી ગયો…’ પહેલગામ હુમલાની વર્ષગાંઠ પહેલા પાકિસ્તાનને ભારતીય સેનાનો સંદેશ

Pahalgam Attack Anniversary : પહેલગામ હુમલાની પહેલી વર્ષગાંઠ પહેલા ભારતીય સેનાએ કહ્યું કે, ભારત ભૂલતું નથી અને તેને ન્યાય મળી ગયો છે. 22 એપ્રિલ એક એવી તારીખ છે. જેને હિંન્દુસ્તાન ક્યારે ભૂલતું નથી. આ હુમલાએ 26 માસુમ વ્યક્તિઓના જીવ લીધા હતા.

ડ્રેગનની ખુલી પોલ: પાકિસ્તાન બાદ હવે ઈરાનને ‘પડદા પાછળ’થી મદદ કરતું ઝડપાયું ચીન!

ચીન હવે રણમેદાનમાં ઉતર્યા વગર જ અંતરિક્ષમાંથી ભારત અને અમેરિકા જેવા દેશોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાન અને ઈરાનને ગુપ્ત સેટેલાઇટ ડેટા પૂરો પાડીને ચીને પરોક્ષ રીતે યુદ્ધમાં ઝંપલાવ્યું છે. લિક થયેલા દસ્તાવેજોમાં થયેલા આ ખુલાસાએ વૈશ્વિક સ્તરે હલચલ મચાવી દીધી છે.

Breaking News: પાકિસ્તાનની ઊંઘ ઉડી! એરપોર્ટ પર ફાઈટર જેટ્સની ગર્જના અને મોક ડ્રિલ પાછળનો અસલી સંકેત શું?

તાજેતરમાં દિલ્હીમાં વગાડવામાં આવેલા "સાયરન, દેશના મુખ્ય એરપોર્ટ્સ પર વધેલી સૈન્ય હલચલ અને તપાસ એજન્સીઓ દ્વારા ઝડપાયેલા આતંકી મોડ્યુલ્સ" આ બધી ઘટનાઓ કોઈ સામાન્ય બાબત નથી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ સ્પષ્ટ કહી દીધું છે કે, ભારત હવે કોઈપણ પડકારનો જવાબ આપવા સજ્જ છે.

Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">