AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂર

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.

ભારતીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, આ કાર્યવાહી “સટીક, સંયમિત અને બિન-ઉશ્કેરણીજનક” હતી અને કોઈપણ પાકિસ્તાની લશ્કરી સ્થાનોને નિશાન બનાવવામાં આવી ન હતી. ભારતે જે સ્થળોએ હવાઈ હુમલા કર્યા તેમાં કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે.

આ ઓપરેશનને “સિંદૂર” નામ એટલે આપવામાં આવ્યું, કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, જે આ ક્રિયાના પ્રતીકાત્મક મહત્વને દર્શાવે છે. આ પહેલગામ હુમલામાં ઘણી સ્ત્રીઓ વિધવા થઈ હતી. તેમના સિંદૂર ભૂંસાયા હતા, તેથી આ ઓપરેશનને ‘સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.

Read More

આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ વચ્ચે શું તફાવત હોય છે, અસીમ મુનીરની બઢતીથી શું બદલાશે ?

ફિલ્ડ માર્શલ એ કોઈપણ સેનામાં સર્વોચ્ચ પદ હોય છે. આ પદ પ્રાપ્ત કર્યા પછી, અસીમ મુનીરના ખભા પર હવે પાંચ સ્ટાર લટકતા હશે. ખાસ વાત એ છે કે તેઓ આ પદ મેળવનારા પાકિસ્તાનના બીજા જનરલ બન્યા છે. પરંતુ આનાથી અસીમ મુનીરની સત્તા અને અધિકારમાં કોઈ વધારો થતો નથી. ચાલો જાણીએ શા માટે.

લો બોલો આ નવું, ભારત સામે હાર્યા છતા ટંગડી ઉચી રાખીને શિરપાવ લીધો, મુનીર બન્યા ફિલ્ડ માર્શલ

ઓપરેશન સિંદૂરથી ભારત સામે નાલેશીભરી હાર મેળવ્યા બાદ પણ પાકિસ્તાને તેની ટંગડી ઉચી રાખી છે. પાકિસ્તાનની શરીફ સરકારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને બઢતી આપી છે. આજે મંગળવારે પાકિસ્તાનની કેબિનેટે મુનીરને આર્મી ચીફ જનરલમાંથી ફિલ્ડ માર્શલ તરીકે બઢતી આપવાને મંજૂરી આપી હતી. પાકિસ્તાન આર્મીમાં ફિલ્ડ માર્શલનો હોદ્દો માત્ર એક મહાન સન્માન નથી પણ વ્યૂહાત્મક નિર્ણયોમાં સર્વોચ્ચ અધિકાર પણ આપે છે. આનો અર્થ એ થયો કે મુનીર પાસે હવે પાકિસ્તાની સેના તેમજ પાકિસ્તાનની સરકારમાં નિર્ણાયક શક્તિ હશે.

કાશ્મીર પર પહેલો ઘાત: ‘ઓપરેશન ગુલમર્ગ’ થી શરૂ થયો પાકિસ્તાનનો દગાઈ ઈતિહાસ

આઝાદી મળ્યા બાદ ભારતના ભાગલા થયા અને એ વિભાજનની વિભિષિકાએ જે દર્દ, પીડા આપી હતી. એ યાતનાની હજુ કળ પણ વળી ન હતી. ત્યાં જ પડોશમાં રહેતા દગાબાજમાં પોત પ્રકાશ્યુ અને તેના આતંકના આધ્યાય સમા ઓપરેશન ગુલમર્ગની શરૂઆત કરી. આ ભારતમાતાના લલાટ પર કરાયેલો એવો મોટો ઘા હતો કે ભારતે ક્યારેય વિચાર્યુ પણ ન હતુ કે પાકિસ્તાન કાશ્મીર માટે આવુ કાવતરુ કરશે.

Breaking News : ગુજરાતમાંથી ઝડપાયા જેહાદી વિચારધારા ધરાવતા સાયબર આતંકી, જુઓ ATS ની કાર્યવાહીનો Video

ગુજરાત ATS એ એક મોટા સાઇબર હુમલાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ભારતીય સરકારની વેબસાઇટ્સ પર હુમલા કર્યા હતા અને તેઓ જેહાદી વિચારધારાથી પ્રેરિત હોવાનું જણાયું છે.

Operation Sindoor : ભારતના DG Army ની પાકિસ્તાનને ચેતવણી, આખુ પાકિસ્તાન અમારી રેન્જમાં છે, સંતાવવા માટેની પણ જગ્યા નહીં મળે

ડીજી આર્મી એર ડિફેન્સ ( DG Army Air Defence) લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી'કુન્હાએ ભારતની સૈન્ય તાકાત પર વાત કરતા કહ્યું કે, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાને એ વાત સારી રીતે સમજી જવાની જરૂર છે કે, સમગ્ર પાકિસ્તાન દેશ, ભારતીય સેનાની રેન્જમાં છે. ભારતના હુમલાથી એમને સંતાવવા માટેની જગ્યા પણ નહીં મળે.

પાકિસ્તાનના મૌલાના મુનીરના મલિન ઈરાદા બર ના આવ્યા, જુઓ વીડિયો

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના એક પછી એક હુમલાથી ડઘાઈ ચૂકેલા પાકિસ્તાને પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિરને નિશાન બનાવ્યું. પાકિસ્તાને અમૃતસરના સુવર્ણ મંદિર ઉપર ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો, પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો. 

India-Pakistan tensions : પાકિસ્તાને સુવર્ણ મંદિર પર કર્યો ડ્રોનથી હુમલો, ભારતીય સેનાએ વાળ પણ વાંકો ન થવા દીધો, જુઓ Video

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ટળી છે. હાલ બંને દેશો વચ્ચે સીઝફાયરના પગલે શાંતિપૂર્ણ માહોલ છે. જો કે પાકિસ્તાને ભારત પર કરેલા હુમલા અંગે સામે આવ્યુ છે કે તેમણે પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરને પણ નિશાન બનાવ્યુ હતુ. જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનની આ નાપાક સાજીશને નિષ્ફળ બનાવી હતી.

અમિત શાહના ગુજરાત પ્રવાસના બીજા દિવસના કાર્યક્રમ દરમિયાન ત્રિરંગા યાત્રાથી વિકાસ યાત્રા સુધીનો જાણો આજનો સમગ્ર કાર્યક્રમ- Video

ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા અમિત શાહ તિરંગા યાત્રામાં જોડાયા હતા. બપોરે 3:30 કલાકે નળ સરોવર સાણંદ ખાતેથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય જળશક્તિમંત્રીનું એલાન,  ‘એક ટીપું પણ પાણી પાકિસ્તાન નહીં જવા દઈએ’ – જુઓ Video

સુરતના લસકાણા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે પાકિસ્તાન સામે નિવેદન આપ્યું હતું.

Breaking News : ભારતનો વધુ એક દુશ્મન ઠાર, CRPF કેમ્પ પર હુમલો કરનાર લશ્કરનો આતંકી સૈફુલ્લાહ પહોંચ્યો જહન્નમ

પાકિસ્તાનના સિંધમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર સૈફુલ્લાહ માર્યો ગયો છે. તે રામપુર સીઆરએફ કેમ્પ અને આઈઆઈએસ બેંગ્લોર પરના હુમલામાં સામેલ હતો. સૈફુલ્લાહ નેપાળમાં લશ્કરનું કામ જોતો હતો.

ભારતના હુમલા પછી પાકિસ્તાને તૂટેલા એરબેઝના રિપેરિંગનું ટેન્ડર બહાર પાડ્યું – જુઓ Video

ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ગંભીર નુકસાન થયું છે, તે વાતનો પુરાવો આ નવા ટેન્ડરો પરથી સાબિત થાય છે. રાવલપિંડી અને રિસલપુર એરબેઝના સમારકામ માટે પાકિસ્તાને જાહેર કરેલા ટેન્ડરો તેનું પ્રમાણ સૂચવે છે.

India Pakistan War : ગભરાયું પાકિસ્તાન, ‘ઓપરેશન સિંદૂર’ બાદ ‘નાપાક’ પાડોશી દેશ હવે ભરશે મોટું પગલું ! જુઓ Video

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ પાકિસ્તાનનો અભિગમ બદલાયો છે.  "ઓપરેશન સિંદૂર" પછી હવે પાકિસ્તાન મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે.

પાકિસ્તાનના જૂઠાણાંનો પર્દાફાશ, હુમલાના સાત દિવસ બાદ શાહબાઝે સ્વીકાર્યું – જુઓ Video

પાકિસ્તાની સરકાર અને સેનાએ ભારતના હુમલાથી કોઈ વિશેષ નુકસાન થયું ન હોવાનો દાવો કર્યો હતો પણ હવે હુમલાના સાત દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે સ્વીકાર્યું છે કે, ભારતના મિસાઇલ હુમલાઓમાં પાકિસ્તાનને ગંભીર નુકસાન થયું છે.

Breaking News : પાકિસ્તાન પર મોટું સંકટ, IMF એ લોન આપ્યા બાદ હવે આપી ચેતવણી ! જાણો

શનિવારે IMF દ્વારા જાહેર કરાયેલા સ્ટાફ સ્તરના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે કાર્યક્રમના નાણાકીય, બાહ્ય અને સુધારા લક્ષ્યો માટે જોખમ વધી શકે છે. આ ઉપરાંત, IMF એ પાકિસ્તાન પર 11 નવી શરતો પણ લાદી છે.

Breaking News : પાકિસ્તાન પર વધુ એક હુમલા માટે તૈયાર હતું ભારત, પરંતુ ભીખ માંગવા લાગ્યો પાડોશી દેશ

India-Pakistan : પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) કાશિફ અબ્દુલ્લાએ સવારે 10:38 વાગ્યે ભારતના DGMOને ફોન કરીને કરાચી બંદર પર સંભવિત બ્રહ્મોસ મિસાઇલ હુમલા વિશે માહિતી આપી અને બદલો લેવાની ધમકી આપી.

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
g clip-path="url(#clip0_868_265)">