ઓપરેશન સિંદૂર
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.
ભારતીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, આ કાર્યવાહી “સટીક, સંયમિત અને બિન-ઉશ્કેરણીજનક” હતી અને કોઈપણ પાકિસ્તાની લશ્કરી સ્થાનોને નિશાન બનાવવામાં આવી ન હતી. ભારતે જે સ્થળોએ હવાઈ હુમલા કર્યા તેમાં કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે.
આ ઓપરેશનને “સિંદૂર” નામ એટલે આપવામાં આવ્યું, કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, જે આ ક્રિયાના પ્રતીકાત્મક મહત્વને દર્શાવે છે. આ પહેલગામ હુમલામાં ઘણી સ્ત્રીઓ વિધવા થઈ હતી. તેમના સિંદૂર ભૂંસાયા હતા, તેથી આ ઓપરેશનને ‘સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.
Pahalgam Attack : પહેલગામ હુમલાની પહેલી વરસી, સમગ્ર કાશ્મીરમાં હાઈ અલર્ટ જાહેર, PMએ કહ્યુ- આતંકવાદ સામે નહીં ઝુકીએ
પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી પર કાશ્મીરમાં સુરક્ષા વધારવામાં આવી છે. આતંકી ખતરા વચ્ચે સર્ચ ઓપરેશન અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
- Nishat
- Updated on: Apr 22, 2026
- 9:15 am
Breaking News : કેટલીક મર્યાદા-હદ ક્યારેય ના ઓળંગવી જોઈએ, ભારતીય સૈન્યનો પાકિસ્તાનને ઈશારામાં કડક સંદેશ
પહલગામ આતંકવાદી હુમલો: ભારતીય સેનાએ પાકિસ્તાનને સાંકેતિક ભાષામાં કડક સંદેશ આપ્યો છે. ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂરના રૂપમાં પોસ્ટ કરીને પાકિસ્તાનનું નામ લીધી વિના જ સ્પષ્ટ કહ્યું છે કે, કેટલીક મર્યાદા-હદ ક્યારેય ના ઓળંગવી જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Apr 21, 2026
- 2:38 pm
Breaking News : ‘ભારત ભૂલતું નથી, ન્યાય મળી ગયો…’ પહેલગામ હુમલાની વર્ષગાંઠ પહેલા પાકિસ્તાનને ભારતીય સેનાનો સંદેશ
Pahalgam Attack Anniversary : પહેલગામ હુમલાની પહેલી વર્ષગાંઠ પહેલા ભારતીય સેનાએ કહ્યું કે, ભારત ભૂલતું નથી અને તેને ન્યાય મળી ગયો છે. 22 એપ્રિલ એક એવી તારીખ છે. જેને હિંન્દુસ્તાન ક્યારે ભૂલતું નથી. આ હુમલાએ 26 માસુમ વ્યક્તિઓના જીવ લીધા હતા.
- Nirupa Duva
- Updated on: Apr 21, 2026
- 11:28 am
ડ્રેગનની ખુલી પોલ: પાકિસ્તાન બાદ હવે ઈરાનને ‘પડદા પાછળ’થી મદદ કરતું ઝડપાયું ચીન!
ચીન હવે રણમેદાનમાં ઉતર્યા વગર જ અંતરિક્ષમાંથી ભારત અને અમેરિકા જેવા દેશોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાન અને ઈરાનને ગુપ્ત સેટેલાઇટ ડેટા પૂરો પાડીને ચીને પરોક્ષ રીતે યુદ્ધમાં ઝંપલાવ્યું છે. લિક થયેલા દસ્તાવેજોમાં થયેલા આ ખુલાસાએ વૈશ્વિક સ્તરે હલચલ મચાવી દીધી છે.
- Sachin Agrawal
- Updated on: Apr 18, 2026
- 8:24 pm
Breaking News: પાકિસ્તાનની ઊંઘ ઉડી! એરપોર્ટ પર ફાઈટર જેટ્સની ગર્જના અને મોક ડ્રિલ પાછળનો અસલી સંકેત શું?
તાજેતરમાં દિલ્હીમાં વગાડવામાં આવેલા "સાયરન, દેશના મુખ્ય એરપોર્ટ્સ પર વધેલી સૈન્ય હલચલ અને તપાસ એજન્સીઓ દ્વારા ઝડપાયેલા આતંકી મોડ્યુલ્સ" આ બધી ઘટનાઓ કોઈ સામાન્ય બાબત નથી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ સ્પષ્ટ કહી દીધું છે કે, ભારત હવે કોઈપણ પડકારનો જવાબ આપવા સજ્જ છે.
- Ravi Prajapati
- Updated on: Apr 3, 2026
- 9:20 pm
Breaking News : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે જો આંતકી દેશ પાકિસ્તાન ઉંચા-નીચું થયું તો જડબાતોડ જવાબ મળશે, રાજનાથ સિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈરાન યુદ્ધ વચ્ચે પાડોશી દેશને કડક ચેતવણી આપી છે. ભારતની સુરક્ષા અને નૌસેનાની સતર્કતા પર ભાર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું દેશમાં તેલની કોઈ ઉણપ નથી.
- Nirupa Duva
- Updated on: Apr 2, 2026
- 4:57 pm
દરિયાઈ માર્ગે પાકિસ્તાન પર હુમલો કરવાની હતી ભારતીય નૌસેના, ‘ઓપરેશન સિંદૂર’ પર મોટો ખુલાસો
એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, "હવે એ રહસ્ય નથી રહ્યું કે આપણે દરિયાઈ માર્ગે પાકિસ્તાન પર હુમલો કરવાથી માત્ર થોડી મિનિટો દૂર હતા; જોકે, તે જ સમયે, તેમના તરફથી લશ્કરી કાર્યવાહી બંધ કરવાની રિકવેસ્ટ મળી હતી."
- Devankashi rana
- Updated on: Apr 2, 2026
- 11:53 am
Breaking News : Operation Sindoor પર ફિલ્મ બનાવી રહ્યા છે વિવેક અગ્નિહોત્રી, મોટા પડદે દેખાડશે રિયલ સ્ટોરી
Operation Sindoor Film : ઓપરેશન સિંદૂર પર એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, વિવેક અગ્નિહોત્રી ભૂષણ કુમાર સાથે મળીને મોટા પડદા પર ઓપરેશન સિંદુર બનાવી રહ્યા છે. હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
- Nirupa Duva
- Updated on: Mar 26, 2026
- 4:45 pm
પાકિસ્તાનને એવો ઘા મારીશું કે આવનારી પેઢીઓ પણ યાદ કર્યા કરશેઃ ભારતીય સૈન્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઈઝરાયેલમાં સંબોધન કરતા કહ્યું છે કે, ભારત અને ઈઝરાયેલ આતંકવાદનો ખાત્મો બોલાવશે. આ નિવેદનના અરસામાં જ ભારતીય સૈન્યે પણ ફરી એકવાર દુશ્મન દેશને ચિમકી આપતા કહ્યું છે કે, પાકિસ્તાનને આ વખતે તો એવો ઘા મારીશું કે, તેમની આવનારી પેઢીઓ પણ યાદ કર્યા કરે. ભારતીય સૈન્યે જણાવ્યું છે કે, ઓપરેશન સિંદૂર તો એક નાનુ ટ્રેલર હતું. પાકિસ્તાન આર્મીને ખબર છે કે, આપણે પાકિસ્તાનમાં ક્યાં અને કેટલો મોટો હુમલો કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2026
- 2:01 pm
Breaking News: નાપાક પાકિસ્તાન આતંકી દેશ હોવાના પુરાવા, આ આતંકવાદીએ જ સરે આમ ખોલી પોલ
પાકિસ્તાની સેના અને આતંકવાદી સંગઠનો વચ્ચે લાંબા સમયથી સાંઠગાંઠ હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જોકે, ફરી એકવાર પુરાવા સામે આવ્યા છે. તાજેતરમાં એક મોટો ખુલાસો થયો છે કે પાકિસ્તાની સેના આતંકવાદીઓને કેવી રીતે આમંત્રણ આપે છે અને લલચાવે છે.
- Devankashi rana
- Updated on: Jan 11, 2026
- 8:54 am
Breaking News: પાકિસ્તાને પહેલી વાર જાહેરમાં સ્વીકાર્યું! ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત ત્રાટક્યું હતું; 36 કલાકમાં 80 ડ્રોન છોડ્યા અને નૂર ખાન એરબેઝ ‘તબાહ’ કરી નાખ્યું
ઘણા મહિનાઓ પછી પાકિસ્તાને સ્વીકાર્યું છે કે, ભારતે ઓપરેશન સિંદૂર સંદર્ભે 36 કલાકમાં 80 ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં નૂર ખાન એરબેઝને નુકસાન થયું હતું અને લશ્કરી કર્મચારીઓ ઘાયલ થયા હતા.
- Ravi Prajapati
- Updated on: Dec 28, 2025
- 6:15 pm
દુશ્મન દેશો માટે સિગ્નલ ક્લિયર! વર્ષ 2025નું ઓપરેશન સિંદૂર બન્યું ‘ટર્નિંગ પોઈન્ટ’; દુનિયાને બતાવી દીધું કે, દેશની સુરક્ષા માટે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે
વર્ષ 2025 માં ભારતે તેની રાષ્ટ્રીય સુરક્ષા નીતિને આક્રમક અને નિર્ણાયક નીતિમાં પરિવર્તિત કરી છે. "ફાઇવ ન્યૂ નોર્મલ્સ" હેઠળ, વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો. પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવનાર 'ઓપરેશન સિંદૂર' ભારતની "મેડ-ઇન-ઇન્ડિયા" સંરક્ષણ ક્ષમતાઓ અને મજબૂત ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરે છે.
- Ravi Prajapati
- Updated on: Dec 27, 2025
- 2:49 pm
ઓપરેશન સિંદૂર પર બોલ્યા પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, ભારત સામે ટકવું મુશ્કેલ હતુ, પરંતુ અલ્લાહ મદદે આવ્યા
અસીમ મુનીરે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની કારમી હાર છુપાવવા માટે હવે "દિવ્ય મદદ" આવી હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, તેમને અલ્લાહની મદદ મળી હતી અને તેઓએ તે આવતી જોઈ અને અનુભવી હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 22, 2025
- 2:35 pm
રાષ્ટ્રીય એકતા, મહિલા સશક્તિકરણ, નક્સલવાદ… PM મોદી એકતા પરેડ સંબોધનમાં કરેલી 6 મોટી વાત જાણો
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા મજબૂત કરવા, મહિલા સશક્તિકરણ અને નક્સલવાદ સામેની લડત પર ભાર મૂક્યો. તેમણે સરદાર પટેલના વારસાનું સન્માન કરી, કોંગ્રેસની ઐતિહાસિક ભૂલોની ટીકા કરી.
- Kinjal Mishra
- Updated on: Oct 31, 2025
- 11:58 am
“ભારત બાપ છે બાપ…” પાકિસ્તાનમાં 15 વર્ષ જાસુસી કરનાર CIAના જાસુસનો દાવો
પાકિસ્તાનમાં અમેરિકાના પૂર્વ જાસૂસ જૉન કિરિયાકુએ કહ્યુ છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે, તો પાકિસ્તાને ચોક્કસપણે કરારી હારનો સામનો કરવો પડશે.
- Mina Pandya
- Updated on: Oct 25, 2025
- 7:25 pm