AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂર

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.

ભારતીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, આ કાર્યવાહી “સટીક, સંયમિત અને બિન-ઉશ્કેરણીજનક” હતી અને કોઈપણ પાકિસ્તાની લશ્કરી સ્થાનોને નિશાન બનાવવામાં આવી ન હતી. ભારતે જે સ્થળોએ હવાઈ હુમલા કર્યા તેમાં કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે.

આ ઓપરેશનને “સિંદૂર” નામ એટલે આપવામાં આવ્યું, કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, જે આ ક્રિયાના પ્રતીકાત્મક મહત્વને દર્શાવે છે. આ પહેલગામ હુમલામાં ઘણી સ્ત્રીઓ વિધવા થઈ હતી. તેમના સિંદૂર ભૂંસાયા હતા, તેથી આ ઓપરેશનને ‘સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.

Read More

પાકિસ્તાનને એવો ઘા મારીશું કે આવનારી પેઢીઓ પણ યાદ કર્યા કરશેઃ ભારતીય સૈન્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઈઝરાયેલમાં સંબોધન કરતા કહ્યું છે કે, ભારત અને ઈઝરાયેલ આતંકવાદનો ખાત્મો બોલાવશે. આ નિવેદનના અરસામાં જ ભારતીય સૈન્યે પણ ફરી એકવાર દુશ્મન દેશને ચિમકી આપતા કહ્યું છે કે, પાકિસ્તાનને આ વખતે તો એવો ઘા મારીશું કે, તેમની આવનારી પેઢીઓ પણ યાદ કર્યા કરે. ભારતીય સૈન્યે જણાવ્યું છે કે, ઓપરેશન સિંદૂર તો એક નાનુ ટ્રેલર હતું. પાકિસ્તાન આર્મીને ખબર છે કે, આપણે પાકિસ્તાનમાં ક્યાં અને કેટલો મોટો હુમલો કર્યો છે.

Breaking News: નાપાક પાકિસ્તાન આતંકી દેશ હોવાના પુરાવા, આ આતંકવાદીએ જ સરે આમ ખોલી પોલ

પાકિસ્તાની સેના અને આતંકવાદી સંગઠનો વચ્ચે લાંબા સમયથી સાંઠગાંઠ હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જોકે, ફરી એકવાર પુરાવા સામે આવ્યા છે. તાજેતરમાં એક મોટો ખુલાસો થયો છે કે પાકિસ્તાની સેના આતંકવાદીઓને કેવી રીતે આમંત્રણ આપે છે અને લલચાવે છે.

Breaking News: પાકિસ્તાને પહેલી વાર જાહેરમાં સ્વીકાર્યું! ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત ત્રાટક્યું હતું; 36 કલાકમાં 80 ડ્રોન છોડ્યા અને નૂર ખાન એરબેઝ ‘તબાહ’ કરી નાખ્યું

ઘણા મહિનાઓ પછી પાકિસ્તાને સ્વીકાર્યું છે કે, ભારતે ઓપરેશન સિંદૂર સંદર્ભે 36 કલાકમાં 80 ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં નૂર ખાન એરબેઝને નુકસાન થયું હતું અને લશ્કરી કર્મચારીઓ ઘાયલ થયા હતા.

દુશ્મન દેશો માટે સિગ્નલ ક્લિયર! વર્ષ 2025નું ઓપરેશન સિંદૂર બન્યું ‘ટર્નિંગ પોઈન્ટ’; દુનિયાને બતાવી દીધું કે, દેશની સુરક્ષા માટે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે

વર્ષ 2025 માં ભારતે તેની રાષ્ટ્રીય સુરક્ષા નીતિને આક્રમક અને નિર્ણાયક નીતિમાં પરિવર્તિત કરી છે. "ફાઇવ ન્યૂ નોર્મલ્સ" હેઠળ, વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો. પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવનાર 'ઓપરેશન સિંદૂર' ભારતની "મેડ-ઇન-ઇન્ડિયા" સંરક્ષણ ક્ષમતાઓ અને મજબૂત ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરે છે.

ઓપરેશન સિંદૂર પર બોલ્યા પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, ભારત સામે ટકવું મુશ્કેલ હતુ, પરંતુ અલ્લાહ મદદે આવ્યા

અસીમ મુનીરે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની કારમી હાર છુપાવવા માટે હવે "દિવ્ય મદદ" આવી હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, તેમને અલ્લાહની મદદ મળી હતી અને તેઓએ તે આવતી જોઈ અને અનુભવી હતી.

રાષ્ટ્રીય એકતા, મહિલા સશક્તિકરણ, નક્સલવાદ… PM મોદી એકતા પરેડ સંબોધનમાં કરેલી 6 મોટી વાત જાણો

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા મજબૂત કરવા, મહિલા સશક્તિકરણ અને નક્સલવાદ સામેની લડત પર ભાર મૂક્યો. તેમણે સરદાર પટેલના વારસાનું સન્માન કરી, કોંગ્રેસની ઐતિહાસિક ભૂલોની ટીકા કરી.

“ભારત બાપ છે બાપ…” પાકિસ્તાનમાં 15 વર્ષ જાસુસી કરનાર CIAના જાસુસનો દાવો

પાકિસ્તાનમાં અમેરિકાના પૂર્વ જાસૂસ જૉન કિરિયાકુએ કહ્યુ છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે, તો પાકિસ્તાને ચોક્કસપણે કરારી હારનો સામનો કરવો પડશે.

Operation Sindoor : આકાશમાંથી પાકિસ્તાનમાં આગ વરસાવનારા 6 બહાદૂર યોદ્ધાઓને ગેલેન્ટ્રી એવોર્ડ

ઓપરેશન સિંદૂર દરમિયાન ઉત્કૃ્ષ્ટ કામગીરી બદલ ભારતીય સેના અને વાયુસેનાના છ બહાદુર અધિકારીઓને ગેલેન્ટ્રી એવોર્ડ પ્રાપ્ત થયા છે. કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર સહિત સંરક્ષણ દળોના વીરતા પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરતું ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ: ખ્વાજા આસિફે ભારતને આપી ‘ટુ ફ્રન્ટ વોર’ની ધમકી- વાંચો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતને ટુ ફ્રન્ટ વોરની ધમકી આપી તો તેનો જવાબ આપતા રક્ષામંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યુ કે પાકિસ્તાનની એક ઈંચ જમીન પણ બ્રહ્મોસની રેન્જની બહાર નથી. આના પરથી બ્રહ્મોસની તાકાતનો પરચો મળી જાય છે. રક્ષામંત્રીએ આ નિવેદન જે સ્થળે બ્રહ્મોસનું ઉત્પાદન થઈ રહ્યુ છે તે લખનઉથી આપ્યુ છે અને ભારતની તાકાતનો પરિચય આપ્યો છે.

પાકિસ્તાનની ઈંચે ઈંચ જમીન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં, ઓપરેશન સિંદૂર તો માત્ર એક ટ્રેલર હતુ: રાજનાથસિહ

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "ઓપરેશન સિંદૂરમાં જે બન્યું તે તો માત્ર એક ટ્રેલર હતું. જો કે આ ટ્રેલરથી જ પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો કે જો ભારત પાકિસ્તાનને જન્મ આપી શકે છે, તો તેનો સફાયો પણ કરી શકે છે. મારે તેના વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી."

Malabar Gold: શું તમે આ જ્વેલર્સ પાસેથી ઘરેણાં ખરીદો છો? જાણી લો તેની હરકતો, ભારત વિરોધી પાકિસ્તાની મહિલા જોડે કરાવ્યું પ્રમોશન

Malabar Gold Controversy: માલાબાર ગોલ્ડ ભારત વિરોધી પાકિસ્તાની ઈન્ફ્લ્યુઅન્સર અલીશ્બા સાથે કર્યું કોલેબ, કંપનીનો માલિક છે MP અહેમદ, ઘટનાનો પર્દાફાશ કરનાર હિન્દુ કાર્યકર્તાને જેલની ધમકી આપવામાં આવી હતી, જાણો સમગ્ર વિવાદ

POK માં કંઈક મોટું થવાનું છે? બે દિવસમાં ચાર નિવેદન, પાકિસ્તાન સામે ભારતનો બદલાયેલો સ્વર… શું છે આખી હકીકત?

India-Pakistan Tension : ભારતના આક્રમક સ્વરે સૌની નજરો ખેંચી લીધી છે, કારણ કે શાંતિના સમય દરમિયાન ભારત સામાન્ય રીતે પાકિસ્તાન સામે આટલો કડક અભિગમ અપનાવતું નથી. હવે ભારતનો પાકિસ્તાન પ્રત્યેનો રુખ થોડો નવો અને બદલાયેલો લાગે છે, જેને કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંઈક મોટું થવાનું છે.

“પાકિસ્તાન વિચારી લે કે તેને નક્શામાં રહેવુ છે કે નહીં…” સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વીવેદીની ખુલ્લી ચેતવણી

ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વીવેદીનું એક મોટુ નિવેદન સામે આવ્યુ છે. સેના પ્રમુકે અનુપગઢમાં એક કાર્યક્રમમાં કહ્યુ કે પાકિસ્તાને હવે વિચારવુ પડશે કે તેને નક્શામાં રહેવુ છે કે નહીં. હવે પછી ભારત એવી કાર્યવાહી કરશે કે તેનુ નક્શામાંથી જ નામોનિશાન મિટાવી દેવામાં આવશે, ત્યારે પાકિસ્તાને પણ વિચારવુ પડશે.

Suryakumar Yadav : એશિયા કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવનો મોટો નિર્ણય, જાણી લો

ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ એશિયા કપની બધી મેચોમાંથી તેમની મેચ ફી ભારતીય સેનાને દાન કરશે. યાદવે રવિવારે રાત્રે દુબઈમાં પાકિસ્તાન સામે એશિયા કપ જીત્યા બાદ આ જાહેરાત કરી. આ જીત સાથે ભારતે પોતાનો બીજો T20 આંતરરાષ્ટ્રીય એશિયા કપ ખિતાબ અને ODI વર્ઝન સહિત એકંદરે નવમો ખિતાબ જીત્યો.

રમતના મેદાન પર પણ ઓપરેશન સિંદૂર… PM મોદીએ ટીમ ઈન્ડિયાને એશિયા કપ જીતવા બદલ આવી રીતે આપ્યા અભિનંદન

ટીમ ઈન્ડિયાએ દુબઈમાં રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, 9મી વખત ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. આ બાદ PM મોદીએ અનોખી રીતે શુભકામના ભારતીય ટીમને આપી હતી.

રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
g clip-path="url(#clip0_868_265)">