AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂર

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.

ભારતીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, આ કાર્યવાહી “સટીક, સંયમિત અને બિન-ઉશ્કેરણીજનક” હતી અને કોઈપણ પાકિસ્તાની લશ્કરી સ્થાનોને નિશાન બનાવવામાં આવી ન હતી. ભારતે જે સ્થળોએ હવાઈ હુમલા કર્યા તેમાં કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે.

આ ઓપરેશનને “સિંદૂર” નામ એટલે આપવામાં આવ્યું, કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, જે આ ક્રિયાના પ્રતીકાત્મક મહત્વને દર્શાવે છે. આ પહેલગામ હુમલામાં ઘણી સ્ત્રીઓ વિધવા થઈ હતી. તેમના સિંદૂર ભૂંસાયા હતા, તેથી આ ઓપરેશનને ‘સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.

Read More

Breaking News : પહેલગામમાં આતંકી હુમલો કરવા પાકિસ્તાન 4 વર્ષથી કરતું હતુ તૈયારી, NIA તપાસમાં મોટો ખુલાસો

પહેલગામમાં પાકિસ્તાની મુસ્લિમ આતંકીઓએ કરેલા હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હુમલાની NIAએ કરેલી તપાસમાં મોટો અને ચોકાવનારો ખુલાસો થયો છે. પહેલગામ આતંકવાદી હુમલો અચાનક થયો ન હતો. પહેલગામમાં આતંકી હુમલો કરવા માટેનું કાવતરું ચાર વર્ષ પહેલા પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું. હિન્દુ પ્રવાસીઓ પર કરાયેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોન, પાકિસ્તાનથી આયાત કરવામાં આવ્યા હતા અને પાકિસ્તાનની એક બેંક દ્વારા રૂપિયા પૂરા પાડવામાં આવ્યા હતા. આ એ જ બેંક છે જેનું નામ અગાઉ પણ આતંકવાદ સંબંધિત હુમલા કેસોમાં સામે આવ્યું છે.

Breaking News : ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી… કયા દેશ પર હુમલો થશે? આર્મી ચીફના નિવેદનથી નવી ચર્ચાઓ શરૂ

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું કે 'ઓપરેશન સિંદૂર' સમાપ્ત નથી, માત્ર સંઘર્ષમાં વિરામ છે, જે ભારતની ભાવિ સુરક્ષા વ્યૂહરચના સૂચવે છે. તેમણે ત્રણેય સેનાઓ – થલસેના, વાયુસેના અને નૌકાદળ – વચ્ચેના મજબૂત સંકલન પર ભાર મૂક્યો.

Breaking News: ભારતીય PMના નિવાસસ્થાને ડ્રોન ઉડાવ્યા… પાકિસ્તાની રાષ્ટ્રપતિએ શરમ વેચી ખાધી, ‘નકટો’ માણસ આટલું જૂઠું કઈ રીતે બોલી શકે?

શું પાકિસ્તાની રાષ્ટ્રપતિ પોતાનું માનસિક સંતુલન ખોઈ બેસ્યા છે? ભારત સામે હળાહળ જૂઠું બોલતા પહેલાં ઝરદારી એ ભૂલી ગયો કે, તે ખુદ ભારતના ડરથી બંકરમાં છુપાયો હતો. એવામાં હવે એક વર્ષ પછી ભારતને લઈને તેમણે એવું વાહિયાત નિવેદન આપ્યું છે કે, જેનાથી પાકિસ્તાનની અસલી ઓકાત ફરી દુનિયા સામે આવી ગઈ છે.

આતંક ફેલાવતા સમયે પાકિસ્તાનને અલ્લાહ યાદ ના આવ્યા, પરંતુ ભારતના એક નિર્ણયે યાદ કરવી દીધા

પાણી વિના કશું નથી. આ વાત પાકિસ્તાનના સંદર્ભમાં સાચી પડે છે. આનું કારણ એ છે કે પડોશી રાષ્ટ્ર 2016 થી ભારતમાંથી પાણી મેળવવા ધમપછાડા કરતું આવ્યું છે. જો કે હવે, પરિસ્થિતિ એવી જગ્યાએ પહોંચી ગઈ છે જ્યાં પાકિસ્તાન ગેરકાયદેસર ટ્રિબ્યુનલ પર આધાર રાખીને સિંધુ નદીનુ પાણી માંગે છે. ભારતે ફરી એકવાર પાકિસ્તાનને તેનો ચહેરો જોવા માટે અરીસો ધર્યો છે.

ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે- અમેરિકાના ફોરેન અફેર્સ મેગેઝિનમાં કરાયો દાવો- વાંચો

એક અમેરિકી મીડિયામાં કરાયેલા દાવા અનુસાર ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે. એક જિયોપોલિટિકલ પ્રેડિક્શન અનુસાર આવનારા દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મોટુ યુદ્ધ થવાનું છે તેનો સ્કેલ બહુ મોટો હશે. ઓપરેશન સિંદૂર કરતા પણ મોટો હશે અને આ વખતે યુએસએ પણ આ યુદ્ધમાં કોઈપણ ઈન્ટરવેન્શન નહીં કરી શકે. અમેરિકી મેગેઝિને આ યુદ્ધમાં મોટા પરમાણુ હુમલાને લઈને પણ ચેતવ્યા છે.

Operation Sindoor Anniversary: ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન માટે કાળ બન્યાં ભારતના આ આધુનિક હથિયારો

આજે ભારતના ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ છે. આ ઓપરેશન માત્ર બહાદુરીનું પ્રતીક જ નહીં પણ પહેલગામમાં થયેલી કાયર ઘટનાનો જવાબ અને પાકિસ્તાનમાં આતંકવાદના ગઢને ખતમ કરવાના મિશનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આ ઓપરેશનમાં ભારતે આધુનિક યુદ્ધના તમામ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.

‘Operation Sindoor’ની વર્ષગાંઠ પર PM મોદીની પાકિસ્તાનને સીધી ચેતવણી ! X પર DP પણ કર્યું ચેન્જ

7 મે, ભારતના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ તારીખ છે. આ જ દિવસે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો અને પાકિસ્તાનની અંદરથી કાર્યરત આતંકવાદીઓને ખતમ કરી દીધા. નોંધનીય છે કે, તે સમયે ભારત સરકારે આ લશ્કરી અભિયાનને 'ઓપરેશન સિંદૂર' નામ આપ્યું હતું.

‘Operation Sindoor’ ને એક વર્ષ: આતંકવાદીઓના ઠેકાણાથી લઈને એરબેઝ સુધી, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને શું ગુમાવ્યું?

‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ પૂર્ણ થતાં ફરી ચર્ચા તેજ બની છે કે ભારતના આ સૈન્ય અભિયાનમાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું હતું. એરબેઝ, રડાર સિસ્ટમ અને આતંકી કેમ્પો પર થયેલા હુમલાઓ આજે પણ ચર્ચામાં છે.

  • Nishat
  • Updated on: May 7, 2026
  • 9:41 am

One Year Of Operation Sindoor : ભૂષણ કુમાર અને વિવેક અગ્નિહોત્રી બનાવી રહેલા ‘ઓપરેશન સિંદૂર’ ફિલ્મનું કામ ક્યાં સુધી પહોંચ્યું?

પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ સામે કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી અને ભૂષણ કુમાર હવે આ ઐતિહાસિક અભિયાન પાછળના બંધ દરવાજાઓમાં રચાયેલા સત્યને ફિલ્મી પડદા પર રજૂ કરવા જઈ રહ્યા છે.

Operation Sindoor: Indian Army એ માત્ર 88 કલાકમાં પાકિસ્તાનને હચમચાવી નાખ્યું, સેનાએ 1.5 મિનિટના Videoમાં વિનાશનું ટ્રેલર રજૂ કર્યું

પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ચલાવેલા ‘ઓપરેશન સિંદૂર’ને એક વર્ષ પૂર્ણ થતા ભારતીય સેનાએ ખાસ વિડિયો જાહેર કર્યો છે. 88 કલાક સુધી ચાલેલા આ મિશનમાં પાકિસ્તાન અને PoKના 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા.

  • Nishat
  • Updated on: May 7, 2026
  • 8:13 am

DRDOની ‘યુક્તિ’ અને સેનાની ‘શક્તિ’નો ખતરનાક સમન્વય! તેજસ અને બ્રહ્મોસના આખરી પ્રહાર સામે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું પાકિસ્તાન!

મે 2025માં યોજાયેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતે પોતાની સૈન્ય સર્વોપરિતા સાબિત કરી છે. તેજસ ફાઈટર જેટ્સ, બ્રહ્મોસ મિસાઈલ અને DRDOના આધુનિક ડ્રોન સિસ્ટમની મદદથી ભારતીય સેનાએ પાકિસ્તાની સૈન્ય માળખા અને આતંકી ઠેકાણાઓની કમર તોડી નાખી છે.

હાફિઝ સઈદ અને મસૂદ અઝહર માટે પાકિસ્તાની સૈન્યે ઓપરેશન સિંદૂરમાં ભારત સામે લડાઈ કરીઃ પાક નેતાની કબૂલાત

'ઓપરેશન સિંદૂર'ને એક વર્ષ થયા તે પહેલા પાકિસ્તાનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શહીર સિયાલવીએ કરેલા નિવેદનથી, પાકિસ્તાનની સેના અને આતંકવાદી જૂથો વચ્ચેના સંબંધો અંગે ચર્ચા જગાવી છે. પાકિસ્તાની નેતા શહીર સિયાલવીએ આ જાહેર કાર્યક્રમ દરમિયાન આતંકવાદી માટે પાકિસ્તાનની સેનાને ભારત સામે યુદ્ધ લડવુ પડ્યું છે તેવુ નિવેદન હવે તપાસનો વિષય બની ગયું છે. એવું કહેવાય છે કે આ કાર્યક્રમ લશ્કર-એ-તૈયબા (LeT) સંગઠન સાથે જોડાયેલ હતો.

Breaking News : ઓપરેશન સિંદુરની એનિવર્સરી પહેલા કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ Video

7મે 2026ના રોજ ઓ“ઓપરેશન સિંદૂર”ની પહેલી એનિવર્સરી છે. બીએસએફ પેટ્રોલિંગ દરમ્યાન કચ્છમાં પાકિસ્તાની બોટ મળી આવી છે.કચ્છમાં સુરક્ષા એજન્સીના જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે.

આખી દુનિયા જેનાથી ડરે છે, તે ‘બ્રહ્માસ્ત્ર’ હવે ભારત આવશે; પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દેશે આ ડિફેન્સ સિસ્ટમ

ઓપરેશન સિંદૂરના એક વર્ષ બાદ ભારત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. રશિયાએ ભારત માટે ચોથું S-400 એર ડિફેન્સ સિસ્ટમ રવાના કરી દીધું છે, જેનાથી પાકિસ્તાન અને ચીનમાં ફફડાટ ફેલાયો છે.

Pahalgam Attack : પહેલગામ હુમલાની પહેલી વરસી, સમગ્ર કાશ્મીરમાં હાઈ અલર્ટ જાહેર, PMએ કહ્યુ- આતંકવાદ સામે નહીં ઝુકીએ

પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી પર કાશ્મીરમાં સુરક્ષા વધારવામાં આવી છે. આતંકી ખતરા વચ્ચે સર્ચ ઓપરેશન અને ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

  • Nishat
  • Updated on: Apr 22, 2026
  • 9:15 am
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">