Bhakti : મંદિરના પગથિયે થોડા સમય માટે કેમ બેસવું જોઈએ ? આની પાછળ છુપાયેલું છે એક ‘મોટું રહસ્ય’
તમે જોયું હશે કે, કેટલાક લોકો મંદિરમાં દર્શન કર્યા પછી થોડા સમય માટે ત્યાં પગથિયાં પર બેસી જાય છે. એવામાં તમને પણ સવાલ થતાં હશે કે, આવું શા માટે? આની પાછળનું કારણ શું?

ઘણા લોકોની આદત હોય છે કે, રોજ સવારે મંદિર જવું અને ત્યાં દર્શન કર્યા બાદ પગથિયે બેસી જવું. મંદિરમાં ભગવાનના દર્શન કરવા એ વાત તો ખરી પણ દર્શન પછી મંદિરના પગથિયા પર થોડીવાર બેસી જવું તેનું મહત્ત્વ તો ખૂબ જ ખાસ છે.

હવે મુદ્દાની વાત એ કે, દર્શન કર્યા બાદ મંદિરના પગથિયા પર શા માટે લોકો બેસે છે? આની પાછળનું કારણ શું છે? જણાવી દઈએ કે, આ સવાલોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.

જૂની પરંપરાઓમાં જોવા મળ્યું છે કે, મંદિરમાં પૂજા કર્યા પછી લોકો થોડા સમય માટે મંદિરના પગથિયા પર બેસી જાય છે. ઘણા લોકોને લાગશે કે, લોકો કારણ વગર આવું કરે છે. કોઈને એવું લાગશે કે, કદાચ આ લોકો થોડા સમય માટે મંદિરમાં રહેવા માંગે છે. જો કે, આની પાછળનું કારણ ચોંકાવનારું છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, મંદિરના શિખરને દેવ વિગ્રહ (ભગવાનની મૂર્તિનો ચહેરો) કહેવામાં આવે છે અને તેના પગથિયાને ચરણપાદુકા કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના પગથિયે થોડો સમય બેસીને તમારે તમારા દેવતાને યાદ કરવા જોઈએ. આવું કરવાથી મનગમતી ઇચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે.

જ્યારે તમે મંદિરના પગથિયે બેસો અને ભગવાનને યાદ કરતી વખતે પ્રાર્થના કરો છો, ત્યારે એક શ્લોક જરૂરથી વાંચો. માન્યતા અનુસાર, 'અનયસેન મરણમ, બિન દૈન્યે જીવનમ. દેહંત તવ સાનિધ્યમ, દેહિ મે પરમેશ્વરમ' આ શ્લોકનો જાપ કરવાથી મન શુદ્ધ થાય છે.

આ શ્લોકનો અર્થ એ છે કે, મૃત્યુ અને ગરીબી એવી હોવી જોઈએ કે તેમાં કોઈ પીડા ન હોય તેમજ મૃત્યુ આવે ત્યારે તે તમારા સાનિધ્યમાં શાંતિપૂર્વક આવે.
તમારી કારકિર્દીમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
