Travel Tips : ગાંધીનગર જઈ રહ્યા છો તો મિસ ન કરતા આ ફરવા લાયક સ્થળો, જુઓ ફોટો
ગાંધીનગરમાં ફરવા લાયક સ્થળની વાત કરવામાં આવે તો સૌના મોંઢે એક જ વાત આવે છે, કે, અહિનું પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર ખુબ સુંદર છે. જ્યાં તમે પરિવાર સાથે જઈ શકો છો. તો ચાલો આજે આપણે ગાંધીનગરમાં ફરવા લાયક સ્થળો વિશે વાત કરીએ,

ગુજરાત માત્ર ઔદ્યોગિક દ્રષ્ટિકોણથી જ મહત્વનું નથી, પરંતુ આ રાજ્યના ઘણા શહેરો તેમના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા માટે પણ એક અલગ ઓળખ ધરાવે છે.ગાંધીનગર શહેર માત્ર રાજકીય દ્રષ્ટિકોણથી જ ફેમસ નથી, પરંતુ તમે અહીં પ્રવાસન દૃષ્ટિકોણથી પણ મુલાકાત લઈ શકો છો.

ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. જે અમદાવાદ શહેરથી માત્ર થોડું જ દુર આવેલું છે. અહિ ફરવા માટે અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. જો તમે ક્યારે પણ ગાંધીનગર આવી રહ્યા છો. તો આ ફરવા લાયક સ્થળની જરુર મુલાકાત લેજો.

જો તમે શનિ-રવિની રજામાં ગુજરાતમાં ફરવા માટે ક્યાં સ્થળે જવું છે, તેનો વિચાર કરી રહ્યા છો. તો બાળકોને એક વખત ગાંધીનગરની મુલાકાતે જરુર લઈ જાઓ. અહિ કોઈ શેરીઓના નામ નહિ પરંતુ ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા છે.

ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર 28નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીરનું પ્રખ્યાત જૈન મંદિર પણ આવેલું છે.

આ સિવાય અક્ષરધામ (ગાંધીનગર),સેક્ટર 28નો બગીચો (ગાંધીનગર),ગુજરાત વિધાનસભા,ઇન્ફોસિટી,મહાત્મા મંદિર ,સ્વર્ણિમ પાર્ક ,સરિતા ઉદ્યાન,હરણ ઉદ્યાન સચિવાલય,સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન અને પુનિત વનની પણ મુલાકાત લો.

ગાંધીનગર જવા માટે તમને અમદાવાદથી બસ તેમજ ટેક્સી આસાનીથી મળી જશે. તેમજ અમદાવાદથી ડબલ ડેકર બસ પણ ગાંધીનગર ચાલુ છે. તમે ડબલડેકર બસમાં બેસીને પણ મુસાફરી કરી શકો છો. અમદાવાદથી ગાંધીનગર તમે મેટ્રો ટ્રેનમાં બેસીને પણ જઈ શકો છો.
