Breaking News : આજે મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં દ્વારકાનો ખેલાડી રુચિત આહિર રમતો જોવા મળશે, જુઓ ફોટો
Mumbai Indians : IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાની છેલ્લી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમશે. આ મેચ પહેલા મુંબઈએ એક મોટો નિર્ણય લીધો છે અને ટીમમાં 2 નવા ખેલાડીઓની એન્ટ્રી થઈ છે.

આઈપીએલ 2026ના કારણે છેલ્લી લીગ મેચ પહેલા પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સ્કવોડમાં 2 મોટા ફેરફાર કર્યા છે. મુંબઈએ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકેલા ક્વિટન ડિકોક અને રાજ અંગદ બાવાનું સ્થાને 2 નવા રિપ્લેસમેન્ટ ખેલાડીઓને તક આપી છે.

મુંબઈ ઈન્ડિયન્સે અનુભવી ઓલરાઉન્ડર મહિપાલ લોમરોર અને સૌરાષ્ટ્રના ઘરેલું ખેલાડી રુચિત આહિરને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે. આ બંન્ને ખેલાડીઓ મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી લીગ મેચમાં જોવા મળશે.

મુંબઈએ 25 વર્ષીય સૌરાષ્ટ્રના ખેલાડી રુચિત આહિરને 30 લાખની બેઝ પ્રાઈઝ પર સાઈન કર્યો છે. રુચિતનો આ પહેલો IPL અનુભવ હશે. તેણે અત્યાર સુધીમાં ઘરેલુ ક્રિકેટમાં 16 લિસ્ટ A અને 12 T20 મેચ રમી છે.

રચિત આહિર સ્થાનિક T20 ક્રિકેટમાં તેનો રેકોર્ડ પ્રભાવશાળી છે, તેણે 169.03 ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 333 રન બનાવ્યા છે. મુંબઈ રુચિતની આક્રમક બેટિંગ સ્ટાઈલ આજે ચાહકોને જોવા મળશે.

રુચિત આહિરને આઈપીએલમાં રમવાની તક મળતા જ, સમગ્ર દ્વારકા જિલ્લા સહિત ગુજરાતના લોકો ખુશ છે કે, વધુ એક ગુજરાતી ખેલાડી આઈપીએલમાં રમતો જોવા મળશે.

રુચિત આહિર એક વિકેટકીપર-બેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. તે આ પ્રી-સીઝનમાં ડીવાય પાટિલ ટી20 કપ 2026 માં રિલાયન્સ ટીમનો ભાગ હતો, જ્યાં કોચ અને ટીમ મેનેજમેન્ટને તેને નજીકથી રમતા જોયો હતો.

મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2026માં 13 મેચમાંથી 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે પ્લેઓફની રેસમાં પહેલા જ બહાર થઈ ચૂકી છે. મુંબઈના રવિવારના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ આ સીઝનની છેલ્લી મેચ રમશે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. ભારતના સૌથી મોટા સમૂહ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે. અહી ક્લિક કરો
