AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: દરવાજાની પાછળ કપડાં લટકાવવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, ઘરમાં વધી શકે છે મુસીબતો!

દરવાજા પાછળ ગંદા કપડાં લટકાવવાથી ઘરમાં કેમ ઝઘડા અને આર્થિક તંગી વધે છે? જાણો રાહુ-કેતુના પ્રકોપ અને વાસ્તુ દોષથી બચવાના સરળ ઉપાયો. તમારા પરિવારના સુખ-શાંતિ માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે.

| Updated on: May 23, 2026 | 8:17 PM
Share
ઘરમાં જગ્યા બચાવવા માટે દરવાજા કે ગેટની પાછળ કપડાં અથવા ભીનો ટુવાલ લટકાવવો એ ખૂબ જ સામાન્ય બાબત છે. આપણામાંથી ઘણા લોકો રોજ આવું કરતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ નાની આદત તમારા જીવનમાં મોટી મુસીબતો લાવી શકે છે. દરવાજાની પાછળ લટકાવેલા ગંદા કપડાં ઘરમાં વાસ્તુ દોષ પેદા કરે છે.

ઘરમાં જગ્યા બચાવવા માટે દરવાજા કે ગેટની પાછળ કપડાં અથવા ભીનો ટુવાલ લટકાવવો એ ખૂબ જ સામાન્ય બાબત છે. આપણામાંથી ઘણા લોકો રોજ આવું કરતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ નાની આદત તમારા જીવનમાં મોટી મુસીબતો લાવી શકે છે. દરવાજાની પાછળ લટકાવેલા ગંદા કપડાં ઘરમાં વાસ્તુ દોષ પેદા કરે છે.

1 / 7
વાસ્તુ નિયમો અનુસાર, ગેટની પાછળ કપડાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા (Negative Energy) વધે છે. તેના કારણે ઘરનું વાતાવરણ તણાવભર્યું બને છે અને પરિવારના સભ્યો વચ્ચે નાની-નાની વાતોમાં અણબનાવ કે લડાઈ-ઝઘડા થવાની શક્યતા વધી જાય છે.

વાસ્તુ નિયમો અનુસાર, ગેટની પાછળ કપડાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા (Negative Energy) વધે છે. તેના કારણે ઘરનું વાતાવરણ તણાવભર્યું બને છે અને પરિવારના સભ્યો વચ્ચે નાની-નાની વાતોમાં અણબનાવ કે લડાઈ-ઝઘડા થવાની શક્યતા વધી જાય છે.

2 / 7
એવું માનવામાં આવે છે કે દરવાજાની પાછળ ગંદકી અથવા કપડાંનો ઢગલો રાખવાથી રાહુ અને કેતુ ગ્રહને બળ મળે છે. આના લીધે જીવનમાં અચાનક નકારાત્મક વસ્તુઓ થવા લાગે છે અને ઘરના સભ્યો માનસિક તણાવ કે ચિંતાનો શિકાર બનવા લાગે છે.

એવું માનવામાં આવે છે કે દરવાજાની પાછળ ગંદકી અથવા કપડાંનો ઢગલો રાખવાથી રાહુ અને કેતુ ગ્રહને બળ મળે છે. આના લીધે જીવનમાં અચાનક નકારાત્મક વસ્તુઓ થવા લાગે છે અને ઘરના સભ્યો માનસિક તણાવ કે ચિંતાનો શિકાર બનવા લાગે છે.

3 / 7
કપડાં દરવાજા પાછળ લટકાવવાની આ આદત ઘરની આર્થિક સ્થિતિને પણ નુકસાન પહોંચાડે છે. આનાથી ઘરમાં પૈસાની તંગી ઊભી થાય છે, વ્યાપાર કે નોકરીમાં મોટો ઘાટો થઈ શકે છે અને ધીમે-ધીમે માણસ પર દેવાનો બોજ વધતો જાય છે.

કપડાં દરવાજા પાછળ લટકાવવાની આ આદત ઘરની આર્થિક સ્થિતિને પણ નુકસાન પહોંચાડે છે. આનાથી ઘરમાં પૈસાની તંગી ઊભી થાય છે, વ્યાપાર કે નોકરીમાં મોટો ઘાટો થઈ શકે છે અને ધીમે-ધીમે માણસ પર દેવાનો બોજ વધતો જાય છે.

4 / 7
ઘણીવાર દરવાજાની પાછળ એટલા બધા કપડાં ભરાઈ જાય છે કે દરવાજો પૂરો ખૂલી શકતો નથી. વાસ્તુશાસ્ત્રમાં તેને બહુ મોટો દોષ માનવામાં આવે છે. દરવાજો આખો ન ખૂલવાને કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકી જાય છે.

ઘણીવાર દરવાજાની પાછળ એટલા બધા કપડાં ભરાઈ જાય છે કે દરવાજો પૂરો ખૂલી શકતો નથી. વાસ્તુશાસ્ત્રમાં તેને બહુ મોટો દોષ માનવામાં આવે છે. દરવાજો આખો ન ખૂલવાને કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકી જાય છે.

5 / 7
નહાયા પછી ભીનો ટુવાલ દરવાજા પાછળ સુકવવો એ સૌથી મોટી ભૂલ છે. ભીનાશ અને ગંદકી નકારાત્મકતાને ઝડપથી આકર્ષે છે. વાસ્તુ અનુસાર, દરવાજાની પાછળનો ભાગ હંમેશા ખાલી અને સાફ હોવો જોઈએ, જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવી શકે.

નહાયા પછી ભીનો ટુવાલ દરવાજા પાછળ સુકવવો એ સૌથી મોટી ભૂલ છે. ભીનાશ અને ગંદકી નકારાત્મકતાને ઝડપથી આકર્ષે છે. વાસ્તુ અનુસાર, દરવાજાની પાછળનો ભાગ હંમેશા ખાલી અને સાફ હોવો જોઈએ, જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવી શકે.

6 / 7
જો તમે તમારા ઘરને વાસ્તુ દોષથી બચાવવા માંગતા હોવ, તો કપડાંને હંમેશા કબાટમાં અથવા લોન્ડ્રી બાસ્કેટમાં રાખો. ભીના ટુવાલને દરવાજા પાછળ લટકાવવાને બદલે સીધો તડકામાં સુકવો. જો શક્ય હોય તો, દરવાજાની પાછળથી હૂક (ખીંટી) જ હટાવી દો જેથી કપડાં ટાંગવાની આદત જ છૂટી જાય.

જો તમે તમારા ઘરને વાસ્તુ દોષથી બચાવવા માંગતા હોવ, તો કપડાંને હંમેશા કબાટમાં અથવા લોન્ડ્રી બાસ્કેટમાં રાખો. ભીના ટુવાલને દરવાજા પાછળ લટકાવવાને બદલે સીધો તડકામાં સુકવો. જો શક્ય હોય તો, દરવાજાની પાછળથી હૂક (ખીંટી) જ હટાવી દો જેથી કપડાં ટાંગવાની આદત જ છૂટી જાય.

7 / 7
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. TV9Gujarati આમાંથી એક પણ વાતની સત્યતાનો દાવો કે પ્રમાણ કરતું નથી.

Ferrari ગાડી લેવી છે? ભારતમાં Ferrari સીધી ₹3 કરોડ સુધી સસ્તી થશે! જાણો કઈ રીતે અને ક્યારે?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
g clip-path="url(#clip0_868_265)">