AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્માર્ટ ટીવીને ઓફ કર્ચા પછી પણ લાલ લાઈટ કેમ શરૂ રહે છે? મોટાભાગના લોકો કંપનીની આ ચાલાકી થી હોય છે અજાણ

આજકાલના એડવાન્સ સ્માર્ટ ટીવીને સંપૂર્ણપણે બંધ કરવું એક મોટું માથાકૂટનું કામ છે. રિમોટથી બંધ કરવા છતાં ટીવી બેકગ્રાઉન્ડમાં ઇન્ટરનેટ ડેટા કેમ વાપરે છે તેની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

| Updated on: May 23, 2026 | 10:06 PM
Share
આજકાલ લગભગ દરેક ઘરમાં સ્માર્ટ ટીવી જોવા મળે છે. તમે પણ ઘણીવાર નોંધ્યું હશે કે જ્યારે તમે રિમોટ વડે ટીવી બંધ કરો છો, ત્યારે પણ તેની અંદર એક નાની પાવર લાઇટ ચાલુ જ રહે છે. મોટાભાગના લોકો એવું માની લે છે કે રિમોટનું બટન દબાવતા જ ટીવી બંધ થઈ ગયું છે, પરંતુ ડિજિટલ યુગના સ્માર્ટ ટીવીના મામલામાં આ વાત બિલકુલ સાચી નથી.

આજકાલ લગભગ દરેક ઘરમાં સ્માર્ટ ટીવી જોવા મળે છે. તમે પણ ઘણીવાર નોંધ્યું હશે કે જ્યારે તમે રિમોટ વડે ટીવી બંધ કરો છો, ત્યારે પણ તેની અંદર એક નાની પાવર લાઇટ ચાલુ જ રહે છે. મોટાભાગના લોકો એવું માની લે છે કે રિમોટનું બટન દબાવતા જ ટીવી બંધ થઈ ગયું છે, પરંતુ ડિજિટલ યુગના સ્માર્ટ ટીવીના મામલામાં આ વાત બિલકુલ સાચી નથી.

1 / 10
વાસ્તવિકતા એ છે કે જ્યારે તમે રિમોટથી ટીવી બંધ કરો છો, ત્યારે તે બંધ નથી થતું પરંતુ એક ઊંડી ઊંઘમાં ચાલ્યું જાય છે. ટેકનોલોજીની ભાષામાં આ સ્થિતિને 'સ્ટેન્ડબાય મોડ' (Standby Mode) કહેવામાં આવે છે. આ મોડમાં તમારું ટીવી ચાલુ ન હોવા છતાં બેકગ્રાઉન્ડમાં ચૂપચાપ તમારો ઇન્ટરનેટ ડેટા અને વીજળી બંનેનો વપરાશ કરતું રહે છે. આ જ કારણ છે કે કંપનીઓ ટીવીને પૂરેપૂરું બંધ કરવાનો ઓપ્શન કાં તો સેટિંગ્સના જાળમાં છુપાવી દે છે અથવા તો આપતી જ નથી.

વાસ્તવિકતા એ છે કે જ્યારે તમે રિમોટથી ટીવી બંધ કરો છો, ત્યારે તે બંધ નથી થતું પરંતુ એક ઊંડી ઊંઘમાં ચાલ્યું જાય છે. ટેકનોલોજીની ભાષામાં આ સ્થિતિને 'સ્ટેન્ડબાય મોડ' (Standby Mode) કહેવામાં આવે છે. આ મોડમાં તમારું ટીવી ચાલુ ન હોવા છતાં બેકગ્રાઉન્ડમાં ચૂપચાપ તમારો ઇન્ટરનેટ ડેટા અને વીજળી બંનેનો વપરાશ કરતું રહે છે. આ જ કારણ છે કે કંપનીઓ ટીવીને પૂરેપૂરું બંધ કરવાનો ઓપ્શન કાં તો સેટિંગ્સના જાળમાં છુપાવી દે છે અથવા તો આપતી જ નથી.

2 / 10
આવો જાણીએ આ સ્ટેન્ડબાય મોડ પાછળ કંપનીઓની શું રમત હોય છે અને તેનાથી તમને શું નુકસાન થાય છે:

આવો જાણીએ આ સ્ટેન્ડબાય મોડ પાછળ કંપનીઓની શું રમત હોય છે અને તેનાથી તમને શું નુકસાન થાય છે:

3 / 10
શું છે આ સ્માર્ટ ટીવીનો સ્ટેન્ડબાય મોડ?, સોની જેવી દિગ્ગજ ટેક કંપનીઓના જણાવ્યા અનુસાર, જો ટીવીની સ્ક્રીન બંધ હોય પણ લાલ લાઇટ ચાલુ હોય, તો તેનો અર્થ એ છે કે ટીવી સ્ટેન્ડબાય મોડ પર છે. આ મોડ એટલા માટે રાખવામાં આવે છે જેથી તમે જેવું રિમોટનું બટન દબાવો કે તરત જ પલક ઝબકાવતા ટીવી ચાલુ થઈ જાય. આ મોડમાં ટીવી બેકગ્રાઉન્ડમાં રહીને પોતાની જાતે જ નવા એપ્સ અને સોફ્ટવેર અપડેટ્સ ડાઉનલોડ કરતું રહે છે. એમેઝોન ફાયર ટીવી જેવી બ્રાન્ડ્સ તો ટીવીને સંપૂર્ણ બંધ કરવાનો ઓપ્શન જ આપતી નથી.

શું છે આ સ્માર્ટ ટીવીનો સ્ટેન્ડબાય મોડ?, સોની જેવી દિગ્ગજ ટેક કંપનીઓના જણાવ્યા અનુસાર, જો ટીવીની સ્ક્રીન બંધ હોય પણ લાલ લાઇટ ચાલુ હોય, તો તેનો અર્થ એ છે કે ટીવી સ્ટેન્ડબાય મોડ પર છે. આ મોડ એટલા માટે રાખવામાં આવે છે જેથી તમે જેવું રિમોટનું બટન દબાવો કે તરત જ પલક ઝબકાવતા ટીવી ચાલુ થઈ જાય. આ મોડમાં ટીવી બેકગ્રાઉન્ડમાં રહીને પોતાની જાતે જ નવા એપ્સ અને સોફ્ટવેર અપડેટ્સ ડાઉનલોડ કરતું રહે છે. એમેઝોન ફાયર ટીવી જેવી બ્રાન્ડ્સ તો ટીવીને સંપૂર્ણ બંધ કરવાનો ઓપ્શન જ આપતી નથી.

4 / 10
વીજળીના બિલ પર કેટલી અસર થાય છે?, એક રિપોર્ટ અનુસાર, જો તમે આખું વર્ષ પણ ટીવીને સ્ટેન્ડબાય મોડ પર રાખો, તો પણ તેનાથી વીજળીના બિલમાં કોઈ મોટો ફેરફાર થતો નથી. એલજી અને તોશિબાના 55 ઇંચના ટીવી પર કરાયેલા ટેસ્ટિંગમાં જાણવા મળ્યું છે કે આખા વર્ષ દરમિયાન સ્ટેન્ડબાય મોડના કારણે લાઇટ બિલમાં માત્ર 10 થી 12 રૂપિયાનો જ વધારો થાય છે. એટલે કે આનાથી તમારા ખિસ્સા પર કોઈ આર્થિક બોજ પડતો નથી.

વીજળીના બિલ પર કેટલી અસર થાય છે?, એક રિપોર્ટ અનુસાર, જો તમે આખું વર્ષ પણ ટીવીને સ્ટેન્ડબાય મોડ પર રાખો, તો પણ તેનાથી વીજળીના બિલમાં કોઈ મોટો ફેરફાર થતો નથી. એલજી અને તોશિબાના 55 ઇંચના ટીવી પર કરાયેલા ટેસ્ટિંગમાં જાણવા મળ્યું છે કે આખા વર્ષ દરમિયાન સ્ટેન્ડબાય મોડના કારણે લાઇટ બિલમાં માત્ર 10 થી 12 રૂપિયાનો જ વધારો થાય છે. એટલે કે આનાથી તમારા ખિસ્સા પર કોઈ આર્થિક બોજ પડતો નથી.

5 / 10
તો પછી અસલી મુશ્કેલી ક્યાં છે?, ટીવીની આ ચાલુ રહેતી લાઇટ પાછળ સૌથી મોટું જોખમ પ્રાઇવસી અને ડેટા ચોરીનું છે:

તો પછી અસલી મુશ્કેલી ક્યાં છે?, ટીવીની આ ચાલુ રહેતી લાઇટ પાછળ સૌથી મોટું જોખમ પ્રાઇવસી અને ડેટા ચોરીનું છે:

6 / 10
પ્રાઇવસીનું મોટું જોખમ: સ્ટેન્ડબાય મોડમાં ટીવી સ્ક્રીન બંધ હોવા છતાં તેનો વોઇસ કમાન્ડ (અવાજ ઓળખવાનું ફીચર) અને માઇક્રોફોન હંમેશા એક્ટિવ રહે છે. આનાથી તમારા ઘરની ખાનગી વાતો લીક થવાનું જોખમ તોળાયેલું રહે છે.

પ્રાઇવસીનું મોટું જોખમ: સ્ટેન્ડબાય મોડમાં ટીવી સ્ક્રીન બંધ હોવા છતાં તેનો વોઇસ કમાન્ડ (અવાજ ઓળખવાનું ફીચર) અને માઇક્રોફોન હંમેશા એક્ટિવ રહે છે. આનાથી તમારા ઘરની ખાનગી વાતો લીક થવાનું જોખમ તોળાયેલું રહે છે.

7 / 10
ઇન્ટરનેટ ડેટાનો સફાયો: બેકગ્રાઉન્ડમાં યુઝરની મંજૂરી વગર સોફ્ટવેર અને એપ્સ અપડેટ થવાના કારણે તમારા ઘરનું વાઇ-ફાઇ અથવા મોબાઇલ હોટસ્પોટનો ડેટા ફટાફટ ખતમ થઈ જાય છે.

ઇન્ટરનેટ ડેટાનો સફાયો: બેકગ્રાઉન્ડમાં યુઝરની મંજૂરી વગર સોફ્ટવેર અને એપ્સ અપડેટ થવાના કારણે તમારા ઘરનું વાઇ-ફાઇ અથવા મોબાઇલ હોટસ્પોટનો ડેટા ફટાફટ ખતમ થઈ જાય છે.

8 / 10
જાહેરાતોનો મારો: કંપનીઓ ઈચ્છે છે કે તમારું ટીવી ચોવીસે કલાક ઇન્ટરનેટ સાથે જોડાયેલું રહે. આનાથી તેઓ બેકગ્રાઉન્ડમાં જાહેરાતો લોડ કરી રાખે છે અને તમે જેવું ટીવી ઓન કરો કે તરત જ સ્ક્રીન પર મોટી મોટી જાહેરાતોના બેનર દેખાવા લાગે છે.

જાહેરાતોનો મારો: કંપનીઓ ઈચ્છે છે કે તમારું ટીવી ચોવીસે કલાક ઇન્ટરનેટ સાથે જોડાયેલું રહે. આનાથી તેઓ બેકગ્રાઉન્ડમાં જાહેરાતો લોડ કરી રાખે છે અને તમે જેવું ટીવી ઓન કરો કે તરત જ સ્ક્રીન પર મોટી મોટી જાહેરાતોના બેનર દેખાવા લાગે છે.

9 / 10
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટીવીને સતત સ્ટેન્ડબાય મોડમાં રાખવાથી તેની અંદરના પાર્ટ્સ લાંબો સમય કામ કરે છે, જેના લીધે ટીવીનું આયુષ્ય ઘટી જાય છે અને તમારે સમય કરતાં વહેલા નવું ટીવી ખરીદવું પડી શકે છે. આથી, જ્યારે ટીવી ન જોવું હોય ત્યારે રિમોટની સાથે સાથે મેઇન સ્વીચ બોર્ડ પરથી પણ પાવર બંધ કરવો એ જ સૌથી સુરક્ષિત ઉપાય છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટીવીને સતત સ્ટેન્ડબાય મોડમાં રાખવાથી તેની અંદરના પાર્ટ્સ લાંબો સમય કામ કરે છે, જેના લીધે ટીવીનું આયુષ્ય ઘટી જાય છે અને તમારે સમય કરતાં વહેલા નવું ટીવી ખરીદવું પડી શકે છે. આથી, જ્યારે ટીવી ન જોવું હોય ત્યારે રિમોટની સાથે સાથે મેઇન સ્વીચ બોર્ડ પરથી પણ પાવર બંધ કરવો એ જ સૌથી સુરક્ષિત ઉપાય છે.

10 / 10

માતા-પિતા બંને IAS હોય તો બાળકોને અનામત કેમ? સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી ઓબીસી ‘ક્રીમી લેયર’ અંગે દેશભરમાં છેડાઈ મોટી ચર્ચા

Follow Us
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">