AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેશનના ચક્કરમાં ખરીદેલા સસ્તા સનગ્લાસ આંખોને કરી દેશે ‘અંધ’, જાણી લો આની પાછળનું ‘અસલી રહસ્ય’

ઉનાળાની ગરમીની શરૂઆત થતાં જ સ્ટાઈલ અને તડકાથી બચવા માટે લોકો ચશ્મા ખરીદવાનું શરૂ કરી દે છે. એવામાં શું તમે જાણો છો કે, રસ્તા કિનારે મળતા સસ્તા ચશ્મા આંખોને સુરક્ષિત રાખવાને બદલે વધુ નુકસાન પહોંચાડી શકે છે?

| Updated on: May 23, 2026 | 8:25 PM
Share
ગરમી શરૂ થતાં જ બજારમાં 100-200 રૂપિયાવાળા કાળા ચશ્માની ભરમાર જોવા મળે છે. લોકો તેને ફેશન, સ્ટાઈલ અને તડકાથી બચવા માટે ખરીદી લે છે. એવામાં બહુ ઓછા લોકો જાણે છે કે, દરેક ડાર્ક રંગના ચશ્મા આંખોને સુરક્ષિત બનાવતા નથી. ઘણા સસ્તા અને સબ-સ્ટાન્ડર્ડ સનગ્લાસ માત્ર પ્રકાશ ઓછો કરે છે પરંતુ ખતરનાક UV (અલ્ટ્રાવાયોલેટ) કિરણોને રોકી શકતા નથી. આ જ કારણ છે કે, આંખના ડોકટરો હંમેશા UV400 પ્રોટેક્શનવાળા ચશ્મા વાપરવાની સલાહ આપે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ખોટા ચશ્મા ઘણીવાર આંખોને નરી આંખે તડકામાં રહેવા કરતાં પણ વધુ નુકસાન પહોંચાડી શકે છે.

ગરમી શરૂ થતાં જ બજારમાં 100-200 રૂપિયાવાળા કાળા ચશ્માની ભરમાર જોવા મળે છે. લોકો તેને ફેશન, સ્ટાઈલ અને તડકાથી બચવા માટે ખરીદી લે છે. એવામાં બહુ ઓછા લોકો જાણે છે કે, દરેક ડાર્ક રંગના ચશ્મા આંખોને સુરક્ષિત બનાવતા નથી. ઘણા સસ્તા અને સબ-સ્ટાન્ડર્ડ સનગ્લાસ માત્ર પ્રકાશ ઓછો કરે છે પરંતુ ખતરનાક UV (અલ્ટ્રાવાયોલેટ) કિરણોને રોકી શકતા નથી. આ જ કારણ છે કે, આંખના ડોકટરો હંમેશા UV400 પ્રોટેક્શનવાળા ચશ્મા વાપરવાની સલાહ આપે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ખોટા ચશ્મા ઘણીવાર આંખોને નરી આંખે તડકામાં રહેવા કરતાં પણ વધુ નુકસાન પહોંચાડી શકે છે.

1 / 5
જણાવી દઈએ કે, જ્યારે કોઈ વ્યક્તિ ડાર્ક રંગના ચશ્મા પહેરે છે, ત્યારે આંખોને લાગે છે કે આસપાસ પ્રકાશ ઓછો થઈ ગયો છે. આવા સમયે આંખોની કીકી વધુ ખુલી જાય છે. આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં "માઈડ્રિએસિસ" (Mydriasis) કહેવામાં આવે છે. સમસ્યા ત્યારે થાય છે, જ્યારે ચશ્મામાં યોગ્ય UV ફિલ્ટર હોતું નથી. આવી સ્થિતિમાં નુકસાનકારક UV-A અને UV-B કિરણો આંખોની અંદર વધુ ઊંડાઈ સુધી પહોંચી શકે છે. લાંબા સમય સુધી આવું થવાથી આંખોના લેન્સ અને રેટિના પર ખરાબ અસર પડી શકે છે.

જણાવી દઈએ કે, જ્યારે કોઈ વ્યક્તિ ડાર્ક રંગના ચશ્મા પહેરે છે, ત્યારે આંખોને લાગે છે કે આસપાસ પ્રકાશ ઓછો થઈ ગયો છે. આવા સમયે આંખોની કીકી વધુ ખુલી જાય છે. આ પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં "માઈડ્રિએસિસ" (Mydriasis) કહેવામાં આવે છે. સમસ્યા ત્યારે થાય છે, જ્યારે ચશ્મામાં યોગ્ય UV ફિલ્ટર હોતું નથી. આવી સ્થિતિમાં નુકસાનકારક UV-A અને UV-B કિરણો આંખોની અંદર વધુ ઊંડાઈ સુધી પહોંચી શકે છે. લાંબા સમય સુધી આવું થવાથી આંખોના લેન્સ અને રેટિના પર ખરાબ અસર પડી શકે છે.

2 / 5
સતત વધુ UV એક્સપોઝર આંખોમાં ઘણી પ્રકારની સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. આમાં મોતિયાબિંદ, રેટિના ડેમેજ અને મેક્યુલર ડિજનરેશન જેવી તકલીફો જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં રેટિનાને થયેલું નુકસાન કાયમી પણ હોઈ શકે છે. આ જ કારણ છે કે, માત્ર ડાર્ક ગ્લાસ પહેરી લેવા સુરક્ષિત માનવામાં આવતા નથી. અસલી સુરક્ષા ત્યારે જ મળે છે, જ્યારે ચશ્મા UV400 પ્રોટેક્શન આપતા હોય.

સતત વધુ UV એક્સપોઝર આંખોમાં ઘણી પ્રકારની સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. આમાં મોતિયાબિંદ, રેટિના ડેમેજ અને મેક્યુલર ડિજનરેશન જેવી તકલીફો જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં રેટિનાને થયેલું નુકસાન કાયમી પણ હોઈ શકે છે. આ જ કારણ છે કે, માત્ર ડાર્ક ગ્લાસ પહેરી લેવા સુરક્ષિત માનવામાં આવતા નથી. અસલી સુરક્ષા ત્યારે જ મળે છે, જ્યારે ચશ્મા UV400 પ્રોટેક્શન આપતા હોય.

3 / 5
UV400 પ્રોટેક્શનવાળા સનગ્લાસ UVA અને UVB બંને પ્રકારના કિરણોને બ્લોક કરવા માટે બનાવવામાં આવે છે. આ ગ્લાસ હાનિકારક UV કિરણોને રોકે છે, જેથી આ કિરણો રેટિના અને આંખોના લેન્સને નુકસાન પહોંચાડી શકતા નથી. આ જ કારણે તડકામાં બહાર નીકળતી વખતે આવા ચશ્મા આંખોને સારી સુરક્ષા આપી શકે છે. જો કોઈ ચશ્મા પર માત્ર "ફેશન ગ્લાસ" લખેલું હોય અને તેમાં UV પ્રોટેક્શનની માહિતી ન આપી હોય, તો તેને માત્ર સ્ટાઈલ માટે માનવામાં આવે છે, સુરક્ષા માટે નહીં. આથી સનગ્લાસ ખરીદતી વખતે માત્ર ડિઝાઈન કે બ્રાન્ડ નહીં પરંતુ UV400 લેબલ જરૂર ચેક કરવું જોઈએ. બહુ સસ્તા અને સર્ટિફિકેશન વગરના ચશ્માથી બચવું જ વધુ સારું છે.

UV400 પ્રોટેક્શનવાળા સનગ્લાસ UVA અને UVB બંને પ્રકારના કિરણોને બ્લોક કરવા માટે બનાવવામાં આવે છે. આ ગ્લાસ હાનિકારક UV કિરણોને રોકે છે, જેથી આ કિરણો રેટિના અને આંખોના લેન્સને નુકસાન પહોંચાડી શકતા નથી. આ જ કારણે તડકામાં બહાર નીકળતી વખતે આવા ચશ્મા આંખોને સારી સુરક્ષા આપી શકે છે. જો કોઈ ચશ્મા પર માત્ર "ફેશન ગ્લાસ" લખેલું હોય અને તેમાં UV પ્રોટેક્શનની માહિતી ન આપી હોય, તો તેને માત્ર સ્ટાઈલ માટે માનવામાં આવે છે, સુરક્ષા માટે નહીં. આથી સનગ્લાસ ખરીદતી વખતે માત્ર ડિઝાઈન કે બ્રાન્ડ નહીં પરંતુ UV400 લેબલ જરૂર ચેક કરવું જોઈએ. બહુ સસ્તા અને સર્ટિફિકેશન વગરના ચશ્માથી બચવું જ વધુ સારું છે.

4 / 5
તડકાથી આંખોને બચાવવી જરૂરી છે પરંતુ ખોટા ચશ્મા પહેરીને સુરક્ષાનો ભ્રમ રાખવો એ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી આગામી વખતે કાળા ચશ્મા ખરીદતી વખતે માત્ર તેનો લુક નહીં પરંતુ તેનું અસલી પ્રોટેક્શન પણ જરૂર તપાસી લો.

તડકાથી આંખોને બચાવવી જરૂરી છે પરંતુ ખોટા ચશ્મા પહેરીને સુરક્ષાનો ભ્રમ રાખવો એ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી આગામી વખતે કાળા ચશ્મા ખરીદતી વખતે માત્ર તેનો લુક નહીં પરંતુ તેનું અસલી પ્રોટેક્શન પણ જરૂર તપાસી લો.

5 / 5
નોંધ: આ લેખ સામાન્ય માહિતી અને જુદા-જુદા રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 Gujarati આની સંપૂર્ણપણે ખાતરી કરતા નથી. કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો.

‘રાત્રે’ સૂતા પહેલા કેટલું પાણી પીવું જોઈએ ? આ એક નાની ભૂલ અને આખી રાત ઊંઘ નહીં આવે

Follow Us
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
g clip-path="url(#clip0_868_265)">