AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખી દુનિયાને ‘સોનું’ વેચનારા શેખ પોતે કેમ નથી પહેરતા ‘ગોલ્ડ’? કારણ જાણીને રહી જશો ‘હેરાન’

દુબઈનું નામ સાંભળતાં જ આંખો સામે સોનાની ચમક આવી જાય છે. એક એવું શહેર કે, જ્યાં સોનાની કાર દોડે છે અને એટીએમમાંથી પણ સોનું નીકળે છે. એવામાં સવાલ એ છે કે, આખી દુનિયાને સોનાના દાગીના વેચનારા દુબઈના 'શેખ' પોતે ક્યારેય સોનું નથી પહેરતા?

| Updated on: May 24, 2026 | 4:38 PM
Share
દુબઈને 'સિટી ઓફ ગોલ્ડ' કહેવામાં આવે છે, જ્યાં એટીએમ (ATM) માંથી પણ સોનું નીકળે છે. એવામાં એક ચોંકાવનારી હકીકત એ છે કે, અબજોની સંપત્તિના માલિક દુબઈના શેખ પોતે સોનાના દાગીના નથી પહેરતા. આખરે આની પાછળનું મોટું કારણ શું છે?

દુબઈને 'સિટી ઓફ ગોલ્ડ' કહેવામાં આવે છે, જ્યાં એટીએમ (ATM) માંથી પણ સોનું નીકળે છે. એવામાં એક ચોંકાવનારી હકીકત એ છે કે, અબજોની સંપત્તિના માલિક દુબઈના શેખ પોતે સોનાના દાગીના નથી પહેરતા. આખરે આની પાછળનું મોટું કારણ શું છે?

1 / 6
તમે દુબઈના રસ્તાઓ ઉપર 24 કેરેટ સોનાથી મઢેલી લક્ઝરી કાર જોઈ હશે પરંતુ તે કાર ચલાવનારા શેખોના ગળામાં સોનાની ચેઈન કે હાથમાં વીંટી હોતી નથી. ઇસ્લામ ધર્મમાં પુરુષો માટે સોનું અને રેશમ પહેરવું 'હરામ' એટલે કે 'વર્જિત' માનવામાં આવ્યું છે. હદીસ અનુસાર, આ વસ્તુઓ પુરુષો માટે નહીં પરંતુ મહિલાઓના શૃંગાર માટે છે. દુબઈના 'શેખ' આ ધાર્મિક નિયમનું ખૂબ જ કડકાઈથી પાલન કરે છે.

તમે દુબઈના રસ્તાઓ ઉપર 24 કેરેટ સોનાથી મઢેલી લક્ઝરી કાર જોઈ હશે પરંતુ તે કાર ચલાવનારા શેખોના ગળામાં સોનાની ચેઈન કે હાથમાં વીંટી હોતી નથી. ઇસ્લામ ધર્મમાં પુરુષો માટે સોનું અને રેશમ પહેરવું 'હરામ' એટલે કે 'વર્જિત' માનવામાં આવ્યું છે. હદીસ અનુસાર, આ વસ્તુઓ પુરુષો માટે નહીં પરંતુ મહિલાઓના શૃંગાર માટે છે. દુબઈના 'શેખ' આ ધાર્મિક નિયમનું ખૂબ જ કડકાઈથી પાલન કરે છે.

2 / 6
અરબ સંસ્કૃતિમાં સાદગીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. સફેદ કંદોરા અને દાગીના વગરનો પહેરવેશ તેમની શાલીનતા તેમજ સમાનતાનું પ્રતીક છે. બીજું કે, ત્યાંના સમાજમાં પુરુષો માટે ખૂબ વધારે સોનાના દાગીના પહેરવા યોગ્ય માનવામાં આવતા નથી, પછી ભલે તેઓ ગમે તેટલા અમીર કેમ ન હોય.

અરબ સંસ્કૃતિમાં સાદગીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. સફેદ કંદોરા અને દાગીના વગરનો પહેરવેશ તેમની શાલીનતા તેમજ સમાનતાનું પ્રતીક છે. બીજું કે, ત્યાંના સમાજમાં પુરુષો માટે ખૂબ વધારે સોનાના દાગીના પહેરવા યોગ્ય માનવામાં આવતા નથી, પછી ભલે તેઓ ગમે તેટલા અમીર કેમ ન હોય.

3 / 6
લોકો પૂછે છે કે, જો પહેરવાની મનાઈ છે તો કાર પર 'સોનું' કેમ? વાત એમ છે કે, શરિયત મુજબ સોનાને દાગીનાની જેમ પહેરવાની મનાઈ છે પરંતુ તેને સંપત્તિ, રોકાણ અથવા વ્યાપારી વસ્તુ તરીકે કાર કે મહેલોની સજાવટમાં ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે.

લોકો પૂછે છે કે, જો પહેરવાની મનાઈ છે તો કાર પર 'સોનું' કેમ? વાત એમ છે કે, શરિયત મુજબ સોનાને દાગીનાની જેમ પહેરવાની મનાઈ છે પરંતુ તેને સંપત્તિ, રોકાણ અથવા વ્યાપારી વસ્તુ તરીકે કાર કે મહેલોની સજાવટમાં ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે.

4 / 6
શેખોના હાથમાં દેખાતી વીંટીઓ અવારનવાર ચાંદી, પ્લેટિનમ કે 'હકીક' જેવા કિંમતી પથ્થરોની હોય છે. તેઓ મોંઘી ઘડિયાળો પણ પહેરે છે પરંતુ તે અવારનવાર સ્ટીલ, ટાઇટેનિયમ કે સફેદ ધાતુની બનેલી હોય છે, જેમાં શરીરને સ્પર્શતું શુદ્ધ સોનું હોતું નથી.

શેખોના હાથમાં દેખાતી વીંટીઓ અવારનવાર ચાંદી, પ્લેટિનમ કે 'હકીક' જેવા કિંમતી પથ્થરોની હોય છે. તેઓ મોંઘી ઘડિયાળો પણ પહેરે છે પરંતુ તે અવારનવાર સ્ટીલ, ટાઇટેનિયમ કે સફેદ ધાતુની બનેલી હોય છે, જેમાં શરીરને સ્પર્શતું શુદ્ધ સોનું હોતું નથી.

5 / 6
અસલી કારણ એ છે કે, દુનિયાભરમાં સોનું વેચનારા આ શેખો માટે ધર્મ અને પરંપરા સૌથી ઉપર છે. તેમના માટે સોનું માત્ર એક વેપાર અને સંપત્તિ છે, દેખાડાનું સાધન નહીં. આ જ કારણ છે કે, તેઓ સોનાના શહેરમાં 'સોનું' પહેર્યા વગર રહે છે.

અસલી કારણ એ છે કે, દુનિયાભરમાં સોનું વેચનારા આ શેખો માટે ધર્મ અને પરંપરા સૌથી ઉપર છે. તેમના માટે સોનું માત્ર એક વેપાર અને સંપત્તિ છે, દેખાડાનું સાધન નહીં. આ જ કારણ છે કે, તેઓ સોનાના શહેરમાં 'સોનું' પહેર્યા વગર રહે છે.

6 / 6
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. આના માટે કોઈ નિષ્ણાતની સલાહ જરૂર લો.

2 લાખને પાર પહોંચશે ’10 ગ્રામ સોનું’! વૈશ્વિક યુદ્ધ વચ્ચે થઈ ગઈ સૌથી ‘મોટી ભવિષ્યવાણી’, શું હવે નવો ઈતિહાસ રચાશે?

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">