AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરઉનાળે ભાલ પંથકના લોકો તરસે મરવા મજબુર, બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video

એક તરફ દેશમાં ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. ત્યાં આવી કાળજાળ ગરમી વચ્ચે લોકોને પીવાના પાણી માટે પણ રઝળપાટ કરવી પડે છે. ભાવનગરના ભાલ પંથકથી આવા જ ચિંતાજનક દૃશ્યો સામે આવ્યા છે. જ્યા લોકોના ઘરે નળ તો છે પરંતુ એ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. ભરઉનાળે પણ નળમાં જલ ન આવતા લોકો પાણી માટે રઝળપાટ કરવા મજબુર બન્યા છે.

ભરઉનાળે ભાલ પંથકના લોકો તરસે મરવા મજબુર, બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2026 | 6:36 PM
Share

ભાવનગર જિલ્લામાં આવેલ ભાલ પંથક પહેલેથી જ પાણીની સમસ્યાથી પીડાય છે. છતા તંત્ર દ્વારા અહીં પાણીની સમસ્યાનું કાયમી કોઈ નિરાકરણ લાવવામાં આવતુ નથી. હાલ કાળજાળ ગરમી વચ્ચે પણ ભાલ પંથકના લોકો પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભાલ પંથકમાં આવેલા કોટડા, ગણેશગઢ, સનેસ અને ભડભીડ, નર્મદ અને કાળા તળાવ સહિતના ગામોમાં પાણી ન આવતા ગામલોકોને પીવાનું પાણી પણ મળતુ નથી. ભર ઉનાળે અને ધોમધખતા તાપમાં પણ ગામની મહિલાઓ માથા પર બે-બે, ચાર બેડા લઈને પાણી માટે રઝળપાટ કરી રહી છે.

અસહ્ય તાપ વચ્ચે મહિલાઓના માથે ખાલી બેડાનો ભાર પણ અસહ્ય બન્યો છે. ભર ઉનાળે ગામની મહિલાઓ બેડા માથે મુકીને પાણી લેવા માટે નીકળી પડે છે.ભાલ પંથકના ગામોમાં પાણીની સમસ્યા કોઈ એક બે દિવસની સમસ્યા નથી. કેટલાક ગામોમાં છેલ્લા એક મહિનાથી પાણી નથી આવી રહ્યુ તો કેટલાક ગામો બે મહિનાથી પાણી વિના વલખા મારી રહ્યા છે.

હાલ સ્થિતિ એવી છે કે પાણી માટે ગામલોકોને ન છૂટકે ટેન્કર પર આધાર રાખવો પડે છે.જેના કારણે ગામલોકોને આર્થિક બોજો પણ વધી રહ્યો છે. તંત્રને પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરાઈ હોવા છતા કોઈ પગલા લેવામાં આવતા નથી. કેટલાય એવા ગામો છે જ્યાં નિયમિત પાણી વિતરણ થતુ નથી. છેલ્લા કેટલાય સમયથી ગામોમાં એક એક સપ્તાહ સુધી પાણી નથી આવતુ અને ગામલોકોની હાલત કફોડી બની જાય છે.

ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત આ પ્રદેશના લોકોનો મુખ્ય વ્યવસાય જ ખેતી છે. ત્યારે પાણીની મોકાણ વચ્ચે પશુપાલકો અને માલધારીઓની સ્થિતિ કફોડી બની છે. એક તરફ ગરમીના લીધે પાણીની જરૂરિયાત વધી છે અને બીજી તરફ પાણી મળતું જ નથી. લોકો પરિવાર અને પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ગ્રામજનોની એક જ માગ છે કે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે. ત્યારે સમગ્ર મામલે જ્યારે અમે તાલુકા વિકાસ અધિકારી સાથે વાતચીત કરી. તો તેમણે જણાવ્યું કે આ મુદ્દો પાણી પુરવઠા વિભાગ હેઠળ આવે છે. તો બીજી તરફ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર આ અંગે કંઈપણ કહેવા તૈયાર નથી.

Ahmedabad Breaking News: મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત, 14 મે થી ફોન થયો સ્વીચ ઓફ

Follow Us
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ બિમારીથી 62 સિંહના મોત, સરકારે કરી જાહેરાત
અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ
અમદાવાદમાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થપાતા આયોજકો સામે પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">