દક્ષિણ ગુજરાતની પરિવહન સુવિધામાં વધારો, હર્ષ સંઘવીએ 51 નવી બસોનું કર્યું લોકાર્પણ

બસ એ સામાન્ય જનતાની જીવાદોરીનું માધ્યમ છે, આ વાતને લઈ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોનગઢ ખાતેથી નવી 51 બસોનું લોકાર્પણ કર્યું છે. આ દરમ્યાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરકાર તમામ સુવિધાઓ આપે છે પણ તેની જાળવણી કરવાની અને એક જાગૃત સમાજ તરીકે સુવિધાઓને સાચવવાની આપણી ફરજ છે.

| Updated on: Jan 20, 2024 | 8:08 PM
તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડ તથા 51 નવી બસોનું લોકાર્પણ વાહન વ્યવહારના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વાહન વ્યવહારના મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર જિલ્લાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે આ અદ્યતન સેવાઓથી સંપ્પન બસ સ્ટેન્ડ નાગરિકોની સુવિધામાં વધારો કરશે.

તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડ તથા 51 નવી બસોનું લોકાર્પણ વાહન વ્યવહારના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વાહન વ્યવહારના મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર જિલ્લાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે આ અદ્યતન સેવાઓથી સંપ્પન બસ સ્ટેન્ડ નાગરિકોની સુવિધામાં વધારો કરશે.

1 / 8
સોનગઢ બસ સ્ટેન્ડ ઉપર 538 બસો દૈનિક ધોરણે અપડાઉન કરે છે. સોનગઢથી મહારાષ્ટ્ર આવન જાવન કરવા માટે પણ રાજ્ય સરકારે ધુલીયા અને નાગપુર સુધી 130 બસોનું સંચાલન કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં 30 લાખથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે. બસ એ મુસાફરોની જીવાદોરીનું માધ્યમ છે. બસ એ લાખો લોકોને પોતાની મંજિલ સુધી પહોચાડી સૌના સપના પુરા કરે છે.

સોનગઢ બસ સ્ટેન્ડ ઉપર 538 બસો દૈનિક ધોરણે અપડાઉન કરે છે. સોનગઢથી મહારાષ્ટ્ર આવન જાવન કરવા માટે પણ રાજ્ય સરકારે ધુલીયા અને નાગપુર સુધી 130 બસોનું સંચાલન કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં 30 લાખથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે. બસ એ મુસાફરોની જીવાદોરીનું માધ્યમ છે. બસ એ લાખો લોકોને પોતાની મંજિલ સુધી પહોચાડી સૌના સપના પુરા કરે છે.

2 / 8
વધુમાં તેમણે ઉમેર્યું કે, તમારા માટે ઉપલબ્ધ કરાવેલ સુવિધાને વર્ષો સુધી આવી જ હાલતમા રહે તે માટે સ્વચ્છતા જાળવવી ખુબ જ જરૂરી છે. સ્વચ્છતાનો સંકલ્પ લઇ વડાપ્રધાન જ્યારે પોતે ઝાડૂં લઇ સફાઇ અભિયાનમાં ભાગ લેતા હોય ત્યારે આપણે તેમા સાચા નાગરિક તરીકે સહભાગી થવું જોઇએ.

વધુમાં તેમણે ઉમેર્યું કે, તમારા માટે ઉપલબ્ધ કરાવેલ સુવિધાને વર્ષો સુધી આવી જ હાલતમા રહે તે માટે સ્વચ્છતા જાળવવી ખુબ જ જરૂરી છે. સ્વચ્છતાનો સંકલ્પ લઇ વડાપ્રધાન જ્યારે પોતે ઝાડૂં લઇ સફાઇ અભિયાનમાં ભાગ લેતા હોય ત્યારે આપણે તેમા સાચા નાગરિક તરીકે સહભાગી થવું જોઇએ.

3 / 8
સમગ્ર રાજ્યમાં 2800 નવા સ્વચ્છતા કર્મચારીઓ નવા બનાવેલ બસ સ્ટેન્ડ ઉપર ઉપબ્ધ કરાવ્યા છે. સરકાર તમામ સુવિધાઓ આપે છે. પણ તેની જાણવણી કરવાની અને એક જાગૃત સમાજ તરીકે સુવિધાઓને સાચવવાની આપણી ફરજ છે એમ જણાવી સૌને પોતાની આસપાસ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો.

સમગ્ર રાજ્યમાં 2800 નવા સ્વચ્છતા કર્મચારીઓ નવા બનાવેલ બસ સ્ટેન્ડ ઉપર ઉપબ્ધ કરાવ્યા છે. સરકાર તમામ સુવિધાઓ આપે છે. પણ તેની જાણવણી કરવાની અને એક જાગૃત સમાજ તરીકે સુવિધાઓને સાચવવાની આપણી ફરજ છે એમ જણાવી સૌને પોતાની આસપાસ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો.

4 / 8
તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત માત્ર એક એવું રાજ્ય હશે, જ્યા મહાનગર પાલિકાઓને જે સુવિધા મળે તેવી જ સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએ પણ મળે છે. ગુજરાતના છેવાડા દરેક વ્યક્તિની સુવિધા માટે તબક્કાવાર સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળે બસ સ્ટેન્ડોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત માત્ર એક એવું રાજ્ય હશે, જ્યા મહાનગર પાલિકાઓને જે સુવિધા મળે તેવી જ સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએ પણ મળે છે. ગુજરાતના છેવાડા દરેક વ્યક્તિની સુવિધા માટે તબક્કાવાર સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળે બસ સ્ટેન્ડોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.

5 / 8
આ સાથે તેમણે કહ્યું કે, તાપી જિલ્લાના પ્રતિનિધિઓ અને એડમિનિસ્ટ્રેસન બન્ને ખુબ જ મજબુત છે, અને એક સશક્ત ટીમ તરીકે જિલ્લાના નાગરીકોને તમામ સુવિધાઓ મળી રહે તેની તકેદારી રાખી રહ્યા છે. અંતે તેમણે તાપી જિલ્લા પોલીસ તંત્રની કામગીરીની પ્રસંશા કરતા નાગરિકોને વ્યાજખોરોથી મુક્તિ અપાવવાની સાથે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ સાથે તેમણે કહ્યું કે, તાપી જિલ્લાના પ્રતિનિધિઓ અને એડમિનિસ્ટ્રેસન બન્ને ખુબ જ મજબુત છે, અને એક સશક્ત ટીમ તરીકે જિલ્લાના નાગરીકોને તમામ સુવિધાઓ મળી રહે તેની તકેદારી રાખી રહ્યા છે. અંતે તેમણે તાપી જિલ્લા પોલીસ તંત્રની કામગીરીની પ્રસંશા કરતા નાગરિકોને વ્યાજખોરોથી મુક્તિ અપાવવાની સાથે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

6 / 8
મંત્રીએ પોતાના યુવા દિવસોની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લો એ મારા માટે રાજકીય અને સામાજિક કામગીરીમાં સૌથી વધારે લાગણીથી જોડાયેલો જિલ્લો છે.

મંત્રીએ પોતાના યુવા દિવસોની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લો એ મારા માટે રાજકીય અને સામાજિક કામગીરીમાં સૌથી વધારે લાગણીથી જોડાયેલો જિલ્લો છે.

7 / 8
કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસો અને બસ સ્ટેન્ડનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે રાજ્યને સમર્પિત 51 બસને લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવી નવી બસોમાં સ્વયં સવારી પણ કરી હતી.

કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસો અને બસ સ્ટેન્ડનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે રાજ્યને સમર્પિત 51 બસને લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવી નવી બસોમાં સ્વયં સવારી પણ કરી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">