હર્ષ સંઘવી
પરીશ્રમ જ પારસમણીને વરેલા અને સતત ત્રણ ટર્મથી સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય બનનાર હર્ષ સંઘવી ગુજરાતના સૌથી નાની વયના મંત્રી છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 9- 9 પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. પોતાની આગવી સૂઝબુઝ અને મહેનતના જોરે નાની ઉમરમાં જ મોટી સિદ્ધિ મેળવવામાં હર્ષ સંઘવી સફળ રહ્યા છે. મજૂરા કા બેટા અને મજૂરાના દીકરા તરીકે ઓળખાતા હર્ષ સંઘવી હિરા કારોબારીના પુત્ર છે.
8 જાન્યુઆરી 1985માં જન્મેલા હર્ષ સંઘવી હાલ ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સહિત રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનુ સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષકદળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ(રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી જીતીને 27 વર્ષની ઉમરે ધારાસભ્ય બનવાનું ગૌરવ મેળવ્યુ. એ જ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા ચોથા નંબરના ધારાસભ્ય પણ બન્યા.
રાજ્યભરમાં ભાજપમાં સૌથી યુવા વયે જનરલ સેક્રેટરીનું પદ મેળવનારા અને ભારતીય યુવા મોરચાના નાની ઉમરના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બન્યા.
વર્ષ 2017ની ચૂંટણીમાં બીજીવાર ચૂંટાયા બાદ હાલ નવી રચાયેલી સરકારમાં નાની ઉમરના એટલે કે 37 વર્ષની ઉમરે જ ગૃહરાજ્યમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે.
Gujarat Breaking News : ગુજરાતમાં POCSO કેસોમાં ઐતિહાસિક ન્યાય, 5 વર્ષમાં 1785 ચુકાદા, 908 ને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા ! જુઓ Video
સાયન્ટિફિક એવિડન્સ કલેક્શન સહિત ગુનાની ટોપ ટુ બોટમ લેવલ ઇન્વેસ્ટિગેશનની પોલીસની પધ્ધતિ ગુનેગારોને મજબૂત સજા અપાવવા મહત્વપૂર્ણ સાબિત થાય છે. ચાર્જશીટથી માંડી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદા સુધીની સમગ્ર ન્યાય પ્રક્રિયા અત્યંત ઝડપી બની છે; કલોલમાં ચાર્જશીટના માત્ર 72 કલાકમાં આરોપીને આજીવન કેદની સજા થઈ છે. માત્ર ઓગસ્ટ મહિનામાં 48 પોક્સો કેસમાં સજાના ચુકાદા આવ્યા તે પૈકી 35 ને આજીવન કેદની સજા ફટકારાઈ છે.
- Dhruval Shah
- Updated on: Sep 10, 2026
- 12:10 pm
Breaking News : ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, ખરીફ પાક બચાવવા નર્મદા યોજના અને સુજલામ-સુફલામ યોજનાથી પાણી અપાશે
અલ નીનોની પરિસ્થિતિને કારણે રાજ્યમાં વરસાદ અને પાણીની ઉપલબ્ધતા પર થનારી સંભવિત અસરો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને સ્પષ્ટ સૂચના આપી છે કે, જો આગામી સમયમાં પર્યાપ્ત વરસાદ ના થાય અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો ના થાય તો પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવે.
- Bipin Prajapati
- Updated on: Sep 6, 2026
- 8:51 am
વરસાદ ખેંચાતા સરકાર એકશનમાં, પાણી-ઘાસચારાને લઈને જિલ્લા પ્રભારી પ્રધાનોને સોંપી જવાબદારી
કેબિનેટ બેઠકમાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં આ વર્ષે થયેલા ઓછા વરસાદની સ્થિતિની મુખ્યમંત્રીએ ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. ઓછા વરસાદના કારણે આગામી સમયમાં પીવાના પાણી અને ઘાસચારાની અછત ન સર્જાય તે માટે સંબંધિત તમામ વિભાગોને જરૂરી વ્યવસ્થા કરવા કડક સૂચના આપવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 2, 2026
- 7:46 pm
Breaking News : વાઈબ્રન્ટ ગુજરાતને લઈને, ભારત મંડપમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીની હાજરીમાં કર્ટન રેઝર કાર્યક્રમ
વાઇબ્રન્ટ ગુજરાત એ ગુજરાત સરકારનું દ્વિવાર્ષિક વૈશ્વિક વ્યાપાર સમિટ છે.દિલ્લીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નો કરટેન રેઝર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે.
- Kinjal Mishra
- Updated on: Aug 31, 2026
- 11:29 am
Breaking News : ભાજપનું Gen-Z યુવા મતદાર અભિયાન, હર્ષ સંઘવીને મળી ખાસ જવાબદારી, જુઓ Video
ભાજપે યુવા મતદારો અને Gen-Z સુધી પહોંચવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ હેતુસર રચાયેલી ખાસ ટીમમાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
- Sagar Solanki
- Updated on: Aug 22, 2026
- 7:20 pm
Breaking News : 108 ડમરૂના નાદથી ગુંજી ઉઠ્યું વડનગર ! નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવી અનોખી ‘ડમરૂ યાત્રા’ની શરૂઆત – જુઓ Video
મહેસાણાના વડનગરમાં ડમરૂ યાત્રાનું આયોજન થયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી ડમરૂ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ ઉત્સવ અંતર્ગત 108 કલાકારોએ ડમરૂ યાત્રામાં ભાગ લીધો હતો.
- Ronak Varma
- Updated on: Aug 13, 2026
- 1:12 pm
Breaking News: Vibrant Gujarat 2027: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ પ્રવાસે, 26 સભ્યોની ખાસ કોર કમિટીની રચના
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓ રોડ શો માટે વિદેશ પ્રવાસે જશે.
- Kinjal Mishra
- Updated on: Aug 5, 2026
- 2:15 pm
Breaking News : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થનો ફ્લેગ અને બેટન સોંપાયા, જુઓ Video
ગ્લાસગોમાં 11 દિવસના શાનદાર કાર્યક્રમો પછી, સ્કોટલેન્ડે સત્તાવાર રીતે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન સોંપ્યો હતો.નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી ગ્લાસગોથી અમદાવાદ પરત ફર્યા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 5, 2026
- 1:31 pm
Breaking News : Goodbye ગ્લાસગો, હવે કોમનવેલ્થ માટે અમદાવાદની તૈયારીઓ શરુ, જુઓ Video
ગ્લાસગોમાં કોમનવેલ્થ 2026નું સમાપન રંગારંગ કાર્યક્રમની સાથે પૂર્ણ થયું હતુ. જેમાં સ્કોટલેન્ડે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન ભારતને સોંપ્યો હતો. હવે કોમનવેલ્થ 2030ની તૈયારીઓ અમદાવાદમાં શરુ થઈ ચૂકી છે.અમદાવાદ હવે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે.
- Nirupa Duva
- Updated on: Aug 3, 2026
- 8:46 am
Breaking News Amdavad Commonwealth Games 2030 : અમદાવાદીઓ 2030ની કોમનવેલ્થમાં ભાગ લેવા માટે તૈયાર રહેજો
ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. ગ્લાસગોમાં ગેમ્સના સમાપન સમારોહમાં આગામી યજમાન અમદાવાદની ઝલક જોવા મળશે. 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ગેમ્સના100મા વર્ષને ઉજવશે.
- Nirupa Duva
- Updated on: Aug 2, 2026
- 8:44 am
Breaking News : નવસારીમાં પૂરનો હાહાકાર, સંઘવી અને પાટીલની તંત્ર સાથે બેઠક, જુઓ Video
નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરે ભારે વિનાશ વેર્યો છે, જેમાં 50,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 15થી વધુના મોત થયા છે. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવસારીની મુલાકાત લીધી હતી.
- Sagar Solanki
- Updated on: Jul 25, 2026
- 12:37 pm
વલસાડમાં પૂરની સ્થિતિની ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કરી સમીક્ષા, અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવા તંત્રને સૂચના
ડેપ્યુટી સીએમએ પાણી ઓસર્યા બાદ યુદ્ધના ધોરણે સાફ-સફાઈ, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય કેમ્પ યોજવા સૂચના આપી હતી. સાથે જ પૂરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સ અને રાશન કિટનું તાત્કાલિક વિતરણ સુનિશ્ચિત કરવા અને કોઈપણ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહે તેની ખાસ કાળજી રાખવા તંત્રને આદેશ આપ્યા હતા
- Bipin Prajapati
- Updated on: Jul 24, 2026
- 3:53 pm
Breaking News : સુરતમાં પૂર અંગે નાયબ મુખ્યપ્રધાનની મહત્વની જાહેરાત, 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
મહત્વનું છે કે સુરતમાં પહેલા જ વરસાદમાં ભારે તબાહી સર્જાઈ છે.ત્યારે 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પેટે ઘરવખરી અને કેશડોલ ચૂકવવામાં આવ્યું છે. સાથે જ કોમર્શિયલ નુક્સાન અંગે પણ 58 જેટલા વિસ્તારોમાં સરવે હાથ ધરાયો છે. જે અંગે આગામી સમયમાં મુખ્ય પ્રધાનના અધ્યક્ષ સ્થાને નિર્ણય લેવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Jul 10, 2026
- 11:43 am
Breaking News : ફરી પૂર આવ્યું તો અધિકારીઓ સામે થશે કાર્યવાહી ! સુરતમાં પાણી ભરાવા મુદ્દે DyCM હર્ષ સંઘવી આકરા પાણીએ
સુરત શહેરમાં રેકોર્ડ બ્રેક વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે CMએ જે બેઠક યોજી તેમાં ખાળી અને નહેરના કારણે પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ તેને લઈને ભવિષ્યમાં આ સમસ્યા ઉભી ના થાય તે માટે તાત્કાલિક પગલા લેવા જણાવ્યું છે.
- Devankashi rana
- Updated on: Jul 9, 2026
- 3:06 pm
Breaking News : રાજકોટમાં પગ મૂકતા જ હર્ષ સંઘવીને મળ્યો એક સંકેત અને પહોંચ્યા નરેશ પટેલના ઘરે ! સર્જાયા અનેક તર્કવિતર્ક, જુઓ Video
રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે ખાસ મુલાકાત થઈ. આ મુલાકાત સાંઢિયા પુલના લોકાર્પણ બાદ નરેશ પટેલના નિવાસસ્થાને થઈ હતી. નરેશ પટેલ સક્રિય રાજકારણમાં ન હોવા છતાં, તેમની રાજકીય ગતિવિધિઓ અને ખોડલધામમાંથી નિવૃત્તિ લેવાના નિવેદનને કારણે આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે, જેનાથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
- Hasmukh Ramani
- Updated on: Jun 13, 2026
- 12:31 pm