AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હર્ષ સંઘવી

હર્ષ સંઘવી

પરીશ્રમ જ પારસમણીને વરેલા અને સતત ત્રણ ટર્મથી સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય બનનાર હર્ષ સંઘવી ગુજરાતના સૌથી નાની વયના મંત્રી છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 9- 9 પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. પોતાની આગવી સૂઝબુઝ અને મહેનતના જોરે નાની ઉમરમાં જ મોટી સિદ્ધિ મેળવવામાં હર્ષ સંઘવી સફળ રહ્યા છે. મજૂરા કા બેટા અને મજૂરાના દીકરા તરીકે ઓળખાતા હર્ષ સંઘવી હિરા કારોબારીના પુત્ર છે.
8 જાન્યુઆરી 1985માં જન્મેલા હર્ષ સંઘવી હાલ ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સહિત રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનુ સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષકદળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ(રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી જીતીને 27 વર્ષની ઉમરે ધારાસભ્ય બનવાનું ગૌરવ મેળવ્યુ. એ જ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા ચોથા નંબરના ધારાસભ્ય પણ બન્યા.
રાજ્યભરમાં ભાજપમાં સૌથી યુવા વયે જનરલ સેક્રેટરીનું પદ મેળવનારા અને ભારતીય યુવા મોરચાના નાની ઉમરના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બન્યા.
વર્ષ 2017ની ચૂંટણીમાં બીજીવાર ચૂંટાયા બાદ હાલ નવી રચાયેલી સરકારમાં નાની ઉમરના એટલે કે 37 વર્ષની ઉમરે જ ગૃહરાજ્યમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે.

Read More

Breaking News: Vibrant Gujarat 2027: CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ પ્રવાસે, 26 સભ્યોની ખાસ કોર કમિટીની રચના

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના નેતાઓ રોડ શો માટે વિદેશ પ્રવાસે જશે.

Breaking News : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોમનવેલ્થનો ફ્લેગ અને બેટન સોંપાયા, જુઓ Video

ગ્લાસગોમાં 11 દિવસના શાનદાર કાર્યક્રમો પછી, સ્કોટલેન્ડે સત્તાવાર રીતે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન સોંપ્યો હતો.નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી ગ્લાસગોથી અમદાવાદ પરત ફર્યા છે.

Breaking News : Goodbye ગ્લાસગો, હવે કોમનવેલ્થ માટે અમદાવાદની તૈયારીઓ શરુ, જુઓ Video

ગ્લાસગોમાં કોમનવેલ્થ 2026નું સમાપન રંગારંગ કાર્યક્રમની સાથે પૂર્ણ થયું હતુ. જેમાં સ્કોટલેન્ડે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બૈટન ભારતને સોંપ્યો હતો. હવે કોમનવેલ્થ 2030ની તૈયારીઓ અમદાવાદમાં શરુ થઈ ચૂકી છે.અમદાવાદ હવે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે.

Breaking News Amdavad Commonwealth Games 2030 : અમદાવાદીઓ 2030ની કોમનવેલ્થમાં ભાગ લેવા માટે તૈયાર રહેજો

ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. ગ્લાસગોમાં ગેમ્સના સમાપન સમારોહમાં આગામી યજમાન અમદાવાદની ઝલક જોવા મળશે. 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ગેમ્સના100મા વર્ષને ઉજવશે.

Breaking News : નવસારીમાં પૂરનો હાહાકાર, સંઘવી અને પાટીલની તંત્ર સાથે બેઠક, જુઓ Video

નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરે ભારે વિનાશ વેર્યો છે, જેમાં 50,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 15થી વધુના મોત થયા છે. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નવસારીની મુલાકાત લીધી હતી.

વલસાડમાં પૂરની સ્થિતિની ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કરી સમીક્ષા, અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવા તંત્રને સૂચના

ડેપ્યુટી સીએમએ પાણી ઓસર્યા બાદ યુદ્ધના ધોરણે સાફ-સફાઈ, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય કેમ્પ યોજવા સૂચના આપી હતી. સાથે જ પૂરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સ અને રાશન કિટનું તાત્કાલિક વિતરણ સુનિશ્ચિત કરવા અને કોઈપણ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહે તેની ખાસ કાળજી રાખવા તંત્રને આદેશ આપ્યા હતા

Breaking News : સુરતમાં પૂર અંગે નાયબ મુખ્યપ્રધાનની મહત્વની જાહેરાત, 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું

મહત્વનું છે કે સુરતમાં પહેલા જ વરસાદમાં ભારે તબાહી સર્જાઈ છે.ત્યારે 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પેટે ઘરવખરી અને કેશડોલ ચૂકવવામાં આવ્યું છે. સાથે જ કોમર્શિયલ નુક્સાન અંગે પણ 58 જેટલા વિસ્તારોમાં સરવે હાથ ધરાયો છે. જે અંગે આગામી સમયમાં મુખ્ય પ્રધાનના અધ્યક્ષ સ્થાને નિર્ણય લેવામાં આવશે.

Breaking News : ફરી પૂર આવ્યું તો અધિકારીઓ સામે થશે કાર્યવાહી ! સુરતમાં પાણી ભરાવા મુદ્દે DyCM હર્ષ સંઘવી આકરા પાણીએ

સુરત શહેરમાં રેકોર્ડ બ્રેક વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે CMએ જે બેઠક યોજી તેમાં ખાળી અને નહેરના કારણે પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ તેને લઈને ભવિષ્યમાં આ સમસ્યા ઉભી ના થાય તે માટે તાત્કાલિક પગલા લેવા જણાવ્યું છે.

Breaking News : રાજકોટમાં પગ મૂકતા જ હર્ષ સંઘવીને મળ્યો એક સંકેત અને પહોંચ્યા નરેશ પટેલના ઘરે ! સર્જાયા અનેક તર્કવિતર્ક, જુઓ Video

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે ખાસ મુલાકાત થઈ. આ મુલાકાત સાંઢિયા પુલના લોકાર્પણ બાદ નરેશ પટેલના નિવાસસ્થાને થઈ હતી. નરેશ પટેલ સક્રિય રાજકારણમાં ન હોવા છતાં, તેમની રાજકીય ગતિવિધિઓ અને ખોડલધામમાંથી નિવૃત્તિ લેવાના નિવેદનને કારણે આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે, જેનાથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

Breaking News : વિકાસની ભેટ સાથે સુરત પહોંચ્યા PM મોદી, “મેક ઇન ઇન્ડિયા” અને પર્યાવરણ સંરક્ષણ પર ભાર, સાંભળો હર્ષ સંઘવીએ શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં ₹18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુરત અને લોકાર્પણ કર્યું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે મોદી સાહેબ જ્યાં જાય ત્યાં વિકાસની ભેટ આપે છે.

Breaking news: ‘ઓપરેશન ડેલ્ટા’થી રાજ્યભરમાં તવાઈ, 24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video

ગુજરાતમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ‘ઓપરેશન ડેલ્ટા’ નામની વિશેષ ઝુંબેશ અંતર્ગત રાજ્યભરમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં માત્ર 24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસનું મોટું અભિયાન, 362 લોકો ઝડપાયા

ઝડપાયેલા 362 બાંગ્લાદેશી નાગરિકોને ગુજરાતમાં રહેવા માટે કોણે આશરો આપ્યો, તેમને દસ્તાવેજો મેળવવામાં કોણે મદદ કરી અને તેમના પાછળ કોઈ ગોઠવણ તો નહોતી ને તેની દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Breaking News: સુરતમાં DyCM હર્ષ સંઘવીએ ઓનલાઈન વસતી ગણતરીમાં નોંધાવ્યું નામ, લોકોને પણ કરી ખાસ અપીલ

સુરતમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓનલાઈન વસતી ગણતરી પ્રક્રિયામાં ભાગ લઈ પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ નોંધાવ્યું હતું. તેમણે ઓનલાઈન પોર્ટલ મારફતે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી અને રાજ્યના નાગરિકોને પણ ડિજિટલ માધ્યમથી વસતી ગણતરીમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી હતી.

અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની હાઈલેવલ બેઠક, ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહ અને વિકાસ કામો ઝડપી કરવા આદેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અદ્યક્ષ સ્થાને અમદાવાદના તળાવોના આધુનિકીકરણ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં તળાવોને સુંદર બનાવવા અને આગામી ચોમાસામાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા અધિકારીઓને કડક સૂચના અપાઈ છે.

Breaking News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, રાજ્ય સરકાર ખર્ચ ઘટાડવા મક્કમ, જુઓ વીડિયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસની શરૂઆત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી મોદી આગામી 6 દિવસમાં કુલ 5 દેશોની મુલાકાત લેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલનું મંત્રીઓ અધિકારીઓ પાલન કરતા જોવા મળી રહ્યા છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ કહ્યું પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">