હર્ષ સંઘવી

હર્ષ સંઘવી

પરીશ્રમ જ પારસમણીને વરેલા અને સતત ત્રણ ટર્મથી સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય બનનાર હર્ષ સંઘવી ગુજરાતના સૌથી નાની વયના મંત્રી છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 9- 9 પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. પોતાની આગવી સૂઝબુઝ અને મહેનતના જોરે નાની ઉમરમાં જ મોટી સિદ્ધિ મેળવવામાં હર્ષ સંઘવી સફળ રહ્યા છે. મજૂરા કા બેટા અને મજૂરાના દીકરા તરીકે ઓળખાતા હર્ષ સંઘવી હિરા કારોબારીના પુત્ર છે.
8 જાન્યુઆરી 1985માં જન્મેલા હર્ષ સંઘવી હાલ ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સહિત રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનુ સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષકદળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ(રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી જીતીને 27 વર્ષની ઉમરે ધારાસભ્ય બનવાનું ગૌરવ મેળવ્યુ. એ જ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા ચોથા નંબરના ધારાસભ્ય પણ બન્યા.
રાજ્યભરમાં ભાજપમાં સૌથી યુવા વયે જનરલ સેક્રેટરીનું પદ મેળવનારા અને ભારતીય યુવા મોરચાના નાની ઉમરના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બન્યા.
વર્ષ 2017ની ચૂંટણીમાં બીજીવાર ચૂંટાયા બાદ હાલ નવી રચાયેલી સરકારમાં નાની ઉમરના એટલે કે 37 વર્ષની ઉમરે જ ગૃહરાજ્યમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે.

Read More

PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા, ગૃહ રાજ્યપ્રધાને કરી તૈયારીઓની સમીક્ષા, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ચૂંટણી રણમાં ઉતરશે. ગુજરાતના સ્થાપના દિવસથી જ પીએમ મોદી 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. વડાપ્રધાન મોદી 1 અને 2 મેના રોજ બે દિવસમાં જ 6 જાહેર સભાઓ ગજવશે. 1 મેના રોજ પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં જંગી જાહેર સભા યોજશે.

એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી

ક્ષત્રિય સમાજને અપિલ કરતા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, હુ રુપાલા વતી ક્ષત્રિય સમાજની માફી માગુ છુ. અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ માફી માગવામાં આવી છે. રુપાલા દ્વારા પણ માફી માગવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ એક સિક્કાની બે બાજુ છે. સમાજે માફી આપવી જોઈએ. અમે હંમેશા કહ્યું છે કે, આ ભૂલ થઈ છે અને કહ્યું છે કે અમને માફી આપો.

રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ કરી રાજા મહારાજાઓ વિરુદ્ધ વિવાદી ટિપ્પણી- જુઓ Video

રાજા મહારાજાઓ પર ભાજપના પરશોત્તમ રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ વિવાદી ટિપ્પણી કરી છે. એક તરફ રૂપાલાના વિવાદ બાદ ભાજપ ક્ષત્રિયો આક્રોષનો ભોગ બની છે. તેવા સમયે હવે રાહુલ ગાંધીએ પણ રાજા મહારાજાઓ સામે વિવાદી ટિપ્પણી કરી છે.

VIDEO : ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ? હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર ડેમેજ કંટ્રોલના કામે લાગ્યા

ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ ચરમસીમાએ છે. ત્યારે આ વિરોધને ડામવા અને ડેમેજ કંટ્રોલ કરવા ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ભાજપે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. જેને લઈ હર્ષ સંઘવી 14 લોકસભા બેઠકોને પ્રવાસ કરી ચૂક્યા છે.

ક્ષત્રિયોના વિરોધને ડામવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાને, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર બાદ કચ્છમાં રાજપૂત આગેવાનો સાથે કર્યુ મંથન

પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ભડકેલા ક્ષત્રિયોના રોષાગ્નિને શાંત કરવા માટે હવે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરને મેદાને ઉતારવામાં આવ્યા છે. આ બંને મંત્રીઓ દ્વારા ક્ષત્રિય આગેવાનો સાથે જિલ્લાવાર બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આંદોલનને શાંત કરવાની બાંહેધરી લેવામાં આવી રહી છે.

પરશોત્તમ રુપાલાનો વિરોધ ડામવા હર્ષ સંઘવી મેદાને, ભાવનગરમાં યોજાઈ બેઠક, જુઓ VIDEO

ભાવનગરમાં આ વિરોધ જોવા મળ્યો હતો ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા ફોર્મ ભરવા જતા પહેલા ક્ષત્રિય આગેવાનો એ ભારે નારેબાજી કરીને ભાજપ અને રુપાલાનો વિરોધ કર્યો હતો જે બાદ હવે ભાવનગમાં રુપાલાના વિરોધને ડામવા હર્ષ સંઘવી ભાવનગર પહોચ્યાં હતા જ્યા તેમણે ખાનગી હોટલમાં જીતુ વાઘાણી તેમજ નીમુ બાંભણિયા સાથે બેઠક યોજી હતી

ક્ષત્રિયોના આંદોલનનો આવી શકે છે સુખદ અંત, CM નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક- Video

ક્ષત્રિય આંદોલનનો સુખદ અંત આવે તેવા એંધાણ મળી રહ્યા છે. સીએમ નિવાસસ્થાને હાલ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. જેમા ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓને પણ બેઠકમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યુ છે. જો કે એ પહેલા ક્ષત્રિય સંકલન સમિતિની ખુદની અમદાવાદમાં ગોતા ખાતે અલગથી બેઠક મળી છે. આ બેઠક બાદ તેઓ ગાંધીનગરમાં સીએમની બેઠકમાં સામેલ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. 

ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટનાના સરકારમાં ઘેરા પ્રત્યાઘાત, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ યોજી બેઠક

ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટના અંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યના DGP, અમદાવાદ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર ઘટનાનો ગૃહમંત્રીએ અહેવાલ માંગ્યો છે.

Ahmedabad Video : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં 18 શરણાર્થીઓને આપી ભારતીય નાગરિકતા

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ કલેકટર કચેરી ખાતે 18 અરજદારોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું છે. મહત્વનું છે વર્ષ 2001 થી 2024 સુધી કુલ 1168 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા

Ahmedabad Video : ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ST વિભાગની 300થી વધારે બસોનું કર્યુ લોકાર્પણ

આજે અમદાવાદના GMDC મેદાનમાં ST વિભાગની બસોનું લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેેમાં હર્ષ સંઘવીએ 300 જેટલી બસોનું લોકાર્પણ કર્યુ છે. 15 મહિનામાં 1700થી વધારે નવી બસો નાગરિકોની સેવામાં આપી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.

ગુજરાતમાં વસતા શરણાર્થીઓએ ગૃહ રાજ્યપ્રધાન સાથે કરી મુલાકાત, CAAના કાયદાને લઇને સરકારનો આભાર માન્યો, જુઓ Video

ગુજરાતમાં વસતા શરણાર્થીઓની ગૃહ રાજ્યપ્રધાન સાથે મુલાકાત કરી CAAના કાયદાને લઇને આભાર માન્યો છે. ભારતની નાગરિકતા મળવાની વાતને લઇને તેમણે ખુશી વ્યક્ત કરી છે. Tv9 સાથે વાતચીત દરમિયાન આ શરણાર્થીઓએ ગુજરાતમાં જીવન કેટલું સરળ થયું હોવાનો અનુભવ વર્ણવ્યો.

કરાઈ એકેડમીમાં દિક્ષાંત સમારોહમાં હર્ષ સંઘવીએ નવા બનેલા PSIને કરી ટકોર, ગામમાં કોઈ સાહેબ કહે તો હવામાં ન ઉડતા- જુઓ વીડિયો

ગાંધીનગર સ્થિત આવેલી કરાઈ એકેડમીમાં પોલીસની તાલીમ લઈ નવા PSI બનેલા પોલીસકર્મીઓનો આજે દિક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે હર્ષ સંઘવીએ નવા બનેલા PSIને જીવનમંત્ર બનાવવા જેવી ટકોર કરી કે ગામમાં કોઈ સાહેબ કહે તો હવામાં ન ઉડતા.

સરકારી જગ્યા પર દબાણ કરનારા તત્વોને સંઘવીનું અલ્ટીમેટમ, Tv9 સત્તા સંમેલનમાં રાજ્યમાં કાયદો વ્યવસ્થાના મુદ્દા પર ગૃહ પ્રધાને કરી મહત્વની વાત, જુઓ Video

લોકસભાની ચૂંટણીને લઈ સમગ્ર ભારતમાં રાજકીય માહોલ છે. ચૂંટણી પહેલા Tv9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલન 2024નું અમદાવાદ ખાતે આયોજન કર્યું છે. જેમાં ખાસ કરીને ગુજરાતના રાજકારણની વાત મુખ્ય સ્થાને છે. આ સાથે અહીં રાજ્યમાં ગુનાને રોકવા સરકારે કરેલ કામો અંગે મહત્વની વાત કરી. જેના માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.

Jamnagar Video : ગુનેગારો વિરૂદ્ધ CM ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કડક કાર્યવાહી થશે – હર્ષ સંઘવી

જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયચાબંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે સરકારી જમીન પર ગુનેગારોએ કરેલું દબાણ દૂર કરવામાં આવશે.

ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય, ધારાસભ્ય જીતુ વાઘાણીએ X પર આપી માહિતી

ભાવનગરના કેટલાક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ અંગે X પર માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તાર અને બાકી રહેતા ભાવનગર પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટેની અવિરત રજૂઆત બાદ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ ટૂંકા ગાળામાં આ આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">