હર્ષ સંઘવી
પરીશ્રમ જ પારસમણીને વરેલા અને સતત ત્રણ ટર્મથી સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય બનનાર હર્ષ સંઘવી ગુજરાતના સૌથી નાની વયના મંત્રી છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 9- 9 પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. પોતાની આગવી સૂઝબુઝ અને મહેનતના જોરે નાની ઉમરમાં જ મોટી સિદ્ધિ મેળવવામાં હર્ષ સંઘવી સફળ રહ્યા છે. મજૂરા કા બેટા અને મજૂરાના દીકરા તરીકે ઓળખાતા હર્ષ સંઘવી હિરા કારોબારીના પુત્ર છે.
8 જાન્યુઆરી 1985માં જન્મેલા હર્ષ સંઘવી હાલ ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સહિત રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનુ સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષકદળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ(રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી જીતીને 27 વર્ષની ઉમરે ધારાસભ્ય બનવાનું ગૌરવ મેળવ્યુ. એ જ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા ચોથા નંબરના ધારાસભ્ય પણ બન્યા.
રાજ્યભરમાં ભાજપમાં સૌથી યુવા વયે જનરલ સેક્રેટરીનું પદ મેળવનારા અને ભારતીય યુવા મોરચાના નાની ઉમરના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બન્યા.
વર્ષ 2017ની ચૂંટણીમાં બીજીવાર ચૂંટાયા બાદ હાલ નવી રચાયેલી સરકારમાં નાની ઉમરના એટલે કે 37 વર્ષની ઉમરે જ ગૃહરાજ્યમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર; ડાંગના વિકાસ માટે ₹150 કરોડના કામોની કરી જાહેરાત
આહવા ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી સંસ્કૃતિના જતન માટે સમાજનો આભાર માન્યો હતો. તેમણે કોંગ્રેસ પર આદિવાસીઓના યોગદાનને છુપાવવાનો આરોપ લગાવી, માં શબરીના સોગંદ ખાઈને વિરોધીઓને પરાસ્ત કરવા અપીલ કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Apr 18, 2026
- 5:27 pm
Breaking News : ખડગેના ગુજરાત વિરોધી નિવેદન પર.. CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીએ કોંગ્રેસને ઘેરી, જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત વિરોધી નિવેદનોની સખત નિંદા કરી. તેમણે કોંગ્રેસ પર વર્ષોથી ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નકારાત્મક માનસિકતા રાખવાનો આરોપ લગાવ્યો.
- TV9 Gujarati
- Updated on: Apr 6, 2026
- 4:46 pm
Breaking News: ગુજરાતીઓને ‘અભણ’ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું, CM અને ડેપ્યુટી CMએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ અધ્યક્ષના વિવાદિત નિવેદન બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ માત્ર 6 કરોડ ગુજરાતીઓનું નહીં પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું પણ અપમાન છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે અગત્યની ભૂમિકા ભજવી ત્યારે તેમના માટે વપરાયેલ શબ્દો અપમાન જનક છે.
- Devankashi rana
- Updated on: Apr 6, 2026
- 12:02 pm
શ્રમિકોનું પલાયન રોકવા હર્ષ સંઘવીની મોટી જાહેરાત; 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય, કાળાબજારીઓને પણ ચેતી જવા કરી તાકીદ – જુઓ Video
સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રમિકોનું પલાયન રોકવા માટે તેમને 5 કિલોના LPG સિલિન્ડર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 29, 2026
- 7:23 pm
શું યુદ્ધને કારણે ગુજરાતમાં સર્જાશે ઈંધણની અછત ? જાણો CM અને હર્ષ સંઘવીની બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જે તમારી ચિંતા કરી દેશે દૂર!
વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા Dy.Cm અને CM એ ગાંધીનગરમાં હાઈ-લેવલ બેઠક યોજી હતી. રાજ્યમાં PNG કનેક્શન આપવાની કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરવામાં આવી છે અને ખાતર તેમજ અનાજનો પૂરતો સ્ટોક હોવાની ખાતરી આપવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 28, 2026
- 4:39 pm
અમદાવાદ સહીત કેટલાક શહેરોના પેટ્રોલ પંપ પર અફવાને પગલે લાગી લાઈન, પેટ્રોલનો પુરવઠો યથાવત
ગુજરાતમાં આજે વિવિધ શહેરોમાં પેટ્રોલની અછત હોવાની ફેલાયેલ અફવાને લઈને પેટ્રોલ પંપ ઉપર વાહનચાલકોની લાંબી લાબી લાઈનો લાગી છે. વાહન ચાલકોએ લગાવેલ વાહનોની લાઈનોને કારણે કેટલાક ગણ્યાગાંઠ્યા પેટ્રોલપંપ ઉપરનો જથ્થો ખુટી જવા પામ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Mar 23, 2026
- 6:19 pm
ગુનેગારોને હર્ષ સંઘવીની સ્પષ્ટ ચેતવણી, ગુજરાત પોલીસ અસામાજિક તત્વો સામે હનુમાન બનીને આવશે, જુઓ Video
નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુનેગારોને કડક ચેતવણી આપી છે કે તેમનો કોઈ ધર્મ કે જાતિ નથી હોતી. ગુજરાત પોલીસ ડીજીપી કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે હનુમાન બનીને કાર્યવાહી કરશે.
- TV9 Gujarati
- Updated on: Mar 21, 2026
- 6:40 pm
અમદાવાદના એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો હળવો અંદાજ કેમેરામાં કેદ થયો , જુઓ વીડિયો
વધુ એક વખત CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો હળવા અંદાજમાં જોવા મળ્યા હતા.દિલ્હીથી પરત ફરતી વખતે સામાન્ય નાગરિકની જેમ એરપોર્ટ પર લોકો સાથે મુલાકાત કરી હતી. કોઈ પણ જાતના પ્રોટોકોલ વગર લોકોની વચ્ચે બેસીને સહજતાથી સંવાદ કર્યો હતો.આ સાથે કાગળમાંથી બનાવેલ કૃતિઓ અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 11, 2026
- 1:38 pm
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત, કહ્યુ “ગૌહત્યારાઓને તેમના સ્થાને પહોંચાડી દીધા”
દૂધરેજ વડવાળા મંદિરના પ્રાગટ્ય દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માલધારી સમાજના આસ્થાના ધામના વિકાસ માટે ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી. તેમણે ગૌહત્યારાઓ સામે કડક કાર્યવાહીનો હુંકાર ભરતા કહ્યુ કે 18 ગૌહત્યારાઓને આજીવન કેદ થઈ છે અને ગુજરાત ગૌહત્યા પર કાનૂન બનાવનારું પ્રથમ રાજ્ય છે
- TV9 Gujarati
- Updated on: Mar 3, 2026
- 6:29 pm
What Gujarat Thinks Today: લવ જિહાદ, લગ્ન નોંધણી અને વિકાસનો રોડમેપ : હર્ષ સંઘવીની ખુલ્લી વાત
ટીવી9ના થિંક ફેસ્ટ મંચ પર ગુજરાતના ઉપમુખ્યમંત્રી Harsh Sanghaviએ વિવિધ સામાજિક અને વિકાસના મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાની વાત રજૂ કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં નહીં પરંતુ પ્રક્રિયામાં સુધારા કર્યા છે. 2006ની જીઆર મુજબ ચાલી રહેલી પ્રક્રિયામાં કેટલીક ખામીઓનો ફાયદો ઉઠાવી લેભાગુ તત્વો દ્વારા ભોલીભાળી યુવતીઓને ફસાવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને સુધારો જરૂરી બન્યો.
- TV9 Gujarati
- Updated on: Mar 3, 2026
- 3:12 pm
સાંસદ મનસુખ વસાવા DyCM સંઘવીની હાજરીમાં બન્યા બેફામ, MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ, શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હોવાથી, સાંસદ એકાએક આગ બબુલા થઈને ચૈતર વસાવા ઉપર ભડકી ઉઠ્યા હતા. મનસુખ વસાવાએ, સામાન્ય રીતે જાહેર મંચ ઉપરથી વિરોધી માટે ના બોલાય તેવી શૈલીમાં ચૈતર વસાવાને આડે હાથે લીધા હતા.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2026
- 8:13 pm
Breaking News : રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડો બની ગયો હતોઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું કે, અનેક ટપોરી પ્રકારના તત્વોએ જંગલેશ્વરના સરકારી પ્લોટ પર કબજો કર્યો હતો. અને એ કબજે કરેલા પ્લોટ ઉપર આલીશાન મકાન તાણીને લોકોને ભાડે રહેવા આપી દીધા હતા. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારને સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 23, 2026
- 7:55 pm
Breaking News : લગ્ન નોંધણીના કાયદામાં મોટા ફેરફારની તૈયારી, હવે ભાગીને લગ્ન કરનારાઓ પર સરકાર કસશે લગામ
ગુજરાતમાં લગ્નના નિયમો બદલાશે! ભાગીને લગ્ન કરનારાઓ માટે મુશ્કેલી વધશે. જાણો નવા નિયમોમાં માતા-પિતાની સંમતિ અને 30 દિવસની નોટિસ વિશેની તમામ વિગતો
- TV9 Gujarati
- Updated on: Feb 20, 2026
- 10:50 am
Breaking News : “માલિયા ગેંગ”નો આતંક બેફામ, ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદો માત્ર કાગળ પર જ છે? જુઓ Video
સુરત APMC માર્કેટ બહાર "માલિયા ગેંગ" દ્વારા ફેરિયાઓ પાસેથી હપ્તા વસૂલવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. દંડા સાથે ખુલ્લેઆમ લુખ્ખા તત્વો ફેરિયાઓને ધમકાવતા કેમેરામાં કેદ થયા છે. આ ઘટનાથી પોલીસની કામગીરી અને આવા અસામાજિક તત્વો પર નિયંત્રણના દાવાઓ પર ગંભીર સવાલો ઉભા થયા છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 13, 2026
- 11:10 am
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત, રાજપૂત સમાજે સરકારનો આભાર માન્યો
પદ્માવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો પરત ખેંચાયા. ઉત્તર ગુજરાતની 50 કરતા વધુ સામાજિક સંસ્થાઓએ કરી હતી રજૂઆત. પદ્માવત ફિલ્મમાં ક્ષત્રિયોનાં ચિત્રણ સામે થયો હતો ઉગ્ર વિરોધ. ગુજરાતના ક્ષત્રિય સમાજે પણ કર્યું હતું ઉગ્ર વિરોધ પ્રદર્શન. જેમાં ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક કેસ થયા હતા.
- Ashvin Patel
- Updated on: Jan 31, 2026
- 9:26 pm