હર્ષ સંઘવી
પરીશ્રમ જ પારસમણીને વરેલા અને સતત ત્રણ ટર્મથી સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય બનનાર હર્ષ સંઘવી ગુજરાતના સૌથી નાની વયના મંત્રી છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 9- 9 પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. પોતાની આગવી સૂઝબુઝ અને મહેનતના જોરે નાની ઉમરમાં જ મોટી સિદ્ધિ મેળવવામાં હર્ષ સંઘવી સફળ રહ્યા છે. મજૂરા કા બેટા અને મજૂરાના દીકરા તરીકે ઓળખાતા હર્ષ સંઘવી હિરા કારોબારીના પુત્ર છે.
8 જાન્યુઆરી 1985માં જન્મેલા હર્ષ સંઘવી હાલ ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સહિત રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનુ સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષકદળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ(રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી જીતીને 27 વર્ષની ઉમરે ધારાસભ્ય બનવાનું ગૌરવ મેળવ્યુ. એ જ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા ચોથા નંબરના ધારાસભ્ય પણ બન્યા.
રાજ્યભરમાં ભાજપમાં સૌથી યુવા વયે જનરલ સેક્રેટરીનું પદ મેળવનારા અને ભારતીય યુવા મોરચાના નાની ઉમરના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બન્યા.
વર્ષ 2017ની ચૂંટણીમાં બીજીવાર ચૂંટાયા બાદ હાલ નવી રચાયેલી સરકારમાં નાની ઉમરના એટલે કે 37 વર્ષની ઉમરે જ ગૃહરાજ્યમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે.
Breaking News : વિકાસની ભેટ સાથે સુરત પહોંચ્યા PM મોદી, “મેક ઇન ઇન્ડિયા” અને પર્યાવરણ સંરક્ષણ પર ભાર, સાંભળો હર્ષ સંઘવીએ શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં ₹18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુરત અને લોકાર્પણ કર્યું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે મોદી સાહેબ જ્યાં જાય ત્યાં વિકાસની ભેટ આપે છે.
- Sagar Solanki
- Updated on: Jun 5, 2026
- 5:56 pm
Breaking news: ‘ઓપરેશન ડેલ્ટા’થી રાજ્યભરમાં તવાઈ, 24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
ગુજરાતમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ‘ઓપરેશન ડેલ્ટા’ નામની વિશેષ ઝુંબેશ અંતર્ગત રાજ્યભરમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં માત્ર 24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 4, 2026
- 11:43 am
ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસનું મોટું અભિયાન, 362 લોકો ઝડપાયા
ઝડપાયેલા 362 બાંગ્લાદેશી નાગરિકોને ગુજરાતમાં રહેવા માટે કોણે આશરો આપ્યો, તેમને દસ્તાવેજો મેળવવામાં કોણે મદદ કરી અને તેમના પાછળ કોઈ ગોઠવણ તો નહોતી ને તેની દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 3, 2026
- 6:08 pm
Breaking News: સુરતમાં DyCM હર્ષ સંઘવીએ ઓનલાઈન વસતી ગણતરીમાં નોંધાવ્યું નામ, લોકોને પણ કરી ખાસ અપીલ
સુરતમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓનલાઈન વસતી ગણતરી પ્રક્રિયામાં ભાગ લઈ પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ નોંધાવ્યું હતું. તેમણે ઓનલાઈન પોર્ટલ મારફતે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી અને રાજ્યના નાગરિકોને પણ ડિજિટલ માધ્યમથી વસતી ગણતરીમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી હતી.
- TV9 Gujarati
- Updated on: May 18, 2026
- 1:20 pm
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની હાઈલેવલ બેઠક, ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહ અને વિકાસ કામો ઝડપી કરવા આદેશ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અદ્યક્ષ સ્થાને અમદાવાદના તળાવોના આધુનિકીકરણ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં તળાવોને સુંદર બનાવવા અને આગામી ચોમાસામાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા અધિકારીઓને કડક સૂચના અપાઈ છે.
- TV9 Gujarati
- Updated on: May 16, 2026
- 5:15 pm
Breaking News : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, રાજ્ય સરકાર ખર્ચ ઘટાડવા મક્કમ, જુઓ વીડિયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશોના પ્રવાસની શરૂઆત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી મોદી આગામી 6 દિવસમાં કુલ 5 દેશોની મુલાકાત લેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલનું મંત્રીઓ અધિકારીઓ પાલન કરતા જોવા મળી રહ્યા છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ કહ્યું પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે
- Kinjal Mishra
- Updated on: May 15, 2026
- 3:34 pm
Breaking News : PM મોદીની અપીલ બાદ, રાજ્યમાં સોનાની ખરીદીમાં ઘટાડો થયો,નાયબ મુખ્યમંત્રીએ આપી માહિતી, જુઓ વીડિયો
PM મોદીની અપીલ બાદ રાજ્યમાં સોનાની ખરીદીમાં ઘટાડો થયો છે. DYCM હર્ષ સંઘવીએ મોટો દાવો કર્યો છે અને કહ્યું બે દિવસમાં રાજ્યમાં સોનાની ખરીદી ઘટી છે.
- TV9 Gujarati
- Updated on: May 13, 2026
- 12:32 pm
Breaking News : PM મોદીની અપીલ બાદ, CM ભૂપેન્દ્ર પટેલે કાફલા વગર પ્રવાસ કર્યો, તો DYCM સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા ગુજરાત અને આસામ પ્રવાસ દરમિયાન ઓછી ગાડી સાથએ પ્રવાસ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે રાજ્ય સરકારે પણ અપીલ પર કામ કરવાનું શરુ કરી દીધું છે.
- Kinjal Mishra
- Updated on: May 13, 2026
- 2:02 pm
ઉદ્યોગો ગુજરાતમાં તો CSR ફંડ રાજ્ય બહાર કેમ? મહેસુલ ચિંતન શિબિરમાં કલેક્ટરોને હર્ષ સંઘવીની કડક ટકોર
ગાંધીનગર ખાતે ચિંતન શિબિરમાં હર્ષ સંઘવીએ કલેક્ટરોને તેમની ભૂમિકા જમીન સુધારણા કે મહેસૂલ પૂરતી મર્યાદિત ન રાખવા જણાવ્યું. તેમણે કલેક્ટરોને નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા, ટુરિઝમ, ઉદ્યોગ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે જિલ્લા વિકાસની સંભાવનાઓ વિચારવા, અને નાના ઉદ્યોગકારોને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ પૂરી પાડવા ભાર મૂક્યો.
- Kinjal Mishra
- Updated on: May 7, 2026
- 5:41 pm
ગુજરાતમાં ઠેર ઠેર બંગાળની જીતની અનોખી ઉજવણી, CM અને DyCM સહિતના લોકોએ ખાધી ‘ઝાલમૂડી’
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ઝાલમૂડી આરોગી ઉત્સાહ વધાર્યો. આ માત્ર ઉજવણી નહોતી, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાઈને મતદારો સાથે આત્મીયતા કેળવવાની એક રાજકીય વ્યૂહરચના હતી.
- Sagar Solanki
- Updated on: May 4, 2026
- 6:59 pm
Breaking News : ચૂંટણીઓને ધર્મ આધારિત બનાવવાનો પ્રયાસ કરનાર રાજકીય પક્ષો પર હર્ષ સંઘવીના પ્રહાર, જુઓ Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ચૂંટણીઓ ધર્મ આધારિત ન હોવી જોઈએ અને મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઇએ.
- TV9 Gujarati
- Updated on: Apr 26, 2026
- 6:16 pm
Local Body Election Breaking: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીવાર સાથે કર્યું મતદાન
Local Body Election Breaking: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે અને રાજ્યભરમાં લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે.
- Dhruval Shah
- Updated on: May 6, 2026
- 10:09 am
નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર; ડાંગના વિકાસ માટે ₹150 કરોડના કામોની કરી જાહેરાત
આહવા ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી સંસ્કૃતિના જતન માટે સમાજનો આભાર માન્યો હતો. તેમણે કોંગ્રેસ પર આદિવાસીઓના યોગદાનને છુપાવવાનો આરોપ લગાવી, માં શબરીના સોગંદ ખાઈને વિરોધીઓને પરાસ્ત કરવા અપીલ કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Apr 18, 2026
- 5:27 pm
Breaking News : ખડગેના ગુજરાત વિરોધી નિવેદન પર.. CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીએ કોંગ્રેસને ઘેરી, જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત વિરોધી નિવેદનોની સખત નિંદા કરી. તેમણે કોંગ્રેસ પર વર્ષોથી ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે નકારાત્મક માનસિકતા રાખવાનો આરોપ લગાવ્યો.
- TV9 Gujarati
- Updated on: Apr 6, 2026
- 4:46 pm
Breaking News: ગુજરાતીઓને ‘અભણ’ કહેવાના ખડગેના નિવેદન પર રાજકારણ ગરમાયું, CM અને ડેપ્યુટી CMએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ અધ્યક્ષના વિવાદિત નિવેદન બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ માત્ર 6 કરોડ ગુજરાતીઓનું નહીં પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું પણ અપમાન છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે અગત્યની ભૂમિકા ભજવી ત્યારે તેમના માટે વપરાયેલ શબ્દો અપમાન જનક છે.
- Devankashi rana
- Updated on: Apr 6, 2026
- 12:02 pm