
હર્ષ સંઘવી
પરીશ્રમ જ પારસમણીને વરેલા અને સતત ત્રણ ટર્મથી સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય બનનાર હર્ષ સંઘવી ગુજરાતના સૌથી નાની વયના મંત્રી છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 9- 9 પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. પોતાની આગવી સૂઝબુઝ અને મહેનતના જોરે નાની ઉમરમાં જ મોટી સિદ્ધિ મેળવવામાં હર્ષ સંઘવી સફળ રહ્યા છે. મજૂરા કા બેટા અને મજૂરાના દીકરા તરીકે ઓળખાતા હર્ષ સંઘવી હિરા કારોબારીના પુત્ર છે.
8 જાન્યુઆરી 1985માં જન્મેલા હર્ષ સંઘવી હાલ ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સહિત રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનુ સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષકદળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ(રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી જીતીને 27 વર્ષની ઉમરે ધારાસભ્ય બનવાનું ગૌરવ મેળવ્યુ. એ જ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા ચોથા નંબરના ધારાસભ્ય પણ બન્યા.
રાજ્યભરમાં ભાજપમાં સૌથી યુવા વયે જનરલ સેક્રેટરીનું પદ મેળવનારા અને ભારતીય યુવા મોરચાના નાની ઉમરના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બન્યા.
વર્ષ 2017ની ચૂંટણીમાં બીજીવાર ચૂંટાયા બાદ હાલ નવી રચાયેલી સરકારમાં નાની ઉમરના એટલે કે 37 વર્ષની ઉમરે જ ગૃહરાજ્યમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે.
Sanghavi surname history : સંઘવી માત્ર અટક નહીં, એક ધાર્મિક ઓળખ છે ! જાણો સંઘવી સરનેમનો ઈતિહાસ
ભારતમાં જુદાં- જુદાં ધર્મના લોકો વસવાટ કરે છે. ભારત હોય કે પછી વિશ્વનો અન્ય દેશમાં રહેતા લોકોના નામ પાછળ એક બીજું નામ લખવામાં આવે છે. તેને સરળ ભાષામાં અટક કહેવામાં આવે છે. તો આજે સંઘવી અટક પાછળનો ઈતિહાસ જણાવીશું.
- Disha Thakar
- Updated on: Apr 12, 2025
- 8:14 am
Breaking News : ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની સોસાયટીમાં લાગી આગ, 18 લોકો ફસાયા, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રહે છે તે જ સોસાયટીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે.
- Baldev Suthar
- Updated on: Apr 11, 2025
- 1:42 pm
ગુજરાતમાં ‘દાદા’ સરકારની વાતો કરનાર ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાજીનામુ આપેઃ કોંગ્રેસ
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની ભૂપેન્દ્ર પટેલની નહીં, પરંતુ અસામાજીક તત્વોની સરકાર ચાલતી હોય તે રીતે અસામાજીક તત્વો લોકો પર હથિયારો સાથે ઘાતક હુમલા કરી રહ્યાં છે. ચારે તરફ અસામાજીક તત્વોનું રાજ હોય તેવુ લાગી રહ્યું છે. દિવસે દિવસે, ગુજરાત હવે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવુ થઈ રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Mar 17, 2025
- 4:56 pm
Video : મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત, હર્ષ સંઘવી રહ્યા હાજર
સોનગઢ ખાતે ચાલી રહેલી મોરારિબાપુની રામકથામાં ધર્માંતરણની ચિંતા વ્યક્ત કરવામાં આવી. શાળાઓની અછતને કારણે આ પ્રવૃત્તિઓ વધી રહી છે.
- Ronak Varma
- Updated on: Mar 13, 2025
- 5:08 pm
ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય, વિશ્વ મહિલા દિવસે નવસારીમાં PM મોદીના લખપતિ દીદી કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ સંભાળશે
સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પી.એસ.આઇ., 61 મહિલા પી.આઇ., 19 મહિલા ડી.વાય.એસ.પી., 05 મહિલા એસ.પી., 01 મહિલા ડી.આઇ.જી. અને 01 મહિલા અધિક પોલીસ મહાનિદેશક દ્વારા કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે.
- TV9 Gujarati
- Updated on: Mar 6, 2025
- 7:18 pm
Somnath : મહાશિવરાત્રીના પર્વ પર હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યા દર્શન, જુઓ Video
આજે મહાશિવરાત્રીનો મહાપર્વ હોવાથી તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીજ જામી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં છે.
- TV9 Gujarati
- Updated on: Feb 26, 2025
- 2:44 pm
ગુજરાત સરકારની મોટી જાહેરાત, પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર નેતાઓ પર કરાયેલા રાજદ્રોહ સહિતના 9 કેસ પરત ખેંચાયા
ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે પાટીદાર યુવકો સામે ગુજરાતની શાંતિ ડહોળવા અને તોડફોડ સહિતની ધારાઓ મુદ્દે અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ કેસ પરત ખેંચવાની માગ સમયાંતરે થતી રહેતી હતી. આજે રાજ્ય સરકારે સત્તાવાર રીતે પાટીદાર યુવકો સામેના રાજદ્રોહ સહિતના કેસ પરત લેવાની માગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 7, 2025
- 7:06 pm
Breaking News : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, રાજ્ય સરકારે કરી કમિટીની જાહેરાત, જુઓ Video
યુનિફોર્મ સિવિલ કોડ UCCને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. જેને લઈને રાજ્ય સરકારે કમિટીની જાહેરાત કરી છે. જેમાં વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ 45 દિવસમાં રિપોર્ટ આપશે.
- Disha Thakar
- Updated on: Feb 4, 2025
- 12:49 pm
Uniform Civil Code : ગુજરાતમાં પણ લાગુ થશે UCC ? બપોરે મુખ્યપ્રધાન અને ગૃહરાજ્યપ્રધાન કરશે પત્રકાર પરિષદ
મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. આ અંગે આજે રાજ્ય સરકાર કમિટીની જાહેરાત કરશે, તેમજ પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ કમિટીનું આજે ગઠન થવા જઈ રહ્યું છે.
- Kinjal Mishra
- Updated on: Feb 4, 2025
- 1:12 pm
Republic Day : ભારતમાં રામ રાજ્ય લાવવામાં નરેદ્ર મોદીનો સિંહ ફાળો – હર્ષ સંઘવી, જુઓ Video
ગાંધીનગરમાં 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીની થઈ. જ્યાં મુખ્ય સમારોહમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું. કાર્યક્રમમાં સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યુ કે દેશમાં રામ રાજ્ય લાવવામાં નરેદ્ર મોદીનો સિંહ ફાળો છે.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2025
- 12:31 pm
અમદાવાદ, સુરત, વડોદરા, સહિતના જિલ્લાઓમાં બ્રિજ નીચેના વિસ્તારોને રમતગમત કેન્દ્રોમાં પરિવર્તિત કરવાની કામગીરી
ગુજરાત સરકાર વડાપ્રધાન મોદીના વિઝનથી પ્રેરિત થઈને, શહેરી વિસ્તારોમાં બિનઉપયોગી અંડરપાસને રમતગમત કેન્દ્રો અને જાહેર જગ્યાઓમાં રૂપાંતરિત કરી રહી છે. આ પહેલથી યુવાનોને રમતગમતમાં રસ પડશે, વૃદ્ધોને આરામ મળશે, અને સ્થાનિકોને રોજગારી મળશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં ઘણા ઓવરબ્રિજ આ પ્રોજેક્ટનો લાભ મેળવશે.
- Sagar Solanki
- Updated on: Jan 24, 2025
- 7:56 pm
Surat : જ્યાં ત્યાં થૂંકતા પુરુષોને કાબૂમાં રાખવા ધોકો અને ઝાડુ ઉપાડો, હર્ષ સંઘવીએ મહિલાઓને આપી અનોખી સલાહ, જુઓ Video
સુરત શહેર સ્વચ્છતા માટે જાણીતું છે. પરંતુ કેટલાક લોકો પાન- મસાલા ખાઈને શહેરમાં ગમે ત્યાં પિચકારી મારતા હોય છે. ત્યારે આવા પુરુષોની શાન ઠેકાણે લાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને અનોખી સલાહ આપી છે.
- Baldev Suthar
- Updated on: Jan 12, 2025
- 9:24 am
Love jihad: લવ જેહાદ પર ફરી એકવાર હર્ષ સંઘવીનો હુંકાર, જાણો શું કહ્યું ?
હર્ષ સંઘવીએ દાવો કર્યો છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારે લવ જેહાદ સામે દંડો ઉગામ્યો છે અને લવ જેહાદના કેસને પણ પોલીસ ગંભીરતાથી લઇને કડક હાથે કાર્યવાહી કરી છે. કોઇ સલીમ સુરેશ બનીને દીકરીઓ સાથે પ્રેમનો પ્રપંચ રચી શકશે નહીં. લવ જેહાદ, ગૌ તસ્કરી - ગૌ હત્યા, મંદિર ચોરી મામલે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું હર્ષ સંધવીએ જણાવ્યું હતું
- krushnapalsinh chudasama
- Updated on: Dec 11, 2024
- 10:18 pm
પાકિસ્તાની લઘુમતી નાગરિકોને હર્ષ સંઘવીના હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા, લાગણીસભર દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં. અમદાવાદમાં વર્ષ 2017 થી 2024 દરમિયાન કુલ 1223 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં છે.
- TV9 Gujarati
- Updated on: Dec 11, 2024
- 9:56 pm
રાજ્યના 25 IPS અધિકારીની બદલી, રાજકુમાર પાંડિયનની CID ક્રાઇમમાંથી લો એન્ડ ઓર્ડરમાં બદલી
અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ JCP અજય ચૌધરીની ગાંધીનગર મહિલા સેલના ADG તરીકે બદલી થઈ છે. જ્યારે લિના પાટીલ વડોદરા એડિશનલ પોલીસ કમિશનર તરીકે બદલી કરાઈ છે. શમશેર સિંઘ પાસે ACBના ડાયરેકટરનો વધારાનો હવાલો યથાવત રાખવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Dec 9, 2024
- 10:07 pm