હર્ષ સંઘવી
પરીશ્રમ જ પારસમણીને વરેલા અને સતત ત્રણ ટર્મથી સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય બનનાર હર્ષ સંઘવી ગુજરાતના સૌથી નાની વયના મંત્રી છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 9- 9 પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. પોતાની આગવી સૂઝબુઝ અને મહેનતના જોરે નાની ઉમરમાં જ મોટી સિદ્ધિ મેળવવામાં હર્ષ સંઘવી સફળ રહ્યા છે. મજૂરા કા બેટા અને મજૂરાના દીકરા તરીકે ઓળખાતા હર્ષ સંઘવી હિરા કારોબારીના પુત્ર છે.
8 જાન્યુઆરી 1985માં જન્મેલા હર્ષ સંઘવી હાલ ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સહિત રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનુ સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષકદળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ(રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી જીતીને 27 વર્ષની ઉમરે ધારાસભ્ય બનવાનું ગૌરવ મેળવ્યુ. એ જ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા ચોથા નંબરના ધારાસભ્ય પણ બન્યા.
રાજ્યભરમાં ભાજપમાં સૌથી યુવા વયે જનરલ સેક્રેટરીનું પદ મેળવનારા અને ભારતીય યુવા મોરચાના નાની ઉમરના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બન્યા.
વર્ષ 2017ની ચૂંટણીમાં બીજીવાર ચૂંટાયા બાદ હાલ નવી રચાયેલી સરકારમાં નાની ઉમરના એટલે કે 37 વર્ષની ઉમરે જ ગૃહરાજ્યમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે.
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત, રાજપૂત સમાજે સરકારનો આભાર માન્યો
પદ્માવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો પરત ખેંચાયા. ઉત્તર ગુજરાતની 50 કરતા વધુ સામાજિક સંસ્થાઓએ કરી હતી રજૂઆત. પદ્માવત ફિલ્મમાં ક્ષત્રિયોનાં ચિત્રણ સામે થયો હતો ઉગ્ર વિરોધ. ગુજરાતના ક્ષત્રિય સમાજે પણ કર્યું હતું ઉગ્ર વિરોધ પ્રદર્શન. જેમાં ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક કેસ થયા હતા.
- Ashvin Patel
- Updated on: Jan 31, 2026
- 9:26 pm
Breaking News : ભવનાથના શિવરાત્રી મેળા માટે તડામાર તૈયારીઓ, ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ, જુઓ Video
જૂનાગઢના ભવનાથ મહાશિવરાત્રી મેળાના આયોજન માટે ગાંધીનગરમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. પવિત્ર યાત્રાધામ બોર્ડ, સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ, જિલ્લાના વહીવટી અધિકારીઓ અને અખાડાના સંતો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મેળાને વધુ ભવ્ય બનાવવા અને સુચારુ વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી, તેમજ વિશેષ ગીતનું લોન્ચિંગ પણ કરાયું.
- Hasmukh Ramani
- Updated on: Jan 30, 2026
- 12:37 pm
Breaking News: અમદાવાદમાં 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસની દિશા દર્શાવી
પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન, પરેડ અને માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંગેના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા યોગા, લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
- TV9 Gujarati
- Updated on: Jan 26, 2026
- 1:03 pm
Breaking News : વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં AI, ડિફેન્સ, ટેક્સ્ટાઇલ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ખાતે રોકાણ આકર્ષવા ગુજરાતના પ્રયત્ન, હર્ષ સંઘવીએ યોજ્યો બેઠકોનો દોર
રોકાણ માટે ગુજરાતની ક્ષમતાને ઉજાગર કરતા હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં રોકાણની મજબૂત પરંપરા રહી છે. વાયબ્રન્ટ ગુજરાત 2024માં રાજ્યમાં રૂપિયા 45 લાખ કરોડના એમઓયુ થયા હતા અને છેલ્લા ત્રણ મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત રાજ્યમાં રૂપિયા 11 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jan 22, 2026
- 2:04 pm
દાઓસના વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી લેશે ભાગ, ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરશે
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી આજે સોમવારે સવારે દાઓસ ખાતે યોજાનાર વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં ભાગ લેવા માટે અમદાવાદ એરપોર્ટથી રવાના થયા હતા. દાઓસમાં યોજાનાર વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે. આજે ગુજરાત સેમીકન્ડક્ટર, લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ હબ તરીકે ઉભરી આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jan 19, 2026
- 2:07 pm
Rajkot : ‘તેરા તુજકો અર્પણ’ હેઠળ વ્યાજખોરોના ચુંગાલમાંથી કરોડોની મિલકત મુક્ત, હર્ષ સંઘવીના હસ્તે મૂળ માલિકોને અપાયો ન્યાય, જુઓ Video
રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને મોટી રાહત મળી છે. ગૃહ વિભાગની ત્વરિત કાર્યવાહીથી નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરોડોની મિલકતો મૂળ માલિકોને પરત સોંપવામાં આવી.
- TV9 Gujarati
- Updated on: Jan 7, 2026
- 10:16 am
બગદાણા ધામના સેવકને માર મારવાના મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને AAP એક થયું; 15 ધારાસભ્ય અને 3 સાંસદે CM સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી – જુઓ Video
બગદાણા યુવકને માર મારવાના મુદ્દે ઉગ્રતા વધતા હવે આ મામલો આહીર અને કોળી સમાજ વચ્ચે રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક યોજાઈ.
- Kinjal Mishra
- Updated on: Jan 5, 2026
- 4:06 pm
પોલીસના ઉચ્ચ અધિકારીઓને હર્ષ સંઘવીની સલાહ, ‘ઇગો સાઇડમાં રાખો, અધિકારી તરીકેનો ઇગો અનુભવીને ભારે પડે છે’
ગાંધીનગરમાં આયોજિત બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને સંબોધન કર્યું હતું..મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને સૂચન આપતા કહ્યું કે પોલીસ પ્રજા સાથે જોડાઈ તે ખૂબ જરૂરી છે...તો જ પ્રજાજનોની સુખાકારી માટે કામો થઈ શકશે..સાથે મુખ્યપ્રધાને દરિયાઈ સુરક્ષા અને ગુનાના ઉકેલ માટે ટેક્નોલોજીના ઉપયોગ વિશે પોલીસ અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા
- Hasmukh Ramani
- Updated on: Dec 25, 2025
- 10:33 am
પોલીસ દળની ભરતીમાં ઉત્તીર્ણ થયેલા 11607 ઉમેદવારોને પસંદગીપત્ર એનાયત કરાયા, પસંદગીના જિલ્લામાં નિમણૂક કરાશે
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, આજે ગાંધીનગરમાં, ગુજરાત પોલીસમાં નવનિયુક્ત 11607 લોકરક્ષકોને પસંદગીપત્ર એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, નિમણૂંક પામેલા લોકરક્ષકોને જણાવ્યું કે, પસંદગીપત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી, જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે. નાગરિક દેવો ભવ:ના સૂત્રને સાર્થક કરવાનો અવસર હવે તમારી પાસે હોવાનુ જણાવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Dec 23, 2025
- 8:33 pm
ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ: PM મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલની 3 કલાકની રાજકીય બેઠક
સંગઠનનું નવું માળખું, મંત્રીમંડળમાં ફેરફાર અને સામાજિક સમીક્ષા મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપ-મુખ્યમંત્રી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં બેઠકમાં સામેલ થયા હતા.
- TV9 Gujarati
- Updated on: Dec 14, 2025
- 10:53 pm
કોઈ દેશ કરી શકે તો ભારત કેમ નહીં ? PM મોદીના આ જ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વની સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ : CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત સરકારની ચિંતન શિબિરમાં, અમદાવાદને મળેલ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીને વધાવી લેવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના તમામ પ્રધાનો, આઈએએસ અધિકારીઓની ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે 11મી ચિંતન શિબિર યોજાઈ રહી છે. આ શિબિરમાં ગુજરાતના વિકાસ માટે સામૂહિક ચિંતન કરવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Nov 28, 2025
- 11:35 am
લવ જેહાદીઓને એવી કડક સજા કરાશે કે, ગુજરાતની હદમાં કારસ્તાન કરવાનુ વિચારી પણ નહીં શકેઃ હર્ષ સંઘવી
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, હુ પ્રેમનો વિરોધી નથી. દિકરીઓને ફસાવનારાઓનો અને ખોટા નામ ધારણ કરીને તેમનુ જીવન બરબાદ કરનારાઓનો વિરોધ કરુ છું. આવુ કારસ્તના કરનારાને કડક સજા મળવી જોઈએ. દાખલો બેસે તેની સાથે સાથે ગુજરાતમાં કૃત્ય કરવાનું જ વિચારે નહીં તેવી સજા કરાશે.
- TV9 Gujarati
- Updated on: Oct 20, 2025
- 7:25 pm
Breaking News : CM ભૂપેન્દ્ર પટેલે ખાતાઓની કરી ફાળવણી, જાણો કયા મંત્રીને કયું ખાતું મળ્યું ?
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે મળેલ કેબિનેટની બેઠકમાં દરેક પ્રધાનોને ખાતાની ફાળવણી કરી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના વિસ્તરણમાં નવા સમાવેલા પ્રધાનોની શપથવિધિ બાદ, 17 ઓક્ટોબરના રોજ સાંજે મળેલ પ્રથમ કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી તેમજ કેબિનેટ કક્ષાના પ્રધાનો, સ્વતંત્ર હવાલો ધરાવતા પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરી છે.
- Sagar Solanki
- Updated on: Oct 17, 2025
- 7:54 pm
Breaking News : ગુજરાતની સૌથી નાની વયના નાયબ મુખ્યપ્રધાન બનશે હર્ષ સંઘવી, જુઓ Video
આજે એટલે કે 17 ઓકટોબરના રોજ રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ માટે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા મંત્રીમંડળને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવી ગુજરાતના DyCM બનશે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે.
- Kinjal Mishra
- Updated on: Oct 17, 2025
- 2:12 pm
ગાંધીનગર: બારણા તોડી, ઘરમાં ઘુસી, કોલર ખેંચીને લઈ ગઈ પોલીસ, ગુજરાતની શાંતિ ડહોળનારાને પોલીસે કરાવ્યુ કાયદાનું ભાન- Video
ગાંધીનગરના બહિયલમાં નવરાત્રીના ત્રીજા દિવસે રાત્રે ગરબા પંડાલમાં તોડફોડ મચાવનારા તોફાની તત્વોને પોલીસે બરાબરનું કાયદાનું ભાન કરાવ્યુ છે. પોલીસે તમામ ઉત્પાત મચાવનારાઓને ઘરમાં ઘુસી, કોલર ખેંચીને લઈ ગઈ હતી અને બરાબરની સરભરા કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Sep 26, 2025
- 6:20 pm