Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હર્ષ સંઘવી

હર્ષ સંઘવી

પરીશ્રમ જ પારસમણીને વરેલા અને સતત ત્રણ ટર્મથી સુરતની મજૂરા બેઠક પરથી ધારાસભ્ય બનનાર હર્ષ સંઘવી ગુજરાતના સૌથી નાની વયના મંત્રી છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 9- 9 પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. પોતાની આગવી સૂઝબુઝ અને મહેનતના જોરે નાની ઉમરમાં જ મોટી સિદ્ધિ મેળવવામાં હર્ષ સંઘવી સફળ રહ્યા છે. મજૂરા કા બેટા અને મજૂરાના દીકરા તરીકે ઓળખાતા હર્ષ સંઘવી હિરા કારોબારીના પુત્ર છે.
8 જાન્યુઆરી 1985માં જન્મેલા હર્ષ સંઘવી હાલ ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી સહિત રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનુ સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષકદળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ(રાજ્યકક્ષા) મંત્રી તરીકે સેવા બજાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી જીતીને 27 વર્ષની ઉમરે ધારાસભ્ય બનવાનું ગૌરવ મેળવ્યુ. એ જ ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા ચોથા નંબરના ધારાસભ્ય પણ બન્યા.
રાજ્યભરમાં ભાજપમાં સૌથી યુવા વયે જનરલ સેક્રેટરીનું પદ મેળવનારા અને ભારતીય યુવા મોરચાના નાની ઉમરના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બન્યા.
વર્ષ 2017ની ચૂંટણીમાં બીજીવાર ચૂંટાયા બાદ હાલ નવી રચાયેલી સરકારમાં નાની ઉમરના એટલે કે 37 વર્ષની ઉમરે જ ગૃહરાજ્યમંત્રીનો હવાલો સંભાળી રહ્યા છે.

Read More

Pahalgam Attack : J&K આતંકી હુમલામાં 3 ગુજરાતીનાં મોત, ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા, જુઓ Video

22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો મૃત્યુ પામ્યા, જેમાં ત્રણ ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મૃતદેહોને ગુજરાત લાવવામાં આવ્યા છે અને ગુજરાત સરકારે પીડિત પરિવારોને સહાયતા પૂરી પાડવાની જાહેરાત કરી છે.

ઈલેક્ટ્રીક વાહનો ખરીદવાનું વિચારતા લોકો માટે મોટી જાહેરાત, સરકારે ઈ-વ્હીકલ પર આપી 5% ટેક્સની છૂટ

ઈલેક્ટ્રીક વાહનોને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન મળે તેવા હેતુસર રાજ્ય સરકારે ઈલેક્ટ્રીક વાહનો પર 5 ટકા ટેક્સની છૂટ આપી છે. ગૃહ રાજ્યમંત્રી અને ટ્રાન્સપોર્ટ મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે..

Sanghavi surname history : સંઘવી માત્ર અટક નહીં, એક ધાર્મિક ઓળખ છે ! જાણો સંઘવી સરનેમનો ઈતિહાસ

ભારતમાં જુદાં- જુદાં ધર્મના લોકો વસવાટ કરે છે. ભારત હોય કે પછી વિશ્વનો અન્ય દેશમાં રહેતા લોકોના નામ પાછળ એક બીજું નામ લખવામાં આવે છે. તેને સરળ ભાષામાં અટક કહેવામાં આવે છે. તો આજે સંઘવી અટક પાછળનો ઈતિહાસ જણાવીશું.

Breaking News : ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની સોસાયટીમાં લાગી આગ, 18 લોકો ફસાયા, જુઓ Video

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રહે છે તે જ સોસાયટીમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે.

ગુજરાતમાં ‘દાદા’ સરકારની વાતો કરનાર ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાજીનામુ આપેઃ કોંગ્રેસ

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની ભૂપેન્દ્ર પટેલની નહીં, પરંતુ અસામાજીક તત્વોની સરકાર ચાલતી હોય તે રીતે અસામાજીક તત્વો લોકો પર હથિયારો સાથે ઘાતક હુમલા કરી રહ્યાં છે. ચારે તરફ અસામાજીક તત્વોનું રાજ હોય તેવુ લાગી રહ્યું છે. દિવસે દિવસે, ગુજરાત હવે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવુ થઈ રહ્યું છે.

Video : મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત, હર્ષ સંઘવી રહ્યા હાજર

સોનગઢ ખાતે ચાલી રહેલી મોરારિબાપુની રામકથામાં ધર્માંતરણની ચિંતા વ્યક્ત કરવામાં આવી. શાળાઓની અછતને કારણે આ પ્રવૃત્તિઓ વધી રહી છે.

ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય, વિશ્વ મહિલા દિવસે નવસારીમાં PM મોદીના લખપતિ દીદી કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ સંભાળશે

સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પી.એસ.આઇ., 61 મહિલા પી.આઇ., 19 મહિલા ડી.વાય.એસ.પી., 05 મહિલા એસ.પી., 01 મહિલા ડી.આઇ.જી. અને 01 મહિલા અધિક પોલીસ મહાનિદેશક દ્વારા કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે.

Somnath : મહાશિવરાત્રીના પર્વ પર હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યા દર્શન, જુઓ Video

આજે મહાશિવરાત્રીનો મહાપર્વ હોવાથી તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીજ જામી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં છે.

ગુજરાત સરકારની મોટી જાહેરાત, પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર નેતાઓ પર કરાયેલા રાજદ્રોહ સહિતના 9 કેસ પરત ખેંચાયા

ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે પાટીદાર યુવકો સામે ગુજરાતની શાંતિ ડહોળવા અને તોડફોડ સહિતની ધારાઓ મુદ્દે અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ કેસ પરત ખેંચવાની માગ સમયાંતરે થતી રહેતી હતી. આજે રાજ્ય સરકારે સત્તાવાર રીતે પાટીદાર યુવકો સામેના રાજદ્રોહ સહિતના કેસ પરત લેવાની માગ કરી છે.

Breaking News : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, રાજ્ય સરકારે કરી કમિટીની જાહેરાત, જુઓ Video

યુનિફોર્મ સિવિલ કોડ UCCને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. જેને લઈને રાજ્ય સરકારે કમિટીની જાહેરાત કરી છે. જેમાં વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ 45 દિવસમાં રિપોર્ટ આપશે.

Uniform Civil Code : ગુજરાતમાં પણ લાગુ થશે UCC ? બપોરે મુખ્યપ્રધાન અને ગૃહરાજ્યપ્રધાન કરશે પત્રકાર પરિષદ

મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે.  આ અંગે આજે રાજ્ય સરકાર કમિટીની જાહેરાત કરશે, તેમજ પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ કમિટીનું આજે ગઠન થવા જઈ રહ્યું છે.

Republic Day : ભારતમાં રામ રાજ્ય લાવવામાં નરેદ્ર મોદીનો સિંહ ફાળો – હર્ષ સંઘવી, જુઓ Video

ગાંધીનગરમાં 76મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીની થઈ. જ્યાં મુખ્ય સમારોહમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું. કાર્યક્રમમાં સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યુ કે દેશમાં રામ રાજ્ય લાવવામાં નરેદ્ર મોદીનો સિંહ ફાળો છે.

અમદાવાદ, સુરત, વડોદરા, સહિતના જિલ્લાઓમાં બ્રિજ નીચેના વિસ્તારોને રમતગમત કેન્દ્રોમાં પરિવર્તિત કરવાની કામગીરી

ગુજરાત સરકાર વડાપ્રધાન મોદીના વિઝનથી પ્રેરિત થઈને, શહેરી વિસ્તારોમાં બિનઉપયોગી અંડરપાસને રમતગમત કેન્દ્રો અને જાહેર જગ્યાઓમાં રૂપાંતરિત કરી રહી છે. આ પહેલથી યુવાનોને રમતગમતમાં રસ પડશે, વૃદ્ધોને આરામ મળશે, અને સ્થાનિકોને રોજગારી મળશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં ઘણા ઓવરબ્રિજ આ પ્રોજેક્ટનો લાભ મેળવશે.

Surat : જ્યાં ત્યાં થૂંકતા પુરુષોને કાબૂમાં રાખવા ધોકો અને ઝાડુ ઉપાડો, હર્ષ સંઘવીએ મહિલાઓને આપી અનોખી સલાહ, જુઓ Video

સુરત શહેર સ્વચ્છતા માટે જાણીતું છે. પરંતુ કેટલાક લોકો પાન- મસાલા ખાઈને શહેરમાં ગમે ત્યાં પિચકારી મારતા હોય છે. ત્યારે આવા પુરુષોની શાન ઠેકાણે લાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને અનોખી સલાહ આપી છે.

Love jihad: લવ જેહાદ પર ફરી એકવાર હર્ષ સંઘવીનો હુંકાર, જાણો શું કહ્યું ?

હર્ષ સંઘવીએ દાવો કર્યો છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારે લવ જેહાદ સામે દંડો ઉગામ્યો છે અને લવ જેહાદના કેસને પણ પોલીસ ગંભીરતાથી લઇને કડક હાથે કાર્યવાહી કરી છે. કોઇ સલીમ સુરેશ બનીને દીકરીઓ સાથે પ્રેમનો પ્રપંચ રચી શકશે નહીં. લવ જેહાદ, ગૌ તસ્કરી - ગૌ હત્યા, મંદિર ચોરી મામલે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું હર્ષ સંધવીએ જણાવ્યું હતું

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">