દવા જ નહીં, ટ્રેનની પણ હોય છે એક્સપાયરી,જાણો કઈ ટ્રેન ક્યાર સુધી આપે છે સેવા, જુઓ ફોટા
દરેક માણસ ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે આપણા દેશમાં મુસાફરીનું એક મુખ્ય માધ્યમ છે, જેના દ્વારા નાનાથી લઈને મોટા લોકો મુસાફરી કરે છે. ટ્રેનની ટિકિટ દરેક સામાન્ય માણસ માટે પરવડે તેવી છે અને પરિવહનનું સલામત માધ્યમ પણ છે. તેથી ટ્રેન એ દરેક વ્યક્તિની પ્રથમ પસંદગી છે. ભારતમાં મોટાભાગના લોકો લાંબી મુસાફરી માટે ટ્રેન પસંદ કરે છે. આ તો વાત છે ટ્રેનની, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટ્રેનની આવરદા કેટલી હોય છે? રેલ્વે ટ્રેન કેટલા વર્ષ ચાલે છે અને પેસેન્જર કોચનું આયુષ્ય પૂરું થયા પછી તેનું શું થાય છે?

ભારતીય રેલવેમાં ચાલતા ICF કોચનું આયુષ્ય 25 થી 30 વર્ષ છે. આનો અર્થ એ છે કે એક ટ્રેન ભારતીય રેલવેને વધુમાં વધુ 25 થી 20 વર્ષ સુધી સેવા આપે છે. 25-30 વર્ષના આ સમયગાળા દરમિયાન પેસેન્જર કોચ દર 5-10 વર્ષે તેનુ સમારકામ કરવામાં આવે છે.જેના કારણે જર્જરિત અને જૂના ભાગો બદલવામાં આવે છે.

25-30 વર્ષ સુધી પેસેન્જર કોચ તરીકે સેવા આપ્યા પછી ટ્રેનોને ઓટો કેરિયર્સમાં રૂપાંતરિત કરવામાં આવે છે. NMG કોચમાં રૂપાંતરિત થયા પછી 5-10 વર્ષ માટે પેસેન્જર કોચને ફરીથી ઉપયોગ કરવામાં આવે છે.

આ ટ્રેનોનો ઉપયોગ માલસામાનને એક રાજ્યથી બીજા રાજ્યમાં પહોંચાડવા માટે થાય છે. પેસેન્જર કોચને NMG કોચ બનાવવા માટે કોચને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. કોચની અંદરની તમામ સીટો, પંખા અને લાઇટો હટાવી દેવામાં આવી છે.

માલસામાન લઈ જવા લાવવાનો કોચ બનાવવા માટે ટ્રેનના બારીના દરવાજા બંધ કરી દેવામાં આવે છે. ટ્રેનને મજબૂત કરવા માટે લોખંડની પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

ટ્રેન એવી રીતે બનાવવામાં આવી છે કે કાર, મિની ટ્રક, ટ્રેક્ટર જેવી ઘણી નાની-મોટી વસ્તુઓ સરળતાથી લોડ કરી શકાય છે.એટલે કે પેસેન્જર કોચમાંથી નિવૃત્ત થયા પછી પણ, ટ્રેન રેલવેને માલસામાન ટ્રેન અને NMG કોચ તરીકે સેવા આપે છે.

































































