AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર

રામ મંદિર

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. રામાયણ અનુસાર, અયોધ્યા એ હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે.

રામ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. 5 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે ભૂમિ પૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. શ્રી રામ, જેને શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તે એક વ્યાપકપણે પૂજાતા હિંદુ રાજા છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય, રામાયણ અનુસાર, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. જેને રામજન્મભૂમિ પણ કહેવામાં આવે છે. જે સરયુ નદીના કિનારે આવેલું છે.

15મી સદીમાં મુઘલોએ રામજન્મભૂમિ પર બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું, પરંતુ હિંદુઓ માને છે કે આ મસ્જિદ હિંદુ મંદિરને નષ્ટ કર્યા પછી બનાવવામાં આવી હતી. 9 નવેમ્બર, 1989 ના રોજ, વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ અને સાધુઓના જૂથે વિવાદિત જમીન પર 7 ઘન ફૂટનો ખાડો ખોદીને શિલાન્યાસ કર્યો હતો. ડિસેમ્બર 1992માં જ્યારે બાબરી મસ્જિદનો કારસેવકોએ ધ્વંસ કર્યો ત્યારે વિવાદનો હિંસક વળાંક આવી ગયો, પરંતુ અનેક કાયદાકીય વિવાદો બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ લલ્લાની તરફેણમાં આવ્યો હતો.

Read More

Breaking News: રામ મંદિરમાં ડાયરેક્ટ ‘CEO’ ની ખુરશી મેળવવાની ‘જોરદાર તક’, જાણી લો ‘લાયકાત’

અયોધ્યા રામ મંદિરના વહીવટને લઈને એક ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ના પદ માટે સત્તાવાર ભરતી બહાર પાડવામાં આવી છે. મંદિરમાં ચઢાવાના કથિત ગબન અને એસઆઈટી (SIT) તપાસ વચ્ચે લેવાયેલો આ નિર્ણય ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Breaking News : ‘શ્રી રામભૂમિ’માંથી અનુપમ ખેરનો ફર્સ્ટ લુક જાહેર, ફિલ્મમાં અશોક સિંઘલની ભૂમિકામાં આવશે નજર

બોલીવૂડ અભિનેતા અનુપમ ખેરે ફિલ્મ 'શ્રી રામભૂમિ'માંથી પોતાનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. તેઓ આ ફિલ્મમાં વિશ્વ હિંદુ પરિષદના દિવંગત નેતા અશોક સિંઘલની ભૂમિકામાં જોવા મળશે. સોશિયલ મીડિયા પર શેર કરેલી તેમની તસવીરો વાયરલ થઈ રહી છે.

Breaking News: ‘રામભક્તો પર ગોળીઓ ચલાવનારા, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસા કરી શકશે ?’ અયોધ્યામાં વિપક્ષ પર વરસ્યા ‘CM યોગી’

રામ મંદિરમાં ચઢાવાની ચોરીના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂ. 432 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધતા CM યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

દાન ચોરીના વિવાદ વચ્ચે રામમંદિર ટ્ર્સ્ટે પહેલીવાર જાહેર કર્યો સોના-ચાંદીનો ખજાનો, જાણો

છેલ્લા કેટલાય દિવસોથી અયોધ્યા સ્થિત રામમંદિરમાંથી દાનની ચોરી થવાના મામલે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને રામ મંદિરના કર્તાહર્તા વિવાદમાં સપડાયા છે. દેશભરના શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોચાડે તેવા સામે આવેલ કૃત્યથી દાન-દક્ષિણા આપનાર સૌ કોઈ અંચબિત થઈ ઉઠ્યા હતા. રામ મંદિરમાં સોના-ચાંદીનુ દાન-દક્ષિણ કરનારા શ્રદ્ધાળુઓને પણ તેમના દાન-દક્ષિણા સલામત છે કે કેમ તે અંગે શંકા હતી. આવા સંજોગોમાં પહેલીવાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, વિતેલા નાણાકીય વર્ષના છેલ્લા દિવસ સુધીમાં કેટલુ સોનું અને ચાંદીનો જથ્થો છે તેની વિગતો જાહેર કરી છે.

Breaking News: ચંપત રાયે કેમ ધારણ કર્યું ‘મૌન’ ? કહ્યું, “સમય આવશે ત્યારે એક-એક સત્ય ઉજાગર કરીશ, ત્યાં સુધી…”

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે રામ ભક્તોના નામે એક પત્ર લખીને પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

Breaking News: દાનના પૈસા, ગર્લફ્રેન્ડ પર પ્રેમ અને મોંઘી કાર… અવિનાશે રામ મંદિરના ₹19 લાખ ક્યાં અને કેવી રીતે વાપર્યા?

અયોધ્યા રામ મંદિરના દાનની ઉચાપતના કેસમાં એસઆઈટી (SIT) ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ આ મામલામાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસના મુખ્ય આરોપી અવિનાશ શુક્લાએ પોલીસ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું છે કે, તેણે દાનમાં મળેલી રકમમાંથી લાખો રૂપિયા પોતાના મિત્રો, પરિવાર અને અંગત મોજશોખ પાછળ વાપરી નાખ્યા હતા.

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું- હવે હું રાજનીતિ નહીં ધર્મ રક્ષા કરીશ, અયોધ્યા સુધીની પદયાત્રામાં કારસેવકોને આમંત્રણ આપીશ

રામ મંદિરના દાનની ચોરીથી વ્યથિત થઈ ઉઠેલા, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાજકારણને બદલે ધર્મરક્ષા કરવાની નવી વાત ઉચ્ચારી છે. દિગ્વિજયસિંહે આગામી 2 ઓક્ટોબરે ઉજ્જૈનથી અયોધ્યા સુધીની પદયાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, તેમણે તેમની યાત્રા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે તેઓ હવે ફક્ત આસ્થાના રક્ષણ માટે પોતાને ધર્મ સમર્પિત કરશે.

Breaking News : હરિદ્વારમાં પૂજારીઓ અને કર્મચારીઓ પાયજામામાં ખિસ્સા નહીં અને હાથમાં બેગ નહીં લઈ જઈ શકે

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં દાનની ચોરી મામલા બાદ હરિદ્વારના મનસા દેવી મંદિર ટ્ર્સ્ટે પુજારીઓ અને કર્મચારીઓ માટે કડક નિયમો જાહેર કર્યા છે. તેમજ કડક કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી છે.

Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામુ, હવે કૃષ્ણ મોહન સંભાળશે જવાબદારી

અયોધ્યામાં રામ મંદિર ટ્ર્સ્ટની મળેલી બેઠક પૂર્ણ થઈ છે, લગભગ 3 કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠક બાદ ટ્રસ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી છે. મંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી એ જણાવ્યુ કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાનુ રાજીનામુ મંજૂર કરી લેવામાં આવ્યુ છે. કૃષ્ણ મોહન હવે ટ્રસ્ટના નવા મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

Aayodhya Ram Mandir: રામ મંદિર ટ્રસ્ટની આજે નિર્ણાયક બેઠક, ચંપત રાયના રાજીનામા પર થશે મોટો નિર્ણય

બેઠકના એજન્ડામાં સૌપ્રથમ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા પર વિચાર કરવામાં આવશે. જો આજે આ રાજીનામા સ્વીકારવામાં આવે છે, તો તે ટ્રસ્ટના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોનો માર્ગ મોકળો કરી શકે છે.

રામ મંદિરનો નવો ‘નો-પોકેટ’ ડ્રેસ કોડ: જાણો આ નિયમો શું છે અને તે કોને લાગુ પડે છે

Ram Mandir No Pocket Dress Code: અયોધ્યા રામ મંદિરમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે આ નવો નિયમ શું છે અને તે કોને લાગુ પડે છે.

‘હિન્દુઓએ સતર્ક રહેવું જોઈએ’, રામ મંદિર વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીની મોટી અપીલ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે તેમને સરકાર અને તપાસ એજન્સીમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે દોષિતો સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. ચંપત રાય અંગે તેમણે કહ્યું કે આ તપાસનો વિષય છે અને જે કોઈ દોષિત ઠરશે તેને કાર્યવાહીનો સામનો કરવો પડશે.

Breaking New: રામ મંદિરમાં રોજ ₹8 લાખની ચોરી ! ફરી થયો મોટો ખુલાસો, SIT કરી રહી તપાસ

Ram Mandir Row : રામ મંદિર દાન ચોરી કેસ અંગે ફરી મોટો ખુલાસા થયો છે. આ વચ્ચે, પ્રસાદની ચોરી અંગે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, રામ મંદિરમાં મળતા દાનમાં કથિત અનિયમિતતાની તપાસ કરવા માટે કાર્યરત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને શંકા છે કે દરરોજ આશરે ₹6 લાખ થી ₹8 લાખની ઉચાપત થઈ રહી હતી.

રામ ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી, દોષીને કડક સજા થાય, હિન્દુ સમાજ ધીરજ રાખેઃ રામમંદિરના દાનની ચોરી અંગે RSS નુ નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મહામંત્રી દત્તાત્રેય હોસબોલેએ, રામ મંદિરમાં ભક્તો દ્વારા આવેલા દાનની ચોરીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે, આ ઘટનાથી રામ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હોસબોલેએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા, મંદિર વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને યોગ્ય નાણાકીય વ્યવસ્થાની ખાતરીની માંગ કરી છે. તેમણે હિન્દુ સમુદાયને આ મુશ્કેલ સમયમાં જરૂરી ધીરજ અને સંયમ જાળવવા આગ્રહ કર્યો છે.

Exclusive: રૂપિયા થી લઈ ડોલર અને જ્વેલરી સુધી.. રામ મંદિર પ્રસાદ ચોરીના 7 આરોપી પાસેથી શું શું મળ્યું?

રામ મંદિર દાન ચોરી કેસમાં તપાસ ઝડપી બનતા મોટા ખુલાસા થયા છે. પોલીસે 7 આરોપીઓ પાસેથી ₹80 લાખથી વધુ રોકડ, વિદેશી ચલણ અને સોનું જપ્ત કર્યું છે. "રામ રાજ્ય કોષ" લખેલું દાન બોક્સ અને QR કોડ પણ મળ્યો છે.

અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">