રામ મંદિર
રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. રામાયણ અનુસાર, અયોધ્યા એ હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે.
રામ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. 5 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે ભૂમિ પૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. શ્રી રામ, જેને શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તે એક વ્યાપકપણે પૂજાતા હિંદુ રાજા છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય, રામાયણ અનુસાર, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. જેને રામજન્મભૂમિ પણ કહેવામાં આવે છે. જે સરયુ નદીના કિનારે આવેલું છે.
15મી સદીમાં મુઘલોએ રામજન્મભૂમિ પર બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું, પરંતુ હિંદુઓ માને છે કે આ મસ્જિદ હિંદુ મંદિરને નષ્ટ કર્યા પછી બનાવવામાં આવી હતી. 9 નવેમ્બર, 1989 ના રોજ, વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ અને સાધુઓના જૂથે વિવાદિત જમીન પર 7 ઘન ફૂટનો ખાડો ખોદીને શિલાન્યાસ કર્યો હતો. ડિસેમ્બર 1992માં જ્યારે બાબરી મસ્જિદનો કારસેવકોએ ધ્વંસ કર્યો ત્યારે વિવાદનો હિંસક વળાંક આવી ગયો, પરંતુ અનેક કાયદાકીય વિવાદો બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ લલ્લાની તરફેણમાં આવ્યો હતો.
રામ મંદિરમાં કેવી રીતે ચોરાતા હતા દાનના રુપિયા? જાણો ચોરીથી લઈને ખુલાસા સુધીની સમગ્ર કહાની
માહિતી અનુસાર, મે મહિનાના અંતમાં ટ્રસ્ટના અધિકારીઓએ દાનપેટીમાંથી મળતી રકમ અને બેંકમાં જમા થતી રકમની સમીક્ષા કરી હતી. અગાઉ એક દાનપેટીમાંથી સરેરાશ 6થી 7 લાખ રૂપિયા મળતા હતા, પરંતુ અચાનક 500 રૂપિયાની નોટોના બંડલમાં ઘટાડો જોવા મળતા શંકા ગઈ. ત્યારબાદ ટ્રસ્ટે નોટ ગણતરી રૂમમાં ગુપ્ત કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો.
- Tanvi Soni
- Updated on: Jun 26, 2026
- 2:15 pm
Breaking News: રામ મંદિર દાન ચોરી કેસમાં પહેલી FIR દાખલ, જાણી લો કયા 8 લોકોના નામ આવ્યા સામે?
અયોધ્યા રામ મંદિરમાં દાન અને ચઢાવાની ચોરીના મામલે યોગી સરકારની ભલામણ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એસઆઈટીના અહેવાલના આધારે 8 લોકો સામે ગુનો નોંધાયો છે.
- Sachin Agrawal
- Updated on: Jun 25, 2026
- 8:30 pm
Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી મામલે સૌથી મોટા સમાચાર, ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય આપી શકે છે રાજીનામુ, કોઈપણ સમયે થઈ શકે છે FIR
PMO એ રામમંદિર ટ્રસ્ટ પાસે જાણકારી માગી હતી. રામ મંદિર ટ્રસ્ટે SIT તપાસનો હવાલો આપી જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ હવે રાજીનામા પડ્યા કે રાજીનામુ આપશે તે અંગે અટકળો ચાલી રહી છે.
- Mina Pandya
- Updated on: Jun 25, 2026
- 6:40 pm
Breaking News : રામ મંદિરને બોમ્બથી ઉડાવવાનો હતો પ્લાન! NIA અને ATSએ અંજામ પહેલા જ આતંકીને ઝડપી પાડ્યો
ઉત્તર પ્રદેશના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. શંકાસ્પદ આતંકવાદીએ અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવવાના પોતાના કાવતરાની કબૂલાત કરી છે. આરોપીના મોબાઇલ ફોનમાંથી પાકિસ્તાની નંબર, કેટલાક શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપ અને હથિયારો સાથે લીધેલા ફોટા મળી આવ્યા છે.
- Devankashi rana
- Updated on: Jun 25, 2026
- 12:58 pm
Breaking News : રામ મંદિરના દાનની ગણતરી માટે નવા નિયમો લાગુ, કર્મચારીઓ હવે આ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં
Ram Mandir Donation Rules : અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનરાશિની સુરક્ષા પારદર્શિતા વધારવા માટે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. કર્મચારીઓ હવે દાન ગણતરી ખંડમાં ખિસ્સા વગરના ખાસ કપડાં પહેરીને પ્રવેશ કરશે. મોબાઇલ ફોન, બેગ, પાકીટ અને પર્સનલ સામાન લઈ જવા પર પ્રતિબંધ છે.
- Nirupa Duva
- Updated on: Jun 24, 2026
- 8:26 am
Breaking News: રામ મંદિર દાન ચોરી વિવાદમાં મોટી કાર્યવાહી, 40 કર્મચારીઓને દાન ગણતરીમાંથી દૂર કરાયા
અયોધ્યાના રામ મંદિર પ્રસાદ અને દાન ગેરરીતિ મામલે તપાસ વચ્ચે મંદિર ટ્રસ્ટે મોટો નિર્ણય લીધો છે. દાનની ગણતરીમાં સામેલ આશરે 40 કર્મચારીઓને તેમની જવાબદારીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ નવા કર્મચારીઓ અને કાઉન્ટરોની નિમણૂક કરવામાં આવી છે. દાનપેટીઓમાં આવતી રોકડ રકમ તેમજ દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ગણતરી પ્રક્રિયા પર હવે વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
- Tanvi Soni
- Updated on: Jun 22, 2026
- 9:41 am
Breaking News : રામ મંદિર દાન ચોરી કેસમાં SITની તપાસ તેજ, બેંક કર્મચારીઓની ભૂમિકા પર ઉઠ્યા સવાલ, જાણો અત્યાર સુધીની અપડેટ
તપાસ દરમિયાન એવા સંકેતો મળ્યા છે કે બેંકિંગ સિસ્ટમમાં ગંભીર ખામીઓ રહી હોઈ શકે છે. SITને એવી શંકા છે કે કેટલીક જગ્યાએ બેદરકારી અથવા સંભવિત મિલીભગત પણ થઈ હોઈ શકે છે. દાનની ગણતરીથી લઈને જમા કરવાની પ્રક્રિયામાં બેંક અધિકારીઓની જવાબદારી હોવા છતાં યોગ્ય દેખરેખ ન રાખવામાં આવી હોવાના આરોપો સામે આવ્યા છે.
- Tanvi Soni
- Updated on: Jun 20, 2026
- 2:11 pm
અયોધ્યા રામ મંદિરની દાનપેટીમાંથી દાનની ચોરી ! જાણો દાન ચોરીનો સમગ્ર ઘટનાક્રમ-વિવાદ
અયોધ્યા સ્થિત રામ મંદિરને લઈને એવા આરોપો સામે આવ્યા છે કે, મંદિરમાં રાખવામાં આવેલ દાન પેટીઓમાંથી રોકડ ગણતરી અને જમા કરાવવાની પ્રક્રિયા દરમિયાન મોટી રકમ ગુમ થઈ ગઈ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ સરકારે આ મુદ્દાની તપાસ માટે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. SITની ટીમ હાલમાં કથિત નાણાંની ઉચાપત અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 19, 2026
- 6:38 pm
Breaking News : અયોધ્યાના રામ મંદિરમાં 11 મહિનામાં 83 કરોડનું દાન, સુરક્ષા પાછળ 10 કરોડ રૂપિયા ખર્ચાયા છતાં થઈ ચોરી
રામ મંદિરના દાનની ચોરીની તપાસમાં ટ્રસ્ટના નાંણાકીય ડોક્યુમેન્ટમાંથી અનેક તથ્ય સામે આવ્યા છે. જેમણે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા કર્યા છે. 11 મહિનામાં મંદિરની સુરક્ષા વ્યવસ્થા પાછળ લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ તે જ સમયગાળા દરમિયાન દાનપેટીઓમાંથી ચોરી થઈ હતી.
- Nirupa Duva
- Updated on: Jun 19, 2026
- 11:26 am
Breaking News : રામ ભક્તો સાથે થયો મોટો”ફ્રોડ”, ભેટ તરીકે ચઢાવેલા સોનામાં પણ છેતરપિંડીની આશંકા
અયોધ્યાના રામ મંદિરમાં ભેટ તરીકે ચઢાવેલા સોનાના પ્રસાદમાં કરોડો રૂપિયાના કૌભાંડના આરોપો છે. ભક્તો દ્વારા દાનમાં આપેલા સોનાનો યોગ્ય હિસાબ રાખવામાં આવ્યો ન હતો, જેના કારણે વ્યાપક ઉચાપતની શક્યતા વધી ગઈ હતી. SPMCIL ને દાનની પ્રાપ્તિ અને યોગ્ય દેખરેખ માટે એક કાઉન્ટર પૂરું પાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય સ્થાન મળ્યું ન હતું.
- Nirupa Duva
- Updated on: Jun 18, 2026
- 12:01 pm
Breaking News : 10 દિવસ, 3 ફરિયાદો, હજુ સુધી FIR કેમ થઈ નથી, રામ મંદિરમાંથી કરોડો રૂપિયાનો ચઢાવો કોણે ચોર્યા?
ઉત્તરપ્રદેશના અયોધ્યા સ્થિત રામ મંદિરના દાનની કથિત ચોરીનો મામલો વધુ ગરમાયો છે. જેનાથી ભારતના કરોડો રામ ભક્તો દુખી છે અને ગુસ્સે પણ છે. આ ગુસ્સોએ વાત પર છે કે, 2 કરોડની રિકવરી થઈ ગઈ છે.એસઆઈટીએ તપાસ શરુ કરી દીધી પરંતુ અત્યારસુધી એફઆઈઆર થઈ નથી.
- Nirupa Duva
- Updated on: Jun 17, 2026
- 7:47 am
Breaking News: અયોધ્યા રામ મંદિર દાન વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સ્વતંત્ર તપાસની માગ તેજ
આ મામલાની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે વકીલોને કોઈપણ કેસનો મૌખિક ઉલ્લેખ ન કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે જરૂરી મુદ્દાઓ લેખિત સ્વરૂપે રજૂ કરવામાં આવે, ત્યારબાદ કોર્ટ તેના આધારે યોગ્ય નિર્ણય લેશે.
- Tanvi Soni
- Updated on: Jun 15, 2026
- 1:10 pm
Breaking News: ભગવાનના ઘરમાં થઈ ચોરી? અયોધ્યા રામ મંદિરમાં મોટું કૌભાંડ? ભક્તોના કરોડો રૂપિયા ક્યાં ગાયબ થયા?
અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કરોડો રૂપિયાની કથિત અનિયમિતતાનો સનસનાટીભર્યો મામલો! અખિલેશ યાદવના આરોપો બાદ યોગી સરકારે SIT તપાસના આદેશ આપ્યા છે.સાદા કપડામાં આવેલી પોલીસે ઘરમાં ઘૂસીને આરોપી લવકુશ તિવારીને કેમ ઉઠાવ્યો? દાનના રૂપિયા ખરેખર ગાયબ થયા છે?
- Dhruv Barot
- Updated on: Jun 14, 2026
- 7:02 pm
Breaking News: IPL 2026 પહેલા લખનૌ સુપરજાયન્ટ્સ ટીમ રામલલાના દરબારમાં, રિષભ પંતે જીત માટે કરી પ્રાર્થના
IPL 2026ની શરૂઆત પહેલા લખનૌ સુપરજાયન્ટ્સે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો છે. કેપ્ટન રિષભ પંત અને ટીમ મેનેજમેન્ટ સાથે ખેલાડીઓ અયોધ્યાના રામ મંદિર પહોંચ્યા અને જીત માટે આશીર્વાદ મેળવ્યા. નવી સિઝન પહેલા આ મુલાકાત ટીમ માટે માનસિક મજબૂતી અને આત્મવિશ્વાસ વધારવા માટે મહત્વપૂર્ણ છે.
- Smit Chauhan
- Updated on: Mar 21, 2026
- 9:29 pm
Ayodhya Shri Ram Yantra: અયોધ્યા રામ મંદિરમાં થશે શ્રીરામ યંત્રની સ્થાપના, ભક્તો બનશે ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Ayodhya Shri Ram Yantra: ભારતનું શ્રદ્ધાનું શહેર અયોધ્યા, 19 માર્ચે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનશે. આ દિવસે રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ યંત્ર સ્થાપિત કરવામાં આવશે. શ્રી રામ યંત્ર અને તેના મહત્વ વિશે જાણો.
- Meera Kansagara
- Updated on: Mar 17, 2026
- 12:01 pm