રામ મંદિર
રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. રામાયણ અનુસાર, અયોધ્યા એ હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે.
રામ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. 5 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે ભૂમિ પૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. શ્રી રામ, જેને શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તે એક વ્યાપકપણે પૂજાતા હિંદુ રાજા છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય, રામાયણ અનુસાર, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. જેને રામજન્મભૂમિ પણ કહેવામાં આવે છે. જે સરયુ નદીના કિનારે આવેલું છે.
15મી સદીમાં મુઘલોએ રામજન્મભૂમિ પર બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું, પરંતુ હિંદુઓ માને છે કે આ મસ્જિદ હિંદુ મંદિરને નષ્ટ કર્યા પછી બનાવવામાં આવી હતી. 9 નવેમ્બર, 1989 ના રોજ, વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ અને સાધુઓના જૂથે વિવાદિત જમીન પર 7 ઘન ફૂટનો ખાડો ખોદીને શિલાન્યાસ કર્યો હતો. ડિસેમ્બર 1992માં જ્યારે બાબરી મસ્જિદનો કારસેવકોએ ધ્વંસ કર્યો ત્યારે વિવાદનો હિંસક વળાંક આવી ગયો, પરંતુ અનેક કાયદાકીય વિવાદો બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ લલ્લાની તરફેણમાં આવ્યો હતો.
રામ મંદિરનું લાઈવ પ્રસારણ જોવું ગુનો નથી, મદ્રાસ હાઈકોર્ટે FIR કરી રદ
ફરિયાદ મુજબ, આરોપીઓએ જાન્યુઆરી 2024 માં અયોધ્યા મંદિરમાં આયોજિત રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઇવ ટેલિકાસ્ટ બતાવવા માટે કોઈમ્બતુરના એક મંદિરની બહાર LED સ્ક્રીન લગાવી હતી.
- Meera Kansagara
- Updated on: Oct 26, 2025
- 10:32 am
Video : 26 લાખ દીવાઓથી ઝગમગ્યો રામનો ઘાટ, 2,128 પુજારીઓએ સરયુ આરતી કરી… અયોધ્યા દીપોત્સવ દરમિયાન બે વિશ્વ રેકોર્ડ બન્યા
અયોધ્યામાં 9મો દીપોત્સવ ભવ્યતાથી ઉજવાયો, જ્યાં બે વિશ્વ રેકોર્ડ સર્જાયા. 2.6 મિલિયન દીવાઓ પ્રગટાવીને નવો ગિનિસ રેકોર્ડ બન્યો.
- Sagar Solanki
- Updated on: Oct 19, 2025
- 9:33 pm
Ayodhya Diwali : ભક્તોનો રેકોર્ડ તૂટ્યો, દિવાળીએ દિવ્ય બન્યું અયોધ્યા, લાખો ભક્તો મહા આરતી અને દીપોત્સવમાં જોડાયા, જુઓ Photos
અયોધ્યા ડીએમ નિખિલ ટીકારામ ફંડે જણાવ્યું હતું કે વહીવટીતંત્રે આ દીપોત્સવમાં આવનારા લાખો ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અભૂતપૂર્વ પગલાં લીધા છે. AI કેમેરા માત્ર ભીડની ગણતરી જ નહીં પરંતુ શંકાસ્પદ વ્યક્તિઓને પણ ઓળખી શકશે.
- Sagar Solanki
- Updated on: Oct 19, 2025
- 4:46 pm
સુવર્ણ ગુંબજ, સ્તંભો પર અદ્ભુત કલાકૃતિ… શ્રી રામ મંદિરના પહેલા માળના ફોટા તમારા હૃદયને કરશે મોહિત
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે, મુખ્ય માળખું હવે 85-90 ટકા પૂર્ણ થયું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે મંદિરના પહેલા માળના મંત્રમુગ્ધ કરનારા ફોટા જાહેર કર્યા છે, જ્યાં ભક્તો હવે રામ દરબાર જોઈ શકશે. મુખ્ય મંદિર નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
- Sagar Solanki
- Updated on: Oct 15, 2025
- 5:35 pm
જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને આ સન્માન આપવામાં આવે છે. દિલ્હીના વિજ્ઞાનભવનમાં રાષ્ટ્રપતિએ રામભદ્રાચાર્યને આ સન્માન આપીને સન્માનિત કર્યા.
- Mina Pandya
- Updated on: May 16, 2025
- 8:57 pm
Breaking News: અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
હજુ એકવર્ષ પહેલા અને 500 વર્ષની તપશ્ચર્યા બાદ નિર્માણ પામેલા અયોધ્યાના સુપ્રસિદ્ધ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
- Mina Pandya
- Updated on: Apr 15, 2025
- 5:11 pm
અદ્ભુત, અલૌકિક દર્શન : અયોધ્યા રામલલ્લાના લલાટે થયુ સૂર્ય તિલક, જુઓ વીડિયો
અયોધ્યામાં રામ નવમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રામ મંદિરની ભવ્યતા જોવા જેવી છે. રામલલ્લાના લલાટે સૂર્ય કિરણનું તિલક કરવામાં આવ્યુ હતુ. વૈદિક મંત્રોના જાપ અને ભક્તોના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું.
- TV9 Gujarati
- Updated on: Apr 6, 2025
- 1:20 pm
Travel tips : રામનવમી પર શ્રીરામના આ મંદિરે પરિવાર સાથે દર્શન કરવાનો પ્લાન બનાવો
દેશભરમાં અયોધ્યા સિવાય શ્રીરામના અનેક પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરો આવેલા છે. અયોધ્યા તમે રામ નવમી પર ફરવાનો પ્લાન બનાવી શકો છો. ભક્તો અયોધ્યા જવાનું આયોજન કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કે, અયોધ્યા તમે બસ અને ટ્રેન દ્વારા કેવી રીતે પહોચશો.
- Nirupa Duva
- Updated on: Apr 4, 2025
- 9:40 pm
રામ મંદિર ટ્રસ્ટે, સરકારને 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો, શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. જેમાં રૂપિયા 270 કરોડનો GSTનો સમાવેશ થાય છે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યામાં ધાર્મિક પર્યટન અને રોજગારની તકોમાં વધારો થયો છે. ગયા વર્ષે 16 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાંથી 5 કરોડ દર્શનાર્થીઓએ રામ મંદિરના દર્શન કર્યા હતા. CAG દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ નાણાકીય રેકોર્ડનું નિયમિત ઓડિટ કરવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 17, 2025
- 2:38 pm
રામ મંદિર પર હુમલાના ષડયંત્રમાં ઝડપાયેલા આંતકીનું ગુજરાત કનેક્શન, પરિવાર ગુજરાતના સુરતનો રહેવાસી, પિતાએ અનેક રહસ્યો પરથી ઉઠાવ્યો પરદો
અમદાવાદ: રામ મંદિર પર આતંકી હુમલાના ષડયંત્રમાં ઝડપાયેલા અબ્દુલ રહેમાન અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. સૌથી મોટું ખુલાસો એ છે કે અતંકી રહેમાનના પિતા અને પરિવાર ગુજરાતના સુરતના રહેવાસી છે. સુરત સાથે જોડાયેલા આ નાતાએ ગુજરાતમાં પણ ચકચાર મચાવી છે.
- Mihir Soni
- Updated on: Mar 4, 2025
- 11:57 am
Ayodhya : રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, જાણો ક્યારથી કરતા હતા રામ લલ્લાની સેવા
અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાની પૂજા કરતા મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 85 વર્ષની વયે અવસાન થયું છે. બુધવારે લખનૌ પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
- Tanvi Soni
- Updated on: Feb 12, 2025
- 9:46 am
15 દિવસ અયોધ્યા રામ લલ્લાના દર્શન કરવા ના આવશો, રામ મંદિર ટ્રસ્ટે લોકોને કરી અપીલ
મૌની અમાવસ્યાને કારણે, પ્રયાગરાજ અને અયોધ્યા પહેલેથી જ ભક્તો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ભરેલું છે. જ્યારે, મહાકુંભ માટે આવેલા મોટી સંખ્યામાં ભક્તો પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. જેના કારણે અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ અને ટ્રાફિક જામ પણ થાય છે. ભક્તો માટે મંદિરમાં દર્શન કરવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે. આવી સ્થિતિમાં, રામ મંદિર ટ્રસ્ટે, અયોધ્યાની નજીકના વિસ્તારના ભક્તોને અપીલ કરી છે કે તેઓ 15 દિવસ માટે રામ લલ્લાના દર્શને ના આવે.
- TV9 Gujarati
- Updated on: Jan 28, 2025
- 5:50 pm
Ram Mandir Anniversary 2025: રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ 11 મી જાન્યુઆરીએ જ કેમ ઉજવાઈ રહી છે ? જાણો…
Ram Lalla First Anniversary Celebration: આજે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અયોધ્યા રામ મંદિરમાં ત્રિદિવસીય ભવ્ય પ્રતિષ્ઠા દ્વાદશી ઉજવણી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રામલલ્લાના મંત્રોના જાપ સાથે પંચામૃતથી અભિષેક અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
- Dhinal Chavda
- Updated on: Jan 11, 2025
- 4:15 pm
કેવી રીતે થાય છે ASI સર્વે ? કેવી રીતે ખબર પડે કે જમીનની નીચે મંદિર હતું કે મસ્જિદ ?
ASIએ સંભલના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને શોધવા માટે ઘણી જગ્યાએ સર્વે કર્યું છે. દેશમાં આ પ્રકારનો સર્વે પહેલીવાર નથી થઈ રહ્યો. આ પહેલા અયોધ્યા અને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં પણ આવો જ સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI સર્વે કેવી રીતે થાય છે, તેની સ્થાપના ક્યારે થઈ હતી ?
- Dilip Chaudhary
- Updated on: Dec 25, 2024
- 6:44 pm
“રામ મંદિરને બોમ્બથી ઉડાવી દઈશું” ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ મંદિરો પર હુમલાની તારીખ કરી જાહેર
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ વીડિયોમાં કહ્યું છે કે ભારતીય મૂળના ઘણા કેનેડિયન સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાને અનુસરે છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ બાજ આવી રહ્યો નથી. આ વખતે તેણે અયોધ્યાના રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે.
- krushnapalsinh chudasama
- Updated on: Nov 11, 2024
- 9:49 pm