Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર

રામ મંદિર

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. રામાયણ અનુસાર, અયોધ્યા એ હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે.

રામ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. 5 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે ભૂમિ પૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. શ્રી રામ, જેને શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તે એક વ્યાપકપણે પૂજાતા હિંદુ રાજા છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય, રામાયણ અનુસાર, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. જેને રામજન્મભૂમિ પણ કહેવામાં આવે છે. જે સરયુ નદીના કિનારે આવેલું છે.

15મી સદીમાં મુઘલોએ રામજન્મભૂમિ પર બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું, પરંતુ હિંદુઓ માને છે કે આ મસ્જિદ હિંદુ મંદિરને નષ્ટ કર્યા પછી બનાવવામાં આવી હતી. 9 નવેમ્બર, 1989 ના રોજ, વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ અને સાધુઓના જૂથે વિવાદિત જમીન પર 7 ઘન ફૂટનો ખાડો ખોદીને શિલાન્યાસ કર્યો હતો. ડિસેમ્બર 1992માં જ્યારે બાબરી મસ્જિદનો કારસેવકોએ ધ્વંસ કર્યો ત્યારે વિવાદનો હિંસક વળાંક આવી ગયો, પરંતુ અનેક કાયદાકીય વિવાદો બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ લલ્લાની તરફેણમાં આવ્યો હતો.

Read More

રામ મંદિર ટ્રસ્ટે, સરકારને 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો, શ્રદ્ધાળુઓની સંખ્યા 10 ગણી વધી

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 400 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. જેમાં રૂપિયા 270 કરોડનો GSTનો સમાવેશ થાય છે. રામ મંદિરના નિર્માણથી અયોધ્યામાં ધાર્મિક પર્યટન અને રોજગારની તકોમાં વધારો થયો છે. ગયા વર્ષે 16 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. જેમાંથી 5 કરોડ દર્શનાર્થીઓએ રામ મંદિરના દર્શન કર્યા હતા. CAG દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તમામ નાણાકીય રેકોર્ડનું નિયમિત ઓડિટ કરવામાં આવે છે.

રામ મંદિર પર હુમલાના ષડયંત્રમાં ઝડપાયેલા આંતકીનું ગુજરાત કનેક્શન, પરિવાર ગુજરાતના સુરતનો રહેવાસી, પિતાએ અનેક રહસ્યો પરથી ઉઠાવ્યો પરદો

અમદાવાદ: રામ મંદિર પર આતંકી હુમલાના ષડયંત્રમાં ઝડપાયેલા અબ્દુલ રહેમાન અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. સૌથી મોટું ખુલાસો એ છે કે અતંકી રહેમાનના પિતા અને પરિવાર ગુજરાતના સુરતના રહેવાસી છે. સુરત સાથે જોડાયેલા આ નાતાએ ગુજરાતમાં પણ ચકચાર મચાવી છે.

Ayodhya : રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, જાણો ક્યારથી કરતા હતા રામ લલ્લાની સેવા

અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાની પૂજા કરતા મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 85 વર્ષની વયે અવસાન થયું છે. બુધવારે લખનૌ પીજીઆઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

15 દિવસ અયોધ્યા રામ લલ્લાના દર્શન કરવા ના આવશો, રામ મંદિર ટ્રસ્ટે લોકોને કરી અપીલ

મૌની અમાવસ્યાને કારણે, પ્રયાગરાજ અને અયોધ્યા પહેલેથી જ ભક્તો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ભરેલું છે. જ્યારે, મહાકુંભ માટે આવેલા મોટી સંખ્યામાં ભક્તો પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. જેના કારણે અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ અને ટ્રાફિક જામ પણ થાય છે. ભક્તો માટે મંદિરમાં દર્શન કરવા ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે. આવી સ્થિતિમાં, રામ મંદિર ટ્રસ્ટે, અયોધ્યાની નજીકના વિસ્તારના ભક્તોને અપીલ કરી છે કે તેઓ 15 દિવસ માટે રામ લલ્લાના દર્શને ના આવે.

Ram Mandir Anniversary 2025: રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ 11 મી જાન્યુઆરીએ જ કેમ ઉજવાઈ રહી છે ? જાણો…

Ram Lalla First Anniversary Celebration: આજે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અયોધ્યા રામ મંદિરમાં ત્રિદિવસીય ભવ્ય પ્રતિષ્ઠા દ્વાદશી ઉજવણી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રામલલ્લાના મંત્રોના જાપ સાથે પંચામૃતથી અભિષેક અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

કેવી રીતે થાય છે ASI સર્વે ? કેવી રીતે ખબર પડે કે જમીનની નીચે મંદિર હતું કે મસ્જિદ ?

ASIએ સંભલના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને શોધવા માટે ઘણી જગ્યાએ સર્વે કર્યું છે. દેશમાં આ પ્રકારનો સર્વે પહેલીવાર નથી થઈ રહ્યો. આ પહેલા અયોધ્યા અને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં પણ આવો જ સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI સર્વે કેવી રીતે થાય છે, તેની સ્થાપના ક્યારે થઈ હતી ?

“રામ મંદિરને બોમ્બથી ઉડાવી દઈશું” ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ મંદિરો પર હુમલાની તારીખ કરી જાહેર

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ વીડિયોમાં કહ્યું છે કે ભારતીય મૂળના ઘણા કેનેડિયન સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાને અનુસરે છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ બાજ આવી રહ્યો નથી. આ વખતે તેણે અયોધ્યાના રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે.

Ayodhya Deepotsav 2024: અયોધ્યામાં આજે રામમય દિવાળી, સરયૂ ઘાટને 25 લાખ દીવાઓથી શણગારાયો, જુઓ Photos

અયોધ્યામાં રોશનીનો પર્વ શરૂ થઈ ગયો છે. રામ કી પૈડી પર વધુ એક નવો રેકોર્ડ બન્યો છે. 55 ઘાટો પર એક સાથે 25 લાખ દીવાઓ પ્રગટાવીને રામ કી પૌડીને ઝળહળતી કરવામાં આવી છે. સરયૂની બંને તરફ હજારો લોકો આ અનોખી ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા છે.

500 વર્ષ પછી અયોધ્યામાં ઉજવાશે ભવ્ય દિવાળી, સીએમ યોગીએ કહ્યું- અમે જે કહ્યું તે કર્યું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અયોધ્યા પહોંચી ગયા છે. આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે, આ વર્ષ અયોધ્યા માટે અદ્ભુત, અનોખું, અલૌકિક છે. 500 વર્ષની પ્રતિક્ષાનો અંત લાવીને રામ લલ્લા ફરી એકવાર પોતાના ધામમાં બેઠા અને દુનિયાના તમામ પીડિતોને આ સંદેશ આપ્યો કે તેઓ ક્યારેય તેમના માર્ગથી ભટકી ન જાય.

અયોધ્યામાં આજે યોજાશે ભવ્ય દીપોત્સવ, દુલ્હનની જેમ સજીને તૈયાર થઈ રામનગરી, જુઓ-Photo

મળતી માહિતી મુજબ અયોધ્યામાં આજે ભવ્ય દપોત્સવ થશે. રામ કી પૌડી પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સરયુ નદીના 55 ઘાટ પર 28 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Ayodhya Deepotsav : અયોધ્યા ફરી રેકોર્ડ બનાવવાની તૈયારીમાં, રામનગરી 25 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે, ફોટોમાં જુઓ તૈયારી

Ayodhya Deepotsav : વિશ્વમાં એક અલગ ઓળખ ઉભી કરનારા અયોધ્યા દીપોત્સવ આ વખતે ફરી એક રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ સરયૂ નદીના કિનારે 25 લાખ દીવા પ્રગટાવવામાં આવશે.

Travel tips : જો તમે દિવાળી સેલિબ્રેટ કરવા અયોધ્યા જઈ રહ્યા છો, તો આ ટિપ્સ તમારા માટે છે

અયોધ્યા ભગવાન રામની નગરીના નામથી જાણીતી છે. અહિ દેશ સહિત વિદેશમાંથી પણ પ્રવાસીઓ ફરવા માટે આવે છે. તો આજે આપણે કેટલીક ખાસ ટ્રાવેલ ટિપ્સ વિશે વાત કરીશું, જે તમારા માટે ખાસ રહેશે.

IRCTC Tour Package : માતા-પિતાને કરાવો 17 દિવસની રામાયણ યાત્રા, જાણો આ ટૂર પેકેજ વિશે

આઈઆરસીટીસી પ્રવાસીઓ માટે દેશ અને વિદેશ માટે ટુર પેકજ રજુ કરે છે. આ ટુર પેકેજ દ્વારા ટુરિઝમને પ્રોત્સાહન મળે છે અને ટુરિસ્ટ સસ્તામાં યાત્રા કરે છે. હવે આઈઆરસીટીસીએ 17 દિવસનું રામાયણ યાત્રાનું ટુર પેકેજ લોન્ચ કર્યું છે. ચાલો વિગતે જાણીએ.

Ayodhya: પ્રભુના આવવા પર દુલ્હન બનશે રામનગરી, 25 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે સરયૂ ઘાટ, આ રીતે થશે તૈયારીઓ

રામનગરી અયોધ્યામાં આ વર્ષે આઠમા દીપોત્સવને ભવ્ય અને દિવ્ય બનાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ વખતનો દીપોત્સવ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભગવાન રામ લલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. રામ મંદિરની ગર્ભગૃહની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે, તેથી અયોધ્યાના રહેવાસીઓ અને સમગ્ર વિશ્વમાં હાજર રામ ભક્તો માટે આ રોશનીનો તહેવાર ખૂબ જ ખાસ બની ગયો છે.

Ayodhya Ram mandir : બે મહિના પાછળ ચાલી રહ્યું છે રામમંદિરનું કામ, ક્યારે તૈયાર થશે રામ દરબાર?

Ayodhya Ram mandir : રામ મંદિર નિર્માણ કાર્ય સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ બેઠકમાં જણાવ્યું કે, રામ દરબારનું નિર્માણ કાર્ય નવેમ્બરમાં પૂર્ણ થઈ જશે. રામ દરબારની મૂર્તિનો લેઆઉટ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં પથ્થર પર પ્રતિમા બનાવવાનું કામ શરૂ થશે.

g clip-path="url(#clip0_868_265)">