રામ મંદિર
રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. રામાયણ અનુસાર, અયોધ્યા એ હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે.
રામ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. 5 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે ભૂમિ પૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. શ્રી રામ, જેને શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તે એક વ્યાપકપણે પૂજાતા હિંદુ રાજા છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય, રામાયણ અનુસાર, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. જેને રામજન્મભૂમિ પણ કહેવામાં આવે છે. જે સરયુ નદીના કિનારે આવેલું છે.
15મી સદીમાં મુઘલોએ રામજન્મભૂમિ પર બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું, પરંતુ હિંદુઓ માને છે કે આ મસ્જિદ હિંદુ મંદિરને નષ્ટ કર્યા પછી બનાવવામાં આવી હતી. 9 નવેમ્બર, 1989 ના રોજ, વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ અને સાધુઓના જૂથે વિવાદિત જમીન પર 7 ઘન ફૂટનો ખાડો ખોદીને શિલાન્યાસ કર્યો હતો. ડિસેમ્બર 1992માં જ્યારે બાબરી મસ્જિદનો કારસેવકોએ ધ્વંસ કર્યો ત્યારે વિવાદનો હિંસક વળાંક આવી ગયો, પરંતુ અનેક કાયદાકીય વિવાદો બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ લલ્લાની તરફેણમાં આવ્યો હતો.
Read MoreBreaking News : અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસ, ચંપત રાયને મળી ક્લીન ચીટ, જુઓ Video
રામ મંદિર દાન ચોરી કેસમાં પૂર્વ મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાને યોગી સરકાર દ્વારા રચાયેલી SITના અંતિમ રિપોર્ટમાં ક્લીન ચીટ મળી છે.
- Sagar Solanki
- Updated on: Aug 18, 2026
- 5:16 pm
Breaking News : 15 ઓગસ્ટથી રામ લલ્લાના પુજારી નવા ડ્રેસ કોડમાં જોવા મળશે, જાણો નવો પોશાક કેવો હશે?
Ayodhya Ram Mandir : અયોધ્યા રામ મંદિરમાં 15 ઓગ્સ્ટથી પુજારી માટે નવો ડ્રેસ કોર્ડ લાગુ કરવામાં આવ્યો છે. જેનાથી પુજા વ્યવસ્થામાં એકરુપતા કરાશે.
- Nirupa Duva
- Updated on: Aug 14, 2026
- 8:07 am
Breaking News : અયોધ્યાના રામ મંદિરમાં દર્શન વ્યવસ્થામાં મોટો ફેરફાર, VIP પાસ સિસ્ટમ બંધ
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ દરબારના દર્શન માટેની VIP પાસ સિસ્ટમ બંધ કરી છે. હવે ભક્તો સામાન્ય કતારમાંથી રામલલાના દર્શન કર્યા બાદ સીધા જ પ્રથમ માળે આવેલા રામ દરબારના દર્શન કરી શકશે. સાથે જ આરતી દર્શન માટે આધાર કાર્ડના આધારે પાસ મેળવવાની નવી વ્યવસ્થા પણ અમલમાં મૂકાઈ છે.
- RajSingh Sisodiya
- Updated on: Aug 6, 2026
- 2:43 pm
Breaking News: રામ મંદિરમાં ડાયરેક્ટ ‘CEO’ ની ખુરશી મેળવવાની ‘જોરદાર તક’, જાણી લો ‘લાયકાત’
અયોધ્યા રામ મંદિરના વહીવટને લઈને એક ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ના પદ માટે સત્તાવાર ભરતી બહાર પાડવામાં આવી છે. મંદિરમાં ચઢાવાના કથિત ગબન અને એસઆઈટી (SIT) તપાસ વચ્ચે લેવાયેલો આ નિર્ણય ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jul 13, 2026
- 7:27 pm
Breaking News : ‘શ્રી રામભૂમિ’માંથી અનુપમ ખેરનો ફર્સ્ટ લુક જાહેર, ફિલ્મમાં અશોક સિંઘલની ભૂમિકામાં આવશે નજર
બોલીવૂડ અભિનેતા અનુપમ ખેરે ફિલ્મ 'શ્રી રામભૂમિ'માંથી પોતાનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. તેઓ આ ફિલ્મમાં વિશ્વ હિંદુ પરિષદના દિવંગત નેતા અશોક સિંઘલની ભૂમિકામાં જોવા મળશે. સોશિયલ મીડિયા પર શેર કરેલી તેમની તસવીરો વાયરલ થઈ રહી છે.
- RajSingh Sisodiya
- Updated on: Jul 10, 2026
- 3:55 pm
Breaking News: ‘રામભક્તો પર ગોળીઓ ચલાવનારા, શું જામા મસ્જિદમાં હનુમાન ચાલીસા કરી શકશે ?’ અયોધ્યામાં વિપક્ષ પર વરસ્યા ‘CM યોગી’
રામ મંદિરમાં ચઢાવાની ચોરીના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રૂ. 432 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધતા CM યોગીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
- Ravi Prajapati
- Updated on: Jul 10, 2026
- 3:18 pm
દાન ચોરીના વિવાદ વચ્ચે રામમંદિર ટ્ર્સ્ટે પહેલીવાર જાહેર કર્યો સોના-ચાંદીનો ખજાનો, જાણો
છેલ્લા કેટલાય દિવસોથી અયોધ્યા સ્થિત રામમંદિરમાંથી દાનની ચોરી થવાના મામલે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને રામ મંદિરના કર્તાહર્તા વિવાદમાં સપડાયા છે. દેશભરના શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોચાડે તેવા સામે આવેલ કૃત્યથી દાન-દક્ષિણા આપનાર સૌ કોઈ અંચબિત થઈ ઉઠ્યા હતા. રામ મંદિરમાં સોના-ચાંદીનુ દાન-દક્ષિણ કરનારા શ્રદ્ધાળુઓને પણ તેમના દાન-દક્ષિણા સલામત છે કે કેમ તે અંગે શંકા હતી. આવા સંજોગોમાં પહેલીવાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, વિતેલા નાણાકીય વર્ષના છેલ્લા દિવસ સુધીમાં કેટલુ સોનું અને ચાંદીનો જથ્થો છે તેની વિગતો જાહેર કરી છે.
- Bipin Prajapati
- Updated on: Jul 8, 2026
- 1:41 pm
Breaking News: ચંપત રાયે કેમ ધારણ કર્યું ‘મૌન’ ? કહ્યું, “સમય આવશે ત્યારે એક-એક સત્ય ઉજાગર કરીશ, ત્યાં સુધી…”
અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે રામ ભક્તોના નામે એક પત્ર લખીને પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 7, 2026
- 7:22 pm
Breaking News: દાનના પૈસા, ગર્લફ્રેન્ડ પર પ્રેમ અને મોંઘી કાર… અવિનાશે રામ મંદિરના ₹19 લાખ ક્યાં અને કેવી રીતે વાપર્યા?
અયોધ્યા રામ મંદિરના દાનની ઉચાપતના કેસમાં એસઆઈટી (SIT) ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ આ મામલામાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસના મુખ્ય આરોપી અવિનાશ શુક્લાએ પોલીસ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું છે કે, તેણે દાનમાં મળેલી રકમમાંથી લાખો રૂપિયા પોતાના મિત્રો, પરિવાર અને અંગત મોજશોખ પાછળ વાપરી નાખ્યા હતા.
- Ravi Prajapati
- Updated on: Jul 7, 2026
- 7:07 pm
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું- હવે હું રાજનીતિ નહીં ધર્મ રક્ષા કરીશ, અયોધ્યા સુધીની પદયાત્રામાં કારસેવકોને આમંત્રણ આપીશ
રામ મંદિરના દાનની ચોરીથી વ્યથિત થઈ ઉઠેલા, કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાજકારણને બદલે ધર્મરક્ષા કરવાની નવી વાત ઉચ્ચારી છે. દિગ્વિજયસિંહે આગામી 2 ઓક્ટોબરે ઉજ્જૈનથી અયોધ્યા સુધીની પદયાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ દરમિયાન, તેમણે તેમની યાત્રા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે તેઓ હવે ફક્ત આસ્થાના રક્ષણ માટે પોતાને ધર્મ સમર્પિત કરશે.
- Bipin Prajapati
- Updated on: Jul 7, 2026
- 6:06 pm
Breaking News : હરિદ્વારમાં પૂજારીઓ અને કર્મચારીઓ પાયજામામાં ખિસ્સા નહીં અને હાથમાં બેગ નહીં લઈ જઈ શકે
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિમાં દાનની ચોરી મામલા બાદ હરિદ્વારના મનસા દેવી મંદિર ટ્ર્સ્ટે પુજારીઓ અને કર્મચારીઓ માટે કડક નિયમો જાહેર કર્યા છે. તેમજ કડક કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: Jul 7, 2026
- 2:01 pm
Breaking News: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામુ, હવે કૃષ્ણ મોહન સંભાળશે જવાબદારી
અયોધ્યામાં રામ મંદિર ટ્ર્સ્ટની મળેલી બેઠક પૂર્ણ થઈ છે, લગભગ 3 કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠક બાદ ટ્રસ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી છે. મંદિર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી એ જણાવ્યુ કે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાનુ રાજીનામુ મંજૂર કરી લેવામાં આવ્યુ છે. કૃષ્ણ મોહન હવે ટ્રસ્ટના નવા મહાસચિવ બનાવવામાં આવ્યા છે.
- Mina Pandya
- Updated on: Jul 6, 2026
- 7:21 pm
Aayodhya Ram Mandir: રામ મંદિર ટ્રસ્ટની આજે નિર્ણાયક બેઠક, ચંપત રાયના રાજીનામા પર થશે મોટો નિર્ણય
બેઠકના એજન્ડામાં સૌપ્રથમ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા પર વિચાર કરવામાં આવશે. જો આજે આ રાજીનામા સ્વીકારવામાં આવે છે, તો તે ટ્રસ્ટના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફારોનો માર્ગ મોકળો કરી શકે છે.
- Meera Kansagara
- Updated on: Jul 6, 2026
- 8:17 am
રામ મંદિરનો નવો ‘નો-પોકેટ’ ડ્રેસ કોડ: જાણો આ નિયમો શું છે અને તે કોને લાગુ પડે છે
Ram Mandir No Pocket Dress Code: અયોધ્યા રામ મંદિરમાં એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે આ નવો નિયમ શું છે અને તે કોને લાગુ પડે છે.
- Meera Kansagara
- Updated on: Jul 5, 2026
- 2:41 pm
‘હિન્દુઓએ સતર્ક રહેવું જોઈએ’, રામ મંદિર વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીની મોટી અપીલ
ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે તેમને સરકાર અને તપાસ એજન્સીમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે દોષિતો સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. ચંપત રાય અંગે તેમણે કહ્યું કે આ તપાસનો વિષય છે અને જે કોઈ દોષિત ઠરશે તેને કાર્યવાહીનો સામનો કરવો પડશે.
- Meera Kansagara
- Updated on: Jul 5, 2026
- 9:14 am