AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિર

રામ મંદિર

રામ મંદિર એ અયોધ્યામાં આવેલ એક હિન્દુ મંદિર છે. જે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનાવવામાં આવી રહ્યું છે. રામાયણ અનુસાર, અયોધ્યા એ હિન્દુ ધર્મના મુખ્ય દેવતા ભગવાન શ્રી રામનું જન્મસ્થળ છે.

રામ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. 5 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે ભૂમિ પૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. શ્રી રામ, જેને શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તે એક વ્યાપકપણે પૂજાતા હિંદુ રાજા છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય, રામાયણ અનુસાર, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. જેને રામજન્મભૂમિ પણ કહેવામાં આવે છે. જે સરયુ નદીના કિનારે આવેલું છે.

15મી સદીમાં મુઘલોએ રામજન્મભૂમિ પર બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું, પરંતુ હિંદુઓ માને છે કે આ મસ્જિદ હિંદુ મંદિરને નષ્ટ કર્યા પછી બનાવવામાં આવી હતી. 9 નવેમ્બર, 1989 ના રોજ, વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ અને સાધુઓના જૂથે વિવાદિત જમીન પર 7 ઘન ફૂટનો ખાડો ખોદીને શિલાન્યાસ કર્યો હતો. ડિસેમ્બર 1992માં જ્યારે બાબરી મસ્જિદનો કારસેવકોએ ધ્વંસ કર્યો ત્યારે વિવાદનો હિંસક વળાંક આવી ગયો, પરંતુ અનેક કાયદાકીય વિવાદો બાદ સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ લલ્લાની તરફેણમાં આવ્યો હતો.

Read More

રામ મંદિરના દરવાજા આ લાકડામાંથી બનેલા છે, જાણો તેની વિશેષતા અને કોતરણી વિશે

રામ મંદિર ભવ્યતા અને કલાત્મકતાથી બનાવવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓની આકૃતિઓ કોતરેલી છે. રામ મંદિરમાં કુલ 46 દરવાજા છે, જેમાંથી ઘણા સોનાની પરતથી મઢેલા છે.

Travel Tips : માતા-પિતાને લઈ કરી આવો રામ મંદિરના દર્શન, આ રીતે બનાવો પ્લાન

ઉત્તરપ્રદેશના સુંદર શહેર અયોધ્યાને રામ જન્મભૂમિ પણ કહેવામાં આવે છે. અયોધ્યામાં તમે પરિવાર કે પછી માતા-પિતાને લઈ ફરવાનો પ્લાન બનાવી શકો છો. 1 દિવસમાં તમે સુંદર સ્થળો પર ફરી શકો છો.

સદીઓની વેદનાનો આજે આવ્યો અંત, અયોધ્યા રામમંદિરેથી બોલ્યા પીએમ મોદી- ધર્મ ધ્વજાના પુનઃસ્થાપનનો સંકલ્પ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મ ધ્વજા ફરકાવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે સનાતનીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. સદીઓથી ચાલી આવતી વેદનાનો અંત આવ્યો છે. સદીઓથી ધર્મ ધ્વજાને પુનઃસ્થાપન કરવાનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે.

Breaking News: અયોધ્યા રામમય બની, રામ મંદિર પર PM મોદીએ ધર્મ ધ્વજા લહેરાવી, 3 કિમી દૂરથી થશે ધજાના દર્શન

અભિજિત મુહૂર્ત શરૂ થઈ ગયું છે. ધર્મધ્વજને શિખર પર ચઢાવવામાં આવી રહ્યો છે. વૈદિક વિધિઓ શરૂ થઈ ગઈ છે, અને મંત્રોનો જાપ શરૂ થઈ ગયો છે. PM મોદીએ ધર્મધ્વજ લહેરાવી દીધો છે.

રામ મંદિરમાં ધજા રોહણ સમારોહમાં શા માટે લેવાઈ રહી છે ઈન્ડિયન આર્મીની મદદ? આ છે ખાસ કારણ

રામ નગરી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શીખર પર શોભાયમાન થનારા મુખ્ય ધ્વજને ધર્મ ધ્વજ કે સૂર્ય ધ્વજ પણ કહેવામાં આવે છે. તેનુ વજન 2.5 કિલોગ્રામ છે. આ ધ્વજ નાયલોન- રેશમ મિશ્રીત પોલિમરથી બનેલો છે. આ ધ્વજારોહણ સમારોહ પહેલા સેના દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેકવર રિહર્સલ પણ કરવામાં આવ્યા છે.

અમદાવાદનું સૌભાગ્ય: અયોધ્યામાં રામ મંદિર પર લહેરાશે અમદાવાદના કારીગરોએ તૈયાર કરેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ-ધ્વજ’- આ છે વિશેષતા

અયોધ્યામાં આવતીકાલે (25-Nov-2025) દિવ્ય મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને આ ઐતિહાસિક સમારોહનો સાક્ષી ફરી એકવાર સમગ્ર દેશ બનવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે સૌભાગ્યની ઘડી છે. કારણ કે દિવ્ય રામ મંદિર પર જે ધર્મ ધ્વજ લહેરાવવામાં આવશે તેને અમદાવાદના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

30 મિનિટનું શ્રેષ્ઠ મુહૂર્ત, 8,000 VIP ગેસ્ટ્સ, મોબાઈલ પર પ્રતિબંધ, દેશ બનશે વધુ એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી

રામ મંદિરમાં 25 નવેમ્બરે આયોજિત થનારા ધ્વજારોહણ સમારોહ સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય સમારોહની ગરિમા સાથે સંપન્ન થશે. વૈદિક પરંપરાઓ અને આધુનિક શિષ્ટાચાર વચ્ચે સવારે 11 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધીમાં નિર્ધારીત શુભ મુહૂર્તમાં ધ્વજારોહણની વિધિ સંપન્ન કરવામાં આવશે. આ અવધિની અંદર 30 મિનિટના શ્રેષ્ઠ મુહૂર્તમાં ધજા ચડાવવામાં આવશે. આ મૂહુર્ત બપોરે 12 થી 12:30 વાગ્યા સુધીમાં થશે.

કરોડો હિંદુઓની આસ્થાના ધામ સમા રામમંદિરમાં 25 નવેમ્બરે થશે ધ્વજારોહણ, 30 મિનિટના શુભ મુહૂર્તમાં આટોપી લેવાશે તમામ વિધિ

બાંધકામ એજન્સી દ્વારા ત્રણ સેટમાં મોકલવામાં આવેલા ધ્વજ રેશમ-કોટેડ પેરાશૂટ ફેબ્રિકના દોરામાંથી બનાવવામાં આવ્યા છે. વાલ્મીકિ રામાયણ પર આધારિત, આ ધ્વજમાં રામ રાજ્યનું પ્રતીક "કોવિદાર" વૃક્ષ અને સૂર્ય વંશનું પ્રતીક સૂર્ય દેવને દર્શાવવામાં આવ્યા છે. સમન્વયના પ્રતીક 'ઓમકાર' નું પ્રતીક પણ દર્શાવવામાં આવ્યું છે.

રામ મંદિરનું લાઈવ પ્રસારણ જોવું ગુનો નથી, મદ્રાસ હાઈકોર્ટે FIR કરી રદ

ફરિયાદ મુજબ, આરોપીઓએ જાન્યુઆરી 2024 માં અયોધ્યા મંદિરમાં આયોજિત રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઇવ ટેલિકાસ્ટ બતાવવા માટે કોઈમ્બતુરના એક મંદિરની બહાર LED સ્ક્રીન લગાવી હતી.

Video : 26 લાખ દીવાઓથી ઝગમગ્યો રામનો ઘાટ, 2,128 પુજારીઓએ સરયુ આરતી કરી… અયોધ્યા દીપોત્સવ દરમિયાન બે વિશ્વ રેકોર્ડ બન્યા

અયોધ્યામાં 9મો દીપોત્સવ ભવ્યતાથી ઉજવાયો, જ્યાં બે વિશ્વ રેકોર્ડ સર્જાયા. 2.6 મિલિયન દીવાઓ પ્રગટાવીને નવો ગિનિસ રેકોર્ડ બન્યો.

Ayodhya Diwali : ભક્તોનો રેકોર્ડ તૂટ્યો, દિવાળીએ દિવ્ય બન્યું અયોધ્યા, લાખો ભક્તો મહા આરતી અને દીપોત્સવમાં જોડાયા, જુઓ Photos

અયોધ્યા ડીએમ નિખિલ ટીકારામ ફંડે જણાવ્યું હતું કે વહીવટીતંત્રે આ દીપોત્સવમાં આવનારા લાખો ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અભૂતપૂર્વ પગલાં લીધા છે. AI કેમેરા માત્ર ભીડની ગણતરી જ નહીં પરંતુ શંકાસ્પદ વ્યક્તિઓને પણ ઓળખી શકશે.

સુવર્ણ ગુંબજ, સ્તંભો પર અદ્ભુત કલાકૃતિ… શ્રી રામ મંદિરના પહેલા માળના ફોટા તમારા હૃદયને કરશે મોહિત 

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે, મુખ્ય માળખું હવે 85-90 ટકા પૂર્ણ થયું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે મંદિરના પહેલા માળના મંત્રમુગ્ધ કરનારા ફોટા જાહેર કર્યા છે, જ્યાં ભક્તો હવે રામ દરબાર જોઈ શકશે. મુખ્ય મંદિર નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને આ સન્માન આપવામાં આવે છે. દિલ્હીના વિજ્ઞાનભવનમાં રાષ્ટ્રપતિએ રામભદ્રાચાર્યને આ સન્માન આપીને સન્માનિત કર્યા.

Breaking News: અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

હજુ એકવર્ષ પહેલા અને 500 વર્ષની તપશ્ચર્યા બાદ નિર્માણ પામેલા અયોધ્યાના સુપ્રસિદ્ધ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

અદ્ભુત, અલૌકિક દર્શન : અયોધ્યા રામલલ્લાના લલાટે થયુ સૂર્ય તિલક, જુઓ વીડિયો

અયોધ્યામાં રામ નવમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રામ મંદિરની ભવ્યતા જોવા જેવી છે. રામલલ્લાના લલાટે સૂર્ય કિરણનું તિલક કરવામાં આવ્યુ હતુ. વૈદિક મંત્રોના જાપ અને ભક્તોના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">